AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનિલ અગ્રવાલે પોતાના હરીફો પાસેથી ફંડની વ્યવસ્થા કરી, વેદાંતને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે બનાવ્યો નવો પ્લાન

VRL દ્વારા બુધવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વેદાંતે કહ્યું કે તે જૂથને દેવા મુક્ત બનાવવા માંગે છે. VRL એ પણ માહિતી આપી હતી કે તેણે 31 માર્ચે તેનું દેવું ઘટાડીને $6.4 બિલિયન કર્યું છે, જે એક વર્ષ અગાઉ $9.7 બિલિયન હતું.

અનિલ અગ્રવાલે પોતાના હરીફો પાસેથી ફંડની વ્યવસ્થા કરી, વેદાંતને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે બનાવ્યો નવો પ્લાન
Vedanta
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 11:25 AM
Share

વેદાંતા ગ્રૂપ દેવાના બોજ હેઠળ દબાયેલું છે.અનેક પ્રોજેક્ટ અટવાયેલા છે અને તેમને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને લઈને સરકાર તરફથી મોટો ફટકો પણ પડ્યો છે. આવા અનિલ અગ્રવાલે ગ્રુપને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે નવો પ્લાન બનાવ્યો છે.

એક અહેવાલ અનુસાર, વેદાંતા રિસોર્સિસ લિમિટેડ એટલે કે VRL, વેદાંતા લિમિટેડની મૂળ કંપની, તેના પોતાના બે હરીફો પાસેથી $450 મિલિયન એકત્ર કર્યા છે. નિષ્ણાતોના મતે, તેમનું આ પગલું બતાવે છે કે તેમને બેંકો અને ખાનગી ધિરાણકર્તાઓ જેવી પરંપરાગત ચેનલો પાસેથી ઉધાર લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કઈ કંપનીઓ પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા

VRL એ કોમોડિટી ટ્રેડિંગ કંપની ટ્રેફિગુરા ગ્રૂપ પાસેથી $200 મિલિયન અને ખાણકામ અને કુદરતી સંસાધનો કંપની Glencore International AG પાસેથી $250 મિલિયન એકત્ર કર્યા છે. નોમુરાના સંશોધન અહેવાલ મુજબ, ટ્રેફિગુરા પાસેથી મળેલા નાણાંનો ઉપયોગ ઓકટ્રીના $150 મિલિયનના દેવાની ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, અનિલ અગ્રવાલે વેદાંતા લિમિટેડના 4.4 ટકા શેર ગ્લેનકોર ઇન્ટરનેશનલ એજી સાથે ગીરવે મૂકીને લોન લીધી છે. હજુ સુધી આ અંગે વેદાંત તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

બિલિયન ડોલરનું ફંડ એકત્ર કરી શકે છે અગ્રવાલ

નોમુરાના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે VRL ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં $1 બિલિયનનું ફંડ એકત્ર કરી શકે છે. આનો ઉપયોગ 13.875 ટકા બોન્ડની ફાઇનાન્સ રિપેમેન્ટ માટે કરવામાં આવશે. વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે 8 માર્ચે ફાયનાન્સિયલ ટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં લોનની ચુકવણી અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી. તે સમયે, તેણે અખબારને ટાંકીને કહ્યું હતું કે દરેક તેને ઉધાર આપવા માંગે છે અને $1 બિલિયન તેના માટે ચણા મમરા સમાન છે.

દેવું ઘટ્યું છે

સ્ટોક એક્સચેન્જના ખુલાસો અનુસાર, અગ્રવાલે ભંડોળ ઊભું કરવા માટે વેદાંતા લિમિટેડમાં તેમનો સંપૂર્ણ 68.11 ટકા હિસ્સો ગીરવે મૂક્યો છે. VRL દ્વારા બુધવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વેદાંતે કહ્યું કે તે જૂથને દેવું મુક્ત બનાવવા માંગે છે. VRL એ પણ માહિતી આપી હતી કે તેણે 31 માર્ચે તેનું દેવું ઘટાડીને $6.4 બિલિયન કર્યું છે, જે એક વર્ષ અગાઉ $9.7 બિલિયન હતું.

37,730 કરોડનું ડિવિડન્ડ

વેદાંતા લિમિટેડે FY2023માં રૂ. 37,730 કરોડના પાંચ ડિવિડન્ડ ચૂકવ્યા હતા, જેમાંથી રૂ. 25,700 કરોડ VRLને અપસ્ટ્રીમ હતા. અગ્રવાલે 26 એપ્રિલે ETને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે છેલ્લા 25 વર્ષમાં અમે એક વખત પણ ડિફોલ્ટ નથી કર્યું. અમારા દેવા અંગે હાસ્યાસ્પદ વાતો કરવામાં આવી છે.

ઓકટ્રી પાસેથી $750 મિલિયન લોન લેવામાં આવી હતી

વેદાંત હોલ્ડિંગ મોરિશિયસ, વેસ્ટગ્લોબ અને ફિન્સાઈડર્સ ઈન્ટરનેશનલ કંપની લિમિટેડે સંયુક્ત રીતે એપ્રિલ 2021માં ઓકટ્રી પાસેથી $750 મિલિયન એકત્ર કર્યા હતા. આ ઉધાર, ઓકટ્રી બોક્સ તરીકે ઓળખાય છે. એપ્રિલમાં, વેદાંતે ઓકટ્રી લોનના $250 મિલિયનની ચૂકવણી કરી અને હવે તે વધુ $150 મિલિયન ચૂકવવાની તૈયારી કરી રહ્યું છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">