“ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.
જિલ્લાનાં મુખ્ય પાક તરીકે ઘઉં, જુવાર, બાજરી, કપાસ, તુવેર, ડાંગર , કેળ છે તો મુખ્ય નદીઓમાં નર્મદા, ઢાઢર, કીમ, ભુખી, ભાદર, નંદ, હંકરન, કાવેરી, અને મધુમતી છે. ઉઘોગ નગરી તરીકે વિકસેલા આ જિલ્લામાં યાંત્રિક, કેમિકલ્સ, રાસાયણિક, પ્લાસ્ટિક, કાચ, દવાઓ, ટેક્ષટાઈલ, કૃષિ, વનપેદાશો વિસ્તરેલા છે. ઐતિહાસિક ધોરણે નામના પાત્ર આ જિલ્લામાં મેળાઓ પણ ખુબ ઉજવાય છે કે જેમાં શુક્લતીર્થનો મેળો, દેવજગતનો મેળો, ગોદાવરી બાવાઘોરનો મેળો,હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો, ભાડભૂતનો મેળો, ગુમાનદેવનો મેળો, મેઘરાજાનો છડીનો મેળો મુખ્યત્વે છે.
ભરૂચના જોવા લાયક સ્થળોમાં શુક્લતીર્થ, ગંધારનું મંદિર, સાસુ-વહુનાં દેરાસર- ઝાડેશ્વર, લખાબાવાનું મંદિર – લખીગામ, દહેજ બંદર, જી.આઈ.ડી.સી. અંકલેશ્વર, ઔઘોગિક સંકુલો, કબીરવડ, ગોલ્ડન બ્રિજ, નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, ગુમાનદેવ, ગરૂડેશ્વર મહાદેવ મંદિર, કાવી, રામકુંડ, કડિયા ડુંગર, ઝાડેશ્વર મંદિર, ભૃગુ મંદિર, ભાડભૂત મંદિર વગેરેનો સમાવેશ થાય છે.
આ પેજ પર Bharuch , Bharuch Latest News, Bharuch Business News, Bharuch Sports News, Bharuch News Today, Bharuch News in Gujarati, Bharuch Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફુટ અને વોર્નિંગ લેવલ 22 ફુટ છે. સવારે 6.30 વાગે જળસ્તર 17 ફુટ નોંધાયું હતું. ...
આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું. ...
સારા કાર્યકાળના કારણે તેમને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચમાં પોસ્ટિંગ અપાયું હતું. 42 વર્ષીય યોગેશદાન ગઢવીએ કોરોનાકાળમાં સારી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભરૂચ જિલ્લામાં અનેક ગંભીર અને સંવેદનશીલ ...
મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો અને પરિવારે તબીબો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી. હોબાળા બાદ પોલીસને (Bharuch Police) તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં ...
Mandi : જુદા જુદા પાકના ભાવ (Prices) ગુજરાતના વિવિધ APMCમાં અનાજના શુ રહ્યા ભાવ (Prices) તે અંગે, ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ (Prices) ...
નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1,29,000 ક્યુસેક છે. ડેમના ત્રણ ગેટ દ્વારા 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જયારે ૨૪ કલાક તારાબાઈ ચાલુ ...
આજે ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરાએ નર્મદાના જળસ્તર વધવાની ચેતવણી બાદ તંત્રની પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારીની સમીક્ષઆ માટે બેઠક યોજવામાં આવી હતી. ...
પસ્તાવા અને ભયના કારણે ધના ભગત અને વિનુ વાળંદે ઝેરી દવા ગટગટાવી હતી. બેન્નેને સરવર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં વિનુનું મોત નીપજ્યું હતું જયારે ...
દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા ઉત્સવનો રોચક ઇતિહાસ રહેલો છે. ભોઈ સમાજ (જાદવ) દ્વારા ઉજવાતા આ ઐતિહાસિક મેઘ મેળા ...
ભરૂચ સિટી બસ સેવા દ્વારા શહેરીજનો માટે સસ્તી અને સુવિધાજનક સફર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે ...