AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના પહેલા મ્યૂઝિકલ’ રોડ સામે 650 પરિવારે કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

મુંબઈમાં ભારતના પહેલા 'મ્યૂઝિકલ' રોડનું ઉદ્ઘાટન એક મહિના પહેલા જ થયું હતું. એવું કહેવાય છે કે રસ્તામાંથી નીકળતા સંગીતથી આસપાસના રહેણાંક વિસ્તારમાં રહેતા 650 થી વધારે પરિવારને તકલીફ પડી રહી છે. પરિવારોએ BMCને ફરિયાદ કરી છે.

ભારતના પહેલા મ્યૂઝિકલ' રોડ સામે 650 પરિવારે કરી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
| Updated on: Mar 09, 2026 | 5:46 PM
Share

ભારતના પહેલા ‘મ્યૂઝિકલ’ રોડનું ઉદ્ઘાટન એક મહિના પહેલા જ મુંબઈમાં થયું હતું. આ રોડ વિવાદમાં ફસાયો છે. હકીકતમાં, રોડમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી આવી. પરંતુ રોડમાંથી નીકળતા સંગીતે આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા 650 થી વધુ પરિવારોને ખલેલ પહોંચાડી છે. પરિવારોનો દાવો છે કે સંગીતે તેમની દિનચર્યામાં ખલેલ પહોંચાડે છે.

પોશ બ્રીચ કેન્ડી વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે સવારે 6 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી મોટેથી સંગીત વાગે છે. શહેર શાંત અને વધુ રહેવા યોગ્ય વાતાવરણ બનાવવા માટે કામ કરી રહ્યું છે ત્યારે મેલોડી રોડ “ઘણી તકલીફ પેદા કરી રહ્યું છે અને જાહેર જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું નથી”.રહેવાસીઓએ આ મુદ્દા અંગે મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખીને વહેલા ઉકેલ લાવવાની વિનંતી કરી છે.

એ.આર. રહેમાનના ગીત ‘જય હો’ ની ધૂન વાગે છે

મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં કહ્યું છે કે એ.આર. રહેમાનના ગીત ‘જય હો’ ની ધૂન વહેલી સવાર 6 વાગ્યાથી લઈને મધ્યરાત્રિ સુધી કોસ્ટલરોડના ઉત્તરીય ભાગમાં વાગે છે, જે સીધો ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોમાંથી પસાર થાય છે. રાત્રે, જ્યારે શહેર શાંત હોય છે, ત્યારે અવાજ વધુમોટો થાય છે, જેના કારણે રહેવાસીઓને તકલીફ પડે છે.બારીઓ બંધ હોવા છતાં પણ અવાજ ઘરની અંદરઘૂસી શકે છે. રહેવાસીઓનો દાવો છે કેઆ સમસ્યા ધ્વનિ પ્રદૂષણનું કારણ બની રહી છે, જે બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ અસર કરી રહી છે.

11 ફેબ્રુઆરીના રોજ CM ફડણવીસે તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 11 ફેબ્રુઆરીના રોજ મ્યૂઝિકલ રોડના આ ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રોડમાં ખાસ ડિઝાઇન કરાયેલીગતિ-મર્યાદિત લેન છે. આ દુનિયાનો પાંચમો અને ભારતમાં આ પ્રકારનો પહેલો રોડ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલની અંદર, આગામીમ્યૂઝિકલ રોડ અને અનુભવ માટે જરૂરી ગરી મર્યાદા વિશે ડ્રાઇવરોને ચેતવણી આપવા માટે તે ભાગ પહેલા 500 મીટર, 100 મીટર અને 60 મીટરનાઅંતરે સાઈનબોર્ડ લગાવવામાં આવ્યા છે.

BMCના અધિકારીઓ તપાસ કરશે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ નજીકના રહેણાંક મકાનમાંથી નીકળતા અવાજના ડેસિબલ સ્તરનું પરીક્ષણ કરવાનો નિર્ણયલ લીધો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન હવે તેના ટેકનિકલ સલાહકારોને આ મુદ્દાનો અભ્યાસ કરવા અને પ્રોજેક્ટના ઉદ્દેશ્યોને જાળવી રાખીને અવાજની અસરઘટાડવાના રોડ ઓળખવાનો નિર્દેશ આપ્યો છે. રહેણાંક વિસ્તારના રહેવાસીઓને ખાતરી આપવામાં આવી છે કે તેમની સમસ્યા ટૂંક સમયમાં ઉકેલવામાંઆવશે.

1 એપ્રિલથી નહીં, આજથી જ યુવા સાથીયોના ખાતામાં આવશે પૈસા, ચૂંટણી પહેલા મમતા બેનર્જી નું એલાન વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
g clip-path="url(#clip0_868_265)">