હવામાન
સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. જેના પગલે ચોમાસામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે. જ્યારે શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમીનું તાપમાન અંગે આગાહી કરવામાં આવે છે. જેને આપણે સાદા શબ્દોમાં કહીએ તો હવામાન વિશે આગાહી કરી એમ કહેવાય છે.
Read MoreBreaking News : ગુજરાતમાં ફરી જળબંબાકારના એંધાણ! ક્યાં પડશે અતિભારે વરસાદ? અંબાલાલ પટેલે જણાવ્યું, જુઓ Video
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 12 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડી શકે છે.
- Sagar Solanki
- Updated on: Sep 18, 2026
- 2:58 pm
કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા…! નારોલમાં ડ્રેનેજ સિસ્ટમ ફેલ, તંત્રના દાવા તો ‘હિટ’ પણ કામગીરી ‘ફ્લોપ’ – જુઓ Video
અમદાવાદના નારોલ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે. નાગરિકો તંત્રની કામગીરી અને કરોડોના પ્રી-મોન્સુન પ્લાન પર સવાલો ઉઠાવી રહ્યા છે, કારણ કે ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
- Ravi Prajapati
- Updated on: Sep 18, 2026
- 2:37 pm
Breaking News: અમદાવાદમાં બપોરે 4થી 6 વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી, AMCએ કરી બહાર ના નીકળવાની તાકીદ
અમદાવાદ શહેરમાં આજે સવારે પડેલા ધોધમાર વરસાદ બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. શહેરમાં બપોરે 4 થી 6 વાગ્યા સુધીમાં ફરી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાંજના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા ખાસ તાકીદ કરવામાં આવી છે.
- Ravi Prajapati
- Updated on: Sep 18, 2026
- 2:26 pm
Banaskantha Breaking News : લાંબા વિરામ બાદ બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી, રસ્તાઓ બેટમાં ફેરવાયા ! જુઓ Video
બનાસકાંઠામાં જ્યાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે. જ્યાં બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અહીના પાલનપુર ડીસા દાંતા અને અમીરગઢની અંદર વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
- Dhruval Shah
- Updated on: Sep 18, 2026
- 1:32 pm
Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 3 ઈંચ વરસ્યો વરસાદ, જાણો કયા વોર્ડમાં કેટલા ઈંચ ખાબક્યો
અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલ સરખેજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પશ્ચિમ ઝોનમાં આવેલ નવરંગપુરામાં 110 મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ઝોનમાં વરસાદની માત્રા શહેરના અન્ય ઝોનની સરખામણીએ ઘણી ઓછી રહેવા પામી હતી.
- Bipin Prajapati
- Updated on: Sep 18, 2026
- 12:33 pm
Ahmedabad Rain Breaking News : અમદાવાદમાં સવારમાં તુટી પડેલા તોફાની વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસાદને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
- Bipin Prajapati
- Updated on: Sep 18, 2026
- 9:00 am
Breaking News : અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, થોડા જ વરસાદમાં રસ્તા પર પાણી વહેતા થયા…
અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જમાલપુર, જગન્નાથ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત દીવડા પ્રગટાવવા અને રોશનીના કાર્યક્રમો પર વરસાદને કારણે ચિંતાના વાદળો છવાયા છે.
- Sagar Solanki
- Updated on: Sep 17, 2026
- 7:18 pm
Breaking News : સૌરાષ્ટ્ર તરફ આવી રહી છે નવી સિસ્ટમ! અંબાલાલ પટેલની આગાહીએ વધારી ચિંતા, જુઓ Video
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. લો પ્રેશર સિસ્ટમના કારણે જામનગર, ભાવનગર, બોટાદ સહિતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે.
- Sagar Solanki
- Updated on: Sep 17, 2026
- 3:03 pm
Breaking News : ગુજરાતમાં 17-19 સપ્ટેમ્બરે વરસાદ, ક્યારે છે તીવ્ર ચક્રવાતની શક્યતા? અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
અંબાલાલ પટેલના મતે 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન પલટાશે અને હળવાથી ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં. 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન પણ હવામાનમાં ફેરફાર આવશે.
- Sagar Solanki
- Updated on: Sep 16, 2026
- 12:43 pm
Gujarat Weather Today Breaking: ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સક્રિય રહેલા વરસાદી માહોલ વચ્ચે હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને ભારે વરસાદની શક્યતા નહિવત છે, જ્યારે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
- Tanvi Soni
- Updated on: Sep 16, 2026
- 9:22 am
Breaking News: ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત, 110 તાલુકામાં વરસાદ ખાબક્યો, કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ વરસાદ વરસ્યો
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ વરસાદ ખાબકતાં સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
- TV9 Gujarati
- Updated on: Sep 16, 2026
- 8:40 am
16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલના પુત્રની ગુજરાત ATSએ કરી ધરપકડ
આજે 16 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Sep 16, 2026
- 8:48 pm
Breaking News : ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર, કચ્છમાં રેડ એલર્ટ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર જોવા મળશે, જેમાં કચ્છ માટે રેડ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં હજુ પણ 10% વરસાદની ઘટ છે, જોકે તાજેતરના રાઉન્ડથી થોડી રાહત મળી છે.
- Sagar Solanki
- Updated on: Sep 15, 2026
- 9:31 pm
Kutch Rain Breaking: માંડવીમાં 6 ઇંચ વરસાદથી સરકારી હોસ્પિટલ બેટમાં ફેરવાઈ, અંજારની સોસાયટીઓના ઘરોમાં ઘૂસ્યા પાણી
કચ્છના માંડવી અને અંજારમાં મુશળધાર વરસાદે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. માંડવીની સરકારી હોસ્પિટલમાં ઘૂંટણસમા પાણી ભરાતાં દર્દીઓ લાચાર બન્યા છે, જ્યારે અંજારમાં ઘરોની અંદર પાણી ઘૂસી જતાં ભારે હોબાળો મચ્યો છે. 80 ટકા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જમીની વાસ્તવિકતા શું છે?
- Sachin Agrawal
- Updated on: Sep 15, 2026
- 5:40 pm
Breaking News : ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉનાના કેસરિયા ગામમાં અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.
- Devankashi rana
- Updated on: Sep 15, 2026
- 12:10 pm