અમેરિકન પેદાશની દાળ પર ભારતના ટેરિફથી ડઘાઈ ગયા ત્યાંના ખેડૂતો, ટ્રમ્પને પત્ર લખીને કહ્યુ મોદીને સમજાવો ટેરિફ પાછો લે- વાંચો
જ્યારે અમેરિકાએ ભારત ઉપર ટેરિફ લગાવ્યો તો ભારતે પણ એક કાઉન્ટર ટેરિફ લગાવ્યો. એ ટેરિફને કારણે અમેરિકાના ખેડૂતો ડઘાઈ ગયા છે અને તેઓ ભારતના આ ટેરિફને અન્યાયી ગણાવી રહ્યા છે. હવે અમેરિકાના સેનેટર્સે ટ્રમ્પને ચિઠ્ઠી લખી છે. જેમા ટ્ર્મ્પને પીએમ મોદી સાથે વાત કરવાની અપીલ કરાઈ છે. મતલબ સાફ છે કે ભારતના ટેરિફથી અમેરિકાના ખેડૂતોએ લોહી ઉકાળા શરૂ કરી દીધા છે. હવે અમેરિકન સેનેટર્સ ટ્રમ્પને ચિઠ્ઠી લખીને કહી રહ્યા છે કે મહેરબાની કરીને અમેરિકન પલ્સીસ (દાળ) પર લગાવવામાં આવેલા ભારતના ટેરિફમાંથી મુક્તિ અપાવો.

અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો જેની સામે ભારતે માત્ર તેમની દાળ પર ટેરિફ લગાવ્યો તો તેમના સેનેટર્સે કાગારોળ મચાવી દીધી છે અને ભારતના ટેરિફને અનફેર (અન્યાયી) ગણાવી રહ્યા છે. ભારતના કેસમાં ઉલટુ થઈ રહ્યુ છે, એકતરફ જ્યાં દુનિયા ટ્રમ્પ સામે દયાની માગ કરી રહી છે ત્યાં યુએસ સેનેટર્સ ટ્રમ્પને કહી રહ્યા છે કે તમે મોદીને સમજાવો અને ટેરિફથી આપણા ખેડૂતોને મુક્તિ અપાવો. જો કે આ એજ અમેરિકા છે જેના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિકે એવુ નિવેદન કર્યુ હતુ કે બસ બે મહિનાની અંદર અમેરિકાના ટેરિફના મારથી ભારત ઘૂંટણીએ પડી જશે અને અમારી માફી માગશે. (“India will say Sorry in 2 months”) અને પછી ટ્રમ્પ નક્કી કરશે કે મોદીની સાથે શું કરવાનું છે. function loadTaboolaWidget() { ...
