“ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ 2013માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે.
મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી.
આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. જ્યારે ડિસેમ્બર 1, 1995ના દિવસે આ મંદિરનું પુનઃનિર્માણ સમાપ્ત થયું ત્યારે તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માએ દેશને મંદિર સમર્પિત કર્યું. 1951માં જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે તેમણે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે. તુલશી શ્યામ, ભાલકા તીર્થ અને સોમનાથ મંદિર જોવાલાયક સ્થળો છે.
આ પેજ પર Gir Somnath , Gir Somnath news, Gir Somnath Latest News, Gir Somnath Business News, Gir Somnath Sports News, Gir Somnath Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “
અષાઢી બીજ બાદ એક મહિનામાં જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે, ત્યારે યાત્રામધામ સોમનાથ(Somnath)માં શ્રદ્ધાળુઓની સુવિધા માટે 20 રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જેથી વરસાદ ...
ગુજરાતમાં આગામી 28 જૂનથી 1 જુલાઈએ વરસાદનું જોર વધશે. તેમજ હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટ્મ શક્રિય થવાથી ફિશરમેન વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે. ...
ગીર-સોમનાથ અને જામનગર સહિત સૌરાષ્ટ્રભરના બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા બંદર પર 40થી 50 કિલોમીટરની ઝડપે ...
રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે ...
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા નજીકથી સડી ગયેલો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી તુવેરદાળ સડી ગઇ હોવાથી ફેંકી ગયાની ચર્ચા છે. વાયરલ ...
પાંચ વર્ષ બાદ માછીમારોનું (Fisherman)પરિવાર સાથે મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા માછીમારોમાં 13 માછીમાર ગીર સોમનાથના, 5 માછીમાર ઓખાના અને 1 માછીમાર ...
મહિલા પોલીસ (Women Police) રાષ્ટ્રસેવાની સાથે સાથે ઘરપરિવાર અને બાળકોની પણ સંભાળ રાખે છે ત્યારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં મહિલા કર્મચારીઓના બાળકો માટે ઘોડિયાઘરની વ્યવસ્થા ઉભી ...
હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની(Rain Forecast) આગાહી કરવામાં આવી ...
દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી તાપી જિલ્લામાં અને સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ...
ગીર સોમનાથ (Gir somnath)અને અમરેલીમાં (Amreli) ગ્રામ્ય પંથકમાં ફરીથી વરસાદની શરૂઆત થતા વાતાવરણ આહ્લાદક બની ગયું હતું. ...