T20 વર્લ્ડ કપ
ICC મેન્સ T20 વર્લ્ડ કપ, જે અગાઉ ICC વર્લ્ડ T20 તરીકે ઓળખાતો હતો, ક્રિકેટના T20 ઇન્ટરનેશનલ ફોર્મેટની સૌથી મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટનું આયોજન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કરવામાં આવે છે. T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે.
સામાન્ય રીતે આ ટુર્નામેન્ટ દર બે વર્ષે યોજાય છે, જોકે શેડ્યુલ અને વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે કેટલીક આવૃત્તિઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2020ની આવૃત્તિ COVID-19 મહામારીના કારણે મુલતવી રાખીને 2021માં યોજવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 6 ટીમોએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારત (2007, 2024), વેસ્ટ ઈન્ડિઝ (2012, 2016) અને ઇંગ્લેન્ડ (2010, 2022) બે-બે વખત ચેમ્પિયન બન્યા છે. જ્યારે પાકિસ્તાન (2009), શ્રીલંકા (2014) અને ઓસ્ટ્રેલિયા (2021) એક-એક વખત વિજેતા બન્યા છે.
ઝડપી રમત, રોમાંચક મેચો અને યુવા ખેલાડીઓને તક આપવાના કારણે T20 વર્લ્ડ કપ ક્રિકેટને નવી ઊંચાઈએ લઇ ગયું છે. 2026 માં 10 મો T20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે, જેમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન ભારત અને શ્રીલંકામાં થઇ રહ્યું છે.
Breaking News : સૂર્યકુમાર યાદવે કર્યો મોટો ખુલાસો, આ ચાર દિગ્ગજોના કારણે મળી હતી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ
ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં મોટો ખુલાસો કર્યો છે કે તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં કયા ચાર મહત્વપૂર્ણ વ્યક્તિઓની ભૂમિકા રહી હતી. તેના નિવેદન પછી ટીમ મેનેજમેન્ટ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની વ્યૂહાત્મક ભૂમિકા ફરી ચર્ચામાં આવી છે.
- Smit Chauhan
- Updated on: Mar 18, 2026
- 7:31 pm
Breaking News : T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફેમસ બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાલ વચ્ચે છે ખાસ કનેક્શન, જાણો કેવી રીતે
T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને બોલીવૂડની ફેમસ ગાયિકા શ્રેયા ઘોષાલ વચ્ચે એક ખાસ કનેક્શન છે. સૂર્યકુમાર યાદવ ક્રિકેટજગતમાં અને શ્રેયા ઘોષાલ સંગીતજગતમાં ટોપ પર છે. બંનેના કામ અલગ-અલગ છે. એક મધુર સ્વરથી સંગીતની સુવાસ ફેલાવે છે, તો બીજો બેટથી મેદાનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરે છે. એવામાં આ બંને દિગ્ગજો વચ્ચે શું કનેક્શન છે?
- Smit Chauhan
- Updated on: Mar 16, 2026
- 6:29 pm
Bumrah Love story: સંજનાને જોવા માટે તરસી ગઈ હતી આંખો, એક પળની પણ દૂરી સહન નહોતો કરી શક્તો- એક મેસેજથી બની ગઈ બુમરાહની જોડી
ટૂીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર જીત મેળવી છે. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મેદાનમાં ખેલાડીઓની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ અને તેમની પત્ની સંજના ગણેશનની ખૂબ ચર્ચા થઈ રહી છે.
- Mina Pandya
- Updated on: Mar 16, 2026
- 4:55 pm
હાર્દિક પંડ્યાએ પોતાના કાર કલેક્શનમાં એડ કરી નવી કાર, ખરીદી આટલા કરોડ રૂપિયાની ફેરારી
T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીત બાદ હાર્દિક પંડ્યાએ ₹10 કરોડથી વધુની નવી લક્ઝરી ફેરારી ખરીદી છે. કાળા રંગની આ સ્પોર્ટ્સ કારમાં આધુનિક ટેક્નોલોજી છે.
- Sagar Solanki
- Updated on: Mar 15, 2026
- 7:18 pm
Breaking News : રોહિત અને વિરાટના નામ નહીં… આ ખેલાડીઓને મળશે એવોર્ડ, BCCI એ કરી મોટી જાહેરાત
BCCI એ નમન એવોર્ડ્સ 2026 ના વિજેતાઓની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અમ્પાયરોનું સન્માન કરવામાં આવશે. આ લિસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનું લિસ્ટમાં નામ નથી.
- Smit Chauhan
- Updated on: Mar 14, 2026
- 3:14 pm
રાજકોટમાં જન્મ થયો, ભારતીય ટીમના બેટિંગ કોચનો આવો છે પરિવાર
સીતાંશુ કોટક ભારતીય ટીમનો બેટિંગ કોચ છે.ટી20 વર્લ્ડકપ 2026ની ટ્રોફી જીતવામાં સીતાંશુ કોટકનો ખુબ મોટો ફાળો છે.તો સીતાંશુ કોટકના પરિવાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Mar 14, 2026
- 6:48 am
Breaking News : અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય મોટી ભૂલ, T20 વર્લ્ડ કપ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો
T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનને લઈને લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે ખુલાસો કર્યો છે. સુપર-8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલને બહાર રાખવાનો નિર્ણય બાદમાં મોટી ભૂલ સાબિત થયો હોવાનું તેણે સ્વીકાર્યું અને મેચ પછી વ્યક્તિગત રીતે અક્ષર પટેલ પાસે માફી માંગી હોવાનું જણાવ્યું.
- Smit Chauhan
- Updated on: Mar 12, 2026
- 5:44 pm
Breaking News :T20 World Cup જીતવાની સાથે હાર્દિક પંડ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ ,ગર્લફ્રેન્ડ માહિકા સાથે એક ફોટો બન્યું કારણ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડકપ 2026નો ખિતાબ ન્યુઝીલેન્ડને હરાવી જીત્યો હતો. ભારતીય ટીમની જીત બાદ હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માની સાથે મેદાન પર જશ્ન મનાવતો જોવા મળ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2026
- 9:38 am
ICC Rankings: અભિષેક-ઈશાન વચ્ચે નંબર 1 ની રેસ બની મજેદાર, મિસ્ટ્રી સ્પિનરે ગુમાવ્યું ટોપનું સ્થાન
T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ ICC દ્વારા જાહેર કરાયેલ નવી T20I રેન્કિંગમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. બોલરોની રેન્કિંગમાં ભારતનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પોતાનું નંબર-1 નું સ્થાન ગુમાવી ચૂક્યો છે, તો બીજી તરફ બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્મા પ્રથમ સ્થાને છે, પરંતુ ઈશાન કિશન હવે તેમના માટે મોટો પડકાર બની રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 5:05 pm
ગૌતમ ગંભીર કેમ હંમેશા ગંભીર રહે છે ? હેડ કોચે પોતે જ ખોલ્યું રહસ્ય- જાણો
ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હેડ કોચ ગૌતમ ગંભીરનું મોટું નિવેદન. ગંભીરે જણાવ્યું કે કેમ તે ડગઆઉટમાં ગંભીર ચહેરો રાખીને બેસે છે.
- Sachin Agrawal
- Updated on: Mar 11, 2026
- 4:02 pm
T20 World Cup 2026 Prize Money: ખેલાડીઓને 6-6 કરોડ રૂપિયા, કોચ ગંભીર સહિત સપોર્ટ સ્ટાફને આટલા કરોડ
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુશીઓની સાથે ઈનામોનો પણ વરસાદ થયો છે. BCCI દ્વારા ટીમ ઈન્ડિયા માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. હવે આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કેવી રીતે વહેંચાશે તેની વિગતો સામે આવી છે, જેમાં દરેકને કરોડો રૂપિયા ઈનામમાં મળશે.
- Smit Chauhan
- Updated on: Mar 11, 2026
- 3:59 pm
T20 WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાની ‘બેચલર ક્લબ’… અડધાથી વધુ ખેલાડીઓ છે અવિવાહિત
T20 વર્લ્ડ કપ 2026: ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને હરાવીને તેનો ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો. આ ટીમના ઘણા ખેલાડીઓ બેચલર ક્લબનો ભાગ છે. ચાલો જાણીએ કે કયા ખેલાડીઓ હજુ પણ અવિવાહિત છે.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2026
- 11:57 pm
પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ ભારતના જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી, કહ્યું- ‘વર્લ્ડનો બેસ્ટ બોલર’
T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ભારતે બેટિંગ અને બોલિંગ બંને વિભાગોમાં દમદાર રમત દેખાડી હતી. ભારતની આ ઐતિહાસિક જીત બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ પણ ટીમ ઈન્ડિયા અને જસપ્રીત બુમરાહની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2026
- 10:56 pm
T20 વર્લ્ડ કપ 2026 જીતવા છતાં ટીમમાંથી બહાર થશે આ ખેલાડીઓ, બુમરાહ પણ નહીં રમે!
આવનારા સમયમાં જસપ્રીત બુમરાહ કદાચ T20 ટીમમાં જોવા ન મળે, આ સાથે રિંકુ સિંહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન પણ જોખમમાં છે, જાણો આ પાછળનું મોટું કારણ શું છે.
- Smit Chauhan
- Updated on: Mar 10, 2026
- 9:56 pm
T20 WC Breaking News: શું સંજૂ સેમસન કોઈના ઈશારા પર રમી રહ્યો હતો? ફાઈનલ મેચનો આ વાયરલ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની ભવ્ય જીત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એવું લાગે છે કે, સેમસન કોઈના ઈશારા પર સિક્સર ફટકારી રહ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Mar 10, 2026
- 8:58 pm