T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડકપ 1 જૂન થી 30 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વખતે T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લેશે. આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.

ICCએ T20 વર્લ્ડકપની શરુઆત 2007માં કરી હતી. જેનું આયોજન સાઉથ આફ્રિકામાં થયું હતુ. પહેલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ભારતે જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

T20 વર્લ્ડકપનું આયોજન આમ તો દર 2 વર્ષે કરવામાં આવે છે. 2016માં ભારતમાં સફળ આયોજન બાદ આઈસીસીએ 2018માં સાઉથ આફ્રિકામાં કરવાની જાહેરાત કરી હતી પરંતુ ચેમ્પિયન ટ્રોફીને લઈ ICCએ આ આયોજનનો પ્લાન ડ્રોપ કરવો પડ્યો હતો. 2020માં કોરોના મહામારીના કારણે ટી20 વર્લ્ડકપનું આયોજન થઈ શક્યું ન હતુ. લાંબા સમયગાળા બાદ 2021માં ટી 20 વર્લ્ડકપનું આયોજન યુએઈ અને ઓમાનમાં કરવામાં આવ્યું હતુ.

T20 વર્લ્ડ કપ ટ્રોફીનું નિર્માણ લિન્ક ઓફ લંડન દ્વારા કરવામાં આવ્યું છે, જેનું વજન અંદાજે 7.5 કિલોગ્રામ છે. આ ટ્રોફી 20 ઇંચ લાંબી અને 7.5 ઇંચ પહોળી હોય છે. T20 વર્લ્ડ કપની ટ્રોફી ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવે છે.

Read More

હવે T20 વર્લ્ડ કપમાં વધુ ટીમો જોવા મળશે, ICCએ લીધો મોટો નિર્ણય

સમગ્ર વિશ્વમાં T20 ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે અને ઘણા નવા દેશ તેનો ભાગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ICC વર્લ્ડ કપને વિસ્તારવા માટે ટીમોની સંખ્યા સતત વધારી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલા મેન્સ વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમોએ ભાગ લીધો હતો અને હવે મહિલા વર્લ્ડ કપનો વ્યાપ પણ વધી રહ્યો છે.

હાર્દિક પંડ્યાનો વડોદરામાં ભવ્ય રોડ શો ખુલ્લી બસમાં યોજાયો, મોટી સંખ્યામાં ઉમટ્યા ક્રિકેટપ્રેમીઓ, જુઓ વીડિયો

ટી20 વિશ્વકપ 2024 જીત્યા બાદ હાર્દિક પંડ્યા વતન ગુજરાત પહોંચ્યો હતો. જ્યાં હાર્દિક પંડ્યાનો વિશાળ રોડ શો યોજવામાં આવતા મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો અને વડોદરા વાસીઓ ઉમટી પડ્યા હતા. રોડ શો ત્રણ કિલોમીટર લાંબો યોજવામાં આવ્યો હતો.

ગૌતમ ગંભીર કોચ બનતા જ હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં ? એક નિવેદને અનેક સવાલો ઊભા કર્યા

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નિવેદનથી હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓ વધી શકે છે. ગંભીરે જે કહ્યું તે હાર્દિક માટે જરાય સારું નથી. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું પંડ્યા ગૌતમ ગંભીરની વિચારસરણીમાં બેસે નહીં?

T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માએ ફટકારી હતી સતત 5 બાઉન્ડ્રી, હવે છલકાયું મિચેલ સ્ટાર્કનું દર્દ

T20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ સુપર 8 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. તેનું સૌથી મોટું કારણ ટીમ ઈન્ડિયા સામે તેની હાર હતી. આ હારનું સૌથી મોટું કારણ રોહિત શર્મા હતો જેણે ઓસ્ટ્રેલિયન બોલિંગ લાઈનઅપનો નાશ કર્યો હતો. હવે મિચેલ સ્ટાર્કે રોહિતની આ તોફાની ઈનિંગ પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે.

T20 વર્લ્ડ કપ જીતવા બદલ યુઝવેન્દ્ર ચહલને હરિયાણાના સીએમ નાયબ સિંહ તરફથી મળી ખાસ ભેટ

T20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના સભ્ય યુઝવેન્દ્ર ચહલે બુધવારે હરિયાણાના સીએમ નાયબ સિંહ સાથે મુલાકાત કરી હતી. વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન સીએમ નાયબે ચહલને ખાસ ભેટ આપીને સન્માનિત કર્યા હતા.

રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ઈનામી રકમ વહેંચતી વખતે 5 કરોડનું બોનસ છોડવા તૈયાર હતો, જાણો કારણ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાને ઈનામી રકમ તરીકે 125 કરોડ રૂપિયા આપ્યા હતા. તેમાંથી રોહિત શર્માને 5 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ ઈનામની રકમ વહેંચતી વખતે રોહિત પોતાનું બોનસ છોડવા માંગતો હતો.

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને મળેલા 125 કરોડ રૂપિયા પર કેટલો લાગશે ટેક્સ અને કોને મળશે કેટલી રકમ ?

BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયા ઈનામની જાહેરાત કરી છે. આ ઉપરાંત ICCએ પણ ભારતીય ટીમને લગભગ 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી છે. હવે આ રકમ ટીમના ખેલાડીઓ ઉપરાંત સ્ટાફમાં વહેંચવામાં આવી છે. પરંતુ, ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો હશે કે શું આ ઈનામની રકમ પર ટેક્સ લાગશે ?

રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાથી અલગ થતા વેળા મોટો નિર્ણય, 2.5 કરોડ જતા કરી દિલ જીતી લીધું

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી વિદાય લીધી છે. રાહુલના કાર્યકાળમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર-1 રહી હતી. જોકે વિદાય વેળાના તેના એક નિર્ણયે સૌનું દિલ જીતી લીધું છે.

IND vs ZIM: દમદાર બેટિંગનું રિંકુ સિંહને મળશે ચોંકાવનારું ઈનામ, ફરી એકવાર ટીમ ઈન્ડિયામાંથી થશે ડ્રોપ?

રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નહીં. તે વર્લ્ડ કપમાં રિઝર્વ ખેલાડી તરીકે હતો. આ પછી રિંકુ સિંહને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમમાં સામેલ કરવામાં આવ્યો, જ્યાં બીજી મેચમાં તેણે 22 બોલમાં 48 રન બનાવ્યા. આ પછી પણ તેનું સ્થાન જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે.

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ કરી હતી એક ભૂલ, તિરંગાનું અપમાન કર્યાનો લાગ્યો આરોપ

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો અને આખો દેશ તેને સલામ કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન તેના એક ફોટોએ મોટો વિવાદ ઉભો કર્યો છે. ઘણા લોકો આરોપ લગાવી રહ્યા છે કે રોહિત શર્માએ તિરંગાનું અપમાન કર્યું છે.

હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કરી કહ્યું “હમેશા કમબૈકને સેટબેકથી શાનદાર બનાવો”, જુઓ Video

હાર્દિક પંડ્યાએ સોમવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે દેખાડ્યું છે કે, ઈજાગ્રસ્ત બાદ કઈ રીતે ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. હાર્દિકે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

ભારત સાથે ઝઘડો કરનાર ‘પાડોશી’ દેશે વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને આપ્યું ખાસ આમંત્રણ

T20 વર્લ્ડ કપ જીતીને દેશમાં પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ચાહકોએ તેમના સ્ટાર ખેલાડીઓ પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો. ભારતીય ચાહકોએ જે રીતે ટીમનું સ્વાગત કર્યું, તે વિશ્વમાં હેડલાઈન્સ બન્યું અને તેના પરિણામે માલદીવ પણ ટીમ ઈન્ડિયાને આમંત્રણ આપી રહ્યું છે.

સતત ટ્રોલ થઈ રહ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાએ લીધો હતો આ નિર્ણય, ઈશાન કિશને કર્યો મોટો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2024માં હાર્દિક પંડ્યાએ શાનદાર ઓલરાઉન્ડ રમત બતાવી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ ખેલાડીએ ફાઇનલમાં 3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ દરમિયાન ઈશાન કિશને હાર્દિક પંડ્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે.

કુલદીપ યાદવે લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો, અભિનેત્રીને લઈ ચાઈનામેને શું કહ્યું જાણો

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બીસીસીઆઈ દ્વારા સન્માનિત કરતા પહેલા ભારતીય ટીમનું મુંબઈ મરીન ડ્રાઈવ પર એક ખુલ્લી બસમાં પરેડ હતી. ત્યારબાદ ટી20 વર્લ્ડકપમાં 10 વિકેટ લેનાર કુલદીપ યાદવ કાનપુર પહોંચ્યા છે, લગ્નને લઈ મોટો ખુલાસો કર્યો છે.

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયામાં વહેંચાશે 125 કરોડ, મસાજ કરવાવાળો પણ કરોડપતિ બનશે, જાણો કોને કેટલા પૈસા મળશે

ટી20 વર્લ્ડકર 2024 જીતનારી ટીમ ઈન્ડિયા માટે બીસીસીઆઈએ 125 કરોડ રુપિયાની જાહેરાત કરી હતી. આ રકમ કેવી રીતે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે વહેંચાશે. તેનો ખુલાસો થઈ ચુક્યો છે. તો ચાલો જોઈએ કે, રોહિત શર્મા-વિરાટ કોહલીને કેટલી રકમ મળશે અને રાહુલ દ્રવિડને કેટલા પૈસા મળશે.

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">