T20 વર્લ્ડ કપ
T20 વર્લ્ડકપ 1 જૂન થી 30 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વખતે T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લેશે. આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.
ICCએ T20 વર્લ્ડકપની શરુઆત 2007માં કરી હતી. જેનું આયોજન સાઉથ આફ્રિકામાં થયું હતુ. પહેલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ભારતે જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
T20 વર્લ્ડકપનું આયોજન આમ તો દર 2 વર્ષે કરવામાં આવે છે. 2016માં ભારતમાં સફળ આયોજન બાદ આઈસીસીએ 2018માં સાઉથ આફ્રિકામાં કરવાની જાહેરાત કરી હતી પરંતુ ચેમ્પિયન ટ્રોફીને લઈ ICCએ આ આયોજનનો પ્લાન ડ્રોપ કરવો પડ્યો હતો. 2020માં કોરોના મહામારીના કારણે ટી20 વર્લ્ડકપનું આયોજન થઈ શક્યું ન હતુ. લાંબા સમયગાળા બાદ 2021માં ટી 20 વર્લ્ડકપનું આયોજન યુએઈ અને ઓમાનમાં કરવામાં આવ્યું હતુ.
T20 વર્લ્ડ કપ ટ્રોફીનું નિર્માણ લિન્ક ઓફ લંડન દ્વારા કરવામાં આવ્યું છે, જેનું વજન અંદાજે 7.5 કિલોગ્રામ છે. આ ટ્રોફી 20 ઇંચ લાંબી અને 7.5 ઇંચ પહોળી હોય છે. T20 વર્લ્ડ કપની ટ્રોફી ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવે છે.
શું ભારતીય ટીમમાં કોઈ મોટો ફેરફાર થઈ શકે છે? જાહેર કરાયેલ T20 વર્લ્ડ કપમાં સ્કવોડમાં બદલાવ થશે કે નહીં? ICC નો આ નિયમ જાણી લેજો
ICC T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે પરંતુ ICC ટુર્નામેન્ટમાં આ તેની પહેલી તક છે. એવામાં સવાલ એ છે કે, શું જાહેર કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરી શકાય છે?
- Ravi Prajapati
- Updated on: Dec 22, 2025
- 8:30 pm
શુભમન ગિલ કે સંજુ સેમસન 2025માં ટી20 ક્રિકેટમાં કોણે સૌથી વધુ રન બનાવ્યા? જાણો
ટી20 વર્લ્ડકપ 2026 માટે સિલેક્ટર્સે સંજુ સેમસન ઉપર વિશ્વાસ મુક્યો છે. તે પહેલી વખત આ ટૂર્નામેન્ટમાં રમતો જોવા મળી શકે છે. તે એશિયા કપનો ખિતાબ જીતનારી ટીમનો ભાગ પણ રહી ચૂક્યો છે.
- Nirupa Duva
- Updated on: Dec 22, 2025
- 1:53 pm
ગૌતમ ગંભીર, સૂર્યા અને અગરકરે ગિલને અંધારામાં કેમ રાખ્યો? આ એક નિર્ણય 2 દિવસ સુધી ગુપ્ત કેમ રાખવામાં આવ્યો? સિલેક્શનને લઈને થયો ચોંકાવનારો ખુલાસો
શુભમન ગિલને લખનૌમાં ચોથી T20I પહેલા ઈજા થઈ હતી, જેના કારણે તે પાંચમી મેચમાં રમી શક્યો ન હતો. જો કે, તે સમયે પણ ગિલ ટીમનો વાઇસ-કેપ્ટન હતો પરંતુ 24 કલાકથી ઓછા સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
- Ravi Prajapati
- Updated on: Dec 21, 2025
- 7:47 pm
Breaking News : ભારત પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક, આજ સુધી વિશ્વની કોઈ પણ ટીમ આ કામ કરી શકી નથી
ટી20 વર્લ્ડકપ 2026ની યજમાની ભારત અને શ્રીલંકાને મળી છે. આ વખતે કુલ 20 ટીમ આ વર્લ્ડકપમાં ભાગ લેશે. આ માટે આ ક્રિકેટના મહાકુંભને લઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. તેમજ ભારત પાસે ઐતિહાસિરક રેકોર્ડ બનાવવાની પણ સુવર્ણ તક છે. તો ચાલો જાણીએ આ સુવર્ણ તક શું છે.
- Nirupa Duva
- Updated on: Dec 21, 2025
- 12:23 pm
દોઢ વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે ટીમ ઈન્ડિયા, 7 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ થયા બહાર
T20 વર્લ્ડ કપ 2026માં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ભારતીય ટીમ ટાઈટલ ડીફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે. દોઢ વર્ષ પહેલા ટાઈટલ જીતનાર લગભગ અડધી ટીમ બદલાઈ ગઈ છે, અને કેટલાક ખેલાડીઓ પહેલીવાર વર્લ્ડ કપમાં રમશે.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 10:01 pm
શું T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર? જાણો શું છે ICC નો ખાસ નિયમ
ICC T20 વર્લ્ડ કપ 2026 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. BCCI એ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી છે. જો કે, આ ટીમમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે. જાણો કેવી રીતે.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 8:07 pm
બે વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી પર ઈશાન કિશને શું કહ્યું? વર્લ્ડ કપમાં પસંદગી પછીનો વીડિયો વાયરલ
ઈશાન કિશન ડિસેમ્બર 2023 થી ટીમ ઈન્ડિયાની બહાર હતો. BCCI ના વારંવાર કહેવા છતાં તે થોડા સમય માટે ઘરેલુ ક્રિકેટથી પણ દૂર રહ્યો. જોકે, મુશ્તાક અલી ટ્રોફીમાં ટીમને વિજય અપાવ્યા બાદ અને ઘણા રન બનાવ્યા બાદ તે હવે ટીમમાં પાછો ફર્યો છે અને તેની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થઈ છે. ટીમમાં પસંદગી અંગે ઈશાને ખુશી વ્યક્ત કરી હતી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 7:31 pm
T20 વર્લ્ડ કપ 2026 પહેલા ગૌતમ ગંભીરે લીધો યુ-ટર્ન? સૂર્યકુમાર યાદવે ખોલ્યું રહસ્ય
BCCI એ ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમની જાહેરાત કરવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ હાજર હતો. તેણે ટુર્નામેન્ટ પહેલા એક મોટી જાહેરાત કરી હતી, જે બાદ એવું લાગી રહ્યું છે કે T20 વર્લ્ડ કપ 2026 પહેલા કોચ ગૌતમ ગંભીરે મોટો યુ-ટર્ન લીધો છે.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 6:42 pm
T20 World Cup 2026: શુભમન ગિલને ટીમ ઈન્ડિયામાંથી કેમ બહાર કરવામાં આવ્યો? અજિત અગરકરે કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:39 pm
બે વર્ષથી ભારત માટે એક પણ મેચ ન રમનાર ખેલાડીની T20 વર્લ્ડ કપમાં એન્ટ્રી, BCCI નો મોટો નિર્ણય
છેલ્લા બે વર્ષમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ ન રમનાર ખેલાડીને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. આ ખેલાડીનું તાજેતરનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. તે BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ પણ નથી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:37 pm
Breaking News: T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલનું પત્તું કપાયું, ઈશાન-રિંકુની વાપસી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં બનેલી આ ટીમમાં 15 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટીમની પસંદગી મુંબઈ સ્થિત BCCI મુખ્યાલયમાં થઈ હતી.
- Smit Chauhan
- Updated on: Dec 20, 2025
- 5:36 pm
શુભમન ગિલની ફિટનેસ અંગે BCCIએ આપ્યું મોટું અપડેટ, શું તેની T20 વર્લ્ડ કપ પસંદગી પર અસર પડશે?
ભારત-દક્ષિણ આફ્રિકા શ્રેણી દરમિયાન સ્ટાર ઓપનર શુભમન ગિલને બીજી ઈજા થઈ હતી. T20 શ્રેણી દરમિયાન તેને જમણા પગમાં ઈજા થઈ હતી. આ કારણે, તે શ્રેણીની અંતિમ મેચમાં રમી શક્યો ન હતો, અને BCCI એ ઈજા અંગે એક મોટી અપડેટ આપી હતી.
- Smit Chauhan
- Updated on: Dec 19, 2025
- 9:27 pm
IPL ઓકશનમાં જેને કોઈએ ના ખરીદ્યો તેને અચાનક T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો
2026 માં T20 વર્લ્ડ કપ યોજવાનો છે, જેમાં ભારત સહિત ટોપની ટીમો ભાગ લેશે. તમામ ટીમોએ વર્લ્ડ કપ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. જોકે વર્લ્ડ કપ માટેની રણનીતિમાં એક ટીમે અચાનક તેનો કેપ્ટન જ બદલી નાખ્યો છે. ખાસ વાત એ છે કે જેને IPL ઓકશનમાં કોઈએ ના ખરીદ્યો તેને T20 વર્લ્ડ કપ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Dec 19, 2025
- 7:27 pm
Breaking News : T20 World Cup માટે આ દિવસે ટીમ ઈન્ડિયાની પસંદગી થશે, જાણો કોને મળશે તક
T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, અને ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી ટૂંક સમયમાં થવાની અપેક્ષા છે. અહેવાલો અનુસાર, પસંદગીકારો દ્વારા ન્યુઝીલેન્ડ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમ જ T20 વર્લ્ડ કપમાં રમશે.
- Smit Chauhan
- Updated on: Dec 18, 2025
- 9:11 pm
શ્રીલંકાએ આ ભારતીયને કોચ તરીકે નિયુક્ત કર્યો, T20 વર્લ્ડ કપ પહેલા લીધો મોટો નિર્ણય
શ્રીલંકાએ 2014 માં પોતાનો પહેલો અને એકમાત્ર T20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો હતો, અને ત્યારથી ટીમ ICC ટ્રોફીની રાહ જોઈ રહી છે. 2026 ના T20 વર્લ્ડ કપનું કો-હોસ્ટ શ્રીલંકા આ રાહનો અંત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગ રૂપે તેમણે હવે પૂર્વ ભારતીય ખેલાડી અને કોચને કોચિંગની મોટી જવાબદારી સોંપી છે.
- Smit Chauhan
- Updated on: Dec 17, 2025
- 5:24 pm