“અરવલ્લી જિલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે જેની રચના સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી ને કરાઈ હતી. અરવલ્લી જિલ્લાનું વહીવટી મુખ્યમથક મોડાસા છે.આ જિલ્લાનું નામ ગુજરાત અને રાજસ્થાનમાં આવેલી અરવલ્લી પર્વતમાળા પરથી પડ્યું છે. અરવલ્લીની આરાસુર પર્વતમાળા શાખા બનાસકાંઠા જિલ્લાના દાંતા, મોડાસા અને શામળાજી પ્રદેશોમાંથી પસાર થાય છે.26 જાન્યુઆરી 2013ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૭ જિલ્લાઓમાંનો આ એક જિલ્લો હતો.
અરવલ્લી જિલ્લો 15 ઓગસ્ટ 2013 ના દિવસથી રાજ્યના ર૯મા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થયો.અરવલ્લી જિલ્લો મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, ભિલોડા અને બાયડ તાલુકાઓનો સમાવેશ કરે છે. આમાંથી મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકાઓમાં આદિવાસી વસ્તી બહુમતીમાં છે.
આ જિલ્લો 676 ગામો અને 306 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરે છે અને કુલ વસતી 12.7 લાખની આસપાસ છે. આ જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો ગણવામાં આવે છે. અરવલ્લી ગિરિમાળાઓની ગોદમાં આવેલો વનસમૃધ્ધિ અને વનસંપતિ તથા પ્રાકૃતિક સૌંદર્યનાં કારણે દૈદિપ્યમાન છે. તેમજ પ્રાચીન સ્થાપત્ય અને ઐતિહાસિક સ્મારકો, મેશ્વો નદીનાં કાંઠે આવેલ તીર્થધામ શામળાજી જેવા યાત્રાધામો આવેલા છે.ધનસુરા તથા બાયડ તાલુકામાં ખનીજોનાં મોટા ભંડાર આવેલા છે.
જેથી મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગનો વિકાસ થયેલો છે તેમજ કપાસનો વિશેષ પાક થતો હોવાથી સહકારી જીનનો પણ ઉદ્દ્ભવ થયો છે. સુંદર પર્યટન સ્થળો અને વિશેષતાઓથી ભરપુર એવો આ જિલ્લો મહદ્દઅંશે આદિજાતી વસતી ધરાવે છે સવિશેષ ભિલોડા તથા મેઘરજ તાલુકામાં. જંગલો , નદીઓ, પર્વતો, તળાવ તેમજ પૌરાણિક સ્થાપત્ય વગેરે બહુમૂલ્ય વારસા સમાન છે. આ પેજ પર Aravalli News, Arvalli News Today, Aravalli Gujarati News, Arvalli Gujarati News, Aravalli News in Gujarati, Aravalli Political News, Aravalli latest News, Aravalli Business News, Aravalli Sports News, Aravalli Gujarati News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે
ઉત્તર ગુજરાત (North Gujarat) માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ સારા પ્રમાણમાં નોંધાયો છે. જેને લઈ ઉત્તર ગુજરાતના જળાશયોમાં નોંધપાત્ર આવક નોંધાઈ છે. ધરોઈ જળાશય ...
હવામાન વિભાગનું (IMD) માનીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ (Heavy Rain) પડશે. તો બનાસકાંઠા,સાબરકાંઠા,પાટણ, ડીસા, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી ...
અરવલ્લીના (Aravalli) ભિલોડા પંથકમાં ભારે વરસાદ (Rain) બાદ સુનસર ધોધ જીવંત બન્યો છે. જો કે ધોધ જીવંત બનવાની સાથે જ જોખમી પણ બન્યો છે. ...
ધરોઈ (Dharoi) જળાશયમાં વહેલી સવારથી તબક્કાવાર પાણીની નવી આવકો નોંઘાઈ હતી, હાથમતી (Hathmati) જળાશયમાં પણ સવારે પાણીની સારી આવક નોંધાઈ છે. ...
ઇસરોલથી રાજલી તરફ જવાના રસ્તા પરના કોઝ વે પર વરસાદી (Rain) પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.રાજલી, માધુપુર, લક્ષમણપુરા, રાજલી કંપા, દઘાલીયા સહિતના 8 ગામના ...
અરવલ્લીના (Aravalli) મોડાસામાં સ્વતંત્રતા પર્વના કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) જણાવ્યુ હતુ કે, આજે વીર શહીદોને યાદ કરવાનો દિવસ છે. સ્વતંત્રતાના ...
અરવલ્લી(Arravalli)જિલ્લાના મોડાસા(Modasa) ખાતે યોજાયેલા 'એટ હોમ સ્નેહમિલન' કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી ...
ગુજરાતના મુખ્યમંત્રીએ આજે ભેટ સ્વરૂપે કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તે અનુસાર શામળાજીને(Shamalaji) પવિત્ર યાત્રાધામ તરીકે જાહેર કરાયું છે. શામળાજી મંદિરમાં આગામી દિવસોમાં લાઇટ ...
ગુજરાતના(Gujarat) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અરવલ્લી(Arravalli) જિલ્લાના મોડાસા(Modasa) ખાતે સ્વાતંત્ર્ય પર્વની(Independence Day 2022) પૂર્વ સંધ્યાએ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મોંધી મિરાત મોડાસા’ અંતર્ગત જિલ્લાના મહાનુભાવોનું સન્માન કરવામાં ...
14 અને 15 ઓગષ્ટે વિવિધ કાર્યક્રમનુ આયોજન મોડાસામાં કરવામાં આવ્યુ છે. રવિવારે સ્વાતંત્ર પર્વ (Independence Day) ની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સોમવારે સવારે મુખ્યપ્રધાન ...