લીગલ એડવાઈઝ
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.
આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.
કાનુની સવાલ : પત્ની તમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે? તમે પણ ફરિયાદ કરી શકો છો, આ છે પુરુષોના અધિકાર
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં પતિઓ તેમની પત્નીઓ સામે હેરાનગતિની ફરિયાદ કરે છે. તેથી પરિણીત પુરુષો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તેમની પત્નીઓ તેમને ખોટી રીતે હેરાન કરે છે. તો તમારી પાસે ક્યા ક્યા અધિકારો છએ.
- Nirupa Duva
- Updated on: Feb 6, 2026
- 6:40 am
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય માત્ર સર્ટિફિકેટથી પતિ-પત્ની નહી બની શકો, ધાર્મિક વિધિઓ વિનાનું મેરેજ સર્ટિફિકેટ નકામું
સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્નને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે 1955ના હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્નોની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતા સ્પષ્ટ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે ,ધાર્મિક વિધિઓ અને સાત ફેરા વિનાના લગ્ન માન્ય નથી.
- Nirupa Duva
- Updated on: Feb 5, 2026
- 7:17 am
કાનુની સવાલ : તમે ઘરે બેસીને પણ ઈ-એફઆઈઆર ફાઇલ કરી શકો છો, જાણો આખી પ્રોસેસ
જો પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે તો આ રીતે ઓનલાઈન FIR દાખલ કરો. તમે ઘરે બેઠા ઈ-એફઆઈઆર ફાઇલ કરી શકો છો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ, ટ્રેકિંગ અને ફોલો-અપ પ્રક્રિયા વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Feb 4, 2026
- 10:58 am
કાનુની સવાલ : શું ઘર બનાવવા માટે પૈસાની માંગ કરવી દહેજ છે, જાણો શું કહે છે કાનુન
સુપ્રીમ કોર્ટે આ વિશે પોતાનો નિર્ણય પણ સંભળાવી ચૂકી છે. તો ચાલો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં આ વિશે આપણે વિસ્તારથી વાત કરીશું કે, શું ઘર બનાવવા માટે પૈસાની માંગ કરવી દહેજ છે.
- Nirupa Duva
- Updated on: Feb 3, 2026
- 6:22 am
કાનુની સવાલ : શું વિધવાને પુનલગ્ન પછી પણ તેના પતિનું પેન્શન મળતું રહેશે? દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
હાઈકોર્ટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972ના નિયમ 54ને સમર્થન આપ્યું, જે નિઃસંતાન વિધવાને પુનર્લગ્ન પછી પણ કૌટુંબિક પેન્શન મેળવવાના અધિકાર સાથે સંબંધિત છે.
- Nirupa Duva
- Updated on: Jan 31, 2026
- 7:11 am
કાનુની સવાલ: જાહેર રસ્તા પર બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બેઠા હોય તો પોલીસ પકડી શકે? જાણો કાયદો શું કહે છે
કાનુની સવાલ: આજના સમયમાં ઘણીવાર રસ્તા પર, ગાર્ડન કે જાહેર જગ્યાઓ પર બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને બેસેલા જોઈને લોકો પ્રશ્ન કરે છે કે શું પોલીસ તેમને પકડી શકે? અથવા આ ગેરકાયદેસર છે કે નહીં? તો ચાલો જાણીએ ભારતીય કાયદો આ મુદ્દે શું કહે છે.
- Meera Kansagara
- Updated on: Jan 30, 2026
- 7:00 am
કાનુની સવાલ : પતિ છૂટાછેડા માટે પત્ની પર આ ત્રણ આરોપો લગાવી શકતા નથી, કાયદો શું કહે છે જાણો
આજકાલ છૂટાછેડાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઘણીવાર, પતિ-પત્ની પર આવા આરોપો લગાવવામાં આવે છે. જે તેને મુશ્કેલીમાં નાંખી દે છે. લોકો એ નથી જાણતા કે, આ આરોપ ખુબ ગંભીર માનવામાં આવે છે. કોઈ પુરાવા વગર કોઈના પર આરોપ લગાવવો તમને પણ મુશ્કેલીમાં મુકી શકે છે.
- Nirupa Duva
- Updated on: Jan 29, 2026
- 6:42 am
ડોક્ટરનો કોટ સફેદ અને વકીલનો કોટ કાળો કેમ હોય છે, તેની પાછળનું રહસ્ય શું છે?
ડોક્ટરો સફેદ કોટ અને વકીલો કાળા કોટ કેમ પહેરે છે? આ રંગો ફેશન નથી, પરંતુ ઇતિહાસ, મનોવિજ્ઞાન અને જવાબદારીની ઊંડી સમજ છે. ચાલો તેમને જાણીએ.
- Meera Kansagara
- Updated on: Jan 27, 2026
- 10:11 am
કાનુની સવાલ : શું છે રોમિયો-જુલિયટ ક્લોઝ, જેને POCSOમાં સામેલ કરવા માંગે છે સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે POCSOએ બાળકોના રક્ષણ માટે ન્યાયનું સૌથી ગંભીર અભિવ્યક્તિ છે, પરંતુ તેના વધતા દુરુપયોગને હવે અવગણી શકાય નહીં.
- Nirupa Duva
- Updated on: Jan 27, 2026
- 6:45 am
કાનુની સવાલ: આધાર કાર્ડ, માર્કશીટ કે એગ્રીમેન્ટ… ડોક્યુમેન્ટ્સને લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? જાણો સંપૂર્ણ નિયમ
કાનુની સવાલ: આજકાલ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે લોકો લેમિનેશન કરાવવાનું પસંદ કરે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજો અથવા કોઈ મહત્વપૂર્ણ એગ્રીમેન્ટ એમ દરેક દસ્તાવેજ માટે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું લેમિનેશન કરાવવું કાયદેસર છે કે નહીં? અને જો કરાવીએ તો ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલી તો નહીં આવે? જાણો આ આર્ટિકલમાં.
- Meera Kansagara
- Updated on: Jan 25, 2026
- 9:31 am
કાનુની સવાલ : શાળાઓ સામે બોમ્બ ધમકી આપવા બદલ થાય છે કડક સજા, જાણો કાયદો શું કહે છે
અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે. શહેરની 7થી વધારે જાણીતી શૈક્ષણિક સંસ્થાઓને ઇમેલ દ્વારા આ ધમકી મળી છે. તો ચાલો આજે આપણે મજાકમાં બોમ્બની ધમકી આપનાર પર શું કાર્યવાહી કરવામાં આવે છે. તે વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Jan 25, 2026
- 7:18 am
કાનુની સવાલ : 65 દિવસના લગ્ન અને 13 વર્ષ પછી દંપતીએ એકબીજા સામે 40 કેસ દાખલ કર્યા સુપ્રીમ કોર્ટ પણ મૂંઝવણમાં મુકાઈ
સુપ્રીમ કોર્ટે 65 દિવસ સાથે રહેનાર દંપતિના 13 વર્ષ ચાલેલી કાનુની લડાઈ પર નિર્ણય સંભળાવ્યો હતો અને છૂટાછેડાને મંજૂરી આપી હતી. કોર્ટે બંન્ને પર 10-10 હજારનો દંડ ફટકાર્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jan 23, 2026
- 7:09 am
કાનુની સવાલ: પોતાની પત્નીની ‘રજા લીધા’ વગર દારૂ પીશો તો શું થશે? મજાક નહીં, પણ કાયદો બોલે છે!
કાનુની સવાલ: ભારતમાં દારૂ પીવો સામાન્ય રીતે ગુનો નથી, પરંતુ ગુજરાતમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 હેઠળ દારૂ પીવો, રાખવો કે વેચવો કાયદે ગુનો ગણાય છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીતા ઝડપાય, તો તેને દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે. એટલે ગુજરાતમાં તો પત્નીની રજા હોય કે ન હોય, દારૂ પીવો જ કાયદેસર નથી.
- Meera Kansagara
- Updated on: Jan 22, 2026
- 4:47 pm
કાનુની સવાલ : શું હિન્દુ પત્ની પતિની અચલ સંપત્તિ પર દાવો કરી શકે ? હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો
કેરળ હાઈકોર્ટે હિન્દુ પત્નીઓના ભરણપોષણના અધિકારને વધુ મજબૂત બનાવ્યો છે. કોર્ટે પતિની સ્થાવર મિલકત પર પત્નીના ભરણપોષણના અધિકાર અંગેના કેસમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં એવી પરિસ્થિતિનો સમાવેશ થાય છે જ્યાં પતિની સ્થાવર મિલકત બીજા કોઈને ટ્રાન્સફર કરવામાં આવી હોય. શું આવી પરિસ્થિતિમાં હિન્દુ પત્ની ભરણપોષણના અધિકારનો ઉપયોગ કરી શકે છે?
- Nirupa Duva
- Updated on: Jan 21, 2026
- 6:57 am
કાનુની સવાલ: કંપની સેલરી સ્લીપ ન આપે તો શું કરશો? કર્મચારીઓના હક્ક અંગે કાયદો શું કહે છે
ઘણી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યાનો સામનો કરે છે. કંપની દ્વારા સેલરી સ્લીપ આપવામાં ન આવવી. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં અનેક નોકરીદાતાઓ સેલરી તો ખાતામાં જમા કરે છે, પરંતુ તેની ઓફિશિયલ સેલરી સ્લીપ કે પગારની વિગતો આપવાનું ટાળે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કંપની સેલરી સ્લીપ ન આપે તો કર્મચારી શું કરી શકે? અને આ મુદ્દે કાયદો શું કહે છે?
- Meera Kansagara
- Updated on: Jan 20, 2026
- 7:00 am