લીગલ એડવાઈઝ
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.
આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.
કાનુની સવાલ : શું પોલીસ તમારા ક્રેડિટ કાર્ડ બિલ ન ચૂકવવા બદલ તમારી ધરપકડ કરી શકે છે? કાયદો શું કહે છે જાણો
ક્રિડેટ કાર્ડ બિલ ન ભરવાના કારણે ક્રેડિટ સ્કોર પ્રભાવિત થઈ શકે છે. જો ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવામાં આવે તો પોલીસ તમારી ધરપકડ કરી શકે, જાણો કાનુન શું કહે છે.
- Nirupa Duva
- Updated on: Apr 7, 2026
- 11:32 am
કાનુની સવાલ: તમે ક્યારેય કોઈને સહી કરીને કોરો ચેક આપ્યો છે ? જાણો શું જોખમ રહેલા છે અને કાયદો શું કહે છે
કાનુની સવાલ: ઘણા લોકો વિશ્વાસના આધારે અથવા તાત્કાલિક જરૂરિયાતને કારણે કોઈને સહી કરીને કોરો ચેક આપી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાની લાગતી બાબત ભવિષ્યમાં મોટું જોખમ બની શકે છે? કાયદાકીય રીતે પણ કોરો ચેક આપવો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે.
- Meera Kansagara
- Updated on: Apr 6, 2026
- 6:51 pm
કાનુની સવાલ : લગ્નનું વચન આપી લગ્નની ના પાડવી મોંઘી પડી શકે, જાણો કાનુન શું કહે છે
લગ્નનું વચન આપવું અને પછી પાછું ફરવું એ હંમેશા ગુનો નથી, પરંતુ જો શરૂઆતથી જ છેતરપિંડી કરવાનો ઇરાદો હતો અને તેના આધારે શારીરિક સંબંધો બાંધવામાં આવે, તો નવા કાયદા હેઠળ કેસ નોંધાઈ શકે છે અને વ્યક્તિને જેલમાં જવું પડી શકે છે.
- Nirupa Duva
- Updated on: Apr 5, 2026
- 3:04 pm
કાનુની સવાલ : જો તમે આ ભૂલ કરી તો જામીન પણ નહી મળે, જેલમાં અડધી જિંદગી જતી રહેશે
કોઈના પ્રાઈવેટ ફોટો અને વીડિયો લીંક કરવો એક મોટો ગુનો છે. ભારતીય ફોજદારી કાર્યવાહી સંહિતામાં આ માટે દંડનીય જોગવાઈઓ છે. આજે અમે તમને આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ક્યા ક્યા કાનુન છે.
- Nirupa Duva
- Updated on: Apr 4, 2026
- 7:13 am
કાનુની સવાલ : ઘરેલુ વિવાદને કારણે પતિની આત્મહત્યા માટે પત્ની જવાબદાર નથી : બોમ્બે હાઇકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, વૈવાહિક ઝઘડો, દુર્વ્યવહાર અથવા માતાના ઘરે જવું જેવી ઘટનાઓને 'આત્મહત્યા માટે ઉશ્કેરણી' તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી. કલમ 306 હેઠળ કેસ ત્યારે બને છે. જ્યારે આરોપીનો ઈરાદો સ્પષ્ટપણે વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે દબાણ કરવાનો હોય.
- Nirupa Duva
- Updated on: Apr 2, 2026
- 7:09 am
કાનુની સવાલ: High Courtનો મહત્વનો નિર્ણય, પત્નીની પેરેન્ટલ પ્રોપર્ટી પર પતિનો અધિકાર નથી
એક મહત્વપૂર્ણ ચુકાદામાં આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ હિન્દુ મહિલાને તેના માતાપિતા પાસેથી મિલકત વારસામાં મળે છે અને તે વસિયત વગર મૃત્યુ પામે છે, તો તેના પતિ કે તેના સાસરિયાઓનો તે મિલકત પર કોઈ અધિકાર રહેશે નહીં.
- Meera Kansagara
- Updated on: Apr 1, 2026
- 7:00 am
કાનુની સવાલ : સાસુ-સસરાના ભરણપોષણ માટે પુત્રવધુ બંધાયેલી નથી ,અલ્હાબાદ HC
વૃદ્ધ દંપતીએ ઓગસ્ટ 2025માં આગ્રા ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં BNSSની કલમ 144 હેઠળ ભરણપોષણની માંગણી કરતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
- Nirupa Duva
- Updated on: Mar 31, 2026
- 7:11 am
કાનુની સવાલ: મહિલા સરપંચ હોય અને વહીવટ તેનો પતિ ચલાવે તો, ભારતીય કાયદો શું કહે છે
ભારતમાં ગ્રામ પંચાયત સ્તરે મહિલાઓને રાજકારણમાં પ્રોત્સાહન આપવા માટે અનામત વ્યવસ્થા અમલમાં છે. ઘણા રાજ્યોમાં સરપંચ પદ માટે મહિલાઓને અનામત આપવામાં આવે છે, જેથી તેઓ શાસન અને નિર્ણય પ્રક્રિયામાં ભાગ લઈ શકે. પરંતુ ઘણી જગ્યાએ એક અલગ જ પરિસ્થિતિ જોવા મળે છે, જ્યાં મહિલા સરપંચ તો હોય છે, પરંતુ વાસ્તવમાં વહીવટ તેનો પતિ સંભાળે છે. આ પ્રથા સામાન્ય ભાષામાં “સરપંચ પતિ” તરીકે ઓળખાય છે.
- Meera Kansagara
- Updated on: Mar 30, 2026
- 3:22 pm
કાનુની સવાલ : ભારતમાં સાયબર કાનુનની મુખ્ય જોગવાઈઓ અને કાયદાઓ વિશે જાણો
ભારતમાં સાયબર કાયદાની મુખ્ય જોગવાઈઓ અને કાયદાઓ વિશે વાત કરીએ તો. માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 (IT અધિનિયમ) ભારતમાં સાયબર ગુનાઓ માટે આ મુખ્ય કાયદો છે.
- Nirupa Duva
- Updated on: Mar 29, 2026
- 11:28 am
કાનુની સવાલ : ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડની ચેટ કોર્ટમાં બની શકે પુરાવો ? જાણો કાયદો શું કહે છે
આજના ડિજિટલ યુગમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચેની વાતચીત મોટા ભાગે WhatsApp, Instagram અથવા અન્ય સોશિયલ મીડિયા પર થાય છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું આ પ્રકારની ચેટ કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે?
- Meera Kansagara
- Updated on: Mar 28, 2026
- 10:56 am
કાનુની સવાલ : દેશમાં એસિડ એટેક અંગે કાયદો શું કહે જાણો વિસ્તારથી
એસિડ અટેક ના 80% કેસ મહિલાઓના હોય છે. જેમાં આરોપી કોઈ બહારનું નહી પરંતુ પીડિતાનું ઓળખીતું, પ્રેમી,પતિ કે કોઈ દૂરના સંબંધી કે ફ્રેન્ડ અથવા પાડોશી પણ હોય શકે છે. તો ચાલો જોઈએ એસેડિ હુમલો કરવા પર કાનુન શું કહે છે.
- Nirupa Duva
- Updated on: Mar 27, 2026
- 9:24 am
UCC Bill Gujarat: દેશના કયા રાજ્યોમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી જરૂરી છે ? List જુઓ
UCC Bill Gujarat: ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ 2026 બિલ બહુમતી મતથી પસાર થયું. ગુજરાતના UCC કાયદાને ભારતમાં સામાજિક અને કાનૂની પરિવર્તન તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.
- Meera Kansagara
- Updated on: Mar 26, 2026
- 12:17 pm
કાનુની સવાલ : પેટ્રોલ-ડિઝલની ખોટી અફવા ફેલાવી તો જેલ ભેગા થશો, જાણો શું કહે છે કાનુન
ડિજિટલ યુગમાં જાણકારી મેળવવી જેટલી સરળ છે. ખોટી જાણકારી અને અફવા ફેલાવવી એટલી જ જોખમકારક છે. જો કોઈ અફવા ફેલાવવા બદલ દોષિત ઠરે છે, તો કાયદામાં IPC એક્ટ 505 હેઠળ કડક કાર્યવાહીની જોગવાઈ છે અને દોષિત વ્યક્તિને સજા પણ થઈ શકે છે.
- Nirupa Duva
- Updated on: Mar 26, 2026
- 7:14 am
કાનુની સવાલ: સાસુના મૃત્યુ પછી ઘરેણાં પર કોનો હક, દીકરી કે વહુનો? જાણો કાયદો શું કહે છે
ભારતમાં વારસાગત હક અને સંપત્તિના મુદ્દાઓ ઘણીવાર પરિવારની અંદર વિવાદનું કારણ બને છે. ખાસ કરીને જ્યારે સાસુના મૃત્યુ પછી ઘરેણાં કોને મળશે – દીકરીને કે વહુને – તેવો સવાલ ઘણીવાર ઉભો થાય છે. આ પ્રશ્નનો જવાબ ભારતીય વારસાગત કાયદામાં સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે.
- Meera Kansagara
- Updated on: Mar 25, 2026
- 1:01 pm
કાનુની સવાલ : વૃદ્ધોને ‘શક્તિશાળી’ બનાવતો સિનિયર સિટીઝન એક્ટ શું છે? જાણો વિસ્તારથી
વૃદ્ધોના અધિકાર માટે પણ કાનુન બનાવવામાં આવ્યા છે.આવો જ એક અધિકાર છે સીનિયર સિટીઝન એકટ 2007 જે વુદ્ધના અધિકારોની રક્ષા કરે છે તેમજ તેને પાવરફુલ બનાવે છે. તો ચાલો જાણીએ ક્યારે અને ક્યાં આનો ઉપયોગ થઈ શકે.
- Nirupa Duva
- Updated on: Mar 24, 2026
- 6:24 am