AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લીગલ એડવાઈઝ

લીગલ એડવાઈઝ

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.

કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.

આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.

Read More

કાનુની સવાલ : શું સરકાર તમારી જમીન સંમતિ વિના લઈ શકે છે? તમારા કાનૂની અને બંધારણીય અધિકારો શું છે?

શું સરકાર તમારી સંમતિ વિના તમારી જમીન લઈ શકે છે? જાણો તમારી પાસે કયા અધિકારો છે અને તમે ક્યારે ના કહી શકો છો.રાઈટ ટુ ફેર કોમ્પેસેશન એન્ડ ટ્રાંસપેરેન્સી ઈન લેન્ડ એક્વિઝિશન કાનુન 1894ના જૂના ભૂમિ અધિગ્રહણ કાયદો લાવવામાં આવ્યો હતો.

કાનુની સવાલ : શું ટ્રાફિક પોલીસને કોઈને થપ્પડ મારવાનો અધિકાર છે ? તમારા અધિકારો વિશે જાણો

અમદાવાદમાં એક મહિલાને વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ અધિકારીએ થપ્પડ મારી હતી. એવો આરોપ છે કે પોલીસ અધિકારીએ મહિલાનું આઈડી કાર્ડ પડી જવાથી તેને થપ્પડ મારી હતી. તો ચાલો આજે આપણે કાનુની સવાલમાં જાણીશું કે, શું ટ્રાફિક પોલીસ તમને થપ્પડ મારી શકે.

કાનુની સવાલ : દેશમાં ઈચ્છામૃત્યુ અંગેના નિયમો અને કાયદા શું છે? શું આત્મહત્યા પણ આ જ દાયરામાં આવે છે? જાણો

સુપ્રીમ કોર્ટે કહ્યું, "રિપોર્ટ્સ અને ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ થાય છે કે હરીશ રાણાની હાલત દયનીય છે. તેથી, આપણે ઈચ્છામૃત્યુ પ્રક્રિયાના આગલા તબક્કામાં આગળ વધવું જોઈએ. તો ચાલો આજે આપણે જાણીએ ઈચ્છામૃત્યુ અંગેનો કાનુન શું છે.

અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR દાખલ: હરિયાણા પોલીસ દ્વારા વકીલ પર કથિત હુમલાના કેસમાં પંજાબ સરકારે હાઇકોર્ટને કહી આ વાત

પંજાબ સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને જાણ કરી કે હરિયાણા પોલીસે પંજાબમાં એક વકીલ પર કથિત રીતે હુમલો કર્યાના કેસમાં અજાણ્યા વ્યક્તિઓ સામે FIR નોંધવામાં આવી છે.

કાનુની સવાલ: લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પ્રસંગે કિન્નર વધારે પૈસા માંગે તો શું કાયદો છે? જાણો ભારતીય કાનુન શું કહે છે

લગ્ન પ્રસંગ કે બાળક જન્મ જેવા પ્રસંગે કિન્નર (ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ) દ્વારા વધારે પૈસા માટે દબાણ કે ધમકી આપવામાં આવે તો ભારતીય કાયદામાં તેની સામે વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભારતીય કાયદો શું કહે છે, તે સરળ ભાષામાં સમજીએ.

કાનુની સવાલ : MMS વાયરલ કરવા બદલ શું સજા છે? જાણો શું કહે છે ભારતનો કાનુન

આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક MMS વિશે ચર્ચા ચાલી રહી છે. સાચા કે ખોટા વિશેની આ ચર્ચા વચ્ચે, MMS વાયરલ કરવાની સજા જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ વિસ્તારથી.

કાનુની સવાલ: શું 500 અને 1000 રૂપિયાની જૂની નોટ રાખવા બદલ સજા થઈ શકે છે? જાણો શું કહે છે કાયદો

થોડા દિવસો પહેલા જ દિલ્હીના વઝીરપુર વિસ્તારમાંથી ચલણમાંથી રદ કરાયેલી ₹500 અને ₹1000 ની નોટો મળી આવી હતી. આ દરમિયાન ચાલો જાણીએ કે શું એક પણ જૂની નોટ રાખવાથી સજા થઈ શકે છે.

કાનુની સવાલ : શું પોલીસ તમારી પરવાનગી વગર તમારા ઘરમાં પ્રવેશી શકે, તમારા અધિકારો જાણો

ભારતમાં પોલીસ વ્યવસ્થા ખૂબ જ જૂની છે અને તેમાં કેટલાક અધિકારો પણ છે. ચાલો જોઈએ કે શું પોલીસ પરવાનગી વિના ઘરમાં ઘૂસી શકે છે. આ વિશે વિસ્તારથી આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં વિસ્તારથી જાણીશું.

કાનુની સવાલ : કાયદા મુજબ પોલીસ ક્યારે તમારો ફોન જપ્ત કરી શકે ? તમારા અધિકારો જાણો

અધિકારોની ભૂમિ પર ભય ચાલતો નથી,કાયદાના માર્ગે લેવાયેલા પગલાં હંમેશા સત્ય બોલે છે. પોલીસ ઘણીવાર કામગીરી દરમિયાન મોબાઇલ ફોન જપ્ત કરે છે અથવા પૂછપરછના નામે પાસવર્ડ માંગે છે. આનાથી સામાન્ય નાગરિકો પોલીસના અધિકારક્ષેત્ર અને પોતાના અધિકારો વિશે મૂંઝવણમાં મુકાય છે.

કાનુની સવાલ: બ્લુ કોર્નર નોટિસ શું છે, તે કેટલી શક્તિશાળી છે અને ઇન્ટરપોલ કેટલા પ્રકારની Notice જાહેર કરે છે?

Legal Advice: 10 ડિસેમ્બરે ગોવામાં 'બર્ચ બાય રોમિયો લેન'માં લાગેલી આગના કિસ્સામાં ઇન્ટરપોલે બે દિવસમાં બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એક અઠવાડિયા કે તેથી વધુ સમય લાગે છે.

કાનુની સવાલ : નાર્કો ટેસ્ટ શું છે, અને કાનુની રીતે કેટલો માન્ય છે જાણો

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો કરવામાં આવશે. આરોપી ગણેશ જાડેજાએ પણ નાર્કો ટેસ્ટ કરવા માટે પોતાની સહમતી દર્શાવી છે. નાર્કો ટેસ્ટ શું છે, તેની સમગ્ર પ્રક્રિયા શું છે તે વિશે વિસ્તારથી જાણો.

કાનુની સવાલ: પતિની આવકના અડધાથી વધુ ભરણપોષણ ચૂકવવું અન્યાય છે: દિલ્હી હાઈકોર્ટે પત્નીના ભરણપોષણની રકમ ઘટાડી

કાનુની સવાલ: દિલ્હી હાઈકોર્ટે પત્નીના ભરણપોષણની રકમ ઘટાડીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે પતિની કુલ આવકના અડધાથી વધુ ભાગ પત્નીને આપવો અતિશય અને ગેરવાજબી છે.આ નિર્ણય 'અનુરિતા વોહરા' સિદ્ધાંત પર આધારિત છે, જે પતિના હિતમાં એક દાખલારૂપ છે અને વધુ ભરણપોષણ માંગતી પત્નીઓ માટે એક ચેતવણી સમાન છે.

કાનુની સવાલ : જો તમારી ફ્લાઇટ મોડી પડે કે રદ થાય, તો શું તમને સંપૂર્ણ રિફંડ મળે ? તમારા અધિકાર જાણો

ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ટિકિટના ભાવમાં વધારો થયો છે, એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે અને મુસાફરી બંધ થઈ ગઈ છે. DGCA ના નવા નિયમોને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી છે. તો ચાલો તમારા શું અધિકાર છે તેના વિશે જાણીએ.

કાનુની સવાલ: ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ તમને દારુ કે ડ્રગ્સનો નશો કરવા માટે દબાણ કરે છે? તો તરત આ સ્ટેપ કરો ફોલો

કાનુની સવાલ: કોઈની પાર્ટીમાં કે કોઈ ઈવેન્ટમાં જાવ છો તો કોઈ તમને ત્યા નશા માટે દબાણ કરે છે? તો તેને ના પાડતા શીખો. કાયદો તમારી ફેવરમાં રહેશે. કેમ કે તમારી સલામતી અને તમારી પસંદ સૌથી મહત્વપૂર્ણ છે.

Dharmendra Will: 2 પત્ની, 6 બાળકો, 13 પૌત્ર દોહિત્ર….. ધર્મેન્દ્રની વસીયતમાં કોને-કોને મળશે હિસ્સો? શું કહે છે કાયદો

બોલિવુડના હી-મેન દિગ્ગજ દિવંગ અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુને લગભગ બે સપ્તાહ થવા આવ્યા છે. તેઓ તેમની પાછળ લગભગ 450 કરોડની સંપત્તિ છોડી ગયા છે. તેમની વસિયતને લઈને સમયાંતરે અનેક તર્કવિતર્ક મીડિયામાં આવતા રહે છે. ધર્મેન્દ્ર એ બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની પ્રકાશ કૌરથી તેમના ચાર બાળકો છે. જે સની, બોબી, અજિતા અને વિજેતા છે. બીજી પત્ની હેમા માલિની થી તેમને બે દીકરી છે જે ઈશા અને અહાના દેઓલ છે. આ બધાના મળીને ધર્મેન્દ્રને 13 પૌત્ર અને દૌહિત્ર પણ છે.

g clip-path="url(#clip0_868_265)">