લીગલ એડવાઈઝ
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. કાયદો એ કોઈપણ લેખિત અથવા પોઝિટિવ નિયમ અથવા રાજ્ય અથવા રાષ્ટ્રના અધિકાર હેઠળ નિર્ધારિત નિયમોનો સંગ્રહ છે.
કાનૂની સલાહ એ કાયદો શું કહે છે અથવા કાનૂની બાબતમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ તે અંગેનો અભિપ્રાય છે. આ સલાહ સામાન્ય રીતે નાણાકીય અથવા અન્ય મૂર્ત વળતરના બદલામાં આપવામાં આવે છે.
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો.
આ પેજ પર અમે તમને ભૂતકાળમાં ચાલેલા કેસો અને તેના લેન્ડસ્કેપ નિર્ણયો વિશે જણાવશું અને આગળ તમારે શું ધ્યાન રાખવું. અમુક બાબતો એવી હોય છે કે સામાન્ય પ્રશ્નોથી જાહેર જનતા અજાણ હોય છે. તો આવા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ તમને આ પેજ પર મળી રહેશે.
કાનુની સવાલ: શું 500 અને 1000 રૂપિયાની જૂની નોટ રાખવા બદલ સજા થઈ શકે છે? જાણો શું કહે છે કાયદો
થોડા દિવસો પહેલા જ દિલ્હીના વઝીરપુર વિસ્તારમાંથી ચલણમાંથી રદ કરાયેલી ₹500 અને ₹1000 ની નોટો મળી આવી હતી. આ દરમિયાન ચાલો જાણીએ કે શું એક પણ જૂની નોટ રાખવાથી સજા થઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: Dec 15, 2025
- 11:23 am
કાનુની સવાલ : શું પોલીસ તમારી પરવાનગી વગર તમારા ઘરમાં પ્રવેશી શકે, તમારા અધિકારો જાણો
ભારતમાં પોલીસ વ્યવસ્થા ખૂબ જ જૂની છે અને તેમાં કેટલાક અધિકારો પણ છે. ચાલો જોઈએ કે શું પોલીસ પરવાનગી વિના ઘરમાં ઘૂસી શકે છે. આ વિશે વિસ્તારથી આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં વિસ્તારથી જાણીશું.
- Nirupa Duva
- Updated on: Dec 15, 2025
- 7:39 am
કાનુની સવાલ : કાયદા મુજબ પોલીસ ક્યારે તમારો ફોન જપ્ત કરી શકે ? તમારા અધિકારો જાણો
અધિકારોની ભૂમિ પર ભય ચાલતો નથી,કાયદાના માર્ગે લેવાયેલા પગલાં હંમેશા સત્ય બોલે છે. પોલીસ ઘણીવાર કામગીરી દરમિયાન મોબાઇલ ફોન જપ્ત કરે છે અથવા પૂછપરછના નામે પાસવર્ડ માંગે છે. આનાથી સામાન્ય નાગરિકો પોલીસના અધિકારક્ષેત્ર અને પોતાના અધિકારો વિશે મૂંઝવણમાં મુકાય છે.
- Nirupa Duva
- Updated on: Dec 13, 2025
- 7:34 am
કાનુની સવાલ: બ્લુ કોર્નર નોટિસ શું છે, તે કેટલી શક્તિશાળી છે અને ઇન્ટરપોલ કેટલા પ્રકારની Notice જાહેર કરે છે?
Legal Advice: 10 ડિસેમ્બરે ગોવામાં 'બર્ચ બાય રોમિયો લેન'માં લાગેલી આગના કિસ્સામાં ઇન્ટરપોલે બે દિવસમાં બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે એક અઠવાડિયા કે તેથી વધુ સમય લાગે છે.
- Meera Kansagara
- Updated on: Dec 12, 2025
- 7:00 am
કાનુની સવાલ : નાર્કો ટેસ્ટ શું છે, અને કાનુની રીતે કેટલો માન્ય છે જાણો
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો કરવામાં આવશે. આરોપી ગણેશ જાડેજાએ પણ નાર્કો ટેસ્ટ કરવા માટે પોતાની સહમતી દર્શાવી છે. નાર્કો ટેસ્ટ શું છે, તેની સમગ્ર પ્રક્રિયા શું છે તે વિશે વિસ્તારથી જાણો.
- Nirupa Duva
- Updated on: Dec 11, 2025
- 7:13 am
કાનુની સવાલ: પતિની આવકના અડધાથી વધુ ભરણપોષણ ચૂકવવું અન્યાય છે: દિલ્હી હાઈકોર્ટે પત્નીના ભરણપોષણની રકમ ઘટાડી
કાનુની સવાલ: દિલ્હી હાઈકોર્ટે પત્નીના ભરણપોષણની રકમ ઘટાડીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે પતિની કુલ આવકના અડધાથી વધુ ભાગ પત્નીને આપવો અતિશય અને ગેરવાજબી છે.આ નિર્ણય 'અનુરિતા વોહરા' સિદ્ધાંત પર આધારિત છે, જે પતિના હિતમાં એક દાખલારૂપ છે અને વધુ ભરણપોષણ માંગતી પત્નીઓ માટે એક ચેતવણી સમાન છે.
- Meera Kansagara
- Updated on: Dec 10, 2025
- 10:55 am
કાનુની સવાલ : જો તમારી ફ્લાઇટ મોડી પડે કે રદ થાય, તો શું તમને સંપૂર્ણ રિફંડ મળે ? તમારા અધિકાર જાણો
ઇન્ડિગોની અસંખ્ય ફ્લાઇટ્સ રદ થવાથી લાખો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ટિકિટના ભાવમાં વધારો થયો છે, એરપોર્ટ પર ભીડ વધી ગઈ છે અને મુસાફરી બંધ થઈ ગઈ છે. DGCA ના નવા નિયમોને કારણે આ પરિસ્થિતિ વધુ વણસી છે. તો ચાલો તમારા શું અધિકાર છે તેના વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 9, 2025
- 7:33 am
કાનુની સવાલ: ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ તમને દારુ કે ડ્રગ્સનો નશો કરવા માટે દબાણ કરે છે? તો તરત આ સ્ટેપ કરો ફોલો
કાનુની સવાલ: કોઈની પાર્ટીમાં કે કોઈ ઈવેન્ટમાં જાવ છો તો કોઈ તમને ત્યા નશા માટે દબાણ કરે છે? તો તેને ના પાડતા શીખો. કાયદો તમારી ફેવરમાં રહેશે. કેમ કે તમારી સલામતી અને તમારી પસંદ સૌથી મહત્વપૂર્ણ છે.
- Meera Kansagara
- Updated on: Dec 8, 2025
- 12:34 pm
Dharmendra Will: 2 પત્ની, 6 બાળકો, 13 પૌત્ર દોહિત્ર….. ધર્મેન્દ્રની વસીયતમાં કોને-કોને મળશે હિસ્સો? શું કહે છે કાયદો
બોલિવુડના હી-મેન દિગ્ગજ દિવંગ અભિનેતા ધર્મેન્દ્રના મૃત્યુને લગભગ બે સપ્તાહ થવા આવ્યા છે. તેઓ તેમની પાછળ લગભગ 450 કરોડની સંપત્તિ છોડી ગયા છે. તેમની વસિયતને લઈને સમયાંતરે અનેક તર્કવિતર્ક મીડિયામાં આવતા રહે છે. ધર્મેન્દ્ર એ બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની પ્રકાશ કૌરથી તેમના ચાર બાળકો છે. જે સની, બોબી, અજિતા અને વિજેતા છે. બીજી પત્ની હેમા માલિની થી તેમને બે દીકરી છે જે ઈશા અને અહાના દેઓલ છે. આ બધાના મળીને ધર્મેન્દ્રને 13 પૌત્ર અને દૌહિત્ર પણ છે.
- Mina Pandya
- Updated on: Dec 7, 2025
- 7:46 pm
કાનુની સવાલ : બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયેલી ગર્ભવતી મહિલાને ભારત પાછા ફરવાની મંજૂરી કેમ મળી ? શું કહે છે ભારતનો નિર્વાસન કાનુન જાણો
સુપ્રીમ કોર્ટે એક પ્રેગ્નેટ મહિલાને બાંગલાદેશથી ભારત પરત ફરવાની મંજૂરી આપી છે. આ મહિલા તેના 8 વર્ષના દીકરા સાથે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાની શંકાના આધારે સાથે બાંગ્લાદેશ મોકલવામાં આવી હતી. સમગ્ર કેસ વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Dec 7, 2025
- 7:27 am
કાનુની સવાલ : જો કોઈ હોસ્પિટલમાં આગ લાગવાથી મૃત્યુ પામે તો કાયદો શું કહે છે? જાણો
ભાવનગરના કાળુભા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે જો હોસ્પિટલમાં આગ લાગવાથી કોઈનું મૃત્યું થાય તો ભારતીય કાનુન કોને સજા આપે છે. ચાલો વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Dec 5, 2025
- 7:07 am
કાનુની સવાલ: ડ્રોન કોણ ખરીદી શકે? કાયદો શું કહે છે? જાણો ડ્રોન ખરીદવા અને ઉપયોગ કરવા સંબંધિત નિયમો
ઘણી વખત આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય છીએ કે ડ્રોનથી અવનવી રિલ્સ બનાવેલી હોય છે. મેરેજ અને સિનેમા ક્ષેત્રે તો ડ્રોનનો ઉપયોગ થાય જ છે પણ શું સામાન્ય માણસ આ ડ્રોન ખરીદી શકે કે નહી તેના વિશે આજે આપણે જાણશું. તેના શું નિયમો છે કે ક્યા કાયદા તેને અફેક્ટ કરે છે તેના વિશે જોશું.
- Meera Kansagara
- Updated on: Dec 4, 2025
- 7:00 am
કાનુની સવાલ : શું પત્ની દ્વારા તેના લિવ-ઇન પાર્ટનર સામે ક્રૂરતાનો કેસ દાખલ કરી શકાય છે? જાણો
કર્ણાટક હાઈકોર્ટે લિવ ઈન રિલેશન અને કલમ 498Aને લઈ એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, હવે પતિ માત્ર કાનુની કાગળોમાં જ નહી માનવામાં આવે. IPCની કલમ 498A (હવે BNS 85-86) લિવ ઈન રિલેશનશીપ, લગ્ન વગર સાથે રહેનાર પાર્ટનર પર સંપુર્ણ રીતે લાગુ થશે.
- Nirupa Duva
- Updated on: Dec 3, 2025
- 6:52 am
કાનુની સવાલ: લવ મેરેજ માટે LC કે બર્થ સર્ટિફિકેટ બંનેમાંથી શું છે ફરજિયાત? જાણો કાયદો શું કહે છે
કાનુની સવાલ: ભારતમાં લગ્ન માટે કાયમી બનાવેલા કેટલાક દસ્તાવેજોની જરૂરિયાત હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે કપલ લવ મેરેજ કરવા માગે છે. ઘણા લોકોના મનમાં સવાલ ઊભો થાય છે કે લવ મેરેજ માટે LC ફરજિયાત છે કે બર્થ સર્ટિફિકેટ? કાયદો આ અંગે શું કહે છે અને લગ્ન માટે કયા દસ્તાવેજ સૌથી વધારે જરૂરી છે, તે જાણવું દરેક કપલ માટે જરૂરી છે.
- Meera Kansagara
- Updated on: Dec 2, 2025
- 4:39 pm
કાનુની સવાલ : શું શિક્ષકો બાળકોને ઠપકો આપી શકે કે મારી શકે છે? જાણો શું છે કાનુન
અવાર-નવાર સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા હોય છે કે, જેમાં શિક્ષક બાળકોને માર મારતા જોવા મળે છે.જેમાં હોમવર્ક ન કરવું કે કોઈ અન્ય કારણો પણ હોય શકે છે. તો આજે આપણે આજે આને લઈ કાનુન શું કહે છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Dec 1, 2025
- 9:18 am