કાનુની સવાલ : લગ્નનું ખોટું વચન આપીને શારીરિક સંબંધ બાંધવો ગુનો છે ? જાણી લો કાનુન
ખોટા બહાના કે વચનો હેઠળ શારીરિક સંબંધો બાંધવા બદલ શું સજા છે? ચાલો આ બાબતે કાયદો જાણીએ તેમજ લગ્નનું વચન તોડવું ક્યારે ગુનો બને તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે જ્યાં લગ્નનું ખોટું વચન આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આવું કરું કાનુનના રુપમાં ગુનો છે. તેમજ અપરાધીને સજા પણ આપવામાં આવે છે.

ભારતીય દંડ સંહિતા હેઠળ, લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધવા અથવા ખોટા વચનો આપવા બદલ શું સજા છે? આ બાબતે કાયદો શું કહે છે? ચાલો તમને સંપૂર્ણ વિગતો જણાવીએ.

લગ્નનું વચન તોડવું ત્યારે ગુનો બની જાય છે. જ્યારે શરૂઆતથી જ લગ્ન કરવાનો કોઈ ઈરાદો ન હોય અને ફક્ત શારીરિક સંબંધ બાંધવો અથવા છેતરપિંડી કરવા માટે જૂઠું બોલવામાં આવે.

લગ્નનું વચન ક્યારે ગુનો ગણવામાં આવે છે. શરૂઆતથી જ ખોટો ઈરાદો, આ વિશે વિસ્તારથી વાત કરીએ તો. આરોપીને ખબર હોય કે લગ્ન કરશે નહી તેમ છતાં મહિલા સાથે લગ્નનું કરવાનું વચન આપવું.

લગ્નનું વચન આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી અને પછી લગ્નનું વચન તોડવું એ ગુનો છે.જો વચન તોડવા પાછળનો ઈરાદો છેતરપિંડી સ્પષ્ટ કરવી જરુરી છે.જો બંન્ને પક્ષ લગ્ન કરવા માંગે છે પકંતુ તેના માતા-પિતા વિરોધ કરે,કે પછી જો જાતિના તફાવત કે અન્ય વૈવાહિક કારણોસર લગ્ન તૂટી જાય, તો તેને ગુનો નહીં પણ સંબંધ તૂટવો ગણવામાં આવે છે.

જો લાંબા સમય સુધી આપસી સંમતિથી સંબંધ ચાલ્યો હોય તો તેને હંમેશા "લગ્નનું ખોટું વચન" ગણી શકાય નહીં.ટૂંકમાં, જો લગ્નનું વચન ફક્ત શારીરિક જરૂરિયાતો સંતોષવા માટે આપવામાં આવ્યું હોય અને તેને પૂર્ણ કરવાનો કોઈ હેતુ ન હોય, તો તે કાયદા હેઠળ ગુનો છે.

લગ્ન કરવાનો ઇનકાર કરવો એ ગુનો નથી, પરંતુ લગ્નના ખોટા વચન પર કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી લગ્ન કરવાનો ઇનકાર કરવાથી કલમ 69 (અગાઉ IPC 376/377/417) હેઠળ કેસ થઈ શકે છે.

જો આ સંમતિ કપટથી (છેતરપિંડી દ્વારા) લેવામાં આવે છે, તો તે જાતીય ગુનો ગણાય છે.જે 10 વર્ષ સુધીની સજાને પાત્ર છે જો તે સાબિત થાય કે સંમતિ છેતરપિંડી દ્વારા મેળવવામાં આવી હતી.SC/ST એક્ટ (કલમ 18) જો જાતિના આધારે લગ્નનો ઇનકાર કરવામાં આવે છે, તો તે ખાસ કલમો હેઠળ ગુનો છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
