AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ સ્વાસ્થ્ય

હેલ્થ સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

ચોખાના પાણીથી મોં ધોવાથી શું થાય? જાણો ત્વચા પર તેની અસર અને અદ્ભુત ફાયદા

ત્વચાને ચમકદાર અને ડાઘ-ધબ્બા વગરની બનાવવા માટે રાઈસ વોટર (ચોખાનું પાણી) એક બેસ્ટ નેચરલ ઉપાય માનવામાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, રોજ ચોખાના પાણીથી ચહેરો ધોવાથી તમારી સ્કિન પર કેવો જાદુઈ બદલાવ આવી શકે છે?

કેમિકલવાળા ફેસવોશથી પિમ્પલ્સ થઈ રહ્યા છે? રસોડાની આ 5 વસ્તુથી ઘરે જ બનાવો ‘નેચરલ ફેસવોશ’, ચહેરા પર આવશે ‘કુદરતી નિખાર’

કેમિકલયુક્ત ફેસવોશના કારણે ઘણીવાર ચહેરા પર પિમ્પલ્સ કે ખીલ થવા લાગે છે. જો તમે પણ ત્વચાને કુદરતી રીતે સ્વસ્થ અને ગ્લોઈંગ બનાવવા માંગો છો, તો ઘરે જ આ 100% નેચરલ ફેસવોશ બનાવો, જેનાથી કોઈપણ સાઈડ ઈફેક્ટ વગર ચહેરા પર સુંદર નિખાર આવશે.

હવે વોટ્સએપ પરથી જ ઘરબેઠા બની જશે આયુષ્માન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રક્રિયા

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. 5,00,000 સુધીની મફત સારવાર મેળવવા માટે હવે આયુષ્માન કાર્ડ બનાવવું કે ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ બન્યું છે. જાણો વોટ્સએપ બોટ દ્વારા આ કાર્ડ બનાવવાની પદ્ધતિ.

Soaked Raisins Benefits: સવારે ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાના 6 અદ્ભુત ફાયદા, જાણો શરીરને કેવી રીતે મળે છે લાભ

સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસ ખાવાની આદત સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક બની શકે છે. કિસમિસને રાત્રે પાણીમાં પલાળી રાખવાથી તે નરમ બને છે અને તેમાં રહેલા પોષક તત્વો શરીર સરળતાથી શોષી શકે છે. આ કારણે દિવસની શરૂઆત પલાળેલી કિસમિસથી કરવી સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે પલાળેલી કિસમિસ ખાવાથી શરીરને કયા-કયા ફાયદા થઈ શકે છે.

દરરોજ ફક્ત 3થી 4 અખરોટ ખાવાના આ 5 અદ્ભુત ફાયદા જાણીને ચોંકી જશો !

અખરોટ માત્ર સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ જ નથી પરંતુ તેમાં ઓમેગા-3, એન્ટીઑક્સિડન્ટ્સ, ફાઇબર અને અનેક જરૂરી પોષક તત્વો હોય છે. દરરોજ થોડા અખરોટ આહારમાં સામેલ કરવાથી હૃદય, મગજ, પાચન અને સમગ્ર સ્વાસ્થ્યને ફાયદો મળી શકે છે.

આમિર ખાનનો ફિટનેસ મંત્ર… KBC માં ચર્ચામાં આવેલું સવારે ‘1 ચમચી ઘી’ ખાવાનું અસલી રહસ્ય, જાણો તેના અદ્ભુત ફાયદા

તાજેતરમાં જ લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) માં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની એક અનોખી હેલ્થ હૅબિટ (ટેવ) વિશે ચર્ચા થઈ હતી. KBC ના સ્ટેજ પર એ ખુલાસો થયો હતો કે, આમિર ખાન પોતાના દિવસની શરૂઆત દરરોજ સવારે ખાલી પેટે 1 ચમચી શુદ્ધ દેશી ઘી ખાઈને કરે છે. એવામાં શું તમે જાણો છો કે, દરરોજ સવારે ખાલી પેટે માત્ર 1 ચમચી ઘી ખાવાથી તમારા શરીરમાં કેવા અદ્ભુત ફેરફારો થઈ શકે છે?

બાળક તમારી સાથે મન ખોલીને વાત નથી કરતું ? દરરોજ સાંજે તેને પૂછો આ સવાલો, વધશે પ્રેમ અને વિશ્વાસ !

બાળક સાથે રોજ થોડા પ્રેમાળ અને સમજદારીભર્યા સવાલો પૂછવાથી તે પોતાની લાગણીઓ, દિવસના અનુભવો અને મુશ્કેલીઓ મન ખોલીને શેર કરી શકે છે. આવા સંવાદથી માતા-પિતા અને બાળક વચ્ચેનો વિશ્વાસ, સમજણ અને લાગણીસભર જોડાણ વધુ મજબૂત બને છે.

ઓછી ઊંઘ બની શકે છે સાયલન્ટ કિલર ? ડાયાબિટીસથી લઈને હાર્ટ પ્રોબ્લેમ સુધી… જાણો ઓછી ઊંઘના 5 મોટા જોખમ

ઓછી ઊંઘને ઘણીવાર સામાન્ય થાક સમજીને અવગણવામાં આવે છે. પરંતુ લાંબા સમય સુધી 8 કલાકથી ઓછી ઊંઘ લેવાથી અનેક સ્વાસ્થ સંબંધિત જોખમ વધી શકે છે. તેથી સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

ચોમાસાની ઋતુમાં પણ કૂલર ચાલુ રાખીને ઊંઘો છો? જાણો આ આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી બની શકે છે

ચોમાસામાં બફારા અને ભેજને કારણે રાત્રે કૂલર ચાલુ કરીને ઊંઘવું સામાન્ય છે, પરંતુ તેની સીધી હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જાણો તેનાથી થતા નુકસાન અને બચવાના ઉપાયો.

વિટામિન B12 ની ઊણપ શરીર માટે કેમ છે ‘ખતરનાક’? જાણો તેનાં મુખ્ય લક્ષણો અને ઉપાયો

શું તમારું પણ કોઈ કામમાં મન નથી લાગતું અને અંદરથી થાક અનુભવાય છે? આ કોઈ સામાન્ય સમસ્યા નથી પરંતુ તમારા શરીરમાં વિટામિન B12 ની ઊણપનો સીધો સંકેત હોઈ શકે છે. વિટામિન B12 આપણા શરીરમાં લોહી બનાવવા, મગજને સ્વસ્થ રાખવા અને નસોને મજબૂત કરવા માટે અત્યંત જરૂરી છે.

મીઠાઈ પર ચમકતી ચાંદીની વરખ બની શકે છે ઝેર ? ખરીદતાં પહેલાં જાણી લો અસલી-નકલી પરખવાની આ ટ્રીક્સ !

મીઠાઈની સુંદરતા અને આકર્ષણ વધારવા માટે તેના પર લગાવવામાં આવતો ચમકદાર ચાંદીનો વરખ આપણે હંમેશા જોઈએ છે. દેખાવમાં સુંદર લાગતો આ ચાંદીનો વરખ સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે. જોકે હાલમાં બજારમાં મળતી અનેક ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ થતી હોવાથી મીઠાઈ પર લગાવવામાં આવતો ચાંદીનો વરખ પણ તેમાંથી એક હોઈ શકે છે.

Breaking News : મહિસાગરના આકલિયા ગામની 7 વર્ષીય બાળકીનું ચાંદીપુરાથી મોત

મહિસાગરના ચાંદીપુરાનો કેસ નોંધાતા આરોગ્ય વિબાગે આકલિયા ગામમાં દવા છંટકાવ સહિતની કામગીરી કરી છે. તો જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Fatty Liver : 35 % બાળકો ફેટી લિવરની ઝપેટમાં ? ચોંકાવનારા આંકડા આવ્યા સામે !

નિષ્ણાતો મતે, ભારત ઝડપથી વધી રહેલા લીવર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યો છે. નવા રોગચાળાના ડેટા દર્શાવે છે કે ફેટી લીવર રોગ હવે દેશભરમાં લાખો લોકોને અસર કરે છે અને છેલ્લા દાયકામાં આ રોગચાળાનો દર ઝડપથી વધ્યો છે. તાજેતરના સંશોધનના આ પરિણામોના આધારે નિષ્ણાતો નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

ડિલિવરી પછી સ્ત્રીઓમાં થાઇરોઇડની સમસ્યા કેમ વધી જાય છે? જાણો કારણો અને કઈ બાબતોનું રાખવું ધ્યાન

ડિલિવરી બાદ મહિલાના શરીરમાં થતા શારીરિક ફેરફારો થાઇરોઇડ સમસ્યાના સંકેત હોઈ શકે છે. પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ ડિલિવરી પછી જોવા મળે છે, જેના લક્ષણો સામાન્ય થાક જેવા લાગે છે.

આયુષ્માન કાર્ડથી સારવાર કરાવવા જઈ રહ્યા છો? પહેલાં કરી લો આ મહત્વનું કામ નહિતર મુશ્કેલીમાં મુકાશો!

આયુષ્માન ભારત યોજના હેઠળ કેશલેસ સારવાર કરાવતા દર્દીઓ માટે મહત્વના અપડેટ છે. સરકારે નિયમોના ઉલ્લંઘન બદલ 2,359 હોસ્પિટલોને યાદીમાંથી બહાર કરી છે અને 1,200 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">