હેલ્થ સ્વાસ્થ્ય
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
Read Moreબદલાઈ ગઈ ફ્લૂ વેક્સિન: નવા ‘સુપર-K’ સ્ટ્રેન સામે રક્ષણ આપશે ટ્રાઈવેલેન્ટ રસી, જાણો કોના માટે આ રસી લેવી અનિવાર્ય
WHO ની ભલામણ બાદ 2026-27 સીઝન માટે ફ્લૂ વેક્સિનના સ્ટ્રેનમાં મહત્વનો ફેરફાર કરાયો છે. H3N2 ના નવા 'સુપર-K' વેરિઅન્ટ સામે રક્ષણ આપવા ટ્રાઈવેલેન્ટ રસી તૈયાર કરાઈ છે, જે ખાસ કરીને બાળકો, વડીલો અને ગર્ભવતી મહિલાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
- Sachin Agrawal
- Updated on: Sep 1, 2026
- 9:29 pm
ઘૂંટણની કાળાશ કેવી રીતે ઓછી કરવી ? ડાર્કનેસ દૂર કરવા માટે શું લગાવવું જોઈએ? જાણો દૂર કરવાની ‘સિક્રેટ ટિપ્સ’
શું તમારા ઘૂંટણની ત્વચા પણ શરીરના બાકીના ભાગો કરતાં વધુ ડાર્ક, ડ્રાય અને ખરબચડી દેખાય છે? ઘણા લોકો તેને સાફ કરવા માટે અવનવા ઘરેલું ઉપાયો અજમાવે છે કે કલાકો સુધી ઘસે છે પણ છતાં કોઈ ફરક નથી પડતો. એવામાં તમે ઘૂંટણની આ કાળાશને દૂર કરવા માટે કેટલીક અસરકારક અને સાચી રીતો અપનાવી શકો છો.
- Ravi Prajapati
- Updated on: Sep 1, 2026
- 7:43 pm
અમદાવાદમાં સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં મોટો ઉછાળો, 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
Ahmedabad Swine Flu Cases : શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 30 દિવસમાં સ્વાઈન ફ્લૂના 200 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 140 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે હજુ 60 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
- Bipin Prajapati
- Updated on: Sep 1, 2026
- 6:28 pm
AMCના આદેશને પગલે, અમદાવાદમાં ફરસાણની દુકાનો – રેસ્ટોરન્ટમાં TPC કીટ અને CCTV લગાવાયા, જુઓ Video
ફરસાણ યુનિટોમાં માત્ર તેલની ગુણવત્તા ચકાસવાની વ્યવસ્થા જ નહીં, પરંતુ જ્યાં ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે તે સ્થળે CCTV કેમેરા લગાવવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. કેટલાક ફરસાણ એકમોએ રસોડામાં CCTV કેમેરા લગાવીને આ નિયમનું પાલન શરૂ કરી દીધું છે.
- Bipin Prajapati
- Updated on: Sep 1, 2026
- 2:52 pm
પીળિયાને ભૂલથી પણ ન કરતા ‘નજરઅંદાજ’! શરીર આપવા લાગે છે આ ‘5 ખતરનાક ઈશારા’, તરત જ ચેતી જજો
આજના ભાગદોડભર્યા જીવનમાં અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પીળિયો એટલે કે કમળો થવાનું જોખમ ખૂબ જ વધી ગયું છે. મોટાભાગના લોકો આંખો પીળી થવાને જ કમળાનું મુખ્ય લક્ષણ માનતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે, કમળો ગંભીર રૂપ ધારણ કરે તે પહેલાં આપણું શરીર ઘણા શરૂઆતી સંકેતો આપે છે?
- Ravi Prajapati
- Updated on: Sep 1, 2026
- 2:37 pm
વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકનો ખતરો કેમ વધે છે? આ 5 ભૂલ પડી શકે છે ભારે !
નિષ્ણાતો અને જીમ ટ્રેરના દેખરેખ હેઠળ વ્યાયામ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ યોગ્ય માહિતી અને તૈયારી વિના અચાનક ખૂબ વધારે અથવા વધુ તીવ્ર કસરત કરવી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી જિમમાં અથવા વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
- Dhruval Shah
- Updated on: Sep 1, 2026
- 11:49 am
એક્સપાયર દવાઓ પાછી લઈને કંપનીઓ શું કરે છે? શું ફરી બને છે નવી દવા? જાણો સાચી પ્રોસેસ
મેડિકલ સ્ટોરમાંથી એક્સપાયર દવાઓ પાછી લીધા પછી ફાર્મા કંપનીઓ તેનું શું કરે છે? શું તેમાંથી ફરી નવી દવાઓ બનાવવામાં આવે છે? જાણો સમગ્ર પ્રક્રિયા.
- Sachin Agrawal
- Updated on: Aug 31, 2026
- 4:35 pm
Health News: એક ચપટી મીઠું 5 મિનિટમાં તમારા માથાનો દુખાવો મટાડી દેશે, જાણો કેવી રીતે
માથાનો દુખાવો થવાના અનેક કારણો હોઈ શકે છે. તેમાં ડિહાઇડ્રેશન અને શરીરમાં સોડિયમનું અસંતુલન પણ એક કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં પૂરતું પાણી પીવું જરૂરી છે. સોશિયલ મીડિયા પર મીઠું અને પાણીનો ઉપાય માથાના દુખાવામાં ઝડપથી રાહત આપતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
- Tanvi Soni
- Updated on: Aug 31, 2026
- 10:34 am
આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલે સારવારની ના પાડી? જાણો ફોન પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની સંપૂર્ણ રીત
આયુષ્માન કાર્ડ હોવા છતાં જો કોઈ માન્ય હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે, તો તમે કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરેબેઠા પોર્ટલ અથવા ટોલ-ફ્રી નંબર પર ફરિયાદ કરી શકો છો. જાણો ફરિયાદ નોંધાવવાની સાચી રીત અને જરૂરી પુરાવા.
- Sachin Agrawal
- Updated on: Aug 30, 2026
- 8:49 pm
ભારતીય ડૉક્ટરે UKની આરોગ્ય સેવાઓની વાસ્તવિકતા જણાવી, ભારત સાથે કરી સરખામણી, જુઓ Video
ડૉ. દીપાંજલિ શર્માનો યુકેમાં પતિની બીમારીનો અનુભવ વાયરલ થયો છે. રાત્રે દવાઓ મેળવવામાં પડેલી મુશ્કેલીએ તેમને ભારતની સરળ આરોગ્ય સેવા યાદ અપાવી. તેમણે યુકેના NHS અને ભારતીય વ્યવસ્થાની સરખામણી કરી, જ્યાં ભારતમાં ઇમરજન્સીમાં પણ દવાઓ અને સારવાર સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ વીડિયો વિદેશમાં જીવનની વાસ્તવિકતાઓ અને ભારતીય સુવિધાઓનું મહત્વ દર્શાવે છે.
- Sagar Solanki
- Updated on: Aug 30, 2026
- 4:57 pm
શું કોઈ બીમાર વ્યક્તિ અંગદાન કરી શકે? જાણો નિષ્ણાંત શું કહે છે
અંગદાન કરતા પહેલા ચોક્કસ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. ડોકટર નોંધે છે કે જો દાતાને કોઈ તબીબી સ્થિતિ હોય, તો તે કેટલી હદ સુધી નિયંત્રણમાં છે અને દાતાના સ્વાસ્થ્ય પર દાનની સંભવિત અસરનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Aug 30, 2026
- 2:53 pm
ચક્કર આવવા પાછળ હોઈ શકે છે આ 5 ગંભીર બીમારી !
ચક્કર આવવાનું કારણ માત્ર થાક નથી. પરંતુ તેની પાછળ કેટલાક ગંભીર કારણો પણ હોય છે. ચાલો જાણીએ કે કઈ પરિસ્થિતિઓમાં ચક્કર આવવાની સમસ્યા વધારે થઈ શકે છે. જાણો કઈ સ્થિતિમાં લેવી જોઈએ તાત્કાલિક તબીબી સહાય
- Dhruval Shah
- Updated on: Aug 30, 2026
- 2:38 pm
Breaking News : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ
વરસાદના વિરામ બાદ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. શહેરના આ વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 30, 2026
- 11:37 am
Breaking News : મંગલા એક્સપ્રેસમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની આશંકા, ટ્રેનમાં ભોજન કર્યા બાદ 30થી 40 વિદ્યાર્થીઓની તબિયત લથડી !
મંગલા એક્સપ્રેસમાં વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ભોપાલ રેલવે સ્ટેશન પર ભોજન કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓની તબિયત અચાનક બગડી હતી. શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને ઉબકા અને ઊલટી થવા લાગી હતી.
- Dhruval Shah
- Updated on: Aug 30, 2026
- 1:07 pm
શું એક્સપાયર થયેલું પરફ્યુમ વાપરી શકાય? ત્વચા અને સ્વાસ્થ્ય પર થતા નુકસાન વિશે જાણો
ઘણા લોકો વર્ષો જૂનું પરફ્યુમ વાપરતા રહે છે, પરંતુ એક્સપાયર થયેલું પરફ્યુમ ત્વચા પર એલર્જી, ખંજવાળ, ફોલ્લીઓ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ નોતરી શકે છે. જાણો એક્સપાયર્ડ પરફ્યુમ ઓળખવાની સાચી રીત અને તેનાથી થતા નુકસાન.
- Sachin Agrawal
- Updated on: Aug 29, 2026
- 10:00 pm