AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ સ્વાસ્થ્ય

હેલ્થ સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

વધુ પડતું પ્રોટીન લેવાથી શરીરને થઈ શકે છે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ

આજકાલ વધુ પ્રોટીન ખાવાનો ક્રેઝ વધ્યો છે, પરંતુ તેની અતિશયતા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને કિડનીની બીમારી ધરાવતા લોકો માટે વધુ પ્રોટીન જોખમી સાબિત થઈ શકે છે. જાણો તમારે રોજ કેટલું અને કેવું પ્રોટીન લેવું જોઈએ.

તમારા ઘરનું ROનું પાણી તમને બીમાર તો નથી બનાવી રહ્યું? જાણો પાણી શુદ્ધ કરવાની સાચી રીત અને એક્સપર્ટની સલાહ

ચોમાસામાં પાણીની શુદ્ધતા માટે લોકો RO ખરીદી લે છે, પણ શું દરેક ઘરમાં RO જરૂરી છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીના રિપોર્ટ મુજબ ખોટી રીતે વપરાતું RO શરીરના જરૂરી મિનરલ્સ ઘટાડી શકે છે. જાણો તમારા માટે RO, UV કે UF માંથી શું શ્રેષ્ઠ છે.

ચોમાસું આવતાં જ કેમ વધી જાય છે સાંધાનો દુખાવો? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ અને રાહત મેળવવાના ઉપાયો

ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અનેક લોકોને સાંધાના દુખાવાની સમસ્યા હેરાન કરવા લાગે છે. વાતાવરણમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાથી આ તકલીફ વધે છે. જાણો તેનાથી રાહત મેળવવાના ઘરેલુ ઉપાયો.

Ratalu Puri recipe : સુરતનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હવે તમારા રસોડામાં, જુઓ રતાળુ પુરીની પરફેક્ટ રેસીપી

સુરતની પ્રખ્યાત રતાળુ પુરી બનાવવાની સંપૂર્ણ રીત. રતાળુના ભજીયા તરીકે પણ ઓળખાતી આ ક્રિસ્પી પુરીને ઘરે જ બનાવો. સાથે જ ભજીયાનો સ્વાદ બમણો કરતી એક ચટપટી ચટણી બનાવવાની રીત પણ અહીં આપેલી છે. સરળતાથી શીખો અને સ્વાદ માણો.

ઓનલાઇન જ્વેલરી ખરીદનારા થઈ જાઓ એલર્ટ ! ખતરનાક ભેળસેળથી કેન્સરનું જોખમ

જો તમે પણ ઓનલાઇન કે લોકલ માર્કેટમાંથી આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવાના શોખીન છો, તો આ અહેવાલ તમારા માટે અત્યંત મહત્વનો છે. એક ચોંકાવનારા સંશોધનમાં સામે આવ્યું છે કે ફેન્સી જ્વેલરીમાં ઝેરી કેડમિયમ ધાતુની ભેળસેળ કરવામાં આવી રહી છે, જે શરીર માટે કેન્સર અને કિડની-લીવરની ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

જમતી વખતે ‘પાણી’ પીવાની ટેવ છે ? તો જાણી લો તેનાથી શરીરને થતા આ ‘નુકસાન’

ભોજનની જેમ જ શરીર માટે પાણી પણ ખૂબ જ જરૂરી છે પરંતુ ઘણા લોકોને જમતી વખતે વારંવાર પાણી પીવાની ટેવ હોય છે. જો તમે પણ ખાતી વખતે પાણી પીઓ છો, તો આ ટેવ તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, જમતી વખતે પાણી પીવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે.

તમારા ઘરમાં લગાવેલા RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ ? જાણો કેટલા સમયમાં કરાવવી જોઈએ RO ની સર્વિસ

મોટાભાગના લોકો RO નું પાણી પીવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે RO ના પાણીનું TDS લેવલ કેટલુ હોવુ જોઈએ. વધુ TDS લેવલ કે સાવ ઓછુ TDS બંને સ્વાસ્થ્ય માટે ઠીક નથી. આજે અમે આપને RO ના પાણીનું TDS કેટલુ હોવુ જોઈએ તેના વિશે માહિતગાર કરશુ, સાથોસાથ RO ની સર્વિસ કેટલા સમયમાં કરાવવી જોઈએ તે પણ જણાવશુ.

ચોમાસામાં નાના બાળકોની સંભાળ કેવી રીતે રાખવી ? બાળરોગ નિષ્ણાતો પાસેથી જાણી લો આ જરૂરી વાતો

ચોમાસાની ઋતુમાં ભેજ, વાયરસ અને બેક્ટેરિયાના કારણે નાના બાળકોમાં ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. બાળરોગ નિષ્ણાતો પાસેથી જાણો બાળકની સફાઈ, ખોરાક, કપડાં અને સંભાળ માટેની સૌથી મહત્વપૂર્ણ અને ઉપયોગી વાતો.

ભારતમાં ડેન્ગ્યુ વિરોધી રસી તાકેડાની QDENGAને DCGI ની મળી મંજૂરી, 4 થી 60 વર્ષના લોકો લઈ શકશે

ડેન્ગ્યુ એક જીવલેણ, ખતરનાક મચ્છરજન્ય રોગ છે. વિશ્વના વિકાસશીલ દેશોમાં ડેન્ગ્યુ એક મોટી સમસ્યા છે. આજે વિશ્વભરના 125 થી વધુ દેશમાં ડેન્ગ્યુથી પ્રભાવિત છે. તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે કંપનીના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે નોંધાયેલા કુલ ડેન્ગ્યુના કેસમાંથી ભારતમાં લગભગ એક તૃતીયાંશ કેસ નોંધાય છે.

ચોમાસામાં પાચનતંત્ર સુધારવા અને વાયરલ તાવથી બચવા માટે રોજ પીવો આ 5 સ્પેશિયલ હર્બલ ટી!

ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં કેટલીક હર્બલ ટી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને મોસમી બીમારીઓથી બચાવવામાં મદદરૂપ બની શકે છે.

પૂરી-ભજીયા તળવાથી લઈને હાર્ટ હેલ્થ સુધી… જાણો કઈ રસોઈ માટે કયું તેલ છે સર્વશ્રેષ્ઠ

રસોઈમાં કયું તેલ વાપરવું તે માત્ર સ્વાદ માટે નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ મહત્વનું છે. અલગ-અલગ પ્રકારની રસોઈ માટે અલગ તેલ વધુ યોગ્ય માનવામાં આવે છે. જાણીએ કયા કામ માટે કયું તેલ શ્રેષ્ઠ ગણાય છે.

દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ? જાણો વધુ પડતું મીઠું ખાવું કેટલું નુકસાનકારક..

મીઠું આપણા આહારનો અનિવાર્ય ભાગ છે, પરંતુ વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને કિડનીની સમસ્યાઓનું જોખમ વધારે છે.

મકાઈ ખાવાથી કયા વિટામિન મળે છે? સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો છે આ મોસમી ખોરાક

ચોમાસામાં ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સ્વાદમાં બેજોડ હોવાની સાથે મકાઈ સ્વાસ્થ્ય માટે પણ સુપરફૂડ છે. મકાઈ ખાવાથી શરીરને કયા મહત્વના વિટામિન્સ મળે છે તે વિશે વિગતે વાંચો.

Diabetes Tips : ભોજન પછી 10-15 મિનિટ ધીમે ચાલવાથી બ્લડ શુગર કેવી રીતે નિયંત્રણમાં રહે? જાણો તેના ફાયદા

આજની બદલાતી જીવનશૈલીમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની રહી છે. ભોજન કર્યા પછી થોડું ધીમે ધીમે ચાલવાની આદત બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે અને સમગ્ર સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે.

Banana Leaf Benefits : દક્ષિણ ભારતમાં કેળાના પાન પર જમવાની પરંપરા પાછળ છુપાયેલું છે હજારો વર્ષ જૂનું રહસ્ય

દક્ષિણ ભારતમાં લગ્ન, તહેવાર અને મંદિરોના પ્રસાદથી લઈને રોજિંદા ભોજન સુધી કેળાના પાનનો ઉપયોગ થાય છે. જાણો આ પરંપરા કેવી રીતે શરૂ થઈ અને તેના પાછળના રસપ્રદ કારણો.

  • Nishat
  • Updated on: Jul 19, 2026
  • 9:00 am
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર
g clip-path="url(#clip0_868_265)">