AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હેલ્થ સ્વાસ્થ્ય

હેલ્થ સ્વાસ્થ્ય

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.

Read More

Weight Gain After Workout: રોજ કસરત કરો છો છતાં તમારું વજન વધી રહ્યું છે? આ કારણો હોઈ શકે જવાબદાર

ઘણા લોકો શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત કસરત કરે છે, છતાં કેટલીકવાર કસરત પછી પણ તેમનું વજન વધતું જોવા મળે છે. ચાલો, તેના પાછળના કારણોને સરળ રીતે સમજીએ.

Hair Tip: શું ટામેટાનો રસ ખરેખર નવા વાળ ઉગાડી શકે છે?

ખરતા વાળ અને ટાલની સમસ્યાથી પરેશાન લોકો માટે ટામેટાનો રસ એક જાદુઈ ઈલાજ માનવામાં આવે છે. પરંતુ શું એક્સપર્ટ્સ આ વાત સાથે સહમત છે? જાણો ટામેટામાં રહેલા પોષક તત્વો અને તેનાથી થતી આડઅસરો વિશેની સંપૂર્ણ માહિતી.

Clove Benefits: ઉનાળાની ગરમીમાં લવિંગ છે કુદરતી કૂલર! જાણો ઉપયોગ કરવાની સાચી રીત

લવિંગ ખોરાકમાં સ્વાદ અને સુગંધ વધારતો સામાન્ય મસાલો છે. શિયાળામાં તે શરીરને ગરમ રાખે છે અને શરદી-ખાંસીમાં મદદરૂપ બને છે. પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરો તો ઉનાળામાં પણ લવિંગ શરીર માટે ફાયદાકારક છે. વિજ્ઞાન અને આયુર્વેદ મુજબ રોજ થોડું લવિંગ લેવાથી પાચન સુધરે, મોંના જંતુઓ ઘટે અને કેટલાક સામાન્ય રોગોથી બચાવ મળી શકે છે.

8 કલાકની પૂરતી ઊંઘ છતાં સવારે લાગે છે ‘થાક’? તો સાવધાન ! શરીરમાં છુપાયેલી આ બીમારી હોઈ શકે છે ‘મોટું કારણ’

શું તમે રાતભર 7-8 કલાકની ભરપૂર ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠતાની સાથે જ થાક અનુભવો છો? શું તમને આખો દિવસ એવું લાગે છે કે, શરીરમાં ઊર્જા (Energy) બચી જ નથી? જો હા, તો આને માત્ર કામનો તણાવ કે ભાગદોડ માનીને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.

શું તમારું બાળક પણ સાંજે પગના દુખાવાની ફરિયાદ કરે છે? જાણો શું હોય શકે છે તકલીફ

દિવસભર રમતું બાળક રાત્રે પગના દુખાવાથી પરેશાન થાય ત્યારે માતા-પિતા ચિંતિત થઈ જાય છે. પિડિયાટ્રિશિયનના મતે આ મોટાભાગે 'ગ્રોઇંગ પેન' હોય છે. જાણો ઘરે જ તેને મટાડવાના અસરકારક રસ્તાઓ.

દાંત પીળા કેમ થાય છે? તેની પાછળ શું જવાબદાર છે, ખરાબ ખોરાક કે વૈજ્ઞાનિક કારણ

દાંત પીળા પડવા ખૂબ શરમજનક હોઈ શકે છે. ઘણા લોકો તેમના દાંતની ખૂબ કાળજી રાખે છે, છતાં પણ તે પીળા પડી જાય છે. આ આર્ટિકલમાં આપણે દાંત પીળા પડવા પાછળના કારણો જોશું.

Health Tip: શું તમારી પાસે પણ જીમ જવાનો સમય નથી? રોજ માત્ર આટલી જ મિનિટ ચાલો અને જુઓ અદભુત ફાયદા

આજના વ્યસ્ત જીવનમાં ફિટ રહેવું મુશ્કેલ છે, પણ રોજની 45 મિનિટની વૉક તમારા સ્વાસ્થ્યમાં મોટો બદલાવ લાવી શકે છે. વજન ઘટાડવાથી લઈને હૃદયને સ્વસ્થ રાખવા સુધી, જાણો ચાલવાના જાદુઈ ફાયદા.

Drinking Hot Water in Summer : શું ગરમીમાં દરરોજ ગરમ પાણી પીવું સલામત અને ફાયદાકારક છે?

ઉનાળામાં ખાલી પેટે ગરમ પાણી પીવાની આદત દરેક માટે ફાયદાકારક હોય એવું જરૂરી નથી. આયુર્વેદ મુજબ શરીરની પ્રકૃતિ અને મોસમને ધ્યાનમાં રાખીને જ આ રીત અપનાવવી જોઈએ, નહીં તો એસિડિટી અને અન્ય તકલીફો વધી શકે છે.

  • Nishat
  • Updated on: Feb 25, 2026
  • 2:33 pm

Breaking News : ફ્રિજનું ચિલ્ડ પાણી કે માટલાનું અમૃત? ઉનાળામાં તમારી પસંદગી બની શકે જોખમી!

ફ્રિજનું પાણી કદાચ થોડીવાર માટે માનસિક શાંતિ આપે, પણ તે શારીરિક રીતે અનેક સમસ્યાઓનું કારણ બને છે. તેની સામે માટલાનું પાણી કુદરતી રીતે ઠંડક આપવાની સાથે શરીરને સ્વસ્થ અને હાઇડ્રેટેડ રાખવામાં મદદરૂપ થાય છે. પાચન, ગળું અને ત્વચાના સ્વાસ્થ્ય માટે માટલું જ સર્વશ્રેષ્ઠ પસંદગી છે.

દીકરીઓને કેન્સરથી બચાવવા માટે મોટી પહેલ, 14 વર્ષની છોકરીઓને મફત HPV રસી મળશે, ટૂંક સમયમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ થશે

કેન્દ્ર સરકાર 14 વર્ષની ઉંમરથી છોકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે સમગ્ર ભારતમાં HPV રસીકરણ કાર્યક્રમ શરૂ કરી રહી છે. આ રસી સંપૂર્ણપણે મફત હશે અને સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ હશે. આ અભિયાન હેઠળ દર વર્ષે આશરે 1.15 કરોડ છોકરીઓને મફત રસીકરણ મળશે.

જમીન પર બેસીને ખાવાનું કેમ યોગ્ય માનવામાં આવે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

ભારત અને આયુર્વેદ વચ્ચે ખાસ સંબંધ છે. આયુર્વેદિક પદ્ધતિઓ હજુ પણ સ્વાસ્થ્ય જાળવવામાં અસરકારક સાબિત થઈ છે. આમાંથી એક છે જમીન પર બેસીને ખાવું. લોકોએ આ સ્વસ્થ આદત છોડી દીધી હશે, પરંતુ તેના હજુ પણ અસંખ્ય ફાયદા છે. ચાલો આપણે સમજાવીએ.

રાત્રે ‘ચોખા’ ખાવાની આદત તમને બીમાર કરી શકે છે, જાણો શરીર પર આની કેવી ગંભીર અસરો થાય છે

આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકોને રાત્રિના ભોજનમાં 'ચોખા' ખાવાની આદત હોય છે, કારણ કે તે બનાવવામાં સરળ અને પચવામાં હળવા લાગે છે. જો કે, રાત્રિના સમયે ચોખાનું વધુ પડતું સેવન તમને લાંબાગાળે બીમાર કરી શકે છે.

Health Tip: એલોવેરાના આ ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો ! ડાયાબિટીસથી લઈને ગ્લોઈંગ સ્કીન સુધી છે રામબાણ ઈલાજ

શું તમે જાણો છો કે તમારા આંગણામાં રહેલો એક નાનકડો છોડ ડાયાબિટીસથી લઈને ખરતા વાળ સુધીની તમામ સમસ્યાઓનો અંત લાવી શકે છે? એલોવેરાના એવા રહસ્યો જે આજ સુધી તમારી નજર સામે હતા છતાં અજાણ હતા...

Health Tips: આંખો ઉપરનો દુખાવો શું એ માત્ર આંખોની કમજોરી છે કે દિમાગની સમસ્યા?

આંખો ઉપરનું દુખાવો સામાન્ય રીતે નજર નબળી હોવાને કારણે થાય છે, પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં તે દિમાગ સાથે સંબંધિત ગંભીર સમસ્યાનું સંકેત પણ હોઈ શકે છે. જાણો કારણો, લક્ષણો અને ક્યારે તબીબી સલાહ લેવી જરૂરી છે.

  • Nishat
  • Updated on: Feb 24, 2026
  • 2:40 pm

Breaking News : સાવધાન અમદાવાદ! તમારી થાળીમાં નકલી પનીર તો નથી ને? 10 હોટેલમાંથી ઝડપાયુ નકલી પનીર, જુઓ Video

અમદાવાદમાં ફૂડ વિભાગે જાણીતી 10 હોટલોમાં નકલી પનીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 173 કિલો નકલી પનીર અને અન્ય અખાદ્ય સામગ્રી જપ્ત કરાઈ. પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા જેમાં વનસ્પતિ તેલ અને ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ થયો હતો. તંત્ર દ્વારા લાખોનો દંડ પણ વસૂલાયો છે.

g clip-path="url(#clip0_868_265)">