હેલ્થ સ્વાસ્થ્ય
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેઓ ઘણા રોગો માટે સંવેદનશીલ બની જાય છે. સારા સ્વાસ્થ્ય માટે, નિયમિત ચેકઅપ કરાવવું, નિયમિત કસરત કરવી, આરોગ્યપ્રદ આહાર લેવો, યોગ, ધ્યાન કરવું અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
મેડિટેશન સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. તમારા મગજની શક્તિ વધે છે. નિયમિત ચેકઅપ દ્વારા સંભવિત સમસ્યાઓ અગાઉથી ઓળખી શકાય છે. જરૂરી રસીકરણ પણ કરાવવું જોઇએ, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમાકુ અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો. તેનાથી વ્યક્તિને તેના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
Women’s health : બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન શું છે? આ સર્જરી સલામત છે કે નહીં ડૉક્ટર પાસેથી જાણો
બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન એક પ્રકારની કોસ્મેટિક સર્જરી હોય છે. જે બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે કરવામાં આવે છે. આનું મુખ્ય કારણ શું છે? આ વિશે આજે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી જાણીએ,
- Nirupa Duva
- Updated on: Dec 23, 2025
- 7:06 am
ખાંસીમાં રાહત માટે સ્વદેશી કફ સિરપ, જાણો સરળ ઘરગથ્થુ ઉપાય
શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ ઘણીવાર જોવા મળે છે, ખાસ કરીને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકોમાં. આવી સ્થિતિમાં વારંવાર દવાઓ પર નિર્ભર રહેવા કરતાં, ઘરેલુ અને સ્થાનિક ઘટકોનો ઉપયોગ કરીને કફ સીરપ તૈયાર કરી શકાય છે. ચાલો જાણીએ કે આ કુદરતી ઉપાય કેવી રીતે મદદરૂપ બને છે.
- Sachin Agrawal
- Updated on: Dec 22, 2025
- 4:38 pm
Health Tips: યાદશક્તિ વધારવા માટે તમારા આહારમાં સામેલ કરો આ સુપરફુડ્સ – Photos
યાદ શક્તિ વધારવા માનસિક સ્વાસ્થ્ય સારુ હોવુ જરૂરી છે. મનની શાંતિની સાથે તમારે તમારા આહારમાં પણ કેટલીક ચીજોને સામેલ કરવી જોઈએ. જેનાથી તમારી યાદશક્તિ તેજ બને છે.
- Mina Pandya
- Updated on: Dec 22, 2025
- 3:29 pm
સ્વસ્થ શરીર અને શાંત મનનો એક જ રસ્તો – મેડિટેશન; જાણો આજના દોડધામભર્યા જીવનમાં કેમ જરૂરી છે મેડિટેશન
નિયમિત ધ્યાન કરવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરમાં નોંધપાત્ર સુધારો થાય છે, કારણ કે તે હાઈ બીપી માટે જવાબદાર 'કોર્ટિસોલ' નામના સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે. આ પ્રક્રિયાથી હૃદયના ધબકારા નિયંત્રિત થાય છે અને રક્તવાહિનીઓ પરનું દબાણ ઓછું થવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 21, 2025
- 4:55 pm
શિયાળાનું સુપરફૂડ શક્કરિયા, જાણો તેના ફાયદા અને ખાવાની 6 અલગ અલગ રીત
શિયાળાનું સુપરફૂડ શક્કરિયા ડાયેટરી ફાઇબર, વિટામિન C, A, B6 જેવા પોષક તત્વોથી ભરપૂર છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- Sagar Solanki
- Updated on: Dec 21, 2025
- 2:11 pm
Sitafal Benefits : સીતાફળમાંથી બીજ તરત નીકળી જશે, જાણો રીત અને ફાયદા
સીતાફળમાંથી બીજ કાઢવાની એક સરળ રીત છે, જેથી તેને ખાવામાં વધુ આનંદ આવે. આ પોષક તત્વોથી ભરપૂર ફળ વિટામિન સી, ફાઇબર અને આયર્નનો સારો સ્ત્રોત છે. જે શરીરની મોટી સમસ્યાઑ માટે ફાયદા રૂપ છે.
- Sagar Solanki
- Updated on: Dec 20, 2025
- 6:59 pm
Health Tips : શિયાળાની ઋતુમાં દરરોજ 2 અંજીર ખાવાના છે આ 8 ફાયદા, જાણીને તમે પણ દંગ રહી જશો!
શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે, ત્યારે પ્રકૃતિએ આપણને 'અંજીર' તરીકે એક અદભૂત સુપરફૂડ આપ્યું છે. તાજેતરના સ્વાસ્થ્ય રિસર્ચમાં બહાર પ્રકાશિત થયું છે કે જો શિયાળામાં દરરોજ માત્ર બે અંજીર ખાવામાં આવે, તો તે શરીરને અંદરથી ગરમાવો આપવાની સાથે અનેક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. ડાયાબિટીસથી લઈને હાડકાની મજબૂતી સુધી, અંજીરના આ 8 ફાયદા જાણીને તમે પણ આજથી જ તેને ડાયટમાં સામેલ કરી દેશો.
- Manish Gangani
- Updated on: Dec 20, 2025
- 2:40 pm
LFT અને KFTની જેમ જ જરૂરી છે PFT ટેસ્ટ, જાણો ફેફસાંની મજબૂતી માપતા આ ટેસ્ટ વિશે
લીવર અને કિડનીની જેમ હવે ફેફસાંની તંદુરસ્તી જાણવી પણ ખૂબ જ જરૂરી બની છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) એક એવી સરળ તપાસ છે જેમાં લોહીના નમૂના વગર જ જાણી શકાય છે કે તમારા ફેફસાં કેટલા સ્ટ્રોગ છે. વધતા પ્રદૂષણ અને શ્વાસની સમસ્યાઓ વચ્ચે આ ટેસ્ટ કોણે કરાવવો જોઈએ અને તેનાથી કયા ફાયદા થાય છે, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય.
- Manish Gangani
- Updated on: Dec 20, 2025
- 8:34 am
‘સફેદ બ્રેડ’ ખાવી ભારે પડશે ! નિયમિત સેવન તમારા સ્વાસ્થ્ય માટે બની શકે છે ‘ગંભીર’, આ 5 આડઅસરો થવાની સંભાવના
આજની વ્યસ્ત જીવનશૈલીમાં બ્રેડ-બટર અથવા સેન્ડવિચ એ સૌથી અનુકૂળ નાસ્તો છે. સમય બચાવવા માટે શાળાએ જતા બાળકોથી લઈને ઓફિસ જતા પુખ્ત વયના લોકો સુધી દરેક વ્યક્તિ રોજ સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ લે છે. એવામાં શું તમે જાણો છો કે, દરરોજ સવારે 'સફેદ બ્રેડ' ખાવી એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે?
- Ravi Prajapati
- Updated on: Dec 19, 2025
- 8:26 pm
શું ભીંડાનું પાણી પીવાથી ખરેખર વજન ઘટે છે ? જાણો સોશિયલ મીડિયાના દાવા પાછળનું સત્ય
શું ભીંડાનું પાણી ખરેખર વજન ઘટાડે છે? આજકાલ સોશિયલ મીડિયા પર તેને એક 'મેજિક ડ્રિંક' ગણાવવામાં આવી રહ્યું છે. દાવો છે કે તે ચરબીને ઝડપથી ઓગાળે છે. પરંતુ શું આ વાતમાં કોઈ તથ્ય છે કે માત્ર વાયરલ ટ્રેન્ડ? જાણો આ વિષય પર હેલ્થ એક્સપર્ટ્સનું શું કહેવું છે અને આ પાણી પીતા પહેલા કઈ સાવધાની રાખવી જોઈએ.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 6:35 pm
રાત્રે સૂતા પહેલા ફક્ત એક એલચી ખાવાના ફાયદા જાણી ચોંકી જશો, શરીર બનશે લોખંડ જેવું મજબૂત
દૈનિક જીવનમાં એક નાની આદત સ્વાસ્થ્ય માટે મોટો લાભ આપી શકે છે. સૂતા પહેલા નાની એલચી ખાવાથી પાચન પ્રક્રિયા સક્રિય થાય છે, ઊંઘમાં સુધારો થાય છે અને મોઢાની દુર્ગંધ દૂર થાય છે. સાથે જ, એલચી ચયાપચય વધારી વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.
- Manish Gangani
- Updated on: Dec 19, 2025
- 5:36 pm
શરદી અને ઉધરસથી પરેશાન છો ? શું તમને ખબર છે આદુના શીરાનુ આ અદભૂત ફાયદાઓ ?
હવામાનમાં થતા બદલાવ સાથે કેટલીક આરોગ્ય સમસ્યાઓ પણ જોવા મળે છે. અગાઉના સમયમાં લોકો દવાઓ પર ઓછું અને ઘરગથ્થુ નુસ્ખાઓ પર વધુ ભરોસો રાખતા હતા, જે બહુ અસરકારક સાબિત થતા. શિયાળામાં શરદી અને ખાંસીથી બચાવ માટે આદુનો શીરો જે એક ઉત્તમ ઘરેલું ઉપચાર છે. ખાસ વાત એ છે કે બાળકો થી લઈને વડીલો સુધી સૌ કોઈ આ શીરો નિર્ભય બનીને લઈ શકે છે.
- Sachin Agrawal
- Updated on: Dec 18, 2025
- 9:07 pm
તમારુ માનસિક સ્વાસ્થ્ય કેવુ છે? સરકાર કરાવશે તમારી મેન્ટલ હેલ્થનો દેશવ્યાપી સરવે
સરકાર 9 વર્ષ બાદ મેન્ટલ હેલ્થને લઈને દેશભરમાં સરવે કરવા જઈ રહી છે. જેનાથી જાણ થશે કે લોકોના માનસિક સ્વાસ્થ્યને લઈને શું સ્થિતિ છે
- Mina Pandya
- Updated on: Dec 18, 2025
- 6:42 pm
સ્ટ્રેસ ઓછો થવો, સ્નાયુઓ મજબૂત…..શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી શું ફાયદો થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
શું શિયાળામાં ઠંડા પાણીમાં સ્નાન ખરેખર ફાયદાકારક છે? કેટલાક લોકો શિયાળાની ખૂબ જ વધારે ઠંડીમાં પણ દરરોજ સવારે ઠંડા પાણીમાં સ્નાન કરવાનો રિવાજ અપનાવે છે. નિષ્ણાત પાસેથી જાણો કે તેનાથી શરીરને શું ફાયદા થાય છે.
- Meera Kansagara
- Updated on: Dec 18, 2025
- 4:58 pm
લવિંગ, એલચી કે આદુવાળી ચા? શિયાળામાં કઈ ચા છે વધુ ફાયદાકારક, જાણો
શિયાળાની ઋતુમાં જ્યારે પારો ગગડે છે, ત્યારે ગરમાગરમ ચાની ચુસ્કી માત્ર મનને તાજગી જ નથી આપતી, પરંતુ જો તેમાં યોગ્ય ઘટકો ઉમેરવામાં આવે તો તે ઔષધિ સમાન બની જાય છે. આયુર્વેદ અને નિષ્ણાતોના મતે, શિયાળામાં સાદી ચાને બદલે લવિંગ, એલચી અને આદુનો ઉપયોગ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ ત્રણેય ઘટકો પોતાની રીતે વિશિષ્ટ ગુણો ધરાવે છે, જે ઠંડી સામે લડવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ચાલો જાણીએ, શિયાળાની કઈ ચા તમારા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
- Manish Gangani
- Updated on: Dec 18, 2025
- 3:34 pm