જૂનાગઢ
Breaking News : કીર્તિ પટેલના સ્નાન પછી ભવનાથમાં સાધુ સંતો આમને સામને
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
જૂનાગઢમાં કિર્તી પટેલ સામે કાયદાકીય ગાળિયો, પોલીસ નોંધ્યો ગુનો
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
Breaking News : સાધુ-સંતો સાથે PI વરીયાએ લગાવી વિવાદની ડૂબકી
ધાર્મિક પરંપરાઓને પડકારવાનો અધિકાર કીર્તિ પટેલને કોણે આપ્યો?
ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું ભવનાથ મેળાનું માહાત્મ્ય, જુઓ Video
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ આપી ખો...
કારની ટક્કર મારી સિંહણને મોતને ઘાટ ઉતારનાર સિવિલ એન્જિનિયર ઝડપાયો
Breaking News : ભવનાથના શિવરાત્રી મેળા માટે તડામાર તૈયારીઓનો ધમધમાટ
જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે
હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ
પદ્મ શ્રી હાજી રમકડુંનુ નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાનો કારસો
પદ્મ વિજેતા હાજીભાઈની પહેલી પ્રતિક્રિયા સામે આવી - જુઓ Video
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “