હોળી ધૂળેટી

હોળી ધૂળેટી

હોળી અને ઘૂળેટીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. હોળી એ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. હોળીના દિવસો દરમિયાન ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય છે. હોળીને ગુજરાતના અમુક વિસ્તારોમાં હુંતાસણી પણ કહેવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે.

હોળીને વસંતના વધામણા કરનારા રંગોના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે, લોકો એક બીજા ઉપર વિવિધ રંગ છાટીને આનંદ ઉત્સાહ મનાવે છે. હોળી પર્વની સાંજે લોકો પોતાના વિસ્તારમાં લાકડા અને છાણા મુકીને હોલીકા દહન એટલે કે હોળી પ્રગટાવે છે. હોળીના દિવસે લોકો ખજૂર અને ધાણી ખાય છે. આ એક ધાર્મિક રીતરિવાજની સાથે પરંપરા છે.

દંતકથા અનુસાર ભક્ત પ્રહલાદને ભષ્મ કરવા માટે તેના પિતા હિરણ્યકશિપુ તેની બહેન હોલિકાને કહે છે. હોલિકા પોતાના ખોળામાં પ્રહલાદને લઈને ચિતામાં બેસે છે. ચિતામાં બેઠેલ હોલિકા અગ્નિજ્વાળામાં બળીને ભષ્મ થઈ જાય છે અને પ્રહલાદને એક નાની સરખી ખરોચ પણ આવતી નથી. આ દિવસથી હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવવાનું મહત્વ છે.

 

Read More

અમેરિકાના આર્ટેશિયામાં NRI દ્વારા હોળી-ધૂળેટી પર્વની ઉજવણી, જુઓ Photos

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા મધેશી એસોસિયેશન, આર્સેટિયા ચેમ્બરના સહયોગથી ઉજવણી કરી. ભારતીય અને નેપાળી સમુદાયના લોકો જાડાયા.

હોળી રમતી વખતે ચલણી નોટ પર લાગી ગયો છે કલર, તો આ નોટ બજારમાં ચાલે કે નહીં, જાણો શું છે RBIનો નિયમ

હોળી રમતી વખતે ઘણીવાર આપણા ખિસ્સામાં રહેલી નોટોને પણ કલર લાગી જાય છે, જેના કારણે રંગીન બની જાય છે. જે બાદ ઘણી વખત દુકાનદારો આ નોટો સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આ નોટોને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો શું છે અને આ નોટ બજારમાં ચાલશે કે નહીં.

મુંબઈ: માહિમ બીચ પર હોળી રમી રહેલા 5 યુવક દરિયામાં ડુબ્યા, 1નું મોત, 1 યુવકની શોધખોળ ચાલુ

હાલમાં ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હાજર છે. મોડી સાંજ સુધી ડુબી ગયેલા યુવકની જાણકારી મળી શકી નથી. ઘટનાથી પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ઘટનાસ્થળ પર લોકોની ભીડ જમા થવા લાગી છે. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.

રાજ્યના મંદિરોમાં ભક્તિ સાથે જામ્યો રંગોત્સવનો માહોલ, અંબાજી, સાળંગપુર, ડાકોર, શામળાજીમાં ભક્તોનુ ઘોડાપૂર- જુઓ વીડિયો

રાજ્યના મંદિરોમાં પણ ધૂળેટી પર્વે ભક્તિનો રંગ જોવા મળ્યો. મોટી સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર મંદિરોમાં દર્શનાર્થે ઉમટ્યુ હતુ. આ તરફ મંદિરોમાં પણ રંગોત્સવનો માહોલ જોવા મળ્યો. અંબાજી, સાળંગપુર, શામળાજી, ડાકોર મંદિરને વિવિધ રંગી ફુલો અને કલરની થીમથી સજાવવામાં આવ્યા હતા.

અમદાવાદમાં ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે કેનાલમાં ડૂબતા 5 લોકોના મોત, એક યુવકનો મૃતદેહ મળ્યો, 4ની શોધખોળ શરૂ- વીડિયો

અમદાવાદમાં ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે આવેલી કેનાલમાં 5 લોકોના ડૂબવાથી મોત થયા છે. ડૂબેલા લોકોમાં 2 મહિલા, 2 પુરુષ અને એક યુવકનો સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડે કેનાલમાંથી એક 22 વર્ષિય યુવકનું રેસક્યુ કર્યુ હતુ. જેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

ભાવનગરઃ ધૂળેટીના પર્વે જ તળાજાના મણાર ગામ પાસેના ચેકડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના મોત- વીડિયો

ભાવનગરના તળાજામાં મણાર ગામ નજીક આવેલા ચેકડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના મોત થયા છે. ધૂળેટીના પર્વે જ યુવકોના મોતથી પરિવારમાં તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. ફાયર બ્રિગેડે ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

રંગોત્સવના પર્વે રાજ્યમાં રાજકોટ, સુરત અને પંચમહાલમાં અલગ અલગ ઘટનામાં થઈ મારામારી- જુઓ વીડિયો

રાજ્યમાં રંગોત્સવના પર્વે પણ અલગ અલગ શહેરમાંથી મારામારીના દૃશ્યો સામે આવ્યા છે. જેમા રાજકોટમાં ખાનગી રિસોર્ટમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ. સુરતમાં 10થી વધુ લોકોના ટોળાએ બબાલ કરી અને પંચમહાલમાં અકસ્માત સર્જાયા બાદ સામસામે મારામારીમાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

સાળંગપુરધામ અને અયોધ્યામાં રંગોના પર્વની અનોખી ઉજવણી, વૃંદાવનમાં બાંકેબિહારી મંદિરમાં ઉડી રંગોની છોળો- જુઓ વીડિયો

દેશભરના મંદિરોમાં પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણની નગરી તેની ખાસ હોળી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રંગોના તહેવારની ઉજવણી માટે વૃંદાવન એક ઉત્તમ સ્થળ છે. આ શહેર તેના ફૂલોની હોળી માટે જાણીતું છે અને તેની મુખ્ય ઉજવણી બાંકે બિહારી મંદિરમાં થાય છે. વળી, વૃંદાવનમાં અનેક પ્રકારની હોળી રમવામાં આવે છે.

રંગોત્સવના દિવસે જ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માત, ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં 16ના મોત

રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનાઓમાં 16 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. ભાવનગરના તળાજામાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા હતા. તો ખેડાના વડતાલમાં પણ ડૂબી જતા 3 લોકોના મોત થયા હતા. તો બનાસકાંઠામાં બે લોકો ડૂબ્યા હતા તો મહિસાગરમાં એક બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું.

હોળી પર રોહિત શર્માની ‘બદમાશી’, કેમેરામેન પર પાણીનો કર્યો વરસાદ, જુઓ Video

IPL 2024ની સિઝન અને હોળીનો તહેવાર મતલબ રંગ અને ઉંમગનો 'ડબલ ડોઝ'. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન "હીટ મેન" રોહિત શર્માનું ફોર્મમાં હોવું, મતલબ 'સોને પે સુહાગા'. ગુજરાત સામે પહેલી મેચમાં હાર છતાં મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી સફળ ખેલાડી પોતાના પ્રદર્શનથી ચોક્કસથી ખુશ છે અને તેની ખુશી હોળીના દિવસે જોવા મળી હતી. રોહિતે હોળીની મોજ-મસ્તી સાથે મજેદાર રીતે ઉજવણી કરી હતી.

સાળંગપુર ધામમાં 51,000 કિલોથી વધુ રંગોથી મનાવાયો રંગોત્સવ, હનુમાનદાદાને કરાયો ભવ્ય શણગાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દાદાને હોળી (પૂર્ણિમા)ના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને રંગ પણ ધરાવવામાં આવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મેચ પહેલા ખેલાડીઓ રંગાયા હોળીના રંગમાં, દિલ્હી, રાજસ્થાન અને KKRની ટીમે પણ રમી હોળી

આઈપીએલ 2024 ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફે હોળી રમી છે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન પૃથ્વી શોની સેલ્ફી વાયરલ થઈ રહી છે. જ્યારે બ્રાવોએ ચાહકોને ખુબ નચાવ્યા હતા.રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ એકબીજાને રંગ લગાવતા જોવા મળ્યા હતા.

Ayodhya Holi 2024 : વર્ષોની રાહ પૂરી થઈ…! રામલલ્લાએ ભવ્ય મંદિરમાં હોળી રમી ! અયોધ્યામાં ઉત્સવનો માહોલ

Ayodhya Holi 2024 : રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, રામ મંદિરમાં 495 વર્ષ બાદ હોળી રમવામાં આવી હતી. આ ખાસ પ્રસંગના સાક્ષી બનવા માટે દેશભરમાંથી લોકો એકઠા થયા હતા. હોળી પર રામલલ્લાના વિશિષ્ટ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. 56 પ્રકારની વાનગીઓ અર્પણ કરવામાં આવી હતી.

હોળી રમવાના 10 મિનિટ પહેલા તમારા ચહેરા અને વાળ પર લગાવી લો આ વસ્તુ, પાક્કો રંગ સરળતાથી નિકળી જશે

જો તમે તમારી ત્વચા અને વાળને હોળીના રંગો અને ગુલાલથી બચાવવા માંગતા હોવ તો ચોક્કસ ટિપ્સ ફોલો કરો. એલોવેરા જેલ વાળ અને ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.હોળી રમતી વખતે તેને લગાવવાથી તમારા વાળને રસાયણો અને રંગોથી બચાવશે.

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
g clip-path="url(#clip0_868_265)">