રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1 હજાર 74 કેસ પોઝિટિવ નોંધાયા છે. સુરતમાં સૌથી વધુ 231 કેસ પોઝિટિવ સામે આવ્યા છે જ્યારે અમદાવાદમાં વધુ 153 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરામાં વધુ 110 કેસ પોઝિટિવ કેસ જ્યારે રાજકોટમાં આજે વધુ 90 કેસ પોઝિટિવ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરતમાં સૌથી વધુ 10 લોકોના મોત થયા જ્યારે અમદાવાદમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોરબી અને વડોદરામાં બે-બે લોકોના મોત થયા હતા. અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ, વલસાડમાં એક-એકના મોત થયા હતા. છેલ્લા 24 કલાકમાં 1390 લોકો સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો