AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Middle East Crisis Breaking News: યુદ્ધથી આરોગ્ય ક્ષેત્ર પ્રભાવિત! ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?

Middle East Crisis Breaking News: યુદ્ધથી આરોગ્ય ક્ષેત્ર પ્રભાવિત! ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?

Jignesh Patel
| Edited By: | Updated on: Mar 12, 2026 | 12:01 PM
Share

મધ્યપૂર્વના યુદ્ધ અને તણાવની અસર હવે વિશ્વભરમાં અનુભવાઈ રહી છે. ભારતમાં હાલ આરોગ્ય ક્ષેત્ર પર મોટી અસર તો જોવા નથી મળી, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે લાંબા ગાળે દવાઓ, મશીનરી અને વિદેશી ટેકનિશિયન સપ્લાય પર અસર થઇ શકે છે. ખાસ કરીને વિદેશી દર્દીઓ આવતા હૉસ્પિટલો પર આ અસર વધુ પડવાની શક્યતા છે.

મધ્યપૂર્વમાં યુદ્ધ અને તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઘણી બાબતો પર અસર થઈ રહી છે, જેમાં આરોગ્ય ક્ષેત્ર પણ અપ્રત્યક્ષ રીતે પ્રભાવિત થઈ શકે છે. હાલમાં ગુજરાત અને ભારતમાં મેડિકલ સપ્લાય સામાન્ય રીતે જાળવવામાં આવી રહી છે અને તરત અસર દેખાતી નથી.

ટેકનિશિયન અને સ્પેશ્યાલિસ્ટ્સના પ્રવાસ પર અવરોધ

નિષ્ણાતોનું કહેવું છે કે જો યુદ્ધ લાંબુ ચાલ્યું, તો મિડલ ઈસ્ટના દેશો જેમ કે ઈરાક, ઈરાન, દુબઈ જેવા વિસ્તારોમાંથી ભારતમાં આવતા દર્દીઓની સંખ્યા ઘટાડાશે. તે જ સમયે ફ્રાંસ, ઈઝરાયેલ અને અન્ય દેશોમાંથી આવતા ટેકનિશિયન અને સ્પેશ્યાલિસ્ટ્સના પ્રવાસ પર પણ અવરોધ ઊભા થઈ શકે છે.

વિશેષત્વે કેન્સરની ટાર્ગેટેડ થેરાપી માટે જરૂરી રો મટીરીયલ અને ઇઝરાઇલથી આયાત થતી અદ્યતન મેડિકલ મશીનરી પર ભવિષ્યમાં અસર પડી શકે છે. હાલ માટે યથાવત પુરવઠો ઉપલબ્ધ છે- રાષ્ટ્રીય સ્તરે લગભગ 5 મહિનાનો સ્ટોક અને ગુજરાતમાં 3 મહિનાનો સ્ટોક રાખવામાં આવ્યો છે. પરંતુ લાંબા ગાળે સપ્લાયમાં વિક્ષેપ થવાની સંભાવના છે.

હાલમાં ભારતમાં દર્દીઓ માટે સામાન્ય સારવાર, દવાઓ અને મશીનરી ઉપલબ્ધ છે, પરંતુ જો યુદ્ધ લાંબું ચાલે તો વિદેશી ટેકનિશિયનના આગમન અને મશીનરીના સર્વિસ માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ટાર્ગેટેડ થેરાપી સહિત અદ્યતન સારવારના રો મટીરીયલ માટે વિકલ્પ શોધવામાં તજજ્ઞો કાર્યરત છે.

હેલ્થકેર નિષ્ણાતો કહે છે કે મધ્યપૂર્વની આ અશાંતિ લાંબા ગાળે ભારતીય આરોગ્ય ક્ષેત્ર માટે પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને તે હોસ્પિટલોમાં જ્યાં વિદેશી દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ છે. હાલમાં તાત્કાલિક ખતરો ઓછી માત્રામાં છે, પરંતુ તે દરમિયાન મેડિકલ સપ્લાય અને સેવાઓ પર નજર રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

આ રીતે, મધ્યપૂર્વ યુદ્ધનો સીધો પ્રભાવ હજુ પણ ભારતમાં દેખાતો નથી, પરંતુ લાંબા ગાળે દવાઓ, મશીનરી અને ટેકનિકલ સપોર્ટ પર પડવાની શક્યતા નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.

Fuel-Gas Crisis: LPGની કમી પછી હવે શું PNG સંકટ આવશે ? આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

Published on: Mar 12, 2026 11:57 AM
g clip-path="url(#clip0_868_265)">