ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ અને માવઠાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે જેને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો માટે મહત્વનો મહિનો ગણાય છે. આંબા અને ચીકુ પર "ફ્રુટ સેટિંગ" થવાનો મહત્વનો સમયગાળો હોય છે અને એ દરમિયાન વાતાવરણમાં બદલાવ આવતા ફળો બેસવાની કુદરતી સાયકલને સીધી અસર થાય છે જેના કારણે દાણા જેવડા નાના કેરી અને ચીકુ ના મોરવા હરણ થવાની શરૂઆત થતી હોય છે. મોટાપા એક હરણ થતાં પાકમાં ઘટાડો અને ફળો નાના થવાની સ્થિતિ સર્જાતી હોય છે. વાતાવરણમાં આવેલો અચાનક પલટો અને પણ 24 કલાક સુધી રહેતા મોટા પાયે નુકસાનની શક્યતાઓ જોવાઈ રહી છે. નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને પાક બચાવવા માટે ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે જેમાં આંબા પર કલટાર અને શાકભાજીમાં જંતુનાશક દવાઓ છાંટવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. પર્યાવરણમાં સર્જાયેલા અસંતુલનના કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ નિર્માણ થયું છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ અને ઠંડી વધતા બાગાયતી પાકો સાથે સંકળાયેલા ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે.જેમાં ખાસ કરીને આંબા, ચીકુ, શાકભાજીના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ છે.આંબા પર આવેલા મોર ખરી ગયા છે.અથવા તો કાળા પડી ગયા છે. બીજી તરફ ખેડૂતોને લાખોના નુકસાની ભીતિ છે.સાથે જ જો આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ યથાવત રહી તો કેરી સહિત શાકભાજીનો સંપૂર્ણ પાક નષ્ટ થવાના એંધાણ છે.ત્યારે કૃષિ વૈજ્ઞાનિક પણ ખેડૂતોને અપીલ કરી રહ્યા છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અપાયેલી ગાઈડલાઈન મુજબ પગલા લો