Breaking News : સારા દિવસોની શરૂઆત… સોનાના ભાવમાં લગભગ 12,000 રૂપિયાનો મોટો ઘટાડો, હવે ઘરેણાં ખરીદવા કે નહીં ? જાણો
તાજેતરના વૈશ્વિક સંઘર્ષો છતાં સોના-ચાંદીના ભાવ વધવાને બદલે નોંધપાત્ર રીતે ઘટ્યા છે, જે સામાન્ય જનતા માટે ખુશી લાવ્યા છે. ગલ્ફ દેશોના તણાવે ઊર્જા ક્ષેત્રે અનિશ્ચિતતા સર્જી છે.

તાજેતરમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષને કારણે એવી ધારણા કરવામાં આવી રહી હતી કે સોનાના ભાવમાં વધારો થશે. પરંતુ હકીકતમાં તેના વિપરીત સ્થિતિ જોવા મળી છે. સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે સામાન્ય લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ગલ્ફ દેશોમાં ચાલતી તણાવપૂર્ણ પરિસ્થિતિએ ભારતના વિવિધ ક્ષેત્રો પર મિશ્ર અસર પેદા કરી છે. એક તરફ ઊર્જા ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી છે, તો બીજી તરફ સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં થયેલો ઘટાડો સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યો છે.

જો ભાવના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા એક મહિનામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. 4 માર્ચ, 2026ના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાનો ભાવ લગભગ ₹1.62 લાખ પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે 4 એપ્રિલ, 2026ના રોજ આ ભાવ ઘટીને આશરે ₹1.50 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે. એટલે કે, એક મહિનામાં લગભગ ₹12,000નો ઘટાડો નોંધાયો છે.

ચાંદીના ભાવમાં પણ સમાન રીતે ઘટાડો જોવા મળ્યો છે. 4 માર્ચે ચાંદીનો ભાવ ₹2.70 લાખ પ્રતિ કિલોગ્રામ હતો, જે હવે ઘટીને લગભગ ₹2.35 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. એટલે કે, એક મહિનામાં ચાંદીના ભાવમાં આશરે ₹35,000નો ઘટાડો થયો છે.

હવે પ્રશ્ન એ છે કે શું આ સમય સોનામાં રોકાણ માટે યોગ્ય છે? નિષ્ણાતોના મત અનુસાર, હાલના ઘટાડાને ધ્યાનમાં રાખીને રોકાણ માટે આ સારો સમય હોઈ શકે છે. પરંતુ વૈશ્વિક પરિસ્થિતિઓ સતત બદલાતી હોવાથી બજાર હજુ પણ સંવેદનશીલ છે. તેથી કોઈપણ રોકાણ કરવાનો નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી અને નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.
BOB FDમાં 2,00,000 નું રોકાણ કરો તો કેટલું વ્યાજ મળે? જાણવા માટે અહીં ક્લિક કરો..
