AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL આઈપીએલ

IPL આઈપીએલ

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ લીગમાં ભાગ લે છે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ વખત, 5-5 વખત IPL ટુર્નામેન્ટ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ એક-એક વખત જીતી ચૂકી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સની ટીમ પણ એક વખત IPL જીતી ચૂકી છે.

IPLની દરેક સીઝન પહેલા ખેલાડીઓને ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ ટીમો ખેલાડીઓ માટે બોલી લગાવે છે. IPL દર વર્ષે એપ્રિલથી મેની આસપાસ યોજાય છે અને તેની મેચો ભારતના ઘણા શહેરોમાં યોજવામાં આવે છે.

IPLની સૌથી ખાસ વાત એ છે કે, આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. જોકે, પાકિસ્તાની ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેનું મહત્વનું કારણ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવી રહેલી આતંકવાદી ગતિવિધિઓ છે.

Read More

Breaking News: વૈભવ સૂર્યવંશી આ તારીખોને ક્યારેય ભૂલશે નહીં, આઠ મહિના 15 વર્ષના ખેલાડી માટે રહ્યા ખાસ

વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા માટે રમતા જોવા મળશે, કારણ કે તેને આ ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો છે. તેની કારકિર્દીમાં અત્યાર સુધીની કેટલીક તારીખો છે, તે આઠ મહિના, જે તે ક્યારેય ભૂલી શકશે નહીં. જાણો શા માટે?

જર્સી નંબર 18, RCB સાથે ખાસ કનેક્શન અને કરોડો ચાહકો… કોણ છે મહિલા ક્રિકેટની ‘વિરાટ કોહલી’?

ભારતીય ક્રિકેટમાં એક એવી મહિલા ખેલાડી છે, જેની તુલના વારંવાર વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. વિરાટની જેમ આ ખેલાડી પણ ભારતીય ક્રિકેટનો ફેસ છે. બંનેનું RCB અને જર્સી નંબર સાથે પણ ખાસ કનેક્શન છે. ચાલો જાણીએ કોણ છે મહિલા ક્રિકેટની 'વિરાટ કોહલી'.

Breaking News: IPL 2026 માં 31 છગ્ગા, 174 ના સ્ટ્રાઈક રેટથી 593 રન, છતાં ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો

કર્ણાટકની મહારાજા T20 ટ્રોફી માટે યોજાયેલી હરાજીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીનું નામ ચર્ચામાં રહ્યું કારણ કે તે અનસોલ્ડ રહ્યો. IPL 2026માં 593 રન અને શાનદાર સ્ટ્રાઈક રેટ હોવા છતાં કોઈ ટીમે તેને ખરીદવામાં રસ દાખવ્યો નહીં. મોટો સવાલ એ છે કે સ્ટાર ખેલાડી માટે કોઈએ બોલી કેમ ન લગાવી? ચાલો જાણીએ.

Vaibhav Suryavanshi: ઉંમર- 15 વર્ષ, નેટવર્થ- 7 કરોડ…. જાણો વૈભવ સૂર્યવંશીને કેટલો ચુકવવો પડશે ટેક્સ?

ધુંઆધાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષની ઉમરે અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. તેની નેટવર્થ 7 કરોડ જેટલી છે. ત્યારે સવાલ એ છે કે શું સગીર હોવાના કારણે તેને ઈનકમટેક્સમાંથી છૂટ મળશે. જો ના તો કેટલો ચુકવવો પડશે ટેક્સ

IPL 2026 ટ્રોફી લઈને આવેલી આ ક્યૂટ છોકરી કોણ છે ? ગુજરાત કનેક્શન આવ્યું સામે, જુઓ Photos

IPL 2026 ફાઇનલમાં ટ્રોફી લઈને આવેલી સાઈ મહાકાલકર કોણ છે? પારુલ યુનિવર્સિટીની ફેશન ડિઝાઇનિંગની વિદ્યાર્થીની સાઈ તેના આત્મવિશ્વાસભર્યા અંદાજથી રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ.

Breaking News: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની માર્કેટમાં ધૂમ, એક જાહેરાત માટે મળશે ₹1 કરોડથી વધુ!

IPL 2026 માં શાનદાર પ્રદર્શન કર્યા પછી, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જાહેરાતની દુનિયામાં એક નવો સ્ટાર બની ગયો છે. ઘણી મોટી કંપનીઓ તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઈન કરવા માટે સ્પર્ધા કરી રહી છે. અહેવાલો અનુસાર, તેના એક એન્ડોર્સમેન્ટ ડીલની કિંમત ₹1 કરોડથી વધુ હોઈ શકે છે.

Breaking News: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની IPL પર હતી નજર, ખરીદવા માંગતો હતો ટીમ, લલિત મોદીનો ચોંકાવનારો દાવો, જુઓ VIDEO

IPLના સ્થાપક લલિત મોદીના તાજેતરના ખુલાસાએ ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે. લલિત મોદીના દાવા મુજબ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે IPLમાં પોતાની ટીમ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. IPLના શરૂઆતના દિવસોમાં લીગની વધતી લોકપ્રિયતાને કારણે અનેક મોટા નામો તેમાં રોકાણ કરવા આતુર હતા. જોકે, દાઉદ સંબંધિત આ દાવાને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ અથવા દસ્તાવેજી પુરાવો સામે આવ્યો નથી.

Breaking News : આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ IPLમાં ખરીદવા માગતો હતો પોતાની ટીમ, ભાગેડુ લલીત મોદીનો મોટો ખુલાસો

ભાગેડુ લલિત મોદી દર અઠવાડિયે ₹12 કરોડ ખર્ચ કરે છે, આટલા રૂપિયા આવે છે ક્યાંથી ?

Breaking News: RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યાના માત્ર 72 કલાકમાં જ કેપ્ટન રજત પાટીદારને મળી મોટી હાર

મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ 3 જૂનના રોજ શરૂ થઈ હતી. RCB ને સતત બીજીવાર ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર તેના રાજ્યની T20 લીગની પહેલી મેચ રમી હતી. જોકે, તેનું અને તેની ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું અને ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. RCB ને ચેમ્પિયન બનાવ્યાના 72 કલાક બાદ જ પાટીદારને હાર મળી હતી.

Breaking News: “એક બિહારી, સબ પે ભારી…” વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીને આપ્યો ગુરુ મંત્ર, વીડિયો વાયરલ

RCB એ IPL 2026 જીત્યા પછી વિરાટ કોહલી મેદાન પર વૈભવ સૂર્યવંશીને મળ્યો હતો. તેણે સૂર્યવંશી સાથે વાતચીત કરી હતી અને તેને ગુરુ મંત્ર આપ્યો હતો. બંનેની વાતચીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

Breaking News: IPL 2026 બાદ IIM માં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, IIM ઈન્દોર તેની સફળતા પર કરશે રિસર્ચ

વૈભવ સૂર્યવંશીની IIM ઈન્દોરમાં એન્ટ્રી થઈ ગઈ છે. IIM ઈન્દોરે વૈભવ સૂર્યવંશી પર સંશોધન કરવાનું નક્કી કર્યું છે, જેમાં તેની સફળતા અને તેમાં વૈભવના પરિવાર, ટ્રેનર્સ અને સમાજની ભૂમિકાનો અભ્યાસ કરવામાં આવશે.

Breaking News: IPL 2026 બાદ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો, પ્રતિ ડીલ વસૂલે છે કરોડો રૂપિયા

IPL 2026માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવનાર રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની લોકપ્રિયતા હવે મેદાનની બહાર પણ ઝડપથી વધી રહી છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટ ઉપરાંત જાહેરાત ક્ષેત્રમાં પણ મોટી ઓળખ બનાવી છે, જેના કારણે તેની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફીમાં જબરદસ્ત વધારો થયો છે.

Breaking News: ઈશાન કિશન સનરાઈઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનશે ? પેટ કમિન્સે લીધો મોટો નિર્ણય

સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2026 ના એલિમિનેટરમાં હારી ગયું અને ફરી ટ્રોફી ના જીતી શક્યું. હવે ટીમ આગામી સિઝન માટે તેનો કેપ્ટન બદલવાની તૈયારીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી સિઝનમાં પેટ કમિન્સની જગ્યાએ ઈશાન કિશન કેપ્ટન બનશે.

Breaking News : 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ IPLમાંથી કરોડોની કમાણી કરી, તો તેના પર ટેક્સ લાગશે?

આઈપીએલમાં ધુમ મચાવનાર 15 વર્ષનો વૈભવ સૂર્યવંશીની પાસે આજે 7 કરોડની નેટવર્થ છે. ત્યારે હવે લોકોના મનમાં એક સવાલ થાય છે કે, શું આ નાબાલિક પર ટેક્સ લાગશે. તેને લઈ નિયમો શું છે. ચાલો જાણીએ.

Breaking News : શુભમન ગિલે IPL ફાઇનલના બે દિવસ પછી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, જાણો શું કહ્યું

આઈપીએલ 2026ની ફાઈનલમાં હાર બાદ શુભમન ગિલનું દર્દ છલકાયું છે. તો ચાલો જાણીએ ગુજરાત ટાઈટન્સની હાર પર કેપ્ટને શું કહ્યું આખી સીઝનમાં તેનું પ્રદર્શન કેવું રહ્યું.

g clip-path="url(#clip0_868_265)">