![આઈપીએલ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/12/IPL-1-3.jpg)
આઈપીએલ
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. જેણે માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટની દશા અને દિશા બદલી નાખી.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ લીગમાં ભાગ લે છે.
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી વધુ વખત, 5-5 વખત IPL ટુર્નામેન્ટ જીતી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચુકી છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ એક-એક વખત જીતી ચૂકી છે. આ પહેલા ડેક્કન ચાર્જર્સની ટીમ પણ એક વખત IPL જીતી ચૂકી છે.
IPLની દરેક સીઝન પહેલા ખેલાડીઓને ખરીદવા માટે એક હરાજીનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિવિધ ટીમો ખેલાડીઓ માટે બોલી લગાવે છે. IPL દર વર્ષે એપ્રિલથી મેની આસપાસ યોજાય છે અને તેની મેચો ભારતના ઘણા શહેરોમાં યોજવામાં આવે છે.
IPLની સૌથી ખાસ વાત એ છે કે, આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. જોકે, પાકિસ્તાની ખેલાડીઓને તેમાં ભાગ લેવાની મંજૂરી નથી. તેનું મહત્વનું કારણ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવી રહેલી આતંકવાદી ગતિવિધિઓ છે.
IPL મેગા ઓક્શનને લઈ મોટા સમાચાર, 31 જુલાઈએ તમામ 10 ટીમોની BCCI સાથે થશે બેઠક
ભારત-શ્રીલંકા T20 સિરીઝની વચ્ચે ચાહકો IPLની મેગા ઓક્શન પર પણ નજર રાખી રહ્યા છે, જેના નિયમો ટૂંક સમયમાં બનવા જઈ રહ્યા છે. 31મી જુલાઈએ BCCI અને ફ્રેન્ચાઈઝી માલિકોની એક બેઠક યોજાશે, જેમાં નક્કી કરવામાં આવશે કે તમામ 10 ટીમો કેટલા ખેલાડીઓને રિટેન કરી શકશે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 4:16 pm
IND vs SL : ટીમ ઈન્ડિયામાં ‘સુનીલ નારાયણ’ની એન્ટ્રી! ગૌતમ ગંભીરે લીધો મોટો નિર્ણય
શ્રીલંકા સામેની T20 શ્રેણી ગૌતમ ગંભીર માટે મુખ્ય કોચ તરીકેની પ્રથમ શ્રેણી હશે અને તેની શરૂઆત પહેલા જ તેણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. પલ્લેકેલેથી આવી રહેલા અહેવાલો અનુસાર ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો સુનીલ નારાયણ મળી ગયો છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 4:09 pm
IND vs SL : મેચના 48 કલાક પહેલા મોટો ફટકો, સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી થયો બહાર
ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. T20 સિરીઝ શરૂ થવામાં માત્ર 48 કલાક બાકી છે અને બે ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે ટીમથી જ નહીં પરંતુ આ આખી સિરીઝથી જ બહાર થઈ ગયા છે. સિરીઝ શરૂ થવા પહેલા જ બે ખેલાડીઓ બહાર થઈ જતા મોટો ફટકો પડ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 25, 2024
- 3:50 pm
જો આમ થશે તો 5 વર્ષ સુધી કોઈ ખેલાડી ટીમ બદલી શકશે નહીં, IPL ફ્રેન્ચાઈઝીએ આશ્ચર્યજનક માંગ કરી
IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, પરંતુ તે પહેલા IPL અધિકારીઓએ ફ્રેન્ચાઈઝી માલિકો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવાના છે. આ માટે બે વખત બેઠકો યોજાઈ છે. હવે આગામી મીટિંગ પહેલા ફ્રેન્ચાઇઝીએ કેટલાક સૂચનો મોકલ્યા છે, જેની ચર્ચા કરવામાં આવશે.
- Smit Chauhan
- Updated on: Jul 24, 2024
- 10:05 pm
IND vs SL : શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યાની નવી રણનીતિ, સંજુ સેમસનના નજીકના વ્યક્તિનો કર્યો ટીમમાં સમાવેશ
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણી જીતવા માટે શ્રીલંકાની ટીમે શાનદાર રણનીતિ અપનાવી છે. શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાએ પોતાની ટીમમાં સંજુ સેમસનના પડછાયા સમાન એક વ્યક્તિનો ટીમ મેનેજમેન્ટમાં સમાવેશ કર્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 24, 2024
- 5:35 pm
આ ઓલરાઉન્ડરે કરી સગાઈ, ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન માટે કર્યું પ્રપોઝ, જુઓ ફોટો
છેલ્લા કેટલાક દિવસમાં અનેક ભારતીય ક્રિકેરોએ સગાઈ કરી છે. જેમાં વધુ એક નામ જોડાયું છે. આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી આઈપીએલ રમી રહ્યો છે. તો કોણ છે આ ખેલાડી અને તેની સગાઈના ફોટો જુઓ.
- Nirupa Duva
- Updated on: Jul 24, 2024
- 10:22 am
ગૌતમ ગંભીર બાદ હવે યુવરાજ સિંહ બનશે કોચ, ગુજરાત ટાઈટન્સ મેનેજમેન્ટે કર્યો યુવીનો સંપર્ક
ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળી લીધું છે, હવે તેનો સાથી ખેલાડી યુવરાજ સિંહ પણ આ ભૂમિકામાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ ગુજરાત ટાઈટન્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 23, 2024
- 8:14 pm
IPL 2024 : રાહુલ દ્રવિડ IPLમાં કરી શકે છે એન્ટ્રી, આ ટીમના બની શકે છે હેડ કોચ
ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ અને મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ તરીકે પોતાની તમામ જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવવાના સમાચાર ચર્ચામાં છે. તો જાણો કઈ ટીમમાં જોડાય શકે છે રાહુલ દ્રવિડ.
- Nirupa Duva
- Updated on: Jul 23, 2024
- 4:16 pm
વિરાટ કોહલી-હાર્દિક પંડ્યાનો પગાર વધશે ! IPL 2025માં BCCIના એક નિર્ણયથી થશે વધુ કમાણી
IPLની આગામી સિઝન પહેલા એક મેગા ઓક્શન યોજાવાની છે, જેમાં અત્યાર સુધીના નિયમો મુજબ દરેક ફ્રેન્ચાઈઝીને માત્ર 4 ખેલાડીઓને જ રિટેન કરવાની મંજૂરી આપવામાં આવશે, પરંતુ આ વખતે ટીમો તેને વધારવાની માંગ કરી રહી છે અને BCCIના ફ્રેન્ચાઈઝી માલિકો. સાથે આ મહત્વની બેઠક યોજાવાની છે.
- Sagar Solanki
- Updated on: Jul 20, 2024
- 11:10 pm
IPL 2025: રોહિત શર્મા બનશે LSGનો કેપ્ટન, સૂર્યકુમાર-પંત પણ બદલશે ટીમ? ઓક્શન પહેલા ચર્ચા શરૂ
IPL 2025ની સિઝન પહેલા મેગા ઓક્શન યોજાવાની છે અને હંમેશની જેમ તમામ ટીમોમાં ઘણા પરિવર્તનો થશે, પરંતુ પાછલી સિઝનની જેમ આ વખતે ટીમોમાં માત્ર ખેલાડીઓ જ નહીં પણ કેપ્ટન પણ બદલાય તેવી શક્યતા છે. એક સાથે અનેક ટીમોના ખેલાડીઓ અને કેપ્ટનશીપમાં મોટા ફેરફાર થઈ શકે છે, જેમાં સૌથી વધુ ચર્ચા રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતને લઈ થઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Jul 20, 2024
- 6:27 pm
વેચાવા જઈ રહી છે આ IPL ટીમ, કિંમત છે 12550 કરોડ રૂપિયા, જાણો કોણ હશે માલિક?
2020 સુધી, 8 ટીમો IPLમાં રમતી હતી, પરંતુ 2021 માં, BCCIએ ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ તરીકે બે ફ્રેન્ચાઈઝીઓને એન્ટ્રી આપી. ત્યારથી, આ લીગમાં કુલ દસ ટીમો ભાગ લે છે. હવે આ બેમાંથી એક ટીમ વેચાવા જઈ રહી છે.
- Smit Chauhan
- Updated on: Jul 19, 2024
- 7:05 pm
ગૌતમ અદાણી અને ટોરેન્ટની નજર IPL ટીમ ગુજરાત ટાઇટન્સ પર છે, હિસ્સેદારી વેચવા માગે છે CVC
Adani IPL Gujarat Titans:CVC IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સમાં મોટો હિસ્સો વેચવા તૈયાર છે. અદાણી અને ટોરેન્ટ ગ્રૂપ તેને ખરીદવા માટે ખાનગી ઈક્વિટી ફર્મ CVC કેપિટલ પાર્ટનર્સ સાથે વાતચીત કરી રહ્યા છે.
- Dhinal Chavda
- Updated on: Jul 19, 2024
- 1:31 pm
IPL 2024માં સંજીવ ગોએન્કા અને કેએલ રાહુલ વચ્ચે થયેલા વિવાદનો 2 મહિના બાદ સ્પિનરે કર્યો પર્દાફાશ
કે.એલ રાહુલને લખનઉ સુપર જાયન્ટસની કેપ્ટનથી દુર કરવાના સમાચાર સામે આવ્યા છે. ટીમના ખેલાડી અમિત મિશ્રાએ આ વિશે ખુલાસો કર્યો છે. કે.એલ રાહુલ-સંજીવ ગોએન્કા વચ્ચે વિવાદની વાત સામે આવી છે.
- Nirupa Duva
- Updated on: Jul 17, 2024
- 1:00 pm
ગંભીર અને કોહલી વચ્ચેના વિવાદનો આ અનુભવી ખેલાડીએ મોટો ખુલાસો કર્યો
કોહલી અને લખનઉના બોલર નવીન-ઉલ હક વચ્ચે ઓન ફીલ્ડ લડાઈ થઈ હતી. જેમાં ગૌતમ ગંભીર સામેલ હતો. આ આઈપીએલ 2023માં ખુબ મોટ વિવાદ રહ્યો હતો. આ ઘટના આરસીબી અને લખનઉ સુપર જાયન્ટસની આઈપીએલ મેચ દરમિયાન થઈ હતી.
- Nirupa Duva
- Updated on: Jul 16, 2024
- 2:40 pm
IPL: પહેલા રિકી પોન્ટિંગની થઈ છુટ્ટી, હવે રિષભ પંત પણ છોડશે દિલ્હી કેપિટલ્સનો સાથ?
ગમખ્વાર કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવા છતા દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને કેપ્ટન તરીકે જાળવી રાખ્યો. જોકે, પંતની કપ્તાનીમાં દિલ્હી કંઈ ખાસ કરી શકી નથી અને માત્ર એક જ વાર પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી હતી. આ બધા વચ્ચે ફ્રેન્ચાઈઝીએ મોટો નિર્ણય લેતા કોચ રિકી પોન્ટિંગને બહાર કરી દીધો હતો, એ બાદ હવે એવી અફવા છે કે રિષભ પંત પણ દિલ્હીની ટીમને અલવિદા કહી દેશે.
- Smit Chauhan
- Updated on: Jul 15, 2024
- 8:26 pm