AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતુ પકડાયુ તો થશે જેલ, વન વિભાગે કરી જાહેરાત

વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ 2 હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજો, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

Breaking News : અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતુ પકડાયુ તો થશે જેલ, વન વિભાગે કરી જાહેરાત
Sachin Kolte
| Edited By: | Updated on: Apr 04, 2026 | 12:49 PM
Share

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વાનરોનો આતંક અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેના પગલે હવે અમદાવાદ માટે વન વિભાગે મોટો નિર્ણય લીધો છે. વન વિભાગે જાહેરાત કરી છે કે જો અમદાવાદમાં વાનરોને કોઇ કઇ પણ ખાવાનું આપતુ દેખાશે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે.

અમદાવાદમાં વાનરને ખાવાનું આપવું હવે ગંભીર ગુનો ગણાશે. વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ 2 હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજો, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

વન્યજીવ અધિનિયમ 2 મુજબ ગુનો

વાનરને ખાવાનું આપવું વન્યજીવ અધિનિયમ 2 (Wildlife Protection Act, 1972 – Schedule II) મુજબ ગુનો ગણાય છે. આ કાયદા મુજબ વાનર, અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર લોકોને કાનૂની પગલાં ભરવામાં આવશે.

દંડ અને જેલની સજા

વન વિભાગના નિયમો અનુસાર, વાનરને ખાવાનું આપનારને ત્રણ વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થશે. આ સજા કાયદાની ગંભીરતા દર્શાવે છે અને વાનરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે.

વાનરના હુમલાઓને પગલે પહેલ

આ જાહેરનામું વાનરના વધતા હુમલાઓ અને સડક પર મસ્ત ખાવાના દૃશ્યોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા સમય દરમિયાન વાનરો દ્વારા લોકો પર હુમલાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. વન વિભાગે સ્થાનિક લોકોને વિનંતી કરી છે કે વાનરને ખાવાનું આપવું બંધ કરે અને જરૂર પડે તો અધિકારીઓને જાણ કરે.

વન વિભાગની સૂચના

વન વિભાગે જણાવ્યું છે કે વાનરો સાથે અનાવશ્યક સંપરક ટાળવો જોઈએ. લોકો વાનરોને ખાવાનું આપતા રહ્યા તો આ કાયદા મુજબ કડક કાર્યવાહી થશે. વન્યજીવોની સુરક્ષા અને શહેરમાં સલામતી જાળવવા માટે આ પગલાં જરૂરી છે.

Breaking News: સુરતના કાપડ બજારને ‘યુદ્ધ’નો માર! ઉત્પાદન કાપ અને વધતી મોંઘવારી, હજારો વેપારીઓ સંકટમાં

Follow Us
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દૈનિક રાશિફળ: જાણોકયા જાતકનો દિવશ રહેશે ભક્તિમય અને પારિવારિક ખુશીથી..
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
g clip-path="url(#clip0_868_265)">