AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતુ પકડાયુ તો થશે જેલ, વન વિભાગે કરી જાહેરાત

વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ 2 હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજો, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

Breaking News : અમદાવાદમાં વાનરોને કોઈ ખાવા આપતુ પકડાયુ તો થશે જેલ, વન વિભાગે કરી જાહેરાત
Sachin Kolte
| Edited By: | Updated on: Apr 04, 2026 | 12:49 PM
Share

છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં વાનરોનો આતંક અને હુમલાની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. જેના પગલે હવે અમદાવાદ માટે વન વિભાગે મોટો નિર્ણય લીધો છે. વન વિભાગે જાહેરાત કરી છે કે જો અમદાવાદમાં વાનરોને કોઇ કઇ પણ ખાવાનું આપતુ દેખાશે તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે.

અમદાવાદમાં વાનરને ખાવાનું આપવું હવે ગંભીર ગુનો ગણાશે. વન વિભાગે ખાસ જાહેરાત કરી છે કે વાનર વન્યજીવ અધિનિયમ 2 હેઠળ આવતું પ્રાણી છે, અને તેને ખાવાનું આપવું કાયદા પ્રમાણે દંડનીય પ્રવૃત્તિ છે.તેથી જો તમે અમદાવાદમાં રહેતા હોવ અને વાનર પ્રત્યે જીવદયા રાખીને ભુલથી પણ ખાવાનું આપવાનું વિચારતા હોવ તો ચેતી જજો, નહીંતર તમારે ત્રણ ત્રણ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે.

વન્યજીવ અધિનિયમ 2 મુજબ ગુનો

વાનરને ખાવાનું આપવું વન્યજીવ અધિનિયમ 2 (Wildlife Protection Act, 1972 – Schedule II) મુજબ ગુનો ગણાય છે. આ કાયદા મુજબ વાનર, અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદાનું ઉલ્લંઘન કરવા પર લોકોને કાનૂની પગલાં ભરવામાં આવશે.

દંડ અને જેલની સજા

વન વિભાગના નિયમો અનુસાર, વાનરને ખાવાનું આપનારને ત્રણ વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થશે. આ સજા કાયદાની ગંભીરતા દર્શાવે છે અને વાનરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જનજાગૃતિ લાવવાનો ઉદ્દેશ છે.

વાનરના હુમલાઓને પગલે પહેલ

આ જાહેરનામું વાનરના વધતા હુમલાઓ અને સડક પર મસ્ત ખાવાના દૃશ્યોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા સમય દરમિયાન વાનરો દ્વારા લોકો પર હુમલાની કેટલીક ઘટનાઓ નોંધાઈ છે. વન વિભાગે સ્થાનિક લોકોને વિનંતી કરી છે કે વાનરને ખાવાનું આપવું બંધ કરે અને જરૂર પડે તો અધિકારીઓને જાણ કરે.

વન વિભાગની સૂચના

વન વિભાગે જણાવ્યું છે કે વાનરો સાથે અનાવશ્યક સંપરક ટાળવો જોઈએ. લોકો વાનરોને ખાવાનું આપતા રહ્યા તો આ કાયદા મુજબ કડક કાર્યવાહી થશે. વન્યજીવોની સુરક્ષા અને શહેરમાં સલામતી જાળવવા માટે આ પગલાં જરૂરી છે.

Breaking News: સુરતના કાપડ બજારને ‘યુદ્ધ’નો માર! ઉત્પાદન કાપ અને વધતી મોંઘવારી, હજારો વેપારીઓ સંકટમાં

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">