
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, બંને પક્ષોએ "બેક ચેનલો" દ્વારા ડ્રાફ્ટ્સ શેર કર્યા હતા. અને તે ચાર-પોઇન્ટ ટેમ્પ્લેટ સાથે સુસંગત છે, મનમોહન સિંઘે પણ કેબલમાં ઉલ્લેખ કર્યો છે કે, બંને પક્ષો બેક ચેનલો દ્વારા ઉકેલ સુધી પહોંચી ગયા છે. જોકે, બાદમાં પાકિસ્તાન સરકારે આ ફોર્મ્યુલાને એમ કહીને ફગાવી દીધી હતી કે, આ મુશર્રફની અંગત વિચારસરણી છે. જેને પાકિસ્તાની સંસદ કે કેબિનેટનું કોઈ સમર્થન નહોતું.

કેબલમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પક્ષે કહ્યું છે કે મુંબઈ હુમલામાં 150 થી વધુ નાગરિકો માર્યા ગયા હતા. ડૉ. મનમોહન સિંહે વાતચીતમાં કહ્યું હતું કે ફરી વાતચીત ત્યારે જ શક્ય છે જ્યારે પાકિસ્તાન એક સંસ્કારી દેશ તરીકે વર્તે અને હુમલામાં સામેલ આરોપીઓને સજા આપે. જુલાઈ 2008માં કાબુલમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલાને યાદ કરતાં ડૉ.મનમોહન સિંહે કહ્યું કે આ હુમલો પાકિસ્તાનની ISIની મદદથી કરવામાં આવ્યો હતો. અને તેમણે રાષ્ટ્રપતિ ઝરદારી અને વડાપ્રધાન ગિલાની સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, 4-પોઇન્ટ ફોર્મ્યુલા બનાવવામાં આવી હતી જે હેઠળ એલઓસીને અપ્રસ્તુત બનાવવામાં આવી હતી. વિવાદિત વિસ્તાર પર સંયુક્ત નિયંત્રણ, કાશ્મીર અને પીઓકેના લોકો વચ્ચે મુક્ત હિલચાલ અને ધીમે ધીમે સૈનિકોને પાછા હટાવવામાં આવે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસુરીએ પણ પોતાના પુસ્તકમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે બંને દેશ ડીલ કરવાના છે.
Published On - 2:18 pm, Fri, 27 December 24