AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો

એક અમેરિકી મીડિયામાં કરાયેલા દાવા અનુસાર ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે. એક જિયોપોલિટિકલ પ્રેડિક્શન અનુસાર આવનારા દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મોટુ યુદ્ધ થવાનું છે તેનો સ્કેલ બહુ મોટો હશે. ઓપરેશન સિંદૂર કરતા પણ મોટો હશે અને આ વખતે યુએસએ પણ આ યુદ્ધમાં કોઈપણ ઈન્ટરવેન્શન નહીં કરી શકે. અમેરિકી મેગેઝિને આ યુદ્ધમાં મોટા પરમાણુ હુમલાને લઈને પણ ચેતવ્યા છે.

ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતા પણ મોટુ યુદ્ધ થઈ શકે છે- અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો- વાંચો
| Updated on: May 08, 2026 | 7:21 PM
Share

અમેરિકાના ફોરેન એફર્સ મેગેઝિનમાં છપાયેલા એક આર્ટિકલ મુજબ યુએસ ફોરેન પોલીસી થિંકર્સ એવુ જણાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેકવાર એવો દાવો કર્યો કે તેમણે મે 2025માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યુ હતુ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે આ યુદ્ધ અટકાવીને લાખો લોકોના જીવ જતા બચાવ્યા હતા. જો આ બંને દેશો વચ્ચે યુદ્ધ લાંબુ ખેંચાતુ લાખો લોકોના મોત થઈ ગયા હોત. ટ્રમ્પના હિસાબે ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનુ હતુ જે તેમણે મધ્યસ્થી કરીને રોકાવ્યુ હતુ. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે ભારત પાકિસ્તાનનુ યુદ્ધ અટકાવ્યુ એ તેમની સૌથી મોટી ઉપલબ્ધિ હતી.

જો કે ભારતે ટ્રમ્પના આ દાવાને સંપૂર્ણપણે ફગાવ્યો હતો અને ખુદ વડાપ્રધાન મોદીએ અનેકવાર તેમના દેશજોગ સંબોધનમાં જણાવ્યુ હતુ કે અમેરિકાના કહેવાથી ભારતે યુદ્ધ નથી રોક્યુ. ખુદ પાકિસ્તાની DGMO દ્વારા ભારતને યુદ્ધ રોકવા માટે વિનંતિ કરવામાં આવી હતી, જે બાદ યુદ્ધ રોકવામાં આવ્યુ છે.

ફોરેન અફેર્સ મેગેઝિનમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની કરાઈ આગાહી

હાલ અમેરિકી ફોરેન અફેર્સ મેગેઝિનમાં છપાયેલા રિપોર્ટમાં એ ખાસ મેન્શન કરવામાં આવ્યુ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને કારણે ભારતીય ગવર્નેમેન્ટને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો. જો કે ભારત સરકારનું હંમેશા થી એક સ્ટેન્ડ રહ્યુ છે કે ભારત પાકિસ્તાન વચ્ચે જે કંઈપણ ડિસ્પ્યુટ છે તે દ્વીપક્ષીય છે, તેમા કોઈપણ પ્રકારની થર્ડ પાર્ટી ઈન્ટરવેન્શનને સ્વીકારવામાં નહીં આવે.

પરંતુ ટ્રમ્પે જે પ્રકારે ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે જે પ્રકારના બેજવાબદાર નિવેદનો કર્યા તેને તેના દેશના લોકો પણ ગંભીરતાથી નથી લઈ રહ્યા. ખુદ અમેરિકાના જિયોપોલિટિકલ એનાલિસ્ટ્સનું પણ કહેવુ છે કે ટ્રમ્પના મીડિયેશનના નિવેદનો એ સ્થિતિ વધુ તણાવભરી બનાવી દીધી છે. ભારતે સ્પષ્ટ કહ્યુ હતુ કે કોઈ અમેરિકી મધ્યસ્થી થઈ નથી. યુદ્ધ રોકવાનો નિર્ણય માત્ર ને માત્ર ભારતનો ખુદનો હતો. કોઈના પણ દબાણ કે મીડિયેશન હેઠળ ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર નથી થયુ.

જો યુદ્ધ થશે તો ટ્રમ્પ પણ નહીં કરાવી શકે સીઝફાયર- ફોરેન અફેર્સ મેગેઝીનનો દાવો

જો કે અહીં સવાલ એ છે કે જો ભવિષ્યમાં ઓપરેશન સિંદૂરનો પાર્ટ ટુ લોંચ થાય છે તો ભારત આક્રમક્તાથી પાકિસ્તાનની મિલીટ્રીને તહસ નહસ કરી રહ્યો હોય એ સમયે જો ટ્રમ્પે કોલ કરી લીધો કે આ યુદ્ધ રોકો અથવા કોઈ મધ્યસ્થીની ઓફર આપી તો ભારત તરફથી તેમને શું જવાબ મળે તે કોઈપણ વ્યક્તિ અનુમાન લગાવી શકે છે. આ વાત ખુદ અમરિકાના જિયો પોલિટિકલ થિંકટેંક કહી રહી છે કે ટ્રમ્પે ખુદ ક્રેડિટ લેવાના ચક્કરમાં તેની ક્રેડિટીબિલીટી ને જ નુકસાન પહોંચાડ્યુ છે.

ન્યૂક્લિયર એટેકને લઈને ચેતવવામાં આવ્યા

અમેરિકી થિંક ટેંક એવુ કહી રહ્યા છે કે અમેરિકાએ અન્ય વેસ્ટર્ન એલાયન્સ સાથે મળીને એક મિકેનીઝમ બનાવીને રાખવુ પડશે. જેનાથી જો ભવિષ્યમાં ઈન્ડિયા પાકિસ્તાનનું વોર થાય છે તો તે આ એલાયન્સ મળીને રોકાવી શકે. ભારત-પાકિસ્તાન બંને દેશ પાસે ન્યુક્લિયર વેપન્સ તો છે અને જો એ યુઝ થઈ ગયા તો સમગ્ર પ્લેનેટ પર તેની અસર પડશે.

કાર્નેગીના રિપોર્ટમાંફ્યુચર ઈન્ડિયા પાકિસ્તાન યુદ્ધ વિશે દાવો

અમેરિકી મેગેઝિનમાં છપાયેલી ફ્યુચર ઈન્ડિયા પાકિસ્તાન વિશે આગાહી કરતો આ અહેવાલ કાર્નેગી ઈન્સ્ટીટ્યુટના અહેવાલમાં પણ તમે જોઈ શકશો. ભારત પાકિસ્તાન ક્રાઈસીસ અંગેની એવો જ એક આર્ટીકલ યુએસ થિંકટીંકમાં ડિસેમ્બર 2025માં છપાયો હતો જ્યાં તેમણે એવુ કહ્યુ હતુ કે આતંકી ગતિવિધિઓને કારણે ભવિષ્યમાં વધુ એક ઈન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થઈ શકે છે. હવે સમસ્યા એ છે કે પાકિસ્તાનના આતંકવાદીઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય રીતે કોઈ ખાસ એક્શન લેવામાં આવતી નથી. એક સમયે FATF ને કારણે અને દુનિયાભરના સેન્કશન્સ (પ્રતિબંધો) ને કારણે પાકિસ્તાનમાં રહેલા આંતકી સંગઠનોની ફાઈનાન્સીંગ, તેમની તાકાત તેને તોડવાનો પ્રયાસ થયો હતો.

હવે આજના સમયે જો તમે કોઈ અનનોન મેન થિયરી પર ચાલો. પાકિસ્તાનમાં આતંકવાદને રોકી રાખવામાં એક જ થિયરી કામ કરે છે અને એ છે અનનોન મેન થિયરી. જે તાજેતરમાં આવેલી ‘ધુરંધર’ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે.

જો આ અનનોન મેન ને હટાવી દેવામાં આવે તો પાકિસ્તાનના આતંકીઓને છુટો દોર મળી જાય અને ફરી ભારત પર એક બાદ એક આતંકી હુમલા કરવાનું શરૂ કરી દેશે. આ વાત અમેરિકી થિંકટેન્કે પણ તેમના આર્ટીકલમાં લખી છે કે ભારતના વડાપ્રધાને ખુદ એવુ જાહેર કરી ચુક્યા છે હવે અમે ‘ન્યુ નોર્મલ’ માં આવી ગયા છીએ. ‘ન્યુ નોર્મલ’ની સાદી સમજ એવી છે કે ભારતમાં કોઈ આતંકી હુમલો થયો, તેના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યુ તો પાકિસ્તાન પર બોમ્બમારો કરવામાં આવશે. પાકિસ્તાનના સિવિલયનને છોડીને આતંકી કેમ્પો પર એટેક કરવામાં આવે. પહેલો ટાર્ગેટ આતંકી કેમ્પો અને બીજો મિલીટ્રી ટાર્ગેટ્સને એટેક કરવામાં આવશે.

ચીન કેમ J-35AE પાકિસ્તાનને આપવાની તૈયારી કરી- એશિયા ટાઈમ્સ

એશિયા ટાઈમ્સના રિપોર્ટમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષની સતત ચર્ચા કરવામાં આવે છે. એશિયા ટાઈમ્સ, કાર્નેગી કે ફોરેન અફેર્સના આર્ટીકલ્સમાં પણ આ જ બાબતનો સતત ઉલ્લેખ કરાઈ રહ્યો છે ત્યારે એ સવાલ ચોક્કસથી થાય કે શું ભારત પાકિસ્તાન વચ્ચે ફરી કોઈ યુદ્ધ થવાનું છે?

આ તમામ મીડિયા મેગેજીનના આર્ટીકલમાં એ જ આગાહી કરવામાં આવી છે કે વર્ષ 2026માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. એક ચેનલે તાજેતરમાં જ વિશ્વ સમક્ષ જણાવ્યુ છે કે J-35 AE જે 5th જનરેશનનું એક્સપોર્ટ વેરિયન્ટ છે. શું ભારત પાસે કોઈ કોઈ 5th જનરેશન ફાઈટર છે. તેનો જવાબ છે ના. ના તો ભારત પાસે F-35 છે ના તો રશિયાનું SEU 57 છે. હવે મનાઈ એ રહ્યુ છે કે ચીને J-35 AE ને દુનિયા સમક્ષ જાહેર કર્યુ છે. જેને ખરીદનાર પાકિસ્તાન પહેલો દેશ હશે.

હવે ભારત સામે વિકલ્પ એ હશે કે ચૂપચાપ જોયા કરો કે ચીન કઈ રીતે પાકિસ્તાનની ઍરફોર્સને 5th જનરેશન ફાઈટર પકડાવે છે. તેને ચલાવવુ, એ મોટાભાગની એર ડિફેન્સ સિસ્ટમ માટે મુશ્કેલ હોય છે અથવા તો એ ટ્રાન્જેક્શન થતા પહેલા જ પાકિસ્તાન ઍરફોર્સ ખાસ કરીને તેની મિલીટ્રીને એક ભારે ડેમેજ પહોંચી શકે છે. તેનાથી એક મોટો સવાલ એ પણ છે કે ચીન જે J-35AE પાકિસ્તાનને આપશે તેનાથી ભારત સાથે ન્યુક્લિયર સંઘર્ષ વધી શકે છે.

દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? – વાંચો

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">