AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

CBSE અવાજ ઉઠાવનાર કોઈ એક-બે વિદ્યાર્થી નહોતા. 18 લાખમાંથી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પેપર ચેલેન્જ કર્યા અને 4 લાખથી વધુએ સ્કેન કોપીની માંગણી કરી, જે પાછલા વર્ષ કરતા 400% વધુ છે,આ આંકડો જ સાબિત કરે છે 23% વિદ્યાર્થીઓને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ સમગ્ર વિવાદની સૌથી વધુ ધ્યાન ખેંચનારી અને રસપ્રદ વાત એ રહી કે આ સમગ્ર મામલાની આગેવાની કોઈ સંગઠન, સ્ટુડન્ટ યુનિયન કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા નહીં પરંતુ એક વિદ્યાર્થીએ તેની સમસ્યા સોશિયલ મીડિયા પર શેર કરી. અન્ય એ તેના ટેન્ડર ડોક્યુમેન્ટની તપાસ કરી અને ત્રીજા વિદ્યાર્થીઓ ટેકનિકલ ખામીઓને ઉજાગર કરી. સમગ્ર દેશ સમક્ષ સત્ય લાવ્યુ. આ ત્રણેય વિદ્યાર્થીઓના પ્રયાસોએ સાબિત કર્યુ કે આજના ડિજિટલ યુગમાં સવાલ પૂછવાની અને જવાબ માગવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે.

ન્યાય માગતા વિદ્યાર્થીઓને 'એન્ટી નેશનલ' ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો
| Updated on: Jun 03, 2026 | 6:57 PM
Share

CBSE ધોરણ 12નું નું પરિણામ આવ્યા બાદ સમગ્ર દેશમાં માહોલ ગરમાયેલો છે અને આ વખતે ગરબડીઓ પરીક્ષાના પેપરને લઈને નહીં પરંતુ પેપર ચેકિંગમાં એટલે કે ‘ઓન સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં સામે આવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાએ 12 મા ના પરિણામ માં ઓછા માર્ક્સ અને મૂલ્યાંકનમાં થયેલી ટેકનિકલ ક્ષતિ અંગે ફરિયાદ કરી છે.

જો કે દરેક વસ્તુઓને રાજકીય ચશ્માથી જોવાના આદિ આપણા નેતાઓ અન પિઠ્ઠુઓએ વિદ્યાર્થીઓએ ઉઠાવેલા સવાલને પણ વિપક્ષી રાજનીતિનો ભાગ ગણાવ્યા. ઓછા માર્ક્સ મળતા વિદ્યાર્થીઓએ રીચેકિંગ માટે અરજી કરી હતી અને આ દરમિયાન જે થયુ તેનાથી વિદ્યાર્થીઓના પગતળેથી જમીન સરકી ગઈ. વિદ્યાર્થીઓને રિચેકિંગ કરાયેલી જે આન્સરશિટ મોકલવામાં આવી તેમાંથી અનેક વિદ્યાર્થીઓને એવી ઉત્તરવહીઓ મળી, જે તેમની હતી જ નહીં. અથવા તો અડધી તેની હતી પરંતુ પાછળની કોપી જે જોડવામાં આવે છે તે કોઈ અન્ય વિદ્યાર્થીઓની હતી. આ જ ઘટનાક્રમ વચ્ચે વેદાંત શ્રીવાસ્તવ નામના વિદ્યાર્થીઓને કિસ્સો સામે આવ્યો જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગયો. અન

CBSE નો વિવાદ ક્યાંથી શરૂ થયો ?

હાલ CBSE બોર્ડ મોટા વિવાદનું કેન્દ્ર બન્યુ છે. CBSE એ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું મૂલ્યાંકન સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શી રીતે કરવા માટે OSM (ઓન સ્ક્રીમ માર્કિંગ) સિસ્ટ લાગુ કરી હતી. જે અંતર્ગત શિક્ષકોએ કોમ્યુટર સ્ક્રીન પર ઉત્તરવહીઓ સ્કેન કરીને ચેક કરી કરવાની હતી. જ્યારે 2026 ના પરિણામ આવ્યા તો પાસિંગ ટકાવારી 88.39% થી ઘટીને 85.20% પર આવી ગઈ. જે વિદ્યાર્થીઓને વધુ સારા પરિણામની આશા હતી તેમને ઘણા ઓછા માર્ક્સ મળ્યા. જ્યારે વિદ્યાર્થીએ તેમની સ્કેન કોપી અંગે અરજી કરી તો તેમા થયેલી ગરબડીઓ ઉજાગર થઈ. તેમણે આરોપ લગાવ્યો કે પોર્ટલમાં તેમના માર્ક્સની ગણતરી ખોટી છે. કેટલીક જગ્યાએ સારા જવાબ અને માર્ક્સ ખોટા આપવામાં આવ્યા છે. આ બધામાં સૌથી વધુ ચૌંકાવનારી બાબત એ હતી કે કેટલાક વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ જ બદલાઈ ગઈ હતી. કેટલાક વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તેમના નામથી મોકલી દેવામાં આવી હતી.

ઈવેલ્યુએટરની બેદરકારી અને ટેકનિકલ બ્લન્ડર્સ

આ કૌભાંડમાં ઈવેલ્યુએટર્સની બેદરકારીએ પણ હદ વટાવી. શિક્ષકોને કોઈ ટ્રેનિંગ ન હોવાને કારણે ડિજિટલ મૂલ્યાંકનમાં ધાંધલી થઈ. જે વિદ્યાર્થીઓ હંમેશા 95% લાવતા હતા, તેમને સિંગલ ડિજિટમાં (જેમ કે 15માર્કસ) માર્કસ આપવામાં આવ્યા. સ્કેન કરેલી કોપીઓમાં આખેઆખા પાના ગાયબ હતા અથવા કોરા હતા. પોર્ટલ ક્રેશ થવું, રોલ નંબર બદલાઈ જવા અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર હતા તેમને ગેરહાજર બતાવવા જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી. CBSEએ એવો દાવો કર્યો હતો કે ટોટલ ની ભૂલો સુધારી લેવાશે પરંતુ અહીં તો મૂલ્યાંકન જ ખોટી રીતે થયુ હતુ.

વેદાંત શ્રીવાસ્તવ સાથે શું અન્યાય થયો?

આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ ટર્નિંગ પોઈન્ટ બન્યો ‘વેદાંત શ્રીવાસ્તવ’. વેદાંત CBSE નો ધોરણ 12 નો વિદ્યાર્થી છે, જેને ફિઝિક્સના પેપરમાં ધાર્યા કરતા બહુ ઓછા માર્ક્સ મળતા તેમણે રિચેકિંગ માટે 19 મે એ આવેદન કર્યુ. 4 દિવસ બાદ જ્યારે તેને ઈમેલ દ્વારા રિચેકિંગ માટેની જે કોપી મળી તે જોઈને થોડી સેકન્ડો માટે જાણે તેના પગતળેથી જમીન સરકી ગઈ હોય તેવુ લાગ્યુ. કારણ કે વેદાંતને જે કોપી મળી તેમાં રોલ નંબર તો તેનો હતો. પરંતુ ઉત્તરવહીનમાં તેના હેન્ડરાઈટીંગ ન હતો. ઉત્તરવહીનું માત્ર ફ્રન્ટ પેજ જ તેનુ હતુ, અંદર નું લખાણ વેદાંતનું હતુ જ નહીં પરંતુ અન્ય કોઈ વિદ્યાર્થીનું હતુ. વેદાંતે હિંમત બતાવી અને આ વિસંગતિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કોપીના પુરાવા સાથે એક પોસ્ટ કરી. આ પોસ્ટ જોતજોતામાં વાયરલ થઈ ગઈ. જો કે ન્યાય માગવા માટે વેદાંતે જે પોસ્ટ કરી તેને સોશિયલ મીડિયાની ટ્રોલર્સ બ્રિગેડે ઘેરી લીધી. કેટલાકે વેદાંતને ‘પાકિસ્તાની એજન્ટ’, ‘એન્ટી નેશનલ’અને અમેરિકી ડાબેરી એક્ટિવિસ્ટ પ્રોપેગેન્ડા ફેલાવનાર ‘સોરોસ એજન્ટ’ પણ ગણાવી દીધો.

જરા વિચારો એક 17 વર્ષનો વિદ્યાર્થી જ્યારે તેને પરિણામમાં થયેલા અન્યાય બાબતે સિસ્ટમ સામે અવાજ ઉઠાવે છે તો તેને દેશ વિરોધી ગણાવી દેવામાં આવે છે. તેને પાકિસ્તાની એજન્ટ ગણાવવામાં આવે છે. તેને ડીપ સ્ટેટ એજન્ટ ગણાવવામાં આવે છો. જે વિદ્યાર્થીઓએ દિવસ રાત એક કરીને જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન કલાકો સુધી મહેનત કરી હોય. તેમના તમામ મોજ શોખને બાજુ પર રાખીને માત્ર ધોરણ 12માં સારા માર્ક્સ લાવવાનું જ એકમાત્ર લક્ષ્ય રાખ્યુ હોય, એવા હોનહાર, તેજસ્વી વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડની જ ખામીઓને ક્યારે માર્ક્સમાં અન્યાય થાય છે, તે આ ગોટાળાઓને ઉજાગર છે તો તેને એન્ટી નેશનલ ગણાવવા માટે સોશિયલ મીડિયા પર આખી એક ફોજ તેના પર તૂટી પડે છે.

CBSE એ માનવી પડી ભૂલ

જો કે ફેક્ટ ચેકર્સે જલદી જ સાબિત કરી દીધુ કે વેદાંત સાચો છે અને તેણે ઉઠાવેલા સવાલો પણ સાચા છે. આખરે ચારે તરફથી ઘેરાઈ ગયા બાદ CBSE એ સોમવારે તેની ભૂલ સ્વીકારવી પડી. બોર્ડે માનવુ પડ્યુ કે ઓન સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં ટેકનિકલ ગરબડીને કારણે વેદાંત પાસે અન્ય કોઈ વિદ્યાર્થિની ફિઝિક્સની ઉત્તરવહી પહોંચી ગઈ હતી. CBSE એ બાદમાં ભૂલ સુધારતા વેદાંત ને તેની ઉત્તરવહીન ઈમેલ કરી અને તેના પરિણામને સુધારવાની પણ પ્રક્રિયા શરૂ કરી. આ થયુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર અન્ય લાખો વિદ્યાર્થીએ તેની આન્સર શીટમાં આ જ પ્રકારનો છબરડો થયો હોવાની જાણકારી શેર કરી. આના પરથી જ સાબિત થાય છે કે ધાંધલી કોઈ એકલ દોકલ વિદ્યાર્થી પૂરતા સિમીત ન રહેતા કેટલા વ્યાપક સ્તરે થઈ હતી.

એક કિશોરે ડોક્યુમેન્ટ્સમાં શોધ્યા જવાબ

જ્યારે મોટાભાગના લોકો પરિણામોની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે ઝારખંડના 17 વર્ષીય સાર્થક સિદ્ધાંતે એક અલગ માર્ગ પસંદ કર્યો. તેમણે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે આ ડિજિટલ મૂલ્યાંકન વ્યવસ્થાને લાગુ કરનારી કંપનીની પસંદગી કેવી રીતે થઈ. સાર્વજનિક રીતે ઉપલબ્ધ ટેન્ડર ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કર્યા બાદ સાર્થકે એક X પર એક બ્લોગ પોસ્ટ કર્યયો જેમા તેમણે દાવો કર્યો કે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કેટલીક શરતોમાં ફેરફાર કરાયા છે. તેની તપાસ થવી જોઈએ. સાર્થકના આ બ્લોગે બહુ જલદી રાજકારણીઓ ખાસ કરીને વિપક્ષી પાર્ટીના નેતાઓ અને સાર્વજનિક રાતે ધ્યાન ખેંચ્યુ. અનેક નેતાઓ દ્વારા કરાયેલા સવાલનો ઉલ્લેખ કરતા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી. જો કે CBSE સંબંધિત કંપનીનું કહેવુ છે કે સમગ્ર પ્રક્રિયા નિયમો પ્રમાણે થઈ છે અને કોઈને પણ વિશેષ પ્રકારનો લાભ પહોંચાડવાનો તો સવાલ જ નથી ઉઠતો.

સાર્થકની આરટીઆઈ (RTI) લડત સાર્થક નામના એક જાગૃત યુવાને આરટીઆઈ અને સરકારી દસ્તાવેજો ફંફોસીને સીબીએસઈના ટેન્ડર કૌભાંડનો પર્દાફાશ કર્યો. તેણે સાબિત કર્યું કે કેવી રીતે ટેન્ડરના નિયમો એક ખાસ કંપનીને ફાયદો કરાવવા માટે બદલવામાં આવ્યા હતા અને કેવી રીતે બ્લેકલિસ્ટિંગની કલમો હટાવવામાં આવી હતી.

23 બાળકોના મોત માટે જવાબદાર કંપનીને અપાયો હતો કોન્ટ્રાક્ટ?

CBSE ની અસલી પોલ તો ટેન્ડર પ્રક્રિયામાં જ ખૂલી ગઈ. જે કોમ્પેક્ટ એડુટેક (Compact Edutech) કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો, તેનું જૂનું નામ ‘ગ્લોબરેના ટેકનોલોજીસ’ (Globarena Technologies) હતું, આ એ જ કંપની છે જેણે 2019માં તેલંગાણામાં આવી જ ભૂલો કરી હતી, જેના કારણે 23 નિર્દોષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. આવી બ્લેકલિસ્ટ થયેલી કંપનીને ફરીથી કોન્ટ્રાક્ટ આપવા માટે CBSEએ તમામ નિયમો નેવે મૂક્યા.

ઓગસ્ટ 2025માં, ટીસીએસ (TCS) જેવી દિગ્ગજ કંપનીને ટેકનિકલ કારણોસર બહાર કરી દેવામાં આવી કારણ કે તેમનો દર પ્રતિ આન્સર શીટ 66 રૂપિયા હતો, જ્યારે આ બદનામ કંપનીએ 24.75 રૂપિયામાં કામ કરવાની લાલચ આપી. CBSEએ દેશના સૌથી તેજસ્વી બાળકોના ભવિષ્યને આંકવા માટે સૌથી સસ્તા અને ભ્રષ્ટ બીડરને પસંદ કર્યો. ટેન્ડરના નિયમોમાં પણ રાતોરાત ફેરફાર કર્યા, નેટવર્થની શરતો ઘટાડી દેવામાં આવી, હાઈ ટિયર સિક્યુરિટી સર્ટિફિકેશનની જરૂરિયાત હટાવી દેવામાં આવી અને સૌથી ચોંકાવનારી વાત એ કે બિડિંગ બંધ થવાના થોડા કલાકો પહેલા જ દંડની કલમોમાંથી ‘બ્લેકલિસ્ટિંગ’ શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો. શું આ ભ્રષ્ટાચાર નથી તો શું છે?

સાઈબર સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ

વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે એક યુવા સાઈબર રિસર્ચર નિસર્ગ અધિકારીએ દાવો કર્યો કે તેના મૂલ્યાંકન સાથે જોડાયેલા પોર્ટલમાં સુરક્ષામાં ખામીઓ જોવા મળી છે. શરૂઆતમાં તો નિસર્ગના દાવાને ગંભીરતાથી કોઈએ ન લીધો અને બોર્ડે કહ્યુ કે જે પ્લેટફોર્મનો ઉલ્લેખ નિસર્ગ કરી રહ્યો છે તે મૂલ્યાંકન પ્રણાલી નહીં પરંતુ પરીક્ષણ માટે ઉપયોગમાં લેનારી કામગીરીનો હિસ્સો છે. CBSE એ માન્યુ કે કેટલીક ટેકનિકલ ખામી છે જેને દૂર કરવામાં આવશે. બોર્ડે એ પણ જણાવ્યુ કે નિષ્ણાત સંસ્થાઓની મદદથી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. અહીં જ આ ચર્ચા માત્ર મૂલ્યાંકન સુધી સીમિત ન રહેતા ડિજિટલ સુરક્ષાનો મુદ્દો પણ તેમા જોડાઈ ગયો.

નિસર્ગ અધિકારી અને સાર્થક સિદ્ધાંત ના દાવાથી શરૂ થયો વિવાદ

CBSE નો OSM વિવાદ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો જ્યારે 19 વર્ષિય એથિકલ હેકર નિસર્ગ અધિકારીએ દાવો કર્યો કે CBSE સાથે જોડાયેલી ઉત્તરવહીઓ અને પશ્નપત્રોનો ડેટા એક AWS બકેટના માધ્યમથી સાર્વજનિક રીતે ઉપલબ્ધ થઈ શકે છે. ત્યારબાદ 17 વર્ષિય વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંતે CBSE ની ટેન્ડર પ્રક્રિયાનુ વિશ્લેષણ કર્યા બાદ આરોપ લગાવ્યો કે ચોક્કસ મહત્વપૂર્ણ પાત્રતા અને સુરક્ષા ધોરણોમાં છૂટછાટ આપવામાં આવી છે. તેના દાવાઓથી OSM પ્રોજેક્ટ અને તેની સાથે સંકળાયેલી સમગ્ર પ્રક્રિયા પર જ સવાલોના ઘેરામાં આવી ગઈ.

એક વાયરલ પોસ્ટ, એક બ્લોગ કે એક ટેકનિકલ તપાસ પણ દેશમાં મોટી ચર્ચાનું કેન્દ્ર બની શકે છે. આ ત્રણેય વિદ્યાર્થીઓમાં 2 વિદ્યાર્થીઓ માત્ર 17 વર્ષના છે જ્યારે નિસર્ગ માત્ર 19 વર્ષનો છે. આવા જ કરોડો વિદ્યાર્થીઓ આ દેશનું ભવિષ્ય છે અને જો તેમની સાથે કંઈ ખોટુ થાય છે તો તેમને સંપૂર્ણ હક્ક છે સરકાર અને સરકારી સંસ્થાઓ સામે સવાલ કરવાનો. આવુ કરવાથી કોઈ એન્ટી નેશનલ નથી બની જતુ. સરકારો અને તેમના ચાટુકારો એ સમજવુ પડશે કે સરકાર સામે ઉઠનારો દરેક અવાજ કે દરેક આંગળીને હવે તમે એન્ટી નેશનલ નો થપ્પો લગાવીને દબાવી નહીં શકો. PM મોદી અવારનવાર કહે છે આ ન્યૂ ઈન્ડિયા છે તો સિસ્ટમાં બેસેલા લોકોએ પણ સમજવુ પડશે કે આ નવી જનરેશન છે, તે તેમના માટે અવાજ ઉઠાવવાનું જાણે છે અને તેમને કોઈ ફર્ક નથી પડતો જ્યારે ટ્રોલર્સ બ્રિગેડ તેમના પર એન્ટીનેશનલનું લેબલ લગાવે કે તેમને પાકિસ્તાની એજન્ટ ગણાવે.

અંગ્રેજોની ‘ફુટ પાડો’ ની નીતિનું પરિણામ, છેલ્લા 210 વર્ષથી સળગી રહ્યો છે લિપુલેખ વિવાદ, ફરી શરૂ થયુ રાજકીય ઘમાસાણ

Follow Us
ગુજરાતમાં 1808 HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્
ગુજરાતમાં 1808 HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
પુલ તો બનાવ્યો પણ પાણીના નિકાલ માટે પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું!
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
નવા અધ્યક્ષ તરીકે હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તી કરાઈ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">