સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !
ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલુ સોમનાથ મંદિર એ માત્ર 12 જ્યોતિર્લિંગોમાંનું જ પ્રથમ જ્યોતિર્લિંગ નથી પરંતુ તે પ્રાચન ભારતીય સ્થાપત્ય અને વિજ્ઞાનના અદ્દભૂત સંગનું પણ પ્રતિક છે. આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ તેનાથી સેંકડો સદીઓ પહેલા અહીં એક એવુ શિવલિંગ બિરાજમાન હતુ જે કોઈપણ આધાર વિના જમીનથી અધ્ધર હવામાં સ્થિર અને સ્થિત રહેતુ હતુ. શું આ કોઈ ચમત્કાર હતો કે સદીઓ પહેલા આપણા પ્રાચીન કારીગરોએ શોધેલુ વિજ્ઞાન. ચાલો આજે સોમનાથ મંદિરના એ જમીનથી અધ્ધર હવામાં તરતા જ્યોતિર્લિંગના રહસ્યના ઈતિહાસને સમજીએ.

સ્કંદ પુરાણમાં વર્ણન મળે છે કે સોમનાથ મંદિરનું નિર્માણ અલગ-અલગ યુગોમાં અલગ-અલગ સામગ્રીથી થયું હતું. સતયુગમાં ચંદ્રદેવે તેને સોનાનું બનાવ્યું હતું, ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી તેનું પુનઃનિર્માણ કરાવ્યું, અને દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણે ચંદનના લાકડામાંથી આ મંદિરને ભવ્યતા આપી હતી. ત્યારબાદ સોલંકી રાજા ભીમદેવે તેનું પથ્થરોથી નિર્માણ કરાવ્યું હતું. ઇતિહાસકારો અને પ્રાચીન ગ્રંથો મુજબ, તે સમયે શિવલિંગ ‘અંગુષ્ઠ પ્રમાણ’ એટલે કે અત્યારના શિવલિંગ કરતા કદમાં નાનું હતું અને તેને કોઈ પણ પ્રકારનો ઉપર કે નીચેથી ટેકો કે આધાર નહોતો, જેના કારણે તેને ‘લેવિટેટિંગ શિવલિંગા’ કહેવામાં આવતું હતું. આ શિવલિંગને 1026 A.D.માં મહમુદ ગઝનવીના હુમલામાં આ તોડી પાડવામાં આવ્યુ. આ શિવલિંગના હવામાં સ્થિર હોવા પાછળ આદ્યાત્મિક કારણ પણ રહેલુ છે તો સાથોસાથ વિજ્ઞાન પણ છે. એવુ માનવામાં આવે છે કે શિવલિંગનો આધાર કોઈ ભૌતિક તત્ત્વ ન હોઈ શકે.
શિવ શૂન્ય, શુદ્ધ, ચેતના અને તમામ તત્વોથી પરે છે. શિવ ભૌતિક સંસારની સીમાઓથી પરે, અનંત અને અસીમ છે. સોમનાથ મંદિરના હવામાં તરતા જ્યોતિર્લિંગ ને સાબિત કરવા માટે કોઈ વધુ તથ્યો તો ઉપલબ્ધ નથી પરંતુ પ્રાચીન કાળથી લોકમુખે ચર્ચાતી વાતોમાં તેનો ઉલ્લેખ મળી આવે છે.
12 મી સદીમાં થઈ ગયેલા ફારસી ઈતિહાસકાર જકરિયાહ અલ કઝવિની તેના લખાણોમાં શિવલિંગનો ઉલ્લેખ કર્યો છે.ઈન્ટરનેશનલ હિસ્ટ્રીમાં પ્રકાશિત સોમનાથ મંદિર પરના એક લેખમાં પણ કઝવિનીએ આપેલી જાણકારીનો ઉલ્લેખ છે. ઉલ્લેખ ઈન્ટરનેશનલ હિસ્ટ્રીમાં પ્રકાશિત સોમનાથ મંદિર પરના એક લેખમાં કરાયો છે.
જ્યારે મુસ્લિમ આક્રાંતા મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરમાં રહેલા જ્યોતિર્લિંગ વિશે કહ્યુ હતુ. “આ શિવલિંગ મંદિરની મધ્યમાં સ્થિત હતુ. જેની નીચેથી તેને કોઈ જ આધાર ન હતો, ના તો ઉપરથી તેને લટકાવવામાં આવ્યુ હતુ. જે કોઈપણ તેને હવામાં તરતુ જુએ, તે અચરજ પામ્યા વિના ન રહે. આ મૂર્તિ હવામાં તરતી દેખાતી હતી. કદાચ લોડસ્ટોન કે ચુંબકીય પથ્થર અથવા તો કોઈ પ્રાકૃતિક ચુંબકથી બનેલા એક છત્ર અને લોખંડથી બનેલા શક્તિશાળી ચુંબકિય ઉલ્કાપિંડથી બનેલી હોવી જોઈએ.
બુલફેદા અને ફરુખી જેવા ઐતિહાસિક સ્રોતોએ પણ મૂર્તિની અસાધારણ મજબૂતીનો ઉલ્લેખ કર્યો છે. જે ઉલ્કાપિંડ સાથે મેળ ખાય છે. આધુનિક વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ હવામાં તરતુ શિવલિંગ કોઈ એવા પથ્થરનું બન્યુ હોવુ જોઈએ જેમા થોડુ તો થોડુ પણ કોઈ ધાતુનું પ્રમાણ રહ્યુ હોવુ જોઈએ. અથવા તો કોઈ ચુંબકિય વિશેષતા રહી હશે. સામાન્ય રીતે આવા પથ્થર અંતરીક્ષમાંથી આવેલા હોવાનું કહેવાય છે. આ પથ્થરોને મીટીયોર કહે છે. જેને સાદી ભાષામાં ઉલ્કાપીંડ કહે છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી હવામાં તરતુ શિવલિંગ શું હતું?
એક વર્ષ પહેલા આદ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર તરફથી આ જ શિવલિંગના ટૂકડાને અગ્નિહોત્રી બ્રાહ્મણો દ્વારા તેમને સોંપવામાં આવ્યા હતા. તેમણે તેને સૌની સમક્ષ પણ રાખ્યા હતા. જો કે સવાલ એ છે કે હજારો વર્ષ પહેલા એ ક્યુ વિજ્ઞાન, ટેકનોલોજી કે શક્તિ હતી જેનાથી શિવલિંગને હવામાં તરતુ રાખવામાં આવ્યુ હશે? તેનો જવાબ ચુંબકિય ઉત્તોલન કે મેગ્નેટીક લેવિટેશનની થિયરી દ્વારા મળે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે મેગ્નેટિક લેવિટેશન મેળવવુ ઘણુ મુશ્કેલ છે. વિજ્ઞાન અનુસાર શિવલિંગ હવામાં અધ્ધર ત્યારે જ રહી શકે જ્યારે તેની નીચે અને હવામાં ઉપર બંને તરફ શક્તિશાળી મેગ્નેટ (ચુંબક) લાગેલા હોય. એટલે કે મંદિરની છત પર અને શિવલિંગની નીચે બંને ચુંબક સમાંતર રીતે ફોર્સ લગાવતા હશે અને જેનાથી વચ્ચે રહેલુ શિવલિંગ તેના સ્થાન પર હવામાં સ્થિર રહી શકે.
આધુનિક વૈજ્ઞાનિકોનું માનવું છે કે સોમનાથનું એ શિવલિંગ કોઈ સામાન્ય પથ્થર નહીં, પરંતુ એક ઉલ્કાપિંડ (Meteorite) નો ટુકડો હતું. ઉલ્કાપિંડમાં નિકલ અને આયર્ન (લોખંડ) ની માત્રા ખૂબ જ વધારે હોય છે, જેના કારણે તે અત્યંત શક્તિશાળી ચુંબકીય ગુણધર્મો ધરાવે છે. પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો ત્યારે શિવજી આકાશને ચીરીને તેજસ્વી પ્રકાશના રૂપમાં પ્રગટ થયા હતા, જે ઉલ્કાપિંડના પડવાની ઘટના સાથે મેળ ખાય છે. આ શિવલિંગ ઈંડાના આકારનું અને ચુંબકીય વિશેષતાઓ ધરાવતું હતું
જ્યારે ગઝનવીએ મંદિર પર આક્રમણ કર્યુ ત્યારે…..
ગઝનવીના સૈનિકોએ ભાલાને શિવલિંગની ચારે તરફ ઘુમાવીને જોયુ તો વચ્ચે કોઈ જ આધાર ન જોવા મળ્યો. જે બાદ કોઈએ કહ્યુ કે છતમાં ચુંબક અને શિવલિંગમાં લોખંડ હોવુ જોઈએ. ગઝનવીના આદેશથી છતના થોડા પથ્થરોને હટાવવામાં આવ્યા તો શિવલિંગ એક તરફ નમવા લાગ્યુ. આ ઘટના સાબિત કરે છે કે છતમાં રહેલા ચુંબકીય પથ્થરો જ શિવલિંગને હવામાં પકડી રાખતા હતા
બ્રિટીશ વૈજ્ઞાનિક સેમ્યુએલ અર્નશાની ‘અર્નશા થિયરી’ 1842 પ્રકાશિત થઈ. આ થિયરી અનુસાર એક ચુંબક બીજા ચુંબકની મદદથી હવામાં ક્યારેય સ્થિર નથી રહી શક્તુ. એ કાંતો ચુંબકોની સાથે ચિપકી જશે અથવા તો એક તરફ નમી જશે. હવામાં સ્થિર રાખવા માટે એક ડાયમેગ્નેટિક પદાર્થની જરૂર પડે છે.
મેગ્નેટિક લેવિટેશન- તે હવામાં કેવી રીતે ટકી રહેતું?
જે શોધ 1842માં સામે આવી તેની જાણકારી પ્રાચીન ભારતમાં હજારો વર્ષ પહેલા હતી. પ્રાચીન હિંદુ કારીગરોને એ કેવી રીતે જાણી શક્યા હશે કે માત્ર ચુંબકોની મદદથી શિવલિંગને હવામાં તરતુ રાખવું શક્ય નથી. તેના ડાયમેગ્નેટિક પદાર્થ પણ જોઈશે. તો શું મંદિર બનાવનારાઓ એ સમયે ડાયમેગ્નેટિક વિશે જાણતા હશે. પરંતુ ડાયમેગ્નેટિક તો 1753માં મળ્યુ હતુ. તો ત્યારે શું ઉપયોગમાં લેવાયુ હશે. તો શું એવુ કહી શકાય કે માનવ ઈતિહાસના અનેક પુરાવાઓને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા.
પ્રાચીન ભારતીય કારીગરો આ વિજ્ઞાનથી વાકેફ હતા. ઇતિહાસમાં ઉલ્લેખ છે કે સોમનાથ મંદિરના 56 સ્તંભો લાકડાના હતા અને તેના પર સીસા (Lead) નું પડ ચઢાવેલું હતું. નિષ્ણાતોનું માનવું છે કે તે ખરેખર સીસું નહીં પણ ‘બિસ્મથ’ (Bismuth) હોઈ શકે છે. આ બિસ્મથ એક શક્તિશાળી ડાયમેગ્નેટિક પદાર્થ છે જે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિરતા પ્રદાન કરે છે. જો શિવલિંગની આસપાસ બિસ્મથની પ્લેટોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો તે શિવલિંગને સહેજ પણ ડગ્યા વગર હવામાં સ્થિર રાખી શકે છે.
સોમનાથનું હવામાં તરતું શિવલિંગ એ માત્ર આસ્થાનો વિષય નથી, પરંતુ તે આપણા પૂર્વજોના ગહન વૈજ્ઞાનિક જ્ઞાનની જીવંત સાક્ષી છે, જે આજે પણ આધુનિક વિજ્ઞાન જગતને વિચારતું કરી દે છે.
