દીદીને તેના જ ગઢમાં પડકારી બંગાળની જીતના સૌથી મોટા નાયક બનનારા શુભેન્દુ અધિકારી કોની પાસેથી શીખ્યા રાજનીતિની ABCD? – વાંચો
રામાયણના કાળથી ચાલ્યુ આવે છે કે રાજનીતિમાં કોઈ વિભીષણના કારણે રાવણે સત્તા ગુમાવવી પડી છે. મહારાષ્ટ્રમાં શિવસેનામાંથી બળવો કરનારા એકનાથ શિંદે હોય કે અસમમાં કોંગ્રેસમાંથી આવેલા હિમંતા બિસ્વા સરમા અને હવે બંગાળમાં મમતા બેનર્જી સાથે TMC માંથી છેડો ફાડીને ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારી હોય. કહેવાય છે કે કોઈ મજબુત મજબુત કિલ્લાને તોડવા માટે બહારના શત્રુ કરતા અંદરનો હિતશત્રુ વધુ જોખમી હોય છે. અને ભાજપે મમતાની સત્તાનો કિલ્લો ધ્વસ્ત કર્યો તેમા સૌથી મોટો રોલ શુભેન્દુ અધિકારીનો રહ્યો છે. મમતા સરકારમાં કેબિનેટ મંત્રી સુદ્ધા રહેલા, સૌથી વધુ વિભાગો જેમની પાસે હતા એ શુભેન્દુનો આખરે મમતાથી મોહભંગ શા માટે થયો. તેની પાછળ કયા કારણો રહ્યા હતા. વાંચો વિગતવાર..

એક સમય હતો જ્યારે શુભેન્દુ અધિકારી મમતા બેનર્જીના સૌથી વધુ વિશ્વાસુ માણસ હતા. મમતા બેનર્જી તેમના પર સૌથી વધુ ભરોસો કરતા હતા. એ જ શુભેન્દુ અધિકારીએ માત્ર 64 મહિનામાં મમતા બેનર્જી પાસેથી પશ્ચિમ બંગાળનું સિંહાસન આંચકી લીધુ. ગુરુ શિષ્યની લડાઈમાં ગુરુ પર ભારે પડ્યો શિષ્ય એક સમયે મમતાના શિષ્ય ગણાતા આ ગુરુ શિષ્યની લડાઈમાં આખરે જીત શિષ્યની થઈ. શિષ્ય ગુરુ પર ભારે પડી ગયો. શુભેન્દુએ મમતા બેનર્જીનો 15 વર્ષ જૂનો કિલ્લો ધ્વસ્ત કરવામાં BJP ને ઘણી મદદ કરી. BJP માટે ભલે પશ્ચિમ બંગાળ ઘણુ મહત્વપૂર્ણ રહ્યુ હોય પરંતુ તેની પાસે એવો કોઈ નેતા ન હતો જે મમતાને સીધી ટક્કર આપી શકે. જે મમતા બેનર્જીને તેના જ ગઢમાં પડકારી શકે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
