AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

75 વર્ષના વનવાસ બાદ બંગાળમાં પહેલીવાર બની BJPની સરકાર, ભાજપે તેમના આદર્શ શ્યામાપ્રસાદ મુખર્જીને અર્પણ કરી જીત

નહેરુ સરકારમાં મંત્રી, વિચારો અને નીતિઓ સાથે મેળ ન ખાતા એક જ વર્ષમાં નહેરુ કેબિનેટમાંથી રાજીનામુ આપી જનસંઘની સ્થાપના કરનારા શ્યામા પ્રસાદ મુખર્જીને ભાજપે બંગાળ જીતીને ખરી શ્રદ્ધાંજલિ આપી છે. જમ્મુકાશ્મીર માટે 370ની કલમના તેઓ પહેલેથી વિરોધી હતા, આ જ કારણોસર નહેરુ સાથે છેડો ફાડ્યો. પહેલા જનસંઘ અને તેમાંથી જ જન્મેલી ભારતીય જનતા પાર્ટીનો બંગાળમાં ઉદય એ તેમના ખરા આદર્શ શ્યામા પ્રસાદ મુખર્જીને 75 વર્ષના વનવાસ બાદ આપેલી ખરી શ્રદ્ધાંજલિ છે.

75 વર્ષના વનવાસ બાદ બંગાળમાં પહેલીવાર બની BJPની સરકાર, ભાજપે તેમના આદર્શ શ્યામાપ્રસાદ મુખર્જીને અર્પણ કરી જીત
| Updated on: May 05, 2026 | 9:26 PM
Share

બંગાળની રાજનીતિમાં ભાજપના વધતા પ્રભાવને માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ જોવું પૂરતી નથી.  તેની પાછળ એક ઐતિહાસિક અને વિચારધારા પણ સમાયેલી છે, જેનું કેન્દ્રબિંદુ શ્યામા પ્રસાદ મુખર્જી છે.  દેશની એકતા અને અખંડિતતા માટે જીવન અર્પણ કરનાર મુખર્જીએ જે વિચારોના બીજ વાવ્યા હતા, તે આજે બંગાળમાં  ભાજપની જીત દ્રારા ફળીભૂત થતા  દેખાઈ રહ્યા છે.

 એ જ બંગાળ, જે ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીનું કાર્યક્ષેત્ર રહ્યું, ત્યાં ભાજપની જીતને માત્ર સત્તા પરિવર્તન તરીકે નહીં, પરંતુ મુખર્જીના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક પગલું માનવામાં આવી શકે. ભાજપ માટે આ વિજય માત્ર રાજકીય સિદ્ધિ નથી, પરંતુ એક પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ પણ છે.   પોતાના એક એવા નેતાને, જેઓએ રાષ્ટ્રીય એકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. આઝાદીના સમયથી બંગાળ એ ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યુ છે.

ભાજપના સ્થાપક પિતામહ પ્રત્યે પિતૃઋણ

ભાજપનો પાયો 1980 માં સંપૂર્ણપણે શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શો પર આધારિત હતો. આ જ કારણ છે કે શ્યામા પ્રસાદ મુખર્જીને ભાજપના સ્થાપક પિતા તરીકે આદરણીય માનવામાં આવે છે. એક સ્વપ્નદ્રષ્ટા જેમનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ સૂત્ર આપ્યું હતું: “એક દેશમાં બે બંધારણ, બે વડા પ્રધાન અને બે ધ્વજ ન હોઈ શકે.” કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી, બંગાળમાં વિજય ભાજપ માટે એક વૈચારિક સંકલ્પને પૂર્ણ કરવા અને શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા સમાન છે.

શ્યામાં પ્રસાદ મુખર્જીનો જન્મ 1901માં કોલકાતાના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે તેની રાજકીય સફર ની શરૂઆત 1929 થી કર્યો. શરૂઆતમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસની ટિકિટ પર તેઓ બંગાળ વિધાન પરિષદમાં પહોંચ્યા હતા. 1939માં તેઓ હિંદુ મહાસભામાં સામેલ થયા અને 1940માં હિંદુ મહાસભાના અધ્યક્ષ બન્યા.

સ્વતંત્ર ભારતની પહેલી સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી પણ રહ્યા. દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહર લાલનહેરુએ તેમની કાબેલિયતને જોતા તેમના મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કર્યો હતો. નહેરુની કેબિનેટમાં તેઓ ઉદ્યોગ મંત્રી અને પૂરવઠા મંત્રી રહ્યા હતા. પરંતુ આ સાથ બહુ લાંબો ન ટક્યો અને નહેરુની નીતિઓની કારણે તેમણે એક જ વર્ષમાં કોંગ્રેસ છોડી દીધી અને નહેરુ સરકારમાંથી રાજીનામુ આપ્યુ હતુ. ખાસ કરીને નહેરુની પાકિસ્તાન તરફી સમાધાનકારી નીતિને તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યુ હતુ.

જે બાદ 1951માં ભારતીય જનસંઘ ( જે બાદમાં ભારતીય જનતા પાર્ટી BJP) ની સ્થાપના કરી. તેમણે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો પણ વિરોધ કર્યો હતો. તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ક્યારેય ન હોઈ શકે. તેમણે જમ્મુકાશ્મીરને વિશેષ બંધારણીય દરજ્જો આપતી કલમ 370 અને આર્ટીકલ 35-Aનો પણ વિરોધ કર્યો હતો. આ જ વિરોધ દરમિયાન 1953માં તેમની ધરપકડ બાદ રહસ્યમય સંજોગોમાં શ્યામાપ્રસાદ મુખરજીનુ મૃત્યુ થયુ.

1951માં જનસંઘની સ્થાપના

1951માં શ્યામાપ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી જેની વિચારધારા પર જ BJP ની રચના થઈ હતી. ઈતિહાસ સાક્ષી છે કે જનસંઘનો (હાલની BJP)નો જન્મ પણ બંગાળની ધરતી પરથી જ થયો હતો. પરંતુ રાજકીય વિડંબના એ હતી કે દાયકાઓ સુધી આ દળને તેની જ જન્મભૂમિ પર ‘બાહિરતો’ (બહારના, પરાયા) આવેલા ગણવામાં આવ્યા. જનસંઘથી લઈને BJP સુધી 75 વર્ષ સુધી બંગાળની રાજકીય જમીન તેમના માટે બંજર સમાન રહી. લેફ્ટના 34 વર્ષનુ શાસન અને 15 વર્ષ સુધી TMC ની સત્તાએ ભાજપને એક સીમાંત શક્તિ તરીકે સીમિત રાખી.

શ્યામાપ્રસાદ મુખર્જીનું સપનુ અને 2026ની હકીકત

વર્ષ 2026ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 એપ્રિલે પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં વિજય સંકલ્પ રેલી દરમિયાન રાજકીય માહોલ જોઈને કહ્યુ હતુ, “શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે.” તેમણે કહ્યુ હતુ કે જમ્મુકાશ્મીરમાં અનુચ્છેદ 370 ના મોટાભાગની જોગવાઈઓને રદ કરીને ભાજપે શ્યામા પ્રસાદ મુખર્જીના સંકલ્પો પૈકી એક સંકલ્પને પૂર્ણ કર્યો છે. બંગાળમાં નવી ભાજપ સરકાર શ્યામા પ્રસાદ મુખર્જીના રાજ્યની સમૃદ્ધિના સપનાને પુરા કરશે અને ગેરકાયદે થતી ઘૂસણખોરીનો કાયમી ઉકેલ લાવશે.

બંગાળમાં હવે ભાજપે બહુમતના આંકડો પણ પાર કરીને 206 સીટો જીતી છે, તો આ ડૉ મુખર્જીના એ વિઝનની જીત માનવામાં આવી રહી છે. જેમા તેમણે એક અખંડ અને સાંસ્કૃતિક રીતે સુદૃઢ ભારતની કલ્પના કરી હતી. પાર્ટી નેતૃત્વએ આ ચૂંટણી એવી રીતે લડી કે જાણે તે ‘અંતિમ યુદ્ધ’ હોય. વડાપ્રધાન મોદીની રેલીઓથી લઈને બૂથ સ્તર સુધી, પક્ષના કાર્યકરો જેમને બંગાળના લોકોને એ ખાતરી આપવામાં સફળતા મળી કે ભાજપ એ બહારની પાર્ટી નથી પરંતુ ‘બંગાળની માટી’માંથી જ જન્મેલી પાર્ટી છે.

પક્ષના નેતૃત્વએ આ ચૂંટણી એવી રીતે લડી કે જાણે તે ‘અંતિમ યુદ્ધ’ હોય. પીએમ મોદીની રેલીઓથી લઈને બૂથ સ્તર સુધી, પક્ષના કાર્યકરો – જેમણે રાજ્યભરમાં વ્યાપક પ્રવાસ કર્યા – બંગાળના લોકોને ખાતરી આપવામાં સફળ થયા કે ભાજપ ‘બહારનો’ નથી, પરંતુ બંગાળની ધરતીનો સાચો પક્ષ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે એકવાર પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે, તો અમે ‘બંગ ગૌરવ’ (બંગાળનું ગૌરવ) અને ‘બંગ સંસ્કૃતિ’ (બંગાળી સંસ્કૃતિ) ને પુનર્જીવિત કરીશું. આ ‘બંગભૂમિ’ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ભાજપની સ્થાપના આ જ પ્રદેશના એક અગ્રણી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા કરવામાં આવી હતી.

અમિત શાહે કહ્યું, “અમે એ પણ વચન આપવા માંગીએ છીએ કે પીએમ મોદીના નેતૃત્વમાં, બંગાળમાં ભાજપની સરકાર બનતાની સાથે જ, અમે રાજ્યના વારસાને પુનર્જીવિત કરીશું. અમે એક મજબૂત રાષ્ટ્રીય ગ્રીડ સ્થાપિત કરીશું જે બંગાળમાં ઘૂસણખોરીનો અંત લાવશે. એક માણસ તો છોડો એક પારેવુ પણ સરહદ પાર કરી શકશે નહીં. અમે ના માત્ર ઘૂસણખોરી અટકાવીશું, પરંતુ ભારતના ખૂણેખૂણેથી ઘૂસણખોરોને વીણી-વીણીને બાહર કાઢવાનું કામ પણ ભાજપા સરકાર કરશે.

કોલાકાતા સ્થિત ભાજપના મુખ્યાલય હેસ્ટિંગ્સમાં આજે ગુલાલ ઉડી રહ્યો છે. કારણ કે આ માત્ર એક જીતની ઉજવણી નથી પરંતુ એ સંકલ્પ પુરો થવાની ઉજવણી છે જે 1951માં ડૉ શ્યામાં પ્રસાદ મુખર્જીએ લીધો હતો. પહેલીવાર બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રીની ખુરશી પર ‘કમળ’ નો સૈનિક બેસવા જઈ રહ્યો છે.

ભાજપ માટે બંગાળની જીત એ બહુ મોટી સિદ્ધિ છે કારણ કે તેમણે એ ધરતી પર સત્તા મેળવી છે જ્યાથી તેમના વૈચારિક આદર્શ સમાન પૂર્વજે ભારતને એક નવી દિશા આપવાનું સાહસ કર્યુ હતુ. શ્યામા પ્રસાદ મુખર્જીના બંગાળમાં તેમના જ વૈચારિક વંશજોએ દાયકાઓના સંધર્ષ, તપસ્યા બાદ પ્રચંડ જીત મેળવી છે.

કારમી હાર બાદ મમતા બેનર્જીએ CM પદેથી રાજીનામુ આપવાનો કર્યો ઈનકાર- જાણો હવે રાજ્યપાલ પાસે શું રહેશે વિકલ્પ?

Follow Us
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
g clip-path="url(#clip0_868_265)">