75 વર્ષના વનવાસ બાદ બંગાળમાં પહેલીવાર બની BJPની સરકાર, ભાજપે તેમના આદર્શ શ્યામાપ્રસાદ મુખર્જીને અર્પણ કરી જીત
નહેરુ સરકારમાં મંત્રી, વિચારો અને નીતિઓ સાથે મેળ ન ખાતા એક જ વર્ષમાં નહેરુ કેબિનેટમાંથી રાજીનામુ આપી જનસંઘની સ્થાપના કરનારા શ્યામા પ્રસાદ મુખર્જીને ભાજપે બંગાળ જીતીને ખરી શ્રદ્ધાંજલિ આપી છે. જમ્મુકાશ્મીર માટે 370ની કલમના તેઓ પહેલેથી વિરોધી હતા, આ જ કારણોસર નહેરુ સાથે છેડો ફાડ્યો. પહેલા જનસંઘ અને તેમાંથી જ જન્મેલી ભારતીય જનતા પાર્ટીનો બંગાળમાં ઉદય એ તેમના ખરા આદર્શ શ્યામા પ્રસાદ મુખર્જીને 75 વર્ષના વનવાસ બાદ આપેલી ખરી શ્રદ્ધાંજલિ છે.

બંગાળની રાજનીતિમાં ભાજપના વધતા પ્રભાવને માત્ર ચૂંટણી પરિણામોની દૃષ્ટિએ જોવું પૂરતી નથી. તેની પાછળ એક ઐતિહાસિક અને વિચારધારા પણ સમાયેલી છે, જેનું કેન્દ્રબિંદુ શ્યામા પ્રસાદ મુખર્જી છે. દેશની એકતા અને અખંડિતતા માટે જીવન અર્પણ કરનાર મુખર્જીએ જે વિચારોના બીજ વાવ્યા હતા, તે આજે બંગાળમાં ભાજપની જીત દ્રારા ફળીભૂત થતા દેખાઈ રહ્યા છે. એ જ બંગાળ, જે ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીનું કાર્યક્ષેત્ર રહ્યું, ત્યાં ભાજપની જીતને માત્ર સત્તા પરિવર્તન તરીકે નહીં, પરંતુ મુખર્જીના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક પગલું માનવામાં આવી શકે. ભાજપ માટે આ વિજય માત્ર રાજકીય સિદ્ધિ નથી, પરંતુ એક પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ પણ છે. પોતાના એક એવા નેતાને, જેઓએ રાષ્ટ્રીય એકતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. આઝાદીના સમયથી બંગાળ એ ભારતીય રાજનીતિનું કેન્દ્ર રહ્યુ છે. function loadTaboolaWidget() { ...
