AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, પત્નીએ પતિનું કાસળ કાઢી ઓડિશા ટ્રેન અકસ્માતમાં મોત થયું હોવાનું બનાવ્યું જૂઠાણું

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે પત્નીએ બે દીકરીઓની મદદથી પોતાના જ પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બની છે. પતિને મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્લાસ્ટિકના કોથળામાં બાંધી ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો અને બાદમાં ઓરિસ્સા રેલવે અકસ્માતમાં પતિનું મોત થયું હોવાનું ષડયંત્ર રચ્યું.

Surat: હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, પત્નીએ પતિનું કાસળ કાઢી ઓડિશા ટ્રેન અકસ્માતમાં મોત થયું હોવાનું બનાવ્યું જૂઠાણું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2023 | 10:45 PM
Share

Surat: સાત જનમ સાથે જીવવાના કસમ લેનાર પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાની આ ઘટના સુરતમાં બની છે. જેમાં બે દીકરીઓની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પ્લાસ્ટિકના કોથળામાં બાંધી ઉંડો ખાડો ખોદી પતિને દાંટી દીધો હતો.

મૃતદેહ બાંધી ઘર નજીક રહેલ ખુલ્લી જગ્યામાં ઉંડો ખાડો ખોદી દાટી દીધો

સુરત જિલ્લામાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને હત્યાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય નરેશ તુષ્ટિ નાયકને તેની પત્નીએ પોતાની બે દીકરીઓની મદદ લઈને જ મોતને ઘાટ ઉતારી દીધો અને પ્લાસ્ટિકના કોથળામાં ભરી દોરડીથી મૃતદેહ બાંધી ઘર નજીક રહેલ ખુલ્લી જગ્યામાં ઉંડો ખાડો ખોદી દાટી દીધો. બાદમાં વતન ઓરિસ્સામાં રહેતા સાસરિયાઓને અને બાજુમાં રહેતા પાડોશિયોને ગુમરાહ કરી બન્ને દીકરીઓને લઈને હત્યારી પત્ની ભાગી ગઈ.

ઓરિસ્સા રેલવે દુર્ઘટનામાં તેમના પતિ નરેશનું મોત થયું હોવાનું જૂઠાણુ

હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પત્નીએ શેતાની દિમાગ વાપર્યું હતું. તેઓએ પાડોશીને જણાવ્યું હતું કે અમને વતનમાં જવાની ટિકિટ કરાવી આપો મારા સસરાનું મોત થઈ ગયું છે. પતિ નરેશ વહેલી સવારે ઓરિસ્સા જવા નીકળી ગયા છે. અમારે પણ જવું પડશે અને બાદમાં ઓરિસ્સા જઈને સાસરિયાઓને હત્યારી પત્નીએ જણાવ્યું કે તાજેતરમાં થયેલ ઓરિસ્સા રેલવે દુર્ઘટનામાં તેમના પતિ નરેશનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : સ્પામાંથી ઝડપાયેલી બે બાંગ્લાદેશી યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલાયા બાદ, બન્ને યુવતીઓ થઈ ફરાર

પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ કરતા એક મૃતદેહ મળી આવ્યો. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ મૃતદેહ નરેશનો હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે આજુબાજુના રહીશોના નિવેદનો લેતા હત્યારી પત્ની અને તેઓની બે દીકરીઓનું નામ ખુલ્લુ હતુ. જેથી પોલીસ તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">