ચોમાસુ
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત અનુસાર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે. જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાંપટા પડતા હોય છે. ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દર્શ્યો જોવા મળે છે.
જ્યારે અન્ય બે ઋતુ એટલે કે શિયાળામા અને ઉનાળામાં વરસાદ વરસે તેને કમોસમી વરસાદ કે માવઠુ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ખેતી ક્ષેત્ર વરસાદ પર નિર્ભર છે તેથી ચોમાસાનો વરસાદ ખેતી અને ખેડૂત બન્ને માટે મહત્વનો ગણાય છે. સારો અને માફકસરનો વરસાદ વરસે તો અર્થતંત્ર વેગવંતુ રહે છે. જો બહુ જ ઓછો અને અપુરતો વરસાદ વરસે તો દુષ્કાળ પડે છે. જે ખેતી, ખેડૂત અને અર્થતંત્ર માટે દુષ્કર ગણાય છે.
Breaking News : આગામી 24 કલાક માટે IMD ની ચોંકાવનારી આગાહી, જાણો કયા છે વરસાદનું જોખમ?
હવામાન વિભાગે દેશમાં વરસાદ અને ઠંડી અંગે નવી ચેતવણી આપી છે. દક્ષિણ આંદામાનમાં બનેલા ઓછા દબાણના કારણે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.
- Sagar Solanki
- Updated on: Nov 22, 2025
- 7:02 pm
આજનું હવામાન : ફરી માવઠાનું સંકટ ! આ તારીખે કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. સવારના સમયે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ શકે છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે.
- Disha Thakar
- Updated on: Nov 7, 2025
- 8:16 am
આજનું હવામાન : કમોસમી વરસાદના માર વચ્ચે વધુ એક આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 નવેમ્બર સુધી રાજ્યમાં ધોધમાર વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં વરસાદનું સૌથી વધુ જોર રહેશે. જે બાદ દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ મુશ્કેલી વધારી શકે છે.
- Disha Thakar
- Updated on: Nov 1, 2025
- 7:55 am
Gujarat Mavthu: ભાવનગર જિલ્લાને માવઠાથી થયેલા નુકસાન મુદ્દે પરશોત્તમ સોલંકીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે કરી સમીક્ષા- Video
ભાવનગર જિલ્લાને માવઠાથી મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને કપાસ, જુવાર, મગફળી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયુ છે ત્યારે ખેડૂતોને સત્વરે સહાય મળે તે હેતુથી કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Oct 31, 2025
- 3:58 pm
આજનું હવામાન : માવઠાથી નહીં મળે રાહત ! ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાત પર માવઠાના એંધાણની શક્યતા છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં માવઠુ થાય તેવી આગાહી કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Oct 30, 2025
- 7:55 am
માવઠાથી અસર પામેલા 33 જિલ્લાના 239 તાલુકામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 7 દિવસમાં સર્વે કરાવવા સરકારનો આદેશ, જુઓ Video
સીએમ દ્વારા કેબિનેટ બેઠકમાં માવઠાથી થયેલા નુકસાન જાણવા માટે તાકીદે સર્વે હાથ ધરવા અધિકારીઓને આદેશ અપ્યા છે. 5 જિલ્લા કે જ્યાં અતિભારે વરસાદ હતો ત્યાં સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. સીએમ દ્વારા પણ, માવઠાને લઈને રીઅલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવ્યું હતુ.
- Kinjal Mishra
- Updated on: Oct 29, 2025
- 6:04 pm
“બાપા અમે મરી ગયા,મારે મજૂરી શેમાંથી દેવી”… માવઠાએ વેરેલા વિનાશથી ચોધાર આંસુએ રડી પડ્યા ખેડૂત- Video
"આ જો તો ખરા બાપા, અમે મરી ગયા... મારે મજૂરી શેમાંથી દેવી... મારે શું કરવુ ભાઈ, મારી ગાયોનું નીરણ પણ ન રહ્યુ, મારી આખા વર્ષની મહેનત મરી ગઈ... " માવઠાના મારથી મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે ત્યારે ઉપલેટાના તલંગણા ગામના ખેડૂત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Oct 29, 2025
- 6:02 pm
રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતવાસીઓને હજુ પણ સહન કરવો પડશે માવઠાનો માર
રાજ્યવાસીઓને હજુ માવઠાથી રાહત મળવાના કોઈ સંકેત દેખાઈ નથી રહ્યા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 29, 2025
- 2:23 pm
માવઠાને કારણે બોટાદમાં મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન, ખેડૂત પાસે શિયાળુ પાક લેવાના પણ પૈસા નથી- સાંભળો તાતની વેદના-Video
દિવાળી બાદ બોટાદમાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. વારંવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન વેઠવુ પડે છે. હવે તેમની પાસે શિયાળુ પાક વાવવાના પણ પૈસા નથી.
- TV9 Gujarati
- Updated on: Oct 29, 2025
- 2:22 pm
Rain : 24 કલાકમાં 136 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ડીસામાં વરસ્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 16 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.
- TV9 Gujarati
- Updated on: Oct 29, 2025
- 10:40 am
આજનું હવામાન : ગુજરાતમાં માવઠાના એંધાણ !સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં માવઠાના એંધાણ છે. હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Disha Thakar
- Updated on: Oct 29, 2025
- 7:58 am
નવસારીના તમામે તમામ 355 ગામમાં માવઠાથી ભારે નુકસાની, 15295 ખેડૂતો અને 18309 હેક્ટર વિસ્તાર પ્રભાવિત
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 25 ઓક્ટોબરથી આગામી 1 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. આ આગાહીને પગલે વરસેલા કમોસમી વરસાદથી, નવસારી જિલ્લા સહિત રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 28, 2025
- 8:36 pm
ગીર સોમનાથ જિલ્લામાં 6 થી 15 ઈંચ વરસ્યો કમોસમી વરસાદ, મગફળી, કપાસ, સોયાબીન, તુવેરના વાવેતર ભારે નુકસાનનો અંદાજ
ગુજરાતમાં આ વખતે કમોસમી વરસાદની વચ્ચે જ ભૂપેન્દ્ર પટેલે તેમની સરકારના પ્રધાનોને, ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા વિવિધ જિલ્લામાં મોકલ્યા હતા. જેના ભાગરૂપે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ સવારે ગીર સોમનાથના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ ખેતી ક્ષેત્રે માવઠાથી થયેલ નુકશાની અંગેનો ચિતાર મેળવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Oct 28, 2025
- 7:18 pm
ભારે વરસાદની આગાહીને પગલે અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના
હવામાન વિભાગે આગામી તા. 31 ઓક્ટોબર, 2025 સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિહ મહિડાએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં, સંજયસિંહ મહિડાએ, ભારે વરસાદની આગાહીને લઈને જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા સુચના આપી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 28, 2025
- 3:08 pm
ગીર સોમનાથમાં માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે મંત્રી મોઢવાડિયા, નુકસાનીની કરી સમીક્ષા- Video
ગીર સોમનાથમાં માવઠાથી પ્રભાવિત વિસ્તારની મુલાકાતે મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમન વાજા પહોંચ્યા હતા. બંને મંત્રીઓએ પાક નુકસાનીની સમીક્ષા કરી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Oct 28, 2025
- 3:02 pm