ચોમાસુ
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત અનુસાર અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં જ મુખ્યત્વે વરસાદ વરસે છે. જ્યારે ભાદરવો અને આસો મહિનામાં વરસાદી ઝાંપટા પડતા હોય છે. ચોમાસામાં ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દર્શ્યો જોવા મળે છે.
જ્યારે અન્ય બે ઋતુ એટલે કે શિયાળામા અને ઉનાળામાં વરસાદ વરસે તેને કમોસમી વરસાદ કે માવઠુ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ખેતી ક્ષેત્ર વરસાદ પર નિર્ભર છે તેથી ચોમાસાનો વરસાદ ખેતી અને ખેડૂત બન્ને માટે મહત્વનો ગણાય છે. સારો અને માફકસરનો વરસાદ વરસે તો અર્થતંત્ર વેગવંતુ રહે છે. જો બહુ જ ઓછો અને અપુરતો વરસાદ વરસે તો દુષ્કાળ પડે છે. જે ખેતી, ખેડૂત અને અર્થતંત્ર માટે દુષ્કર ગણાય છે.
Read MoreBreaking News : છત્રી રેઇનકોટ કાઢી રાખજો, અંબાલાલ પટેલની 14 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 14 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
- Sagar Solanki
- Updated on: Sep 12, 2026
- 9:52 pm
Breaking News : ધરોઈ ડેમ સૂકાયો, ખેતરો સુકાવા લાગ્યા, ઉત્તર ગુજરાતમાં જળસંકટ ઘેરું બન્યું, જુઓ Video
ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ગંભીર જળસંકટ સર્જાયું છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ડેમોના તળિયા દેખાવા માંડ્યા છે અને ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Sep 12, 2026
- 9:17 pm
Breaking News : અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ, ઈસનપુર, મણિનગર, વટવામાં વરસાદ
અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. પૂર્વના ઈસનપુર, મણિનગર, વટવા, દાણીલીમડા અને નારોલ સહિતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
- TV9 Gujarati
- Updated on: Sep 12, 2026
- 8:24 pm
Rain Breaking : ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાની એન્ટ્રી, 35 દિવસ બાદ વરસાદથી રાહત, જુઓ Video
ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
- TV9 Gujarati
- Updated on: Sep 12, 2026
- 11:52 am
Weather Today Breaking News: આજથી ગુજરાતમાં ધડબડાટી બોલાવશે વરસાદ, 4 દિવસ મેઘાવી માહોલની આગાહી, જાણો આજે ક્યાં પડશે વરસાદ
રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ચાર દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની રમઝટ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ખાસ કરીને પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
- Tanvi Soni
- Updated on: Sep 12, 2026
- 8:36 am
12 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘ મહેર, 70થી વધુ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદથી ખેડૂતોમાં ખુશી
આજે 12 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Sep 12, 2026
- 9:40 pm
વરસાદ ખેંચાતા જામનગર જિલ્લાના જળાશયોના દેખાયા તળિયા, વરસાદ ખેંચાતા ડેમોમાં ખૂટ્યો પાણીનો જથ્થો- Video
જામનગર જિલ્લામાં આ સિઝનનો એકદમ ઓછો વરસાદ પડ્યો છે. ત્યારે પહેલેથી જ દુષ્કાળના ભણકારા વચ્ચે વરસાદે પણ હાથતાળી દેતા હવે જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટવા લાગ્યો છે અને પાણી પુરુ પાડતા મુખ્ય ડેમોના પણ તળિયા દેખાવા લાગ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 11, 2026
- 4:44 pm
Breaking News : દેવભૂમિ દ્વારકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખંભાળિયામાં છૂટોછવાયો વરસાદ
ખંભાળિયા તાલુકાના વડાલિયા, સિંહણ, વાડીનાર અને સુતારીયા સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદી ઝાપટાં રાહતરૂપ બન્યા છે. જોકે, હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેતી માટે પૂરતો ફાયદો થશે કે નહીં તે અંગે સ્થિતિ જોવી રહી છે.
- Devankashi rana
- Updated on: Sep 11, 2026
- 1:52 pm
Breaking News : અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, જુઓ Video
અમરેલીમાં લાંબા સમય પછી વરસાદની એન્ટ્રી થઈ છે. અમરેલી રાજુલા, સાવરકુંડલા, ખાંભાના ગામડામાં વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરડી,આદસંગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
- Nirupa Duva
- Updated on: Sep 11, 2026
- 1:44 pm
Bhavnagar Breaking News : ભાવનગરમાં મેઘમહેર, બગદાણામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર! જુઓ Video
ભાવનગર જિલ્લામાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બગદાણા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
- Dhruval Shah
- Updated on: Sep 11, 2026
- 1:40 pm
Rajkot Breaking News: ઉપલેટામાં 1.5 મહિનાના લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજકોટના ઉપલેટા પંથકમાં દોઢ મહિનાના લાંબા વિરામ બાદ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મુક્તિ મળવાની સાથે પાકને જીવનદાન મળવાની આશાએ જગતના તાતમાં ખુશી પ્રસરી ગઈ છે.
- Sachin Agrawal
- Updated on: Sep 11, 2026
- 12:08 pm
11 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાત ખેતી જમીનના ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા બાબતનું સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર
આજે 11 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
- TV9 Gujarati
- Updated on: Sep 11, 2026
- 8:55 pm
Breaking News : ગુજરાતમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ Video
રાજ્યમાં 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વરસાદ ખેડૂતો માટે સિંચાઈની સમસ્યામાં રાહત લઈને આવશે.
- Sagar Solanki
- Updated on: Sep 10, 2026
- 10:00 pm
Breaking News : અંબાલાલ પટેલની આગાહી – તૈયાર રહેજો ફરી સર્જાશે વરસાદી માહોલ, વડોદરા-આણંદ સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
અલ નીનો અને IODની સ્થિતિમાં ફેરફારની અસર પણ ગુજરાતના હવામાન પર જોવા મળી શકે છે. નવેમ્બર દરમિયાન સમુદ્રના તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિ મજબૂત અલ નીનો તરફ સંકેત આપી શકે છે. IODમાં પણ નવેમ્બર સુધીમાં વધારો થવાની શક્યતા છે.
- Bipin Prajapati
- Updated on: Sep 10, 2026
- 3:34 pm
Breaking News : ગુજરાતમાં વરસાદ ખેંચાતા, ખેડૂતોને હવેથી 8ને બદલે 10 કલાક વીજળી અપાશેઃ ઊર્જા પ્રધાને કરી જાહેરાત
વરસાદની અછતના કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલન ક્ષેત્ર પર પણ અસર પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં ઘાસચારાની અછતની સ્થિતિ ઊભી થઈ છે. ઉર્જા મંત્રીએ જણાવ્યું કે, ઘાસચારાની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 9, 2026
- 3:52 pm