AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway: સમય બદલાયો, એન્જિન નહીં! 116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન સાથે આજે પણ દોડે છે આ અનોખી ‘હેરિટેજ ટ્રેન’, શું તમે આમાં મુસાફરી કરી છે?

116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન પર દોડતી ભારતની સૌથી ધીમી આ હેરિટેજ ટ્રેન આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ધીમી ગતિ, જૂનું એન્જિન અને રસ્તામાં જોવા મળતા સુંદર નજારા મુસાફરને એક ખાસ તેમજ યાદગાર અનુભવ આપે છે.

| Updated on: Dec 07, 2025 | 4:14 PM
Share
116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન પર દોડતી આ હેરિટેજ ટ્રેન આજે પણ ભારતની સૌથી ધીમી ટ્રેન માનવામાં આવે છે. સમય બદલાયો પણ તેની જૂની સ્ટાઇલ અને પ્રવાસનો અનોખો અનુભવ મુસાફરોને આજે પણ આકર્ષે છે.

116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન પર દોડતી આ હેરિટેજ ટ્રેન આજે પણ ભારતની સૌથી ધીમી ટ્રેન માનવામાં આવે છે. સમય બદલાયો પણ તેની જૂની સ્ટાઇલ અને પ્રવાસનો અનોખો અનુભવ મુસાફરોને આજે પણ આકર્ષે છે.

1 / 8
તમિલનાડુના લીલાછમ પશ્ચિમ ઘાટમાં મેટ્ટુપલયમથી ઊટી સુધી દોડતી નીલગિરિ માઉન્ટેન રેલવે (NMR) પેસેન્જર ટ્રેન સત્તાવાર રીતે ભારતની સૌથી ધીમી ટ્રેનનો ખિતાબ ધરાવે છે. આ ટ્રેન 9-10 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ફક્ત 46 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 5 કલાક લે છે. જો કે, આ ધીમી ગતિ કોઈ ખામી નથી પરંતુ ટ્રેનની સુંદરતા અને તકનીકી શક્તિનું પ્રતીક છે.

તમિલનાડુના લીલાછમ પશ્ચિમ ઘાટમાં મેટ્ટુપલયમથી ઊટી સુધી દોડતી નીલગિરિ માઉન્ટેન રેલવે (NMR) પેસેન્જર ટ્રેન સત્તાવાર રીતે ભારતની સૌથી ધીમી ટ્રેનનો ખિતાબ ધરાવે છે. આ ટ્રેન 9-10 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ફક્ત 46 કિલોમીટરનું અંતર કાપવામાં લગભગ 5 કલાક લે છે. જો કે, આ ધીમી ગતિ કોઈ ખામી નથી પરંતુ ટ્રેનની સુંદરતા અને તકનીકી શક્તિનું પ્રતીક છે.

2 / 8
નીલગિરિ પર્વતીય રેલવેને વર્ષ 2005 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે ભારતના 4 પર્વતીય રેલવેમાંનો એક છે અને વિશ્વની સૌથી ઢાળવાળી રેલવે લાઇનોમાંનો એક છે. વર્ષ 1908 માં બ્રિટિશ ઇજનેરો દ્વારા બનાવવામાં આવેલી આ લાઇન હજુ પણ 116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન અને વિન્ટેજ કોચ સાથે કાર્યરત છે, જે તેને ઇતિહાસનો જીવંત ભાગ બનાવે છે.

નીલગિરિ પર્વતીય રેલવેને વર્ષ 2005 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તે ભારતના 4 પર્વતીય રેલવેમાંનો એક છે અને વિશ્વની સૌથી ઢાળવાળી રેલવે લાઇનોમાંનો એક છે. વર્ષ 1908 માં બ્રિટિશ ઇજનેરો દ્વારા બનાવવામાં આવેલી આ લાઇન હજુ પણ 116 વર્ષ જૂના સ્ટીમ એન્જિન અને વિન્ટેજ કોચ સાથે કાર્યરત છે, જે તેને ઇતિહાસનો જીવંત ભાગ બનાવે છે.

3 / 8
આ ટ્રેનની ધીમી ગતિ મુખ્યત્વે તેની અનોખી રેક-એન્ડ-પીનિયન સિસ્ટમને કારણે છે. કલ્લાર અને ઊટી વચ્ચે 19 કિલોમીટરના ઢાળ પર સામાન્ય બ્રેક્સ કામ કરતા નથી. આથી, ટ્રેનની વચ્ચે ફીટ કરાયેલ ખાસ ગિયર (રેક) પાટા પર બનાવેલા દાંતામાં ફસાઈને ચઢી જાય છે. આ ટ્રેનની મહત્તમ ગતિ 13 કિમી/કલાક (ચઢાવ પર) અને 30 કિમી/કલાક (ઉતાર પર) સુધી મર્યાદિત કરે છે.

આ ટ્રેનની ધીમી ગતિ મુખ્યત્વે તેની અનોખી રેક-એન્ડ-પીનિયન સિસ્ટમને કારણે છે. કલ્લાર અને ઊટી વચ્ચે 19 કિલોમીટરના ઢાળ પર સામાન્ય બ્રેક્સ કામ કરતા નથી. આથી, ટ્રેનની વચ્ચે ફીટ કરાયેલ ખાસ ગિયર (રેક) પાટા પર બનાવેલા દાંતામાં ફસાઈને ચઢી જાય છે. આ ટ્રેનની મહત્તમ ગતિ 13 કિમી/કલાક (ચઢાવ પર) અને 30 કિમી/કલાક (ઉતાર પર) સુધી મર્યાદિત કરે છે.

4 / 8
જણાવી દઈએ કે, સલામતી માટે જાણી જોઈને ટ્રેનની ગતિ ઓછી રાખવામાં આવી છે. 208 ટનલ, 250 પુલ અને ઘણા વળાંકથી 46 કિમીની મુસાફરીમાં, ટ્રેન 208 વખત પાટા બદલે છે, 250 નાના-મોટા પુલ પાર કરે છે અને 16 ટનલમાંથી પસાર થાય છે. ઘણા બધા વળાંકો અને ઊંચાઈઓને કારણે, ઝડપી મુસાફરી કરવી અશક્ય છે. ખાસ વાત એ છે કે, આ વળાંકોમાંથી પસાર થતી વખતે મુસાફરોને વાદળોમાંથી પસાર થતા જંગલો, ચાના બગીચાઓ અને ધોધનો મનમોહક નજારો જોવા મળે છે.

જણાવી દઈએ કે, સલામતી માટે જાણી જોઈને ટ્રેનની ગતિ ઓછી રાખવામાં આવી છે. 208 ટનલ, 250 પુલ અને ઘણા વળાંકથી 46 કિમીની મુસાફરીમાં, ટ્રેન 208 વખત પાટા બદલે છે, 250 નાના-મોટા પુલ પાર કરે છે અને 16 ટનલમાંથી પસાર થાય છે. ઘણા બધા વળાંકો અને ઊંચાઈઓને કારણે, ઝડપી મુસાફરી કરવી અશક્ય છે. ખાસ વાત એ છે કે, આ વળાંકોમાંથી પસાર થતી વખતે મુસાફરોને વાદળોમાંથી પસાર થતા જંગલો, ચાના બગીચાઓ અને ધોધનો મનમોહક નજારો જોવા મળે છે.

5 / 8
ટ્રેન નં. 56136/56137 મેટ્ટુપલયમ-ઊટી પેસેન્જર સવારે 7:10 વાગ્યે મેટ્ટુપલયમથી ઉપડે છે અને બપોરે 12:00 વાગ્યે ઊટી પહોંચે છે. આ સિવાય, પાછા ફરતી વખતે તે ઊટીથી બપોરે 2:00 વાગ્યે નીકળે છે અને સાંજે 7:00 વાગ્યે મેટ્ટુપલયમ પરત ફરે છે. વર્ષોથી, આ ટ્રેનમાં સતત 90-95% જેટલા મુસાફરો રહે છે. નોંધનીય છે કે, ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી ખુલે છે.

ટ્રેન નં. 56136/56137 મેટ્ટુપલયમ-ઊટી પેસેન્જર સવારે 7:10 વાગ્યે મેટ્ટુપલયમથી ઉપડે છે અને બપોરે 12:00 વાગ્યે ઊટી પહોંચે છે. આ સિવાય, પાછા ફરતી વખતે તે ઊટીથી બપોરે 2:00 વાગ્યે નીકળે છે અને સાંજે 7:00 વાગ્યે મેટ્ટુપલયમ પરત ફરે છે. વર્ષોથી, આ ટ્રેનમાં સતત 90-95% જેટલા મુસાફરો રહે છે. નોંધનીય છે કે, ટિકિટ બુકિંગ 120 દિવસ અગાઉથી ખુલે છે.

6 / 8
વિદેશી પ્રવાસીઓ તેને "Toy Train" કહે છે અને દુનિયાભરના રેલ પ્રેમીઓ તેને પોતાની બકેટ લિસ્ટમાં રાખે છે. આની સરખામણી ઘણીવાર સ્વિસ આલ્પ્સ રેલવે સાથે કરવામાં આવે છે પરંતુ આ નીલગિરી ટ્રેન ઘણી ઢાળવાળી અને પડકારજનક છે.

વિદેશી પ્રવાસીઓ તેને "Toy Train" કહે છે અને દુનિયાભરના રેલ પ્રેમીઓ તેને પોતાની બકેટ લિસ્ટમાં રાખે છે. આની સરખામણી ઘણીવાર સ્વિસ આલ્પ્સ રેલવે સાથે કરવામાં આવે છે પરંતુ આ નીલગિરી ટ્રેન ઘણી ઢાળવાળી અને પડકારજનક છે.

7 / 8
આ ટ્રેન પ્રકૃતિની વચ્ચે શાંતિપૂર્ણ મુસાફરી માટે બનાવવામાં આવી હતી. 9 કિમી/કલાકની ઝડપે બારી બહાર જોતા એવું લાગે કે, સમય થંભી ગયો છે. આ જ કારણ છે કે, ભારતની સૌથી ધીમી ટ્રેન હોવા છતાં નીલગિરિ વિશ્વની સૌથી સુંદર અને યાદગાર ટ્રેનોમાંની એક માનવામાં આવે છે.

આ ટ્રેન પ્રકૃતિની વચ્ચે શાંતિપૂર્ણ મુસાફરી માટે બનાવવામાં આવી હતી. 9 કિમી/કલાકની ઝડપે બારી બહાર જોતા એવું લાગે કે, સમય થંભી ગયો છે. આ જ કારણ છે કે, ભારતની સૌથી ધીમી ટ્રેન હોવા છતાં નીલગિરિ વિશ્વની સૌથી સુંદર અને યાદગાર ટ્રેનોમાંની એક માનવામાં આવે છે.

8 / 8

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ડુંગળી પકવતા ખેડૂતો માટે "પડ્યા પર પાટુ" જેવી સ્થિતિ સર્જાઈ
ડુંગળી પકવતા ખેડૂતો માટે
g clip-path="url(#clip0_868_265)">