ઈથિયોપિયાનો જ્વાળામુખી ફાટ્યો… અને તેની રાખ ગુજરાત સુધી પહોંચી! 9 હજાર કિમી દૂરની ઘટના ભારત માટે કેટલી ખતરનાક?
23 નવેમ્બરે ભારતથી 9 હજાર કિલોમીટર દૂર જેટલો દૂર આવેલા ઈથોપિયામાં 10 હજાર વર્ષ જૂનો જ્વાળામુખી રવિવાર ફાટ્યો. હેલી ગુબી નામનો આ જ્વાળામુખી એટલો ખતરનાક છે કે તેની અસર ગુજરાત સુધી જોવા મળી છે. તો આજે આપણે જાણશુ કે આ ભયાનક જ્વાળામુખીની રાત કેમ ઉત્તર ભારત સુધી વધી રહી છે. તેનાથી ભારત પર શું જોખમ તોળાઈ રહ્યુ છે અને શું તેના લાવામાં સોના કરતા પણ કિમતી કોઈ મેટલ પડેલી હોય છે. તો એ મેટલ કઈ છે અને તેને કેવી રીતે મેળવી શકાય? એ પહેલા સમજીએ કે જ્વાળામુખી શું હોય છે અને શા માટે તેમા વિસ્ફોટ થાય છે?

23 નવેમ્બરે ભારતથી લગભગ 9 હજાર કિલોમીટરના અંતરે આવેલો 10 હજાર વર્ષ જૂનો જ્વાળામુખી ફાટી ગયો. રવિવારની સવારે 8.30 વાગ્યે ઈથોપિયાના અફારમાં આવેલો હેલી ગુબી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો. આ એટલો ભયાનક હતો કે તેની રાખ ઉત્તર ભારત તરફ વધી રહી છે. જેનાથી ભારતીય ઉડ્ડયન સત્તામંડળ અને ઍરલાઈન્સ ફ્લાઈટ કામગીરી પર નજર રાખવાનું શરૂ કરી દીધુ છે. સોમવારે એક મોટુ ફ્લાઈટની ઉડાનોને લગતુ એલર્ટ જારી કરવામાં આવ્યુ. આ અભૂતપૂર્વ ઘટનાને પગલે ઈન્ડિગોની કન્નુરથી અબુધાબી જઈ રહેલી ફ્લાઈટ 6E 1433ને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવી પડી. આ જ્વાળામુખી વિસ્ફોટને ઈતિહાસની સૌથી અસાધારણ ઘટનાઓમાંથી એક બતવવામાં આવી રહી છે. વિમાન સુરક્ષિત રીતે અમદાવાદ ઉતર્યુ અને ઈન્ડિગોના યાત્રિકો માટે કન્નુર વાપસીની સેવા સંચાલિત કરવાની ઘોષણા કરવાની છે. function loadTaboolaWidget() { window._taboola...
