AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશખબર : RBIના નિર્ણયની દેખાઈ અસર, BOI અને UCO બેંકે સસ્તી કરી EMI, જાણો વિગત

RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાની અસર સીધી લોન લેતા ગ્રાહકો પર જોવા મળશે. વાસ્તવમાં RBI બધી રાષ્ટ્રીય બેંકો અને ખાનગી બેંકોને લોન આપે છે, જે દરે આ લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આ ઘટાડાને કારણે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકોને ટ્રાન્સફર કરે છે.

| Updated on: Apr 09, 2025 | 10:01 PM
Share
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં ઘટાડો કરવાના નિર્ણયની અસર થોડા કલાકોમાં જ દેખાવા લાગી છે. હકીકતમાં, RBI ની મોનિટરિંગ પોલિસી મીટિંગ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી હતી, જેમાં વ્યાજ દરમાં ઘટાડા અંગે નિર્ણય લેવાનો હતો. આજે સવારે 10 વાગ્યે થયેલી આ બેઠક બાદ, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો, જેની અસર સાંજે BOI અને UCO બેંકના નિર્ણયો પર દેખાઈ.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રેપો રેટમાં ઘટાડો કરવાના નિર્ણયની અસર થોડા કલાકોમાં જ દેખાવા લાગી છે. હકીકતમાં, RBI ની મોનિટરિંગ પોલિસી મીટિંગ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી હતી, જેમાં વ્યાજ દરમાં ઘટાડા અંગે નિર્ણય લેવાનો હતો. આજે સવારે 10 વાગ્યે થયેલી આ બેઠક બાદ, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો, જેની અસર સાંજે BOI અને UCO બેંકના નિર્ણયો પર દેખાઈ.

1 / 5
રેપો રેટ ઘટાડાના થોડા કલાકોમાં જ જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકે બુધવારે ધિરાણ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી. આ જાહેર ક્ષેત્રની બેંકોના આ નિર્ણયથી તેમના હાલના અને નવા બંને પ્રકારના દેવાદારોને ફાયદો થશે.

રેપો રેટ ઘટાડાના થોડા કલાકોમાં જ જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકે બુધવારે ધિરાણ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી. આ જાહેર ક્ષેત્રની બેંકોના આ નિર્ણયથી તેમના હાલના અને નવા બંને પ્રકારના દેવાદારોને ફાયદો થશે.

2 / 5
ટૂંક સમયમાં અન્ય બેંકો તરફથી પણ આવી જ જાહેરાતો થવાની અપેક્ષા છે. બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકે શેરબજારોને આપેલી અલગ-અલગ માહિતીમાં જણાવ્યું હતું કે લોન દરમાં આ સુધારો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ટૂંકા ગાળાના લોન દર (રેપો રેટ) ઘટાડ્યા પછી કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં અન્ય બેંકો તરફથી પણ આવી જ જાહેરાતો થવાની અપેક્ષા છે. બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકે શેરબજારોને આપેલી અલગ-અલગ માહિતીમાં જણાવ્યું હતું કે લોન દરમાં આ સુધારો ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા ટૂંકા ગાળાના લોન દર (રેપો રેટ) ઘટાડ્યા પછી કરવામાં આવ્યો છે.

3 / 5
ઘટાડા પછી, બેંક ઓફ ઈન્ડિયાનો નવો રેપો આધારિત ધિરાણ દર (RBLR) અગાઉના 9.10 ટકાથી ઘટીને 8.85 ટકા થઈ ગયો છે. બેંકે જાહેરાત કરી કે નવા દર બુધવારથી અમલમાં આવશે. દરમિયાન, યુકો બેંકે જણાવ્યું હતું કે તેણે રેપો લિંક્ડ રેટ ઘટાડીને ૮.૮ ટકા કર્યો છે. નવો દર ગુરુવારથી અમલમાં આવશે. અગાઉ, RBI એ મુખ્ય પોલિસી રેટ રેપોમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 6.0 ટકા કરવાની જાહેરાત કરી હતી.

ઘટાડા પછી, બેંક ઓફ ઈન્ડિયાનો નવો રેપો આધારિત ધિરાણ દર (RBLR) અગાઉના 9.10 ટકાથી ઘટીને 8.85 ટકા થઈ ગયો છે. બેંકે જાહેરાત કરી કે નવા દર બુધવારથી અમલમાં આવશે. દરમિયાન, યુકો બેંકે જણાવ્યું હતું કે તેણે રેપો લિંક્ડ રેટ ઘટાડીને ૮.૮ ટકા કર્યો છે. નવો દર ગુરુવારથી અમલમાં આવશે. અગાઉ, RBI એ મુખ્ય પોલિસી રેટ રેપોમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 6.0 ટકા કરવાની જાહેરાત કરી હતી.

4 / 5
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાની અસર સીધી લોન લેતા ગ્રાહકો પર જોવા મળશે. વાસ્તવમાં RBI બધી રાષ્ટ્રીય બેંકો અને ખાનગી બેંકોને લોન આપે છે, જે દરે આ લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આ ઘટાડાને કારણે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકોને ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં, ઘણી અન્ય બેંકો પણ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

RBI દ્વારા રેપો રેટમાં ઘટાડાની અસર સીધી લોન લેતા ગ્રાહકો પર જોવા મળશે. વાસ્તવમાં RBI બધી રાષ્ટ્રીય બેંકો અને ખાનગી બેંકોને લોન આપે છે, જે દરે આ લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આ ઘટાડાને કારણે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકોને ટ્રાન્સફર કરે છે. આવી સ્થિતિમાં, ઘણી અન્ય બેંકો પણ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.

5 / 5

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
g clip-path="url(#clip0_868_265)">