સુપ્રીમ કોર્ટ
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.
1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.
Breaking News : WhatsApp અને Metaને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, કહ્યુ-બંધારણનું પાલન કરો,નહીંતર ભારત છોડો
ભારતીય વપરાશકર્તાઓની ગોપનીયતાને લઈને WhatsApp અને Meta ને વધતી જતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ડેટા શેરિંગ અંગે વોટ્સએપ અને મેટા પાસેથી સ્પષ્ટ સોગંદનામું માંગ્યું છે. સુપ્રીમ કોર્ટે ગોપનીયતા નીતિઓ પર કડક વલણ અપનાવતા કહ્યું છે કે ડેટા શેરિંગના નામે નાગરિકોના ગોપનીયતા અધિકારો સાથે ચેડા સહન કરવામાં આવશે નહીં.
- Tanvi Soni
- Updated on: Feb 3, 2026
- 1:36 pm
Breaking News : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ! છોકરીઓને મફત સેનિટરી પેડ મળવા જોઈએ નહીંતર સ્કૂલની માન્યતા રદ થશે
સુપ્રીમ કોર્ટે શુક્રવારે છોકરીઓ અને મહિલાઓની ગરિમા, સ્વાસ્થ્ય તેમજ સમાનતાના અત્યંત મહત્વના મુદ્દા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
- Ravi Prajapati
- Updated on: Jan 30, 2026
- 5:50 pm
Breaking News: UGCના નવા નિયમ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, કેન્દ્રને સમિતિ બનાવવા આદેશ
સુપ્રીમ કોર્ટે નવા યુજીસી નિયમો પર સ્ટે આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ નજરે, નિયમોની ભાષા અસ્પષ્ટ લાગે છે. તેથી, દુરુપયોગ અટકાવવા માટે તપાસની જરૂર છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નિયમો પ્રથમ નજરમાં સ્પષ્ટ નથી અને તેનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે યુનિયનને નિયમો ફરીથી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યાં સુધી તેમની કામગીરી અટકાવી હતી.
- Sachin Agrawal
- Updated on: Jan 29, 2026
- 2:26 pm
ઉત્પીડનના નામે દુરપયોગ નહીં થવા દેવાય, યુજીસી વિવાદ પર શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની સાફ વાત
નવા યુજીસી નિયમને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ બાબતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈની સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. તો બીજી બાજૂ, સુપ્રીમ કોર્ટમાં નિયમોની "જાતિ આધારિત ભેદભાવની બિન-સમાવેશક વ્યાખ્યા" ને પડકારતી અરજી દાખલ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 27, 2026
- 8:43 pm
કાનુની સવાલ : શું છે રોમિયો-જુલિયટ ક્લોઝ, જેને POCSOમાં સામેલ કરવા માંગે છે સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે POCSOએ બાળકોના રક્ષણ માટે ન્યાયનું સૌથી ગંભીર અભિવ્યક્તિ છે, પરંતુ તેના વધતા દુરુપયોગને હવે અવગણી શકાય નહીં.
- Nirupa Duva
- Updated on: Jan 27, 2026
- 6:45 am
કાનુની સવાલ : 65 દિવસના લગ્ન અને 13 વર્ષ પછી દંપતીએ એકબીજા સામે 40 કેસ દાખલ કર્યા સુપ્રીમ કોર્ટ પણ મૂંઝવણમાં મુકાઈ
સુપ્રીમ કોર્ટે 65 દિવસ સાથે રહેનાર દંપતિના 13 વર્ષ ચાલેલી કાનુની લડાઈ પર નિર્ણય સંભળાવ્યો હતો અને છૂટાછેડાને મંજૂરી આપી હતી. કોર્ટે બંન્ને પર 10-10 હજારનો દંડ ફટકાર્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jan 23, 2026
- 7:09 am
શું મોતની સજા માટે ફાંસી જેવી પીડાદાયક પદ્ધતિને બદલે લીથલ ઈન્જેક્શન લાવવુ જોઈએ? સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં મોતની સજા માટે ફાંસીના બદલે ઓછી પીડાદાયક પદ્ધતિ લાવવાની યાચિકા પર સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળી. કોર્ટે સુનાવણી બાદ તેનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
- Mina Pandya
- Updated on: Jan 22, 2026
- 6:20 pm
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ પછી પણ ભરણપોષણ મેળવવા માટે હકદાર
જસ્ટિસ પંકજ મિથલ અને એસ વી એન ભટ્ટીની બેન્ચે કહ્યું કે, કાયદાની કલમ 22 આશ્રિતોના ભરણપોષણની જોગવાઈ કરે છે અને આ કલમ મૃતક હિન્દુના તમામ વારસદારો પર વારસામાં મળેલી મિલકતમાંથી મૃતકના આશ્રિતોનું ભરણપોષણ કરવાની જવાબદારી લાદે છે અને આમાં વિધવા બનેલી પુત્રવધૂનો પણ સમાવેશ થાય છે.
- Nirupa Duva
- Updated on: Jan 15, 2026
- 7:22 am
Breaking News : કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિક જવાબદાર રહેશે,જાણો સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું?
જો કૂતરા કરડવાથી મૃત્યુ થાય, તો રાજ્ય સરકારોને મોટું વળતર ચૂકવવું પડી શકે છે.આ સાથે કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિકો જવાબદાર રહેશે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું તે જાણો?
- Nirupa Duva
- Updated on: Jan 13, 2026
- 2:36 pm
Breaking News : SC અને ST અનામતમાં ક્રીમી લેયરને લાભ ના મળવો જોઈએ, અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગતી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે SC અને ST અનામતમાંથી ક્રીમી લેયરને દૂર કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. અરજદારો ઇચ્છે છે કે, સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ના મળવો જોઈએ, અને સુપ્રીમ કોર્ટે આવું કરવા માટે જરૂરી નિર્દેશો આપવા જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Jan 12, 2026
- 6:33 pm
Breaking News : ચૂંટણી કમિશનર સામે કેસ ના કરી શકવાના અધિકારને પડકારાયો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર- ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે, ચૂંટણી કમિશનર સામેની ન્યાયીક કાર્યવાહીથી આજીવન મુક્તિ આપતા કાયદાની માન્યતા ચકાસવા માટેની સંમતિ આપી છે. વર્ષ 2023 માં પસાર થયેલો આ કાયદો, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને તેમની સત્તાવાર કાર્યવાહી માટે ન્યાયીક કાર્યવાહી કાર્યવાહી સામે રક્ષણ આપે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 12, 2026
- 1:49 pm
કાનુની સવાલ: પત્ની પાસેથી ઘર ખર્ચનો હિસાબ માંગવો ગુનો છે કે નહીં, શું કહે છે કાયદો?
પતિ-પત્ની ઘણીવાર ઘણા મુદ્દાઓ પર ઝઘડો કરે છે. ક્યારેક ઘરના ખર્ચનો હિસાબ માંગવાથી પણ ઉગ્ર દલીલ થઈ શકે છે. આવા જ એક વિવાદમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. પ્રશ્ન એ છે કે શું પત્ની પાસેથી હિસાબ માંગવો એ ગુનો છે?
- Meera Kansagara
- Updated on: Jan 12, 2026
- 10:05 am
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, અનામત લીધા પછી નહિ મળે જનરલ કેટેગરીના લાભ
જો કોઈ ઉમેદવાર અનામત શ્રેણીની છૂટનો લાભ લે છે, તો તેઓ અંતિમ ક્રમમાં સામાન્ય શ્રેણીની બેઠકનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. જાણો સંપૂર્ણ કેસ.
- Sachin Agrawal
- Updated on: Jan 11, 2026
- 7:38 pm
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે, કેન્દ્ર-રાજ્ય સરકારોને ફટકારી નોટિસ
અરવલ્લી પર્વતોની સુપ્રીમ કોર્ટે કરેલી વ્યાખ્યા અંગે વિવાદ સર્જાતા, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સુઓ મોટો લીધું. ગત 20 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ હાથ ધરાશે.
- TV9 Gujarati
- Updated on: Dec 29, 2025
- 5:08 pm
પત્ની વારંવાર મરી જવાની ધમકી આપે તો… પતિ તેને ઘરમાંથી બહાર કાઢી શકે? શું કહે છે કાયદો?
રોજિંદા જીવનમાં આપણે જોયુ હશે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય તો પત્ની રિસામણે પિયર જતી રહે છે, જો કે કેટલાક કિસ્સામાં એવુ પણ બને છે કે પતિ અણબનાવ થયા બાદ પત્નીને ઘરમાંથી કાઢી મુકે છે તો સવાલ એ છે કે શું પતિ પત્નીને ઘરમાંથી બહાર કાઢી શકે કે નહીં. આવો જાણીએ
- Mina Pandya
- Updated on: Dec 28, 2025
- 1:54 pm