સુપ્રીમ કોર્ટ
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.
1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.
Breaking News : પયગંબર મોહમ્મદ પર કથિત વાંધાજનક ટિપ્પણીવાળા ‘વીડિયો’ હટાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે ફગાવી ‘અરજી’
સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ અને વીડિયો અંગે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય લીધો છે. પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીઓ ધરાવતા વીડિયોના પ્રસાર પર પ્રતિબંધ મુકવાની માંગ કરતી જાહેર હિતની અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
- Ravi Prajapati
- Updated on: Jul 15, 2026
- 3:44 pm
‘મન્નત’ માં ચાલુ રહેશે કન્સ્ટ્રક્શનનું કામ, સુપ્રીમ કોર્ટ તરફથી શાહરૂખ ખાનને મળી બહુ મોટી રાહત
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ફેમસ બંગલા 'મન્નત' માં બે વધારાના માળ બાંધવાની મંજૂરીને એક સામાજિક કાર્યકર્તાએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે આ અરજીને સખત શબ્દોમાં ફગાવી દઈને કિંગ ખાનના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jul 14, 2026
- 9:34 pm
શાળાઓમાં સેક્સ એજ્યુકેશન માટે કેન્દ્ર સરકાર તૈયાર.. સુપ્રીમ કોર્ટની મંજૂરીની રાહ !
દેશમાં સેક્સ એજ્યુકેશનને લઈને વર્ષોથી ચાલી આવતી હીનભાવના અને સંકોચ હવે ટૂંક સમયમાં જ દૂર થઈ શકે છે. કેન્દ્ર સરકારે દેશભરની શાળાઓના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશનનો સમાવેશ કરવાની મજબૂત તૈયારી કરી લીધી છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ આ અંગે મોટો ખુલાસો કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jul 14, 2026
- 5:36 pm
Breaking News : તહેવારોમાં મોંઘી ફ્લાઈટ ટિકિટ પર સુપ્રીમ કોર્ટનું આકરુ વલણ, કેન્દ્રને 2 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યુ
સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે નિયમોની નકલ બે અઠવાડિયામાં તેને રજૂ કરવામાં આવે. આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટના રોજ થશે. આ કેસની સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી.
- Nirupa Duva
- Updated on: Jul 14, 2026
- 8:35 am
3 મોટા મંદિર-મસ્જિદ વિવાદોમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતાની દરખાસ્ત ફગાવી, હવે કોર્ટમાં જ થશે કાનૂની જંગ
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ અને સંભલની મસ્જિદના વિવાદોને કોર્ટની બહાર પરસ્પર સમજૂતીથી ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની દરખાસ્ત મૂકી હતી. જો કે, બંને પક્ષોના અરજદારોએ આ ઓફરને સખત શબ્દોમાં નકારી કાઢીને કોર્ટમાં જ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.
- Sachin Agrawal
- Updated on: Jul 13, 2026
- 9:03 pm
કાનુની સવાલ : શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો ઘરજમાઈ બનવાનો દાવો કરવાથી કોઈ વ્યક્તિની સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચાલો જાણીએ
- Nirupa Duva
- Updated on: Jul 10, 2026
- 1:55 pm
કાનુની સવાલ : ફૂટપાથ પર ચાલવું એ વાહનોના વિશેષાધિકારથી ઉપર, મૂળભૂત અધિકાર છે : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 19(1)(d) હેઠળ ફૂટપાથ પર ચાલવાના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કર્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ અધિકાર મોટર વાહનોના વિશેષાધિકારથી આગળ વધે છે. ન્યાયાધીશ પી.એસ. નરસિંહાએ જણાવ્યું હતું કે નગરપાલિકાઓની ફરજ છે કે તેઓ સુરક્ષિત ફૂટપાથ જાળવી રાખે.
- Nirupa Duva
- Updated on: Jun 21, 2026
- 11:25 am
Breaking News : અમદાવાદ ISKCON બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જેલમુક્તિ, શરતી જામીન મળ્યા, જુઓ Video
અમદાવાદના ISKCON બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. નવ લોકોના મોત માટે જવાબદાર તથ્ય પટેલની જેલમુક્તિ પ્રક્રિયા સાબરમતી જેલમાંથી મુક્ત થયો છે.
- Sagar Solanki
- Updated on: Jun 3, 2026
- 7:15 pm
અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલાશે ? સુપ્રીમ કોર્ટે રચી 5 નિષ્ણાત સભ્યોની સમિતિ
અરવલ્લી પર્વતોની વ્યાખ્યા શું હોવી જોઈએ તે નક્કી કરવા માટે, સુપ્રીમ કોર્ટે 5 સભ્યોની ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય અરવલ્લી પર્વતોના કાર્યક્ષેત્રને સ્પષ્ટ કરવાનો અને ગેરકાયદેસર ખાણકામ અને પર્યાવરણીય અધોગતિ બંનેને રોકવાનો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 3, 2026
- 5:06 pm
કાનુની સવાલ: સૂર્યપ્રકાશથી બચવા માટે કારમાં લગાવાતી કાળી ફિલ્મના જાણો શું છે નિયમો અને ચલણ કેટલું છે?
કારની બારીઓ પર કાળી અથવા રંગીન ફિલ્મ લગાવવાથી ભારતમાં કાનૂની મુશ્કેલી ઊભી થઈ શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, કાર ખરીદ્યા પછી તેના બાહ્ય ભાગ પર કોઈપણ પ્રકારની કાળી અથવા રંગીન ફિલ્મ લગાવવી ગેરકાયદેસર છે. આ કાયદો માર્ગ સલામતી સુધારવા અને ગુના અટકાવવા માટે લાગુ કરવામાં આવ્યો છે. કાળી ફિલ્મ રાત્રિના સમયે દૃશ્યતા ઘટાડે છે અને અકસ્માતોનું જોખમ વધારે છે. આ નિયમનું ઉલ્લંઘન કરવાથી દંડ, ફિલ્મ દૂર થઈ શકે છે અને વીમા દાવાઓ પર પણ અસર થઈ શકે છે.
- Meera Kansagara
- Updated on: May 30, 2026
- 7:00 am
દેશની તમામ હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 3 મહિનામાં પડતર કેસના ચુકાદા જાહેર કરો, જામીન આપવા અંગેના કેસમાં પણ કર્યા આદેશ
સુપ્રીમ કોર્ટે ચુકાદાઓ જાહેર કરવામાં થતો વિલંબ અટકાવવા માટે, તમામ હાઇકોર્ટને કડક નિર્દેશો કર્યા છે. કલમ 142 હેઠળ પોતાની સત્તાઓનો ઉપયોગ કરીને, ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે આદેશ આપ્યો કે, બાકી ચુકાદાઓ ત્રણ મહિનાની અંદર આપવામાં આવે. તેમાં વધુમાં એવી શરત મૂકવામાં આવી હતી કે, જામીન સંબંધિત આદેશો તે જ દિવસે અથવા તેના પછીના બીજા દિવસે જાહેર કરવા જોઈએ.
- TV9 Gujarati
- Updated on: May 29, 2026
- 2:43 pm
Breaking News : 100, 101 કે 108 નહીં.. હવે દેશમાં ઈમરજન્સી માટે રહેશે માત્ર આ એક જ નંબર, તમામ રાજ્યને નિયમ લાગુ
ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો અંગે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. આ નિર્દેશ દેશભરના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લાગુ પડે છે, જેમાં ત્રણ મહિનાની અંદર પાલન સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
- Devankashi rana
- Updated on: May 29, 2026
- 8:36 am
Breaking News : સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચની મોટી જીત, SIR કરાવવાનો ચૂંટણી પંચનો અધિકાર
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે બિહારમાં SIR કરીને જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કર્યું નથી, કારણ કે આવી કવાયત મતદાર યાદીની ચોકસાઈ સુનિશ્ચિત કરે છે
- Nirupa Duva
- Updated on: May 27, 2026
- 11:45 am
માતા-પિતા બંને IAS હોય તો બાળકોને અનામત કેમ? સુપ્રીમ કોર્ટની ટિપ્પણીથી ઓબીસી ‘ક્રીમી લેયર’ અંગે દેશભરમાં છેડાઈ મોટી ચર્ચા
ઓબીસી અનામતનો લાભ ખરેખર કોને મળવો જોઈએ અને કોને નહીં? કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ક્રીમી લેયરના નિયમો પર આકરા સવાલો ઉઠાવ્યા છે.
- Sachin Agrawal
- Updated on: May 23, 2026
- 8:57 pm
હડકાયા અને હિંસક શ્વાન અંગે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં !
અમદાવાદમાં રખડતા શ્વાનના ત્રાસને ડામવા માટે એએમસી (AMC) દ્વારા કડક ઓપરેશન શરૂ કરાયું છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ બાદ શહેરમાં નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે.
- TV9 Gujarati
- Updated on: May 20, 2026
- 9:09 pm