સુપ્રીમ કોર્ટ
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.
1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ પછી પણ ભરણપોષણ મેળવવા માટે હકદાર
જસ્ટિસ પંકજ મિથલ અને એસ વી એન ભટ્ટીની બેન્ચે કહ્યું કે, કાયદાની કલમ 22 આશ્રિતોના ભરણપોષણની જોગવાઈ કરે છે અને આ કલમ મૃતક હિન્દુના તમામ વારસદારો પર વારસામાં મળેલી મિલકતમાંથી મૃતકના આશ્રિતોનું ભરણપોષણ કરવાની જવાબદારી લાદે છે અને આમાં વિધવા બનેલી પુત્રવધૂનો પણ સમાવેશ થાય છે.
- Nirupa Duva
- Updated on: Jan 15, 2026
- 7:22 am
Breaking News : કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિક જવાબદાર રહેશે,જાણો સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું?
જો કૂતરા કરડવાથી મૃત્યુ થાય, તો રાજ્ય સરકારોને મોટું વળતર ચૂકવવું પડી શકે છે.આ સાથે કૂતરા કરડવાથી ઈજા કે મૃત્યુ થાય તો કૂતરાનો માલિકો જવાબદાર રહેશે સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણીમાં શું થયું તે જાણો?
- Nirupa Duva
- Updated on: Jan 13, 2026
- 2:36 pm
Breaking News : SC અને ST અનામતમાં ક્રીમી લેયરને લાભ ના મળવો જોઈએ, અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગતી સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે SC અને ST અનામતમાંથી ક્રીમી લેયરને દૂર કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. અરજદારો ઇચ્છે છે કે, સમૃદ્ધ લોકોને અનામતનો લાભ ના મળવો જોઈએ, અને સુપ્રીમ કોર્ટે આવું કરવા માટે જરૂરી નિર્દેશો આપવા જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Jan 12, 2026
- 6:33 pm
Breaking News : ચૂંટણી કમિશનર સામે કેસ ના કરી શકવાના અધિકારને પડકારાયો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર- ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે, ચૂંટણી કમિશનર સામેની ન્યાયીક કાર્યવાહીથી આજીવન મુક્તિ આપતા કાયદાની માન્યતા ચકાસવા માટેની સંમતિ આપી છે. વર્ષ 2023 માં પસાર થયેલો આ કાયદો, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોને તેમની સત્તાવાર કાર્યવાહી માટે ન્યાયીક કાર્યવાહી કાર્યવાહી સામે રક્ષણ આપે છે.
- TV9 Gujarati
- Updated on: Jan 12, 2026
- 1:49 pm
કાનુની સવાલ: પત્ની પાસેથી ઘર ખર્ચનો હિસાબ માંગવો ગુનો છે કે નહીં, શું કહે છે કાયદો?
પતિ-પત્ની ઘણીવાર ઘણા મુદ્દાઓ પર ઝઘડો કરે છે. ક્યારેક ઘરના ખર્ચનો હિસાબ માંગવાથી પણ ઉગ્ર દલીલ થઈ શકે છે. આવા જ એક વિવાદમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. પ્રશ્ન એ છે કે શું પત્ની પાસેથી હિસાબ માંગવો એ ગુનો છે?
- Meera Kansagara
- Updated on: Jan 12, 2026
- 10:05 am
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, અનામત લીધા પછી નહિ મળે જનરલ કેટેગરીના લાભ
જો કોઈ ઉમેદવાર અનામત શ્રેણીની છૂટનો લાભ લે છે, તો તેઓ અંતિમ ક્રમમાં સામાન્ય શ્રેણીની બેઠકનો દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. જાણો સંપૂર્ણ કેસ.
- Sachin Agrawal
- Updated on: Jan 11, 2026
- 7:38 pm
અરવલ્લીને લઈને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા પોતાના જ ચુકાદા સામે આપ્યો સ્ટે, કેન્દ્ર-રાજ્ય સરકારોને ફટકારી નોટિસ
અરવલ્લી પર્વતોની સુપ્રીમ કોર્ટે કરેલી વ્યાખ્યા અંગે વિવાદ સર્જાતા, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સુઓ મોટો લીધું. ગત 20 નવેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતો અને પર્વતમાળાઓની એક સમાન વ્યાખ્યા સ્વીકારી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ નિર્ણય પર સ્ટે આપ્યો છે. આ કેસમાં આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ હાથ ધરાશે.
- TV9 Gujarati
- Updated on: Dec 29, 2025
- 5:08 pm
પત્ની વારંવાર મરી જવાની ધમકી આપે તો… પતિ તેને ઘરમાંથી બહાર કાઢી શકે? શું કહે છે કાયદો?
રોજિંદા જીવનમાં આપણે જોયુ હશે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય તો પત્ની રિસામણે પિયર જતી રહે છે, જો કે કેટલાક કિસ્સામાં એવુ પણ બને છે કે પતિ અણબનાવ થયા બાદ પત્નીને ઘરમાંથી કાઢી મુકે છે તો સવાલ એ છે કે શું પતિ પત્નીને ઘરમાંથી બહાર કાઢી શકે કે નહીં. આવો જાણીએ
- Mina Pandya
- Updated on: Dec 28, 2025
- 1:54 pm
કાનુની સવાલ : બીજા ધર્મમાં લગ્ન કરતી દીકરીઓને ચેતવણી, સુપ્રીમ કોર્ટ આપ્યો પિતાનો સાથ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પિતા પોતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરનારી પુત્રીને પોતાની સ્વ-કમાણી કરેલી મિલકતમાંથી હક છીનવી શકે છે. પિતાને પોતાની મિલકત કોઈપણને આપવાનો અધિકાર છે. આ ચુકાદો પૈતૃક સંપત્તિની મિલકત પર લાગુ પડતો નથી.
- Nirupa Duva
- Updated on: Dec 26, 2025
- 6:59 am
કાનુની સવાલ : દેશમાં ઈચ્છામૃત્યુ અંગેના નિયમો અને કાયદા શું છે? શું આત્મહત્યા પણ આ જ દાયરામાં આવે છે? જાણો
સુપ્રીમ કોર્ટે કહ્યું, "રિપોર્ટ્સ અને ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ થાય છે કે હરીશ રાણાની હાલત દયનીય છે. તેથી, આપણે ઈચ્છામૃત્યુ પ્રક્રિયાના આગલા તબક્કામાં આગળ વધવું જોઈએ. તો ચાલો આજે આપણે જાણીએ ઈચ્છામૃત્યુ અંગેનો કાનુન શું છે.
- Nirupa Duva
- Updated on: Dec 21, 2025
- 12:40 pm
ગુજરાત સહિત આ રાજ્યો રણમાં ફેરવાઈ જશે ! સુપ્રિમકોર્ટના એક ચુકાદાથી વધી હતી ચિંતા, જાણો
તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં ખાણકામને મંજૂરી આપી હતી. જોકે આ બાદ ફરી નિર્ણયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે આવું થાય તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ નહીં કરી શકાય.
- Sagar Solanki
- Updated on: Dec 19, 2025
- 9:20 pm
છૂટાછેડાનો અનોખો મામલો: પત્નીનો ભરણપોષણથી ઇનકાર, સાસુનું બ્રેસલેટ પણ પરત કર્યું
સુપ્રીમ કોર્ટમાં છૂટાછેડાનો એક દુર્લભ કેસ સામે આવ્યો છે, જેમાં પત્નીએ માત્ર ભરણપોષણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો એટલું જ નહીં, પરંતુ તેની સાસુની બંગડીઓ પણ પરત કરી દીધી હતી.
- Sachin Agrawal
- Updated on: Dec 12, 2025
- 10:42 am
એસિડ હુમલાખોરો હવે ખેર નહીં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમના પર ‘હત્યાના પ્રયાસ’નો કેસ ચલાવવો જોઈએ
એસિડ હુમલાના કેસોમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બળજબરીથી એસિડ પીનારા ગુનેગારો પર ફક્ત ગંભીર ઈજા પહોંચાડવાના આરોપને બદલે હત્યાના પ્રયાસ (કલમ 307) હેઠળ કેસ ચલાવવો જોઈએ.
- Sachin Agrawal
- Updated on: Dec 12, 2025
- 10:36 am
કાનુની સવાલ : બાંગ્લાદેશ ડિપોર્ટ કરાયેલી ગર્ભવતી મહિલાને ભારત પાછા ફરવાની મંજૂરી કેમ મળી ? શું કહે છે ભારતનો નિર્વાસન કાનુન જાણો
સુપ્રીમ કોર્ટે એક પ્રેગ્નેટ મહિલાને બાંગલાદેશથી ભારત પરત ફરવાની મંજૂરી આપી છે. આ મહિલા તેના 8 વર્ષના દીકરા સાથે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાની શંકાના આધારે સાથે બાંગ્લાદેશ મોકલવામાં આવી હતી. સમગ્ર કેસ વિશે જાણો
- Nirupa Duva
- Updated on: Dec 7, 2025
- 7:27 am
ગુજરાત સહિત દેશભરમાં SIR દરમિયાન BLO ના અપમૃત્યુ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, રાજ્યોને આપ્યા કડક નિર્દેશ
ગુજરાત સહિત દેશના જે-જે રાજ્યોમાં SIR ની કામગીરી ચાલી રહી છે ત્યાંથી કામના ભારણને કારણે એક બાદ એક BLOના મોત થઈ રહ્યા છે. કેટલાક તો વળી કામના બોજાને કારણે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે દેશની સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યોને BLOનું ભારણ ઓછુ કરવાના કડક નિર્દેશ આપ્યા છે.
- Mina Pandya
- Updated on: Dec 4, 2025
- 4:46 pm