સુપ્રીમ કોર્ટ
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.
1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.
Breaking News: યુદ્ધ છોડો… હવે મેદાનમાં વેદાંતા Vs અદાણી ! જેપી ગ્રુપના ‘સામ્રાજ્ય’ માટે સુપ્રીમ કોર્ટમાં જંગ
બિઝનેસ જગતમાં અત્યારે જેપી ગ્રુપના (JAL) માલિકી હક માટે અદાણી અને વેદાંતા આમને-સામને આવી ગયા છે. જેપી ગ્રુપના અધિગ્રહણ માટે વેદાંતા ગ્રુપે અદાણી કરતા ₹2,500 કરોડ જેટલી ઊંચી બોલી લગાવી હોવા છતાં લેણદારોએ અદાણી ગ્રુપના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ નિર્ણયથી નારાજ થઈને વેદાંતા ગ્રુપે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
- Ravi Prajapati
- Updated on: Mar 31, 2026
- 4:33 pm
Breaking News : ધર્મ બદલવાની સાથે જ સમાપ્ત થઈ જશે….., SC-ST દરજ્જાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
SC-ST ને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મ અપનાવે છે, તો તેઓ અનુસૂચિત જાતિના સભ્ય નહીં રહે.
- TV9 Gujarati
- Updated on: Mar 24, 2026
- 2:28 pm
કાનુની સવાલ : જો પત્ની બીજા પુરુષ સાથે ભાગી જાય, તો હેબિયસ કોર્પસ અરજી ઉકેલ ન હોઈ શકે : મદ્રાસ હાઇકોર્ટ
કોર્ટે આખરે પોલીસને ગુમ થયેલી મહિલા અને બાળકોને શોધી કાઢવા અને તેમને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.અરજી કરનારની ફરિયાદ અનુસાર એક ગુમ મહિલાની એફઆઈઆર 7 માર્ચ 2026ના રોજ દાખલ થઈ હતી
- Nirupa Duva
- Updated on: Mar 22, 2026
- 6:36 am
કાનુની સવાલ : વિદેશી કોર્ટમાંથી છૂટાછેડા ભારતમાં માન્ય નથી ! સુપ્રીમ કોર્ટે કલમ 142 હેઠળ લગ્નને રદ કર્યા
સુપ્રીમ કોર્ટે એમેરિકી કોર્ટ તરફથી આપેલા છુટાછેડાના નિર્ણયને સ્વીકારવાની ના પાડી છે. આ સાથે એ પણ જોયું કે, પતિ-પત્ની 2008થી અલગ રહે છે. એટલે કે, અંદાજે 18 વર્ષથી તેનો કોઈ સંબંધ ન હતો.આને જોઈ સુપ્રીમ કોર્ટે તેના લગ્ન તોડ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Mar 20, 2026
- 7:09 am
Breaking News સાપના ઝેરના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની FIR ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે એલ્વિશ સામે વીડિયો શૂટમાં સાપના ઝેરનો ઉપયોગ કરવા અને ડ્રગ્સનું સેવન કરતી રેવ પાર્ટીઓમાં હાજરી આપવા બદલ ફોજદારી કાર્યવાહી રદ કરી દીધી છે. કોર્ટે મર્યાદિત કાનૂની મુદ્દાઓના આધારે એફઆઈઆર કાયદેસર રીતે માન્ય ન હોવાનું જણાવ્યું હતું.
- Nirupa Duva
- Updated on: Mar 19, 2026
- 3:27 pm
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો એક મોટો નિર્ણય, બાળકોને દત્તક લેનાર માતાને મેટરનિટી લીવ મળશે
સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બાળકને દત્તક લેનારી મહિલાઓને મેટરનિટી લીવ પર આ ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.તેને માનવ અધિકાર ગણાવતા કોર્ટે કહ્યું કે દત્તક લેવાયેલું બાળક જૈવિક બાળકથી અલગ નથી.
- Nirupa Duva
- Updated on: Mar 17, 2026
- 2:45 pm
કાનુની સવાલ : લિવિંગ વિલ શું છે ? જાણો શું કહે છે કાનુન
લિવિંગ વીલ એ એક ડોક્યુમેન્ટ છે. જે દર્શાવે છે કે ભવિષ્યમાં જ્યારે તમે તમારા પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ થશો ત્યારે તમારી આરોગ્ય સંભાળનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Mar 16, 2026
- 9:18 am
Breaking News : OBC અનામત પર સુપ્રીમ કોર્ટે કહ્યુંઃ માત્ર આવકના આધારે જ ક્રીમી લેયર નક્કી ના કરી શકાય
આવક ઉપરાંત, ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા વ્યક્તિઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ, સશસ્ત્ર દળોમાં વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓના બાળકોને પણ ક્રીમી લેયર શ્રેણીમાં ગણવામાં આવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 12, 2026
- 2:58 pm
NCERT પુસ્તકમાં ‘કોર્ટમાં ભ્રષ્ટાચાર’ પ્રકરણ પર સુપ્રીમ કોર્ટ કડક, ત્રણ લેખકો સામે કાર્યવાહી
NCERT ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં અદાલતો પરના વિવાદાસ્પદ પ્રકરણના સમાવેશ સામે સુપ્રીમ કોર્ટે કડક કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે પુસ્તક લખનારા ત્રણ લેખકો સામે કાર્યવાહી કરી છે અને તેમને સરકારી ફરજોમાંથી સસ્પેન્ડ કર્યા છે.
- Meera Kansagara
- Updated on: Mar 12, 2026
- 9:21 am
કાનુની સવાલ : ભારતમાં પહેલી વખત ઈચ્છામૃત્યુને મળી મંજૂરી, ચાલો શું હોય છે Euthanasia? કાનુન વિશે જાણો
ભારતમાં ઈચ્છામૃત્યુને લઈ સુપ્રીમકોર્ટેનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ચાલો ઈચ્છા મૃત્યુ શું છે. ભારતમાં તેના કાનુન શું કહે છે અને દુનિયાના ક્યાં દેશમાં આની પરવાનગી છે. તેના વિશે કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Mar 12, 2026
- 6:55 am
Breaking News : પહેલી વખત ઈચ્છામૃત્યુને મંજૂરી મળી, ચુકાદો આપતી વખતે SCના ન્યાયાધીશ ભાવુક થયા
13 વર્ષથી કોમામાં રહેલા 31 વર્ષના હરીશ રાણા પથારીવશ છે. હરીશ રાણાના પરિવાર દ્વારા "તેમની સારવાર બંધ કરવા" માટે કરાયેલી અરજી પર ચુકાદો સામે આવ્યો છે. પહેલી વાર 'ઇચ્છામૃત્યુ'ને મંજૂરી મળી, હરીશ રાણા કેસમાં ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પારડીવાલા ભાવુક થયા હતા.
- Nirupa Duva
- Updated on: Mar 11, 2026
- 11:48 am
Breaking News : સમાન નાગરિક ધારો લાગુ કરવાનો સમય આવી ગયો, સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું આપણે પર્સનલ લો પર આધારિત તમામ દ્વિવિવાહ સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ કે નહીં તેથી, મૂળભૂત ફરજોને અમલમાં મૂકવા માટે આપણે વિધાયિકા પર નિર્ભર રહેવું પડશે. સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું કે, સાચુ જ કહેવાય છે કે આનો જવાબ સમાન નાગરિક ધારામાં રહેલો છે.
- TV9 Gujarati
- Updated on: Mar 10, 2026
- 2:11 pm
Viral News: 5 રાજ્યોમાંથી ગાયબ થયેલા 75,000 ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા; CBI તપાસમાં ‘ધર્મ પરિવર્તન’ ના ષડયંત્રનો પર્દાફાશ!
દેશના વિવિધ રાજ્યોમાંથી ગાયબ થયેલા હજારો બાળકોના મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં હચમચાવી દે તેવી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કિડનેપ કરીને કેરળના અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા.
- Sachin Agrawal
- Updated on: Mar 9, 2026
- 8:08 pm
કાનુની સવાલ : ભરણપોષણ ન ચૂકવવા બદલ સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો, પતિના પગારમાંથી 25,000 રૂપિયા કાપવામાં આવશે
સુપ્રીમકોર્ટે એક મહત્વના આદેશમાં કંપનીના કર્મચારીના પગારમાંથી 25,000 કાપીને પત્નીના ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જાણો કોર્ટે આ આદેશ કેમ આપ્યો શું છે સમગ્ર મામલો.
- Nirupa Duva
- Updated on: Mar 6, 2026
- 2:47 pm
કાનુની સવાલ: લિવ-ઇન રિલેશનશિપ ગુનો છે? જાણો ભારતીય કાનૂન શું કહે છે અને કયા અધિકારો મળે છે
કાનુની સવાલ: આજના આધુનિક સમયમાં લિવ-ઇન રિલેશનશિપ સામાન્ય ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા યુવાનો લગ્ન પહેલાં એકબીજાને સમજવા માટે સાથે રહેવાનું પસંદ કરે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું લિવ-ઇન રિલેશનશિપમાં રહેવું ભારતમાં ગુનો ગણાય છે?
- Meera Kansagara
- Updated on: Mar 3, 2026
- 1:24 pm