સુપ્રીમ કોર્ટ
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.
1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.
ગુજરાત સહિત દેશભરમાં SIR દરમિયાન BLO ના અપમૃત્યુ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, રાજ્યોને આપ્યા કડક નિર્દેશ
ગુજરાત સહિત દેશના જે-જે રાજ્યોમાં SIR ની કામગીરી ચાલી રહી છે ત્યાંથી કામના ભારણને કારણે એક બાદ એક BLOના મોત થઈ રહ્યા છે. કેટલાક તો વળી કામના બોજાને કારણે આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે દેશની સુપ્રીમ કોર્ટે BLOના મૃત્યુ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યોને BLOનું ભારણ ઓછુ કરવાના કડક નિર્દેશ આપ્યા છે.
- Mina Pandya
- Updated on: Dec 4, 2025
- 4:46 pm
Breaking News : મંદિરમાં પ્રવેશવાનો કર્યો ઇનકાર, ખ્રિસ્તી આર્મી ઓફિસરની ગઈ નોકરી, CJI સૂર્યકાંતએ લીધો મોટો નિર્ણય
મંગળવારે સુપ્રીમ કોર્ટે ખ્રિસ્તી આર્મી ઓફિસરની બરતરફીને સમર્થન આપ્યું. સેમ્યુઅલ કમલેશને, એક આર્મી ઓફિસર, તેમની રેજિમેન્ટની સાપ્તાહિક ધાર્મિક પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા.
- Disha Thakar
- Updated on: Nov 26, 2025
- 9:52 am
દેશના નવા CJI સૂર્યકાંત, જાણો તેમને હવે કેટલો પગાર મળશે?
ન્યાયાધીશ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. જોકે હવે તમને એ જણાવીશું કે આખરે તેમને કેટલો પગાર મળશે.
- Sagar Solanki
- Updated on: Nov 24, 2025
- 6:49 pm
કાનુની સવાલ : મહિલા તમારો વાળ પણ વાંકો નહી કરી શકે, આ છે પુરુષોના અધિકાર
જે રીતે વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેવી જ રીતે નવેમ્બર મહિનાની 19 તારીખે ઈન્ટરનેશનલ મેન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આજે આપણે મહિલાના અધિકારો નહી પરંતુ પુરુષોના કેટલાક એવા અધિકારો વિશે વાત કરીશું જેના વિશે તેમને જાણ હોવી જોઈએ.
- Nirupa Duva
- Updated on: Nov 22, 2025
- 7:29 am
કાનુની સવાલ : પત્નીના કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે પતિ તણાવમાં, હાઇકોર્ટમાં છૂટાછેડાની માંગ કરી
અમદાવાદમાં એક પતિએ પત્ની પર ક્રુરતાનો આરોપ લગાવતા છુટાછેડા માંગ્યા છે. પતિનું કહેવું છે કે, પત્ની કૂતરો ઘરે લાવી હતી. આ સમગ્ર વાતની ફેમિલી કોર્ટે અરજી ફગાવી દીધા બાદ હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
- Nirupa Duva
- Updated on: Nov 16, 2025
- 11:05 am
કાનુની સવાલ : ફ્લેટ ખરીદ્યા પછી પત્ની ભાડા માટે ભરણપોષણ મેળવવા હકદાર નથી: દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે 6 નવેમ્બર 2025ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાથી મહિલાઓના રક્ષણ અધિનિયમ,2005 (ડીવી એક્ટ) હેઠળ વૈકલ્પિક રહેઠાણ (ભાડા) માટે વચગાળાનું ભરણપોષણ મેળવતી પત્ની, પોતાનો ફ્લેટ ખરીદ્યા પછી, ઉપરોક્ત રકમ મેળવવા માટે હકદાર નથી.
- Nirupa Duva
- Updated on: Nov 15, 2025
- 6:47 am
કાનુની સવાલ : પોલીસે ધરપકડના કયા નિયમોનું પાલન કરવું પડે છે? જાણો શું કહે છે કાનુન
ધરપકડને લઈ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં અનેક વાત કરી છે. કોર્ટનું કહેવું છે કે, જો પોલીસ કોઈની ધરપકડ કરે છે, તો તેમણે કારણ વિશે લેખિત માહિતી આપવી પડશે. ધરપકડ કરાયેલ વ્યક્તિને આ માહિતીની નકલ પરિવારના સભ્ય અથવા મિત્ર સાથે શેર કરવાનો અધિકાર છે. હવે, પ્રશ્ન એ છે કે ધરપકડ અંગેના નિયમો શું છે અને પોલીસે શું ધ્યાનમાં લેવાની જરૂર છે?
- Nirupa Duva
- Updated on: Nov 13, 2025
- 1:45 pm
હસીન જહાંને મોહમ્મદ શમી પાસેથી જોઈએ છે વધુ પૈસા, સુપ્રીમ કોર્ટે કહ્યું – દર મહિને ₹4 લાખ પણ પૂરતા નથી?
મોહમ્મદ શમી અને હસીન જહાં 2018 થી અલગ રહે છે. તે સમયે હસીન જહાંએ શમી અને તેના પરિવાર વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ઉત્પીડનનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. હવે તેણે ભરણપોષણ વધારવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
- Smit Chauhan
- Updated on: Nov 7, 2025
- 7:32 pm
Ahmedabad plane crash case: સુપ્રીમ કોર્ટે, પાઈલટના પિતાને કહ્યું- તમારો પુત્ર વિમાન અકસ્માત માટે જવાબદાર હોવાનો બોજ મનમાંથી કાઢી નાખો
અમદાવાદમાં ગત 12 જૂને બનેલી એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અકસ્માતગ્રસ્ત ફ્લાઈટના પાઈલટના પિતાને ઉદ્દેશીને કેટલિક ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિમાન અકસ્માત માટે તમારો પાઈલટ પુત્ર જવાબદાર હોવાનો બોજ મનમાંથી કાઢી નાખો.
- Sachin Agrawal
- Updated on: Nov 7, 2025
- 7:17 pm
કાનુની સવાલ : ક્યાં ગુનાઓમાં જામીન ન મળે? જાણો શું કહે છે કાનુન
જે ગુનાઓમાં જામીન મળતા નથી તેને "બિન-જામીનપાત્ર" ગુના કહેવામાં આવે છે અને તે ગંભીર પ્રકારના હોય છે. જેમાં હત્યા, બળાત્કાર, લૂંટ અને આતંકવાદ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. વધુમાં, એવા કિસ્સાઓમાં જામીન મેળવવા મુશ્કેલ બની શકે છે જ્યાં ગુનામાં ત્રણ વર્ષ કે તેથી વધુ જેલની સજા હોય.
- Nirupa Duva
- Updated on: Nov 13, 2025
- 1:46 pm
કાનુની સવાલ : શું મિલકતની ભેટ આપ્યા પછી પાછી લઈ શકાય છે? નિયમો જાણો
મિલકત સંબંધિત ઘણા નિયમો અને કાયદાઓ છે, જેને સંપૂર્ણપણે સમજવા મુશ્કેલ હોઈ શકે છે. આજે, અમે ભેટ આપવા સંબંધિત નિયમો વિશે જણાવીશું.એક વખત ગિફટ આપ્યા બાદ પરત લઈ શકાય પ્રોપર્ટી
- Nirupa Duva
- Updated on: Nov 13, 2025
- 1:46 pm
કાનુની સવાલ : શું ભારતમાં દેહવ્યાપાર કાયદેસર છે? જાણો તેના કાનુન શું છે
2 જૂનના દિવસે આંતરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડે તરીકે મનાવવામાં આવે છે. એક સત્તાવાર અંદાજ મુજબ ભારતમાં 12,00,000 થી વધુ લોકો દેહ વેપાર સાથે જોડાયેલા હોવાનો અંદાજ છે. આ લોકો તેમના વ્યવસાય અને સતત હેરફેરને કારણે ભેદભાવ અને હિંસાનો સામનો કરતા રહે છે. તો ચાલો જાણીએ ભારતમાં દેહવ્યાપરને લઈ શું કાયદા છે.
- Nirupa Duva
- Updated on: Nov 13, 2025
- 1:47 pm
જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે, 24 નવેમ્બરે લેશે શપથ
જસ્ટિસ સૂર્યકાંત 24 નવેમ્બર, 2025 થી ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ બનશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્તમાન CJI બીઆર ગવઈની ભલામણના આધારે તેમની નિમણૂકને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે આ મહત્વપૂર્ણ જાહેરાતને સમર્થન આપ્યું છે.
- Manish Gangani
- Updated on: Oct 30, 2025
- 9:11 pm
કાનુની સવાલ : બાળપણમાં માતા-પિતાએ મિલકત વેચી દીધી હતી, તેઓ પુખ્ત થતાંની સાથે જ આ નિર્ણય રદ કરી શકે ?
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ સગીરની મિલકત તેના કુદરતી વાલી દ્વારા કોર્ટની પરવાનગી વિના વેચવામાં આવે છે, તો તેણે પુખ્ત વયના થયા પછી, વેચાણને રદ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કરવાની જરૂર નથી. તે સ્પષ્ટ અને અસ્પષ્ટ વર્તન દ્વારા વ્યવહારને રદ કરી શકે છે, જેમ કે મિલકતનું ફરીથી વેચાણ કરવું.
- Nirupa Duva
- Updated on: Oct 28, 2025
- 7:32 am
કોણ છે SCના પૂર્વ જજ દીપક વર્મા ? લંડન પ્રત્યાર્પણ અટકાવવામાં કરી રહ્યા નીરવ મોદીની મદદ
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ દીપક વર્માના મંતવ્યનો ઉલ્લેખ કરીને લંડનમાં પોતાનો પ્રત્યાર્પણ કેસ ફરીથી ખોલવા માટે અરજી દાખલ કરી છે. જાણો, શું વર્માનો મંતવ્ય મોદીને બચાવવામાં મદદ કરશે?
- Devankashi rana
- Updated on: Oct 25, 2025
- 12:20 pm