મહિલા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.
અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
પત્નીને માર મારીને મારી નાખો… પતિને કોઈ સજા નહીં થાય, મહિલાઓ માટે ચોંકાવનારા તાલિબાની કાયદા વિશે જાણો
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે એક વિચિત્ર કાયદો લાગુ કર્યો છે. તે પત્નીઓને માર મારવાને કાયદેસર બનાવે છે. આ કાયદાની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. લોકો આ તાલિબાન કાયદાનો વિરોધ કરી રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Feb 19, 2026
- 10:10 pm
પિરિયડ્સ દરમિયાન શું ખાવું અને શું ટાળવું? જાણો એક્સપર્ટ શું કહે છે
તમારા માસિક ધર્મ દરમિયાન તમારા આહાર પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. યોગ્ય આહાર પીડા અને નબળાઈ ઘટાડવામાં મદદ કરી શકે છે. ચાલો ડૉ. સલોની ચઢ્ઢા પાસેથી જાણીએ કે આ સમય દરમિયાન કયા ખોરાક ફાયદાકારક છે.
- Meera Kansagara
- Updated on: Feb 18, 2026
- 9:22 am
કેસરવાળું દૂધ પીવાના અદ્ભુત ફાયદા જાણી ને તમે ચોંકી જશો, જાણો કોણે- કોણે પીવું જોઈયે
કેસરના દૂધમાં નોંધપાત્ર ઔષધીય ગુણધર્મો છે. આ જ કારણ છે કે આપણી દાદીમાના સમયથી કેસરવાળું દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે. એ નોંધવું યોગ્ય છે કે કેસરવાળું દૂધ યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે.
- Sachin Agrawal
- Updated on: Feb 14, 2026
- 8:17 pm
સાવધાન ! મોબાઈલમાંથી નેટવર્ક ગયું અને બેંક ખાતું સાફ : જાણો ઈ-સિમ દ્વારા મહિલા સાથે કેવી રીતે થઈ લાખોની છેતરપિંડી
મુંબઈની એક મહિલા ઈ-સિમ છેતરપિંડીનો ભોગ બની, મિનિટોમાં જ તેનું બેંક ખાતું ખાલી થઈ ગયું. સાયબર દોસ્ત સમજાવે છે કે ઈ-સિમ કૌભાંડો સાયબર ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતી એક ખતરનાક યુક્તિ છે, અને લોકોએ સાવચેત રહેવું જોઈએ. ક્યારેય કોઈની સાથે OTP કે લિંક્સ શેર કરવી નહીં.
- Sachin Agrawal
- Updated on: Feb 12, 2026
- 8:54 pm
Women Health: વારંવાર થાક, મૂડ સ્વિંગ્સ અને ઊંઘની સમસ્યાઓ? જાણો હોર્મોનલ સંતુલન જાળવવા માટે ટિપ્સ
આજના ઝડપી જીવનશૈલીમાં (lifestyle), મહિલાઓમાં વારંવાર થાક ચિઢચિઢાપણું અને મૂડ સ્વિંગ્સ (moodswings) સામાન્ય બની રહ્યા છે. ઘણી વખત લોકો તેને તણાવ કે કામની થકાવટ તરીકે નજરઅંદાજ કરે છે, પરંતુ ખરેખર આ પાછળ હોર્મોનલ ફેરફાર અને શરીરની આંતરિક ગડબડી પણ હોઈ શકે છે.
- Nishat
- Updated on: Feb 9, 2026
- 2:15 pm
કાનુની સવાલ : પત્ની તમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે? તમે પણ ફરિયાદ કરી શકો છો, આ છે પુરુષોના અધિકાર
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યાં પતિઓ તેમની પત્નીઓ સામે હેરાનગતિની ફરિયાદ કરે છે. તેથી પરિણીત પુરુષો માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તેમની પત્નીઓ તેમને ખોટી રીતે હેરાન કરે છે. તો તમારી પાસે ક્યા ક્યા અધિકારો છએ.
- Nirupa Duva
- Updated on: Feb 6, 2026
- 6:40 am
કાનુની સવાલ : સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય માત્ર સર્ટિફિકેટથી પતિ-પત્ની નહી બની શકો, ધાર્મિક વિધિઓ વિનાનું મેરેજ સર્ટિફિકેટ નકામું
સુપ્રીમ કોર્ટે હિંદુ લગ્નને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે 1955ના હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ હિન્દુ લગ્નોની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતા સ્પષ્ટ કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે ,ધાર્મિક વિધિઓ અને સાત ફેરા વિનાના લગ્ન માન્ય નથી.
- Nirupa Duva
- Updated on: Feb 5, 2026
- 7:17 am
કાનુની સવાલ : શું ઘર બનાવવા માટે પૈસાની માંગ કરવી દહેજ છે, જાણો શું કહે છે કાનુન
સુપ્રીમ કોર્ટે આ વિશે પોતાનો નિર્ણય પણ સંભળાવી ચૂકી છે. તો ચાલો આજે આપણે અમારી કાનુની સવાલની સીરિઝમાં આ વિશે આપણે વિસ્તારથી વાત કરીશું કે, શું ઘર બનાવવા માટે પૈસાની માંગ કરવી દહેજ છે.
- Nirupa Duva
- Updated on: Feb 3, 2026
- 6:22 am
Budget Breaking News : લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી યોજના, SHE Mart યોજનાની જાહેરાત, જાણો તેના વિશે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે દેશના વિવિધ ક્ષેત્રોના વિકાસ અને સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જો કે આ વખતે નિર્મલા સીતારમણે મહિલાઓ માટે લખપતિ દીદીની સફળતા પછી વધુ એક નવી યોજના જાહેર કરી છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે SHE Mart યોજનાની જાહેરાત કરી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 1, 2026
- 1:44 pm
Breaking News : છોકરીઓ માટે ગુડ ન્યુઝ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે
દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે.નાણામંત્રીએ જાહેરાત કરી કે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ સ્થાપિત કરવામાં આવશે. જેથી યુવતીઓ વર્ગખંડમાં વધુ સમય વિતાવે તે માટે પ્રોત્સાહિત થાય.
- Nirupa Duva
- Updated on: Feb 1, 2026
- 1:29 pm
સ્ત્રીઓમાં આયર્નની ઉણપ કેમ થાય છે? તેને કેવી રીતે દૂર કરવી ?
આયર્ન એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, ખાસ કરીને સ્ત્રીઓ માટે. તેની ઉણપથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ચાલો ડૉ. સલોની ચઢ્ઢા પાસેથી સ્ત્રીઓમાં આયર્નની ઉણપના કારણો અને તેને કેવી રીતે દૂર કરવી તે શીખીએ.
- Meera Kansagara
- Updated on: Jan 31, 2026
- 12:44 pm
કાનુની સવાલ : શું વિધવાને પુનલગ્ન પછી પણ તેના પતિનું પેન્શન મળતું રહેશે? દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો
હાઈકોર્ટે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ, 1972ના નિયમ 54ને સમર્થન આપ્યું, જે નિઃસંતાન વિધવાને પુનર્લગ્ન પછી પણ કૌટુંબિક પેન્શન મેળવવાના અધિકાર સાથે સંબંધિત છે.
- Nirupa Duva
- Updated on: Jan 31, 2026
- 7:11 am
Women’s Health : સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે દુખાવો કેમ થાય છે?
સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે મહિલાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમજ આ દરમિયાન દુખાવો પણ ખુબ જ થાય છે. તો ચાલો જાણીએ સી-સેક્શન પછી શારીરિક સંબંધ બાંધતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું
- Nirupa Duva
- Updated on: Jan 26, 2026
- 7:07 am
Women’s health : યોનિમાર્ગનું pH સ્તર ફર્ટિલિટીને કેવી રીતે અસર કરે છે, જાણો ગાયનેકોલોજિસ્ટ પાસેથી
યોનિમાર્ગ માત્ર એક પ્રજનન અંગ નથી, તે મહિલાના એકંદર પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ મહત્વપૂર્ણ છે. તેથી, સંતુલિત યોનિમાર્ગ pH સ્તર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- Nirupa Duva
- Updated on: Jan 23, 2026
- 7:09 am
સર્વાઇકલ કેન્સર શું છે? કેમ દર વર્ષે હજારો મહિલાઓ પોતાનો જીવ ગુમાવી રહી છે? ચાલો જાણીએ
ICMRના ડેટા મુજબ સર્વાઇકલ કેન્સર દર વર્ષે હજારો મહિલાઓનો જીવ લઈ રહ્યી છે? આંકડા દર્શાવે છે કે દેશમાં દર આઠ મિનિટે એક મહિલા આ રોગથી મૃત્યુ પામે છે. કેમ છે સર્વાઇકલ કેન્સર આટલું ઘાતક ચાલો જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Jan 22, 2026
- 5:30 pm