મહિલા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.
અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
Read Moreશ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને લાખો મહિલાઓ તેમજ કન્યાઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ સોમવારનું વ્રત રાખી રહી છે. પરંતુ ઘણીવાર આ દરમિયાન મહિલાઓના મનમાં એક મોટી ધર્મસંકટની સ્થિતિ ઊભી થાય છે કે જો વ્રત દરમિયાન અચાનક પીરિયડ્સ આવી જાય તો શું કરવું જોઈએ? ચાલો ધાર્મિક માન્યતાઓ અનુસાર જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Aug 3, 2026
- 9:40 pm
સુરતમાં સગર્ભા માતાના આરોગ્ય સાથે ચેડાં, માતૃશક્તિ યોજના હેઠળ એક્સપાયર્ડ કઠોળ વિતરણ ! જુઓ Video
સુરતના પાંડેસરામાં માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ માટે આવેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ અને વાપરવા માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. આનાથી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
- Sagar Solanki
- Updated on: Aug 3, 2026
- 4:51 pm
મહિલાઓની આ મનપસંદ વસ્તુ ડી-માર્ટમાં કેમ નથી મળતી? કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે
ભારતમાં ડી-માર્ટ (D-Mart) લાખો ગ્રાહકો માટે સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય રિટેલ સ્ટોર ચેઇન્સમાંની એક છે. કરિયાણા, ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ, રસોડાના ઉપકરણો અને તૈયાર કપડાં સહિત અનેક પ્રોડક્ટ્સ અહીં અન્ય બજારની સરખામણીએ સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો તેમની રોજિંદી ખરીદી માટે ડી-માર્ટને પ્રથમ પસંદગી બનાવે છે.
- Sagar Solanki
- Updated on: Aug 2, 2026
- 9:18 pm
Maharashtra Nagpur Breaking News : ક્રિકેટર બનવાનું સપનું રોળાયું, VCAમાં સિલેક્શન ન થતાં 17 વર્ષીય અદિતિ ચૌખંડેએ ટૂંકાવ્યું જીવન!
મહારાષ્ટ્રના નાગપુરમાંથી દુઃખદ ઘટના સામે આવી રહી છે. 17 વર્ષની મહિલા ક્રિકેટરે જીવન ટુકાવ્યું છે. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે ટીમમાં પસંદગી ન થવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
- Dhruval Shah
- Updated on: Jul 31, 2026
- 10:21 am
કાનુની સવાલ : શું માતા સગા દીકરાની સાથે સાવકા દીકરા પાસેથી પણ ભરણપોષણ મેળવી શકે છે? કોર્ટે ચુકાદો આપ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જો માતા તેના સગા પુત્ર પાસેથી ભરણપોષણ મેળવતી હોય તો તે તેના સાવકા પુત્ર પાસેથી ભરણપોષણની માંગ કરી શકતી નથી. ફેમિલી કોર્ટે અગાઉ મહિલાના સગા પુત્રને 8,000 રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 16, 2026
- 9:17 am
ગર્ભમાં રહેલા બાળક સુધી કેવી રીતે પહોંચે છે દવાઓ? ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી નવી અનોખી ‘ચિપ’
ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા લેવામાં આવતી દવાઓ ગર્ભમાં ઉછરી રહેલા માસૂમ બાળક સુધી પહોંચે છે કે નહીં, તે જાણવું અત્યાર સુધી અશક્ય હતું. આઈઆઈટી બોમ્બે અને આઈસીએમઆરના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે 'પ્લેસેન્ટા ઓન એ ચિપ' નામની ક્રાંતિકારી ટેકનિક વિકસાવી છે. આ ટેકનિક ભવિષ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત દવાઓ બનાવવા અને રીસર્ચમાં કેવી રીતે મોટી ભૂમિકા ભજવશે, તે જુઓ.
- Sachin Agrawal
- Updated on: Jul 13, 2026
- 9:35 pm
કાનુની સવાલ : શું કોઈ સ્ત્રી પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ પાસેથી ભરણપોષણનો દાવો કરી શકે છે? કાનુન જાણો
અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણના એક કેસમાં સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મહિલા તેના પહેલા પતિને છૂટાછેડા આપ્યા વિના બીજા પુરુષ સાથે રહેવાનું શરૂ કરે છે અને જ્યારે તે જીવિત હોય છે, તો તે કાયદેસર રીતે પરિણીત પત્નીનો દરજ્જો મેળવી શકતી નથી.
- Nirupa Duva
- Updated on: Jul 13, 2026
- 2:41 pm
કાનુની સવાલ : શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો ઘરજમાઈ બનવાનો દાવો કરવાથી કોઈ વ્યક્તિની સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચાલો જાણીએ
- Nirupa Duva
- Updated on: Jul 10, 2026
- 1:55 pm
મહિલાઓની સંખ્યામાં સૌથી આગળ છે આ 10 દેશ ! આ દેશોમાં ‘લેડીઝ ફર્સ્ટ’ માત્ર કહેવત નહીં, વાસ્તવિકતા છે
વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓ અને પુરુષોની વસ્તીનું પ્રમાણ અલગ-અલગ જોવા મળે છે. જોકે કેટલાક દેશો એવા પણ છે, જ્યાં મહિલાઓની સંખ્યા પુરુષો કરતાં વધુ છે. વિશ્વમાં સૌથી વધુ મહિલા વસ્તી ધરાવતા વિસ્તારોમાં હોંગકોંગ પ્રથમ સ્થાને છે.
- Dhruval Shah
- Updated on: Jul 9, 2026
- 9:21 am
કાનુની સવાલ : કઈ પરિસ્થિતિમાં પત્નીને ભરણપોષણ ભથ્થું ન મળી શકે?
લગ્ન તુટ્યા બાદ સૌથી વધારે ચર્ચા જો કોઈની થાય તો તે છે ભરણપોષણની. સામાન્ય ધારણા છે કે, છુટાછેડા કે અલગ રહેવાની સ્થિતિમાં પતિને કોઈ પણ સંજોગોમાં પત્નીને ભરણ પોષણ આપવું પડે છે. પરંતુ કાનુન આવું કહેતો નથી.
- Nirupa Duva
- Updated on: Jul 2, 2026
- 2:04 pm
શું ગર્ભાવસ્થા દરમિયાન સવારનો સૂર્યપ્રકાશ માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે? જાણો શું કહે છે ડોક્ટર
ગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી સ્ત્રીઓને આશ્ચર્ય થાય છે કે શું સવારે સૂર્યપ્રકાશ ફાયદાકારક હોઈ શકે છે. ચાલો આ વિશે વિગતવાર વાત કરીએ.
- Meera Kansagara
- Updated on: Jun 27, 2026
- 9:29 am
શું ગર્ભાવસ્થા દરમિયાન યોગ અને સ્ટ્રેચિંગ કરવું સલામત છે ? જરૂરી બાબતો જાણો
ગર્ભાવસ્થા શરીરમાં ઘણા શારીરિક અને હોર્મોનલ ફેરફારો લાવે છે. ઘણી સ્ત્રીઓ એક્ટિવ અને ફિટ રહેવા માટે યોગ અને સ્ટ્રેચિંગનો ઉપયોગ કરે છે. જોકે શરૂ કરતા પહેલા એ જાણવું મહત્વપૂર્ણ છે કે તે ક્યારે સલામત છે અને કઈ સાવચેતી રાખવી.
- Meera Kansagara
- Updated on: Jun 25, 2026
- 3:58 pm
કાનુની સવાલ : શું પત્ની છૂટાછેડા લીધા વિના તેના પતિથી અલગ રહી શકે? આ અંગે નવો કાયદો શું છે? જાણો
ભારતીય કાનુન હેઠળ પત્ની યોગ્ય કારણ વગર છુટાછેડા લઈ પતિથી અલગ રહી શકે છે. ઘરેલું હિંસા,ક્રુરતા,માનસિક ત્રાસ કે સુરક્ષા જોખમો જેવી પરિસ્થિતિઓમાં કાયદો રક્ષણ પૂરું પાડે છે. જીવનસાથી અલગ થઈ ગયા હોય તો પણ ભરણપોષણ અને અન્ય અધિકારો રહી શકે છે.
- Nirupa Duva
- Updated on: Jun 25, 2026
- 12:04 pm
Breaking News: રેલવે તરફથી એક અદ્ભુત ભેટ… આ 175 સ્ટેશનો પર મહિલાઓને મળશે મફત સેનિટરી પેડ
ભારતીય રેલવેએ મહિલા મુસાફરો માટે મોટી રાહત આપી છે. ઉત્તર રેલવે અને ઇન્ડસ ટાવર્સ સાથે ભાગીદારીમાં દિલ્હી અને લખનઉ સહિત 175 સ્ટેશનો પર 500 સ્માર્ટ સેનિટરી પેડ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. હવે, મહિલાઓ મુસાફરી દરમિયાન 24 કલાક સંપૂર્ણપણે મફત સેનિટરી નેપકિનનો ઉપયોગ કરી શકશે.
- Meera Kansagara
- Updated on: Jun 24, 2026
- 8:54 am
શું ગૃહિણીઓએ પણ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવું જરૂરી છે? જાણો કઈ કમાણી પર લાગે છે ટેક્સ અને ક્યાં મળે છે મોટી છૂટ
નોકરી ન કરતી મહિલાઓ કે ગૃહિણીઓ જો ફિક્સ ડિપોઝિટ, ભાડું કે અન્ય રીતે કમાણી કરતી હોય, તો તેમના માટે પણ આઇટીઆર ફાઇલ કરવો ક્યારે ફરજિયાત બને છે તે જાણો.
- Sachin Agrawal
- Updated on: Jun 16, 2026
- 9:20 pm