મહિલા
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”. મનુસ્મૃતિના આ શ્લોકમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. ગુજરાતીમાં પણ કહેવાય છે કે નારી તું નારાયણી. ભારત દેશમાં નારીઓને શક્તિ સ્વરુપ માનવામાં આવે છે. વૈદિક કાળથી મહિલાઓ આ પુણ્ય ભૂમિ પર દેવી રુપે પૂજાય છે.
આજે દેશનો કોઈ ખુણો કે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ જોવા ના મળતું હોય. આજની નારીઓ ઘરના દરેક કામથી માંડીને, પરિવાર સાચવવાનો હોય કે બાળકોનો ઉછેર કરવો હોય, આઈટી સેક્ટર હોય કે પછી અંતરિક્ષ ક્ષેત્ર હોય, મહિલાઓ દરેક જગ્યાએ મહત્વની કામગીરી કરતી જોવા મળે છે. ભારત દેશમાં મહિલાઓને સ્વતંત્ર અધિકારો મળ્યા છે. આગળ વધવાની પુરતી તકો મળી રહી છે. વ્યવસાય-બિઝનેસમાં પણ મહિલાઓ પાછળ રહી નથી.
અત્યારે ભારતમાં મેડિકલ ક્ષેત્ર, ટેકનિકલ, કાનૂની કે શૈક્ષણિક ક્ષેત્ર તેમજ મનોરંજન ક્ષેત્ર કે અન્ય કોઈપણ વ્યવસાયમાં મહિલાઓની કોઈ કમી નથી. ભારતમાં વિવિધ કચેરીઓ અને સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન સશક્ત મહિલાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.
મહિલાઓ વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલી છે અને ટેક્નોલોજી, કાયદો, વહીવટ, શિક્ષણ વગેરે જેવા વિવિધ વિષયોમાં પુરુષો સાથે સ્પર્ધા કરે છે. પરંપરાગત વ્યવસાય કરવા ઉપરાંત એવી પણ મહિલાઓ છે જેઓ રમતગમતમાં પણ ટોચના સ્થાને છે. ફેશન ક્ષેત્રે પણ મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે.
Read Moreભરતી દરમિયાન બે મહિલા પોલીસ કોન્સ્ટેબલને થયો પ્રેમ, પરિવારે વાંધો ઉઠાવતા અટક્યા લગ્ન
બંનેમાંથી એક મહિલા કોન્સ્ટેબલે લિંગ પરિવર્તન માટે તબીબી સારવાર શરૂ કરી હોવાની માહિતી છે. આ માટે તે મુંબઈની એક હોસ્પિટલમાં પણ ગઈ હોવાનું જણાવાય છે. જોકે, આ તબીબી પ્રક્રિયાનો પ્રસ્તાવિત લગ્ન અથવા હાલની પરિસ્થિતિ સાથે સીધો સંબંધ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.
- Bipin Prajapati
- Updated on: Aug 25, 2026
- 7:37 pm
Miss Universe બનવાનું તમારું પણ સપનું છે… ! જાણો સ્પર્ધામાં એન્ટ્રી અને રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રક્રિયા
કેરળની કઝિયા લિઝ મેજોએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026નો તાજ જીતી લીધો છે અને તે પ્યુર્ટો રિકોમાં વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગ્લેમેનન્ડ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત આ સ્પર્ધા માટે યોગ્યતા, રજિસ્ટ્રેશન પ્રક્રિયા, પસંદગીના તબક્કા અને ઇનામી રકમની સંપૂર્ણ વિગતો જાણો.
- Sachin Agrawal
- Updated on: Aug 25, 2026
- 4:12 pm
Women’s health : 1 , 2 નહીં 9 પ્રકારના હોય છે પીરિયડ્સના દુખાવા, જાણો તમને ક્યો દુખાવો થાય છે?
Women’s health : શું તમને ખબર છે કે, પીરિયડ્સમાં થનારો દુખાવો 1 નહી પરંતુ 9 પ્રકારનો હોય છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે, દર મહિને તમને એક પ્રકારનો દુખાવો થાય છે. તો આ વાત સાવ ખોટી છે.
- Nirupa Duva
- Updated on: Aug 25, 2026
- 9:43 am
Trending Video : ગુરુ શિષ્યના સંબંધો શરમસાર ! વિદ્યાર્થીનીઓ સાથે ડેમમાં નગ્ન નહાતો ઝડપાયો આચાર્ય, વીડિયો વાયરલ થતાં હોબાળો
અલવરના થાનાગાઝીમાં, આચાર્ય ડેમમાં નહાતી વખતે ધોરણ 9થી 12 ની છોકરીઓ સાથે નગ્ન સ્નાન કરતા જોવા મળ્યો હતો. આ વાંધાજનક વીડિયો વાયરલ થયો. જેના કારણે હંગામો મચી ગયો.
- Dhruval Shah
- Updated on: Aug 23, 2026
- 12:14 pm
Health Tips : મહિલાઓએ આ 5 સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણવી ન જોઈએ, બાકી ભારે કિંમત ચૂકવવી પડશે
આજકાલ ભાગદોડ ભરી લાઈફમાં લોકો પાતાના સ્વાસ્થનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. સામાન્ય રીતે મહિલાઓ,પરિવાર, ઓફિસ અને અન્ય કેટલીક જવાબદારીઓથી મહિલા પોતાના અનેક હેલ્થ પ્રોબ્લેમને નજરઅંદાજ કરે છે. તો ચાલો જાણીએ મહિલાએ કઈ 5 હેલ્થ પ્રોબ્લેમને ક્યારેય નજર અંદાજ કરવી જોઈએ નહી.
- Nirupa Duva
- Updated on: Aug 18, 2026
- 9:26 am
Chanakya Niti : પૈસાથી લઈને ભવિષ્યના પ્લાનિંગ સુધી… મહિલાઓએ આ 5 વાત હંમેશા ગુપ્ત રાખવી જોઈએ
શું તમે પણ પોતાના સમજીને અંગત વાતો મિત્રો કે સગા-સંબંધીઓ સાથે શેર કરવાની ભૂલ કરી રહ્યા છો? ચાણક્ય નીતિ અનુસાર આ 5 વાતો હંમેશા ગુપ્ત રાખવી જોઈએ, નહીં તો ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Aug 13, 2026
- 11:19 pm
Women’s health : પીરિયડ્સ સમયસર કેમ નથી આવતા ? તેમની અનિયમિતતા પાછળના કારણો વિશે જાણો
પીરિયડ્સનું સમય પર આવવું મહિલાઓના સ્વાસ્થ માટે ખુબ જરુરી છે. પરંતુ કેટલીક વખત પીરિયડ્સ અનિયમિત આવવા લાગે છે. તો ચાલો મહિલાઓને પરેશાન કરતી આ સમસ્યા વિશે આપણે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Aug 13, 2026
- 8:43 am
કાનુની સવાલ : પતિના મૃત્યુ પછી જો પત્ની બાળકને દત્તક લે તો તેની સંપત્તિ પર કોનો અધિકાર? જાણો
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કે, જો પતિના મૃત્યુ પછી કોઈ મહિલા બાળકને દત્તક લે છે. તો તેની સંપત્તિ પર કોનો અધિકાર રહેશે.
- Nirupa Duva
- Updated on: Aug 12, 2026
- 11:02 am
ડિલિવરી પછી સ્ત્રીઓમાં થાઇરોઇડની સમસ્યા કેમ વધી જાય છે? જાણો કારણો અને કઈ બાબતોનું રાખવું ધ્યાન
ડિલિવરી બાદ મહિલાના શરીરમાં થતા શારીરિક ફેરફારો થાઇરોઇડ સમસ્યાના સંકેત હોઈ શકે છે. પોસ્ટપાર્ટમ થાઇરોઇડાઇટિસ ડિલિવરી પછી જોવા મળે છે, જેના લક્ષણો સામાન્ય થાક જેવા લાગે છે.
- Sagar Solanki
- Updated on: Aug 10, 2026
- 9:23 pm
શ્રાવણમાં વ્રત દરમ્યાન પીરિયડ્સ આવે તો શું કરવું? ઉપવાસ ચાલુ રાખવો કે છોડી દેવો ?
શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને લાખો મહિલાઓ તેમજ કન્યાઓ ભગવાન ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે શ્રાવણ સોમવારનું વ્રત રાખી રહી છે. પરંતુ ઘણીવાર આ દરમિયાન મહિલાઓના મનમાં એક મોટી ધર્મસંકટની સ્થિતિ ઊભી થાય છે કે જો વ્રત દરમિયાન અચાનક પીરિયડ્સ આવી જાય તો શું કરવું જોઈએ? ચાલો ધાર્મિક માન્યતાઓ અનુસાર જાણીએ.
- Sachin Agrawal
- Updated on: Aug 3, 2026
- 9:40 pm
સુરતમાં સગર્ભા માતાના આરોગ્ય સાથે ચેડાં, માતૃશક્તિ યોજના હેઠળ એક્સપાયર્ડ કઠોળ વિતરણ ! જુઓ Video
સુરતના પાંડેસરામાં માતૃશક્તિ યોજના હેઠળ વિતરણ માટે આવેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ અને વાપરવા માટે અયોગ્ય હોવાનું સામે આવ્યું છે. આનાથી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
- Sagar Solanki
- Updated on: Aug 3, 2026
- 4:51 pm
મહિલાઓની આ મનપસંદ વસ્તુ ડી-માર્ટમાં કેમ નથી મળતી? કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે
ભારતમાં ડી-માર્ટ (D-Mart) લાખો ગ્રાહકો માટે સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય રિટેલ સ્ટોર ચેઇન્સમાંની એક છે. કરિયાણા, ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ, રસોડાના ઉપકરણો અને તૈયાર કપડાં સહિત અનેક પ્રોડક્ટ્સ અહીં અન્ય બજારની સરખામણીએ સસ્તા ભાવે ઉપલબ્ધ હોય છે. તેથી જ મોટી સંખ્યામાં લોકો તેમની રોજિંદી ખરીદી માટે ડી-માર્ટને પ્રથમ પસંદગી બનાવે છે.
- Sagar Solanki
- Updated on: Aug 2, 2026
- 9:18 pm
Maharashtra Nagpur Breaking News : ક્રિકેટર બનવાનું સપનું રોળાયું, VCAમાં સિલેક્શન ન થતાં 17 વર્ષીય અદિતિ ચૌખંડેએ ટૂંકાવ્યું જીવન!
મહારાષ્ટ્રના નાગપુરમાંથી દુઃખદ ઘટના સામે આવી રહી છે. 17 વર્ષની મહિલા ક્રિકેટરે જીવન ટુકાવ્યું છે. ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે ટીમમાં પસંદગી ન થવાનો ઉલ્લેખ કર્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
- Dhruval Shah
- Updated on: Jul 31, 2026
- 10:21 am
કાનુની સવાલ : શું માતા સગા દીકરાની સાથે સાવકા દીકરા પાસેથી પણ ભરણપોષણ મેળવી શકે છે? કોર્ટે ચુકાદો આપ્યો
અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જો માતા તેના સગા પુત્ર પાસેથી ભરણપોષણ મેળવતી હોય તો તે તેના સાવકા પુત્ર પાસેથી ભરણપોષણની માંગ કરી શકતી નથી. ફેમિલી કોર્ટે અગાઉ મહિલાના સગા પુત્રને 8,000 રૂપિયા ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
- Nirupa Duva
- Updated on: Jul 16, 2026
- 9:17 am
ગર્ભમાં રહેલા બાળક સુધી કેવી રીતે પહોંચે છે દવાઓ? ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવી નવી અનોખી ‘ચિપ’
ગર્ભાવસ્થા દરમિયાન માતા દ્વારા લેવામાં આવતી દવાઓ ગર્ભમાં ઉછરી રહેલા માસૂમ બાળક સુધી પહોંચે છે કે નહીં, તે જાણવું અત્યાર સુધી અશક્ય હતું. આઈઆઈટી બોમ્બે અને આઈસીએમઆરના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે 'પ્લેસેન્ટા ઓન એ ચિપ' નામની ક્રાંતિકારી ટેકનિક વિકસાવી છે. આ ટેકનિક ભવિષ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત દવાઓ બનાવવા અને રીસર્ચમાં કેવી રીતે મોટી ભૂમિકા ભજવશે, તે જુઓ.
- Sachin Agrawal
- Updated on: Jul 13, 2026
- 9:35 pm