AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. આરબીઆઈ ભારત સરકારનાં નાણા મંત્રાલય હેઠળ કામ કરે છે. ભારતીય રૂપિયાના નિયંત્રણ અને નાણાંના પુરવઠાની જાળવણી કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મુખ્ય પેમેન્ટ સિસ્ટમનું પણ સંચાલન કરે છે અને તેના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. વર્ષ 2016માં મોનેટરી પોલિસી કમિટીની સ્થાપના થઈ ત્યાં સુધી દેશમાં મોનેટરી પોલિસી પર પણ મધ્યસ્થ બેંકનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

 

Read More

30 સપ્ટેમ્બર પછી ATM માંથી 500 રૂપિયાની નોટ નહીં મળે ? જાણો RBIનું સત્તાવાર નિવેદન

500 રૂપિયાની નોટને લઈને ખાસ સમાચાર બહાર આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATMમાંથી 500 રૂપિયાની નોટોનું વિતરણ (Disburse) ન કરવા માટે કહેલું હોવાનું જણાવાયું છે.

બેંક લોકરમાંથી દાગીના કે દસ્તાવેજો ખોવાઈ જાય તો શું ગ્રાહકને વળતર મળે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

બેંક લોકરમાં દાગીના કે દસ્તાવેજો જેવી કિંમતી વસ્તુઓ સલામત હોય એવી ધારણા લોકો રાખે છે. હવે જો એ ખોવાઈ જાય, તો શું ગ્રાહકને વળતર મળે? ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા અને નિયમો...

PPF માં રોકાણ કરનારાઓને લાગશે મોટો આંચકો? વ્યાજ દરમાં થઈ શકે છે ઘટાડો

PPF વ્યાજ દરોમાં વર્ષોથી વધઘટ જોવા મળી છે. હાલમાં, આ દર વાર્ષિક 7.1% છે અને તે એપ્રિલ 2020 થી સમાન રહ્યો છે. વ્યાજ દર મહિને ગણવામાં આવે છે પરંતુ તે વાર્ષિક ધોરણે ખાતામાં ઉમેરવામાં આવે છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ વચ્ચે ભારત માટે સારા સમાચાર, ચીન-પાકિસ્તાનની વધશે ચિંતા

ગ્લોબલ રેટિંગ્સ S&P એ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનો GDP વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. આ આગાહી પછી, ગયા મહિનાની તુલનામાં GDP વૃદ્ધિ દરમાં સુધારો થયો છે.

હોમ લોનની EMI માં ઘટાડો, RBI દ્વારા જૂનમાં રેપો રેટ ઘટાડા બાદ 7 બેંકોએ હોમ લોનના વ્યાજ દરો ઘટાડ્યા

જૂન 2025માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો દરમાં ઘટાડા બાદ, એસબીઆઈ, યુનિયન બેંક અને બેંક ઓફ બરોડા સહિત અનેક અગ્રણીઓ બેંકોએ પોતાની લોન દરોમાં ઘટાડો કર્યો છે. આ પગલાંથી રેપો રેટ સાથે જોડાયેલી ફ્લોટિંગ રેટ લોન ધરાવતા લોન ધારકોને માટે હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો થયો છે.

Cheapest Home Loan : કઈ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન ? ઘર ખરીદતા પહેલા જાણી લો

RBI દ્વારા સતત ત્રીજા રેપો રેટ ઘટાડાની અસર ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. લોન લેનારા ગ્રાહકોના માસિક હપ્તા (EMI) હવે ઘટી ગયા છે. તેનાથી હોમ લોન લેવી પહેલા કરતા સસ્તી અને વધુ અનુકૂળ બની ગઈ છે.

Gold Loan લેનારાઓને RBIએ આપી ભેટ,એક લાખ રૂપિયાની ગોલ્ડ લોન પર મળશે 10 હજાર રૂપિયા વધુ, જાણો વિગતો

નવા ગોલ્ડ લોન નિયમો માલિકી અંગે સ્પષ્ટતા પણ પ્રદાન કરશે. આમાં સ્વ-ઘોષણા કરવાની સુવિધાનો સમાવેશ થશે. જો દેવાદારો સોનાની ખરીદીની રસીદ રજૂ કરવામાં અસમર્થ હોય, તો તેઓ સ્વ-ઘોષણા કરી શકશે.

Breaking News: હોમ લોન થશે સસ્તી,RBI એ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો કર્યો ઘટાડો

શુક્રવારે MPC ની બેઠક બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. MPC ના સભ્યોએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડાની તરફેણમાં મતદાન કર્યું છે. હવે તે 6 ટકાથી ઘટીને 5.5% થઈ ગયો છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

RBI એ એક વર્ષમાં 57500 કિલો સોનું ખરીદ્યું, કિંમત જાણશો તો ચોકી જશો

RBI Gold News:રિઝર્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં સોનાના કુલ ભંડાર વિશે માહિતી આપી છે. તેમાં એ પણ જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025 માં RBI પાસે કેટલું સોનું છે અને તેણે છેલ્લા એક વર્ષમાં કેટલું સોનું ખરીદ્યું છે. ચાલો તેની સંપૂર્ણ વિગતો આગળ જાણીએ.

10-rupee coin : 10 રૂપિયાનો સિક્કો સાચો છે કે ખોટો ? કઈ રીતે ઓળખવો ? RBI એ જાહેર કરી નવી માર્ગદર્શિકા, જાણો

10 રૂપિયાના સિક્કા અંગે ઘણા સમયથી ઘણી મૂંઝવણ અને અફવાઓ ફેલાઈ રહી છે. ઘણી વખત દુકાનદારો આ સિક્કાઓને નકલી માનીને સ્વીકારવાનો ઇનકાર કરે છે, જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ અંગે કડક વલણ અપનાવ્યું છે અને એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે ૧૦ રૂપિયાના સિક્કા સંપૂર્ણપણે માન્ય ચલણ છે અને સમગ્ર દેશમાં કાયદેસર રીતે માન્ય છે.

હવે બેંક ડૂબશે તો પણ તમારા રૂપિયા નહીં ડૂબે, બમણી કરાશે થાપણની વીમા મર્યાદા !

હાલમાં, ડિપોઝિટ ઈન્સ્યોરન્સની મર્યાદા 5 લાખ રૂપિયા છે, જે લગભગ 5 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાથી વધારીને કરવામાં આવી હતી. આ વીમા હેઠળ 97 ટકા ખાતાઓને આવરી લેવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, નાણાકીય બાબતોના સચિવ એમ નાગરાજુએ કહ્યું હતું કે, ડિપોઝિટ ઈન્સ્યોરન્સની મર્યાદા વધારવાના મુદ્દા પર વિચારણા કરવામાં આવી રહી છે.

Breaking News : ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ થશે લોન્ચ, RBI એ કરી જાહેરાત, જૂની ચલણી નોટનું શું થશે ?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. શનિવારે બેંક દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ જૂની નોટોને લઈ લોકોમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા હતા.

શું ખરેખરમાં 500 રૂપિયાની નોટ બંધ થવાના આરે છે ? જાણો શું કહ્યું એક્સપર્ટે

ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં વધુને વધુ 100 અને 200 રૂપિયાની નોટો ATMમાં અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે. આવા નિર્દેશ પછી એવી વાત પણ હવામાં ગુંજી રહી છે કે, શું 2000 પછી 500 રૂપિયાની નોટ પણ બંધ થઈ શકે છે ? જાણો આ અંગે નિષ્ણાંત શુ કહે છે.

100 અને 200 રૂપિયાની નોટ અંગે RBIનો મોટો આદેશ, બેંકોમાં મચ્યો હડકંપ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેંકોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે એટીએમમાંથી પણ 100 અને 200 રૂપિયાની નોટો નીકળી શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે RBI એ કયા પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યો છે.

તમારા રૂપિયા આ બેંકમાં નથી ને ? RBI એ આ બેંકનું લાઇસન્સ કરી દીધું રદ, જાણો કારણ

RBI એ ઇમ્પિરિયલ અર્બન કો-ઓપરેટિવ બેંક, જલંધરનું લાઇસન્સ રદ કર્યું છે. પંજાબમાં સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને બેંક બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. થાપણદારોને DICGC તરફથી 5 લાખ રૂપિયા સુધીનો વીમો મળશે, જેમાં 97.79 ટકા સંપૂર્ણ ચુકવણી માટે પાત્ર રહેશે.

g clip-path="url(#clip0_868_265)">