Valsad : ધરમપુરમાં ‘ક્રોસ’ હટાવવા મુદ્દે વિરોધ, આદિવાસી સમાજે રેલી યોજી પ્રાંત અધિકારીને આપ્યું આવેદન, જુઓ Video
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ખાતે આવેલા ખ્રિસ્તી સમાજના દેવળ સ્થળેથી ક્રોસ નિશાન હટાવવાની કાર્યવાહી સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ડુંગર પરથી ક્રોસ હટાવવા માટેની રજૂઆત બાદ હવે આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવડ ખાતે આવેલા ખ્રિસ્તી સમાજના દેવળ સ્થળેથી ક્રોસ નિશાન હટાવવાની કાર્યવાહી સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ડુંગર પરથી ક્રોસ હટાવવા માટેની રજૂઆત બાદ હવે આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે. ધરમપુર ખાતે ખ્રિસ્તી ધર્મ પાળતા આદિવાસીઓ એકઠા થઈને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે પહોંચીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું છે.
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે વિરોધ
આદિવાસી નેતાઓએ સ્પષ્ટ કર્યું કે ખ્રિસ્તી ધર્મ પાળનારા આદિવાસીઓ સમાજનો જ ભાગ છે. તેમણે આરએસએસને સલાહ આપી કે જો સેવા કરવી હોય તો આદિવાસી વિસ્તારોમાં શાળાઓ અને હોસ્પિટલો ખોલવામાં યોગદાન આપે. જો આ પ્રકારની કામગીરી ચાલુ રહેશે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે.
તો બીજી તરફ આક્ષેપોનો જવાબ આપતા વલસાડ ભાજપ આદિજાતિ મોરચા મહામંત્રીએ કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી વટાળ પ્રવૃત્તિ ચાલે છે. ખ્રિસ્તી બનેલા આદિવાસીઓ પછી આદિવાસી પરંપરા કે રિવાજોને માનતા નથી. આ સાથે તેમણે કહ્યું કે આદિવાસી સમાજે બિરસામુંડા ભગવાનની પૂજા કરતા આવ્યું છે બિરસા મુંડા ભગવાનએ જ અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરી સામે આંદોલન ચલાવ્યું હતું.
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
