
પંજાબ એન્ડ સિંધ બેંક રૂ. 3 લાખ સુધીની પર્સનલ લોન પર 10.15 ટકાથી 12.80 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. આમાં સમયગાળો 60 મહિના સુધીનો છે.

બેંક ઓફ ઈન્ડિયા રૂ. 20 લાખ સુધીની પર્સનલ લોન પર 10.25 કે તેથી વધુ વ્યાજ દર ઓફર કરે છે. અહીં સમયગાળો 84 મહિના સુધીનો છે.

ઇન્ડસઇન્ડ બેંક રૂ. 30 હજાર કે તેથી વધુ અને રૂ. 25 લાખ સુધીની વ્યક્તિગત લોન પર 10.25 ટકાથી 32.02 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. તેનોનો કાર્યકાળ 12થી 60 મહિનાનો છે.

બેંક ઓફ બરોડા રૂ. 50 હજારથી રૂ. 20 લાખ સુધીની પર્સનલ લોન પર 10.35 ટકાથી 17.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. અહીં સમયગાળો 48 થી 60 મહિના સુધીનો છે.