25 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ચર્ચિત બોલિવૂડ ફિલ્મ ધુરંધરના ડાયલોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, બલોચ સમુદાયે ફિલ્મના ડાયલોગ વિવાદીત હોવાની રજૂઆત સાથે કરી અરજી
આજે 25 ડિસેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
તાઇવાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ
ફરી એકવાર ભૂંકપના આંચકાથી તાઈવાન ધ્રૂજી ઉઠ્યુ. તાઇવાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂંકપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે અફરાતફરી જોવા મળી. ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂંકપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર તાઇતુંગ કાઉન્ટી હોલથી 10.1 કિલોમીટર દૂર છે. સદનસીબે ભૂંકપને કારણે કોઈ જાનહાનિના સમાચાર નહીં
-
ચર્ચિત બોલિવૂડ ફિલ્મ ધુરંધરના ડાયલોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી
ચર્ચિત બોલિવૂડ ફિલ્મ ધુરંધરના ડાયલોગ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી. બલોચ સમુદાયે ફિલ્મના ડાયલોગ વિવાદીત હોવાની રજૂઆત સાથે અરજી કરી. ફિલ્મના એક ડાયલોગમાં બલોચ સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરાઈ હોવાની રજૂઆત. વિવાદિત ડાયલોગને ફિલ્મમાંથી અને તમામ પ્લેટફોર્મ પરથી હટાવવાની માગ કરી છે. ગાંધીનગરના 2 અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે. આજે હાઈકોર્ટમાં અરજી પર વધુ સુનાવણી હાથ ધરાશે.
-
-
તમિલનાડુઃ કડલૂર નજીક બસનું ટાયર ફાટતા મોટી દુર્ઘટના, 9 મોત
તમિલનાડુઃ કડલૂર નજીક બસનું ટાયર ફાટતા મોટી દુર્ઘટના બની છે. બેકાબૂ બસની અડફેટે આવતા 9 લોકોના મોત થયા છે. 4 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 5 પુરૂષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ તિરૂચિલ્લાપલ્લીથી ચેન્નઇ જઇ રહી હતી.
-
કર્ણાટકના ચિત્રદુર્ગ નજીક મોટી દુર્ઘટના, 9ના મોત
કર્ણાટકના ચિત્રદુર્ગ નજીક મોટી દુર્ઘટના બની છે. નેશનલ હાઇવે-48 પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઇ છે. ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગી. બસમાં સવાર 17 મુસાફરો ભીષણ આગમાં ભડથું થયા. આગમાં દાઝી જતા તમામ 17 મુસાફરોના મોત નિપજ્યા છે. સ્ટાલિન સરકારે દુર્ઘટના મુદ્દે તપાસના આદેશ આપ્યા. મૃતકોના પરિજનોને 3-3 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
-
PM મોદી આજે લખનૌમાં “રાષ્ટ્ર પ્રેરણા સ્થળ”નું ઉદ્ઘાટન કરશે
આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ છે. આ પ્રસંગે, પીએમ મોદી લખનૌમાં “રાષ્ટ્ર પ્રેરણા સ્થળ”નું ઉદ્ઘાટન કરશે. આશરે ₹230 કરોડના ખર્ચે બનેલ, તે 65 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.
-
આજે 25 ડિસેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Dec 25,2025 7:29 AM