પ્રોડક્ટ ખરાબ નીકળે કે કંપની દગો કરે તો ફરિયાદ ક્યાં કરવી ? ગ્રાહકો જાણી લો તમારા અધિકારો
રાષ્ટ્રીય ગ્રાહક દિવસ (National Consumer Day )પર ગ્રાહક તરીકે તમે ક્યાં અને કેવી રીતે ફરિયાદ નોંધાવી શકો છો જાણો. કોઈપણ છેતરપિંડીના કિસ્સામાં તમે National Consumer Dayની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

દર વર્ષે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દવિસ ઉજવવાનો હેતુ ગ્રાહક અધિકારો સુનિશ્ચિત કરવાનો અને તેમનું રક્ષણ કરવાનો છે. તે ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ પર પણ ભાર મૂકે છે.

ભારતીય ગ્રાહકો સમજદાર હોવા છતાં, ઉત્પાદકો પણ એટલા જ ચાલાક છે અને ઘણીવાર ગ્રાહકોને છેતરે છે. આવી પરિસ્થિતિઓમાં, ગ્રાહકો ખરાબ સામાન વિશે ફરિયાદ કરવા ક્યાં જઈ શકે છે અને તેમની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકે છે? ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.

ગ્રાહકો ફરિયાદ ક્યાં નોંધાવી શકે છે? તો પહેલું સ્ટોર સાથે વાતચીત કરી શકે. જે દુકાનેથી સામાન ખરીદ્યો છે. તે સ્ટોર સાથે સંપર્ક કરે. બિલ તમારી પાસે રાખો અને દુકાનદારને બતાવો. કે સામાનમાં શું ખરાબ છે. પોતાના સામાનને બદલવા માટે તમે સ્ટોરના ઈમલે આઈડી પર મેલ કરી શકો છો. જેનાથી ઈમેલ પર બધું સુરક્ષિત રહે.

કસ્ટમર કેર સ્ટોર કે પછી કંપનીના કસ્ટમર કેરની હેલ્પલાઈન નંબર પર કોલ કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. કસ્ટમર કેર સાથે વાત કરી તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સાથે તમે સ્ક્રીનશોર્ટ મોકલો અથવા ફોટો પણ અટેચ કરી શકો છો.

રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન નંબર પર કૉલ કરો. તમે રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.અથવા તમે ઓનલાઈન ફોર્મ ભરીને પણ ફરિયાદ નોંધાવી શકો છો. આ ફોર્મ તમને રાષ્ટ્રીય ગ્રાહકની વેબસાઈટ પર મળી જશે.

નાના વિવાદો માટે તમે જિલ્લા ઉપભોક્તા ફોરમ અથવા ગ્રાહક આયોગનો સંપર્ક કરી શકો છો. જો તમે રાજ્ય આયોગના નિર્ણય સાથે અસંમત હો, તો તમે રાષ્ટ્રીય ગ્રાહક મંચનો સંપર્ક કરી શકો છો. ગ્રાહક તરીકે, તમે કોઈપણ ગ્રાહક કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો.

એક વાતનું ધ્યાન રાખો કે, તમારી પાસે ખરીદેલી વસ્તુ સંબંધિત બિલ, ફોટા, ચેટ વગેરે સહિત તમામ સંબંધિત ડોક્યુમેન્ટ છે. જો વસ્તુ મોંઘી હોય અને ખામીયુક્ત હોય, તો દુકાનદાર સાથે વાતચીત કરો કે જેનાથી તમે પુરાવા આપી શકો.

ફોન કરવાને બદલે, દુકાનદાર સાથે ચેટ કરવાનો પ્રયાસ કરો, જ્યાં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા ઇમેઇલ કરી શકો છો. (All photo: canva)
જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. અહી ક્લિક કરો
