AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે પણ છે રેલવેનું ધબકતું હૃદય ! ગુજરાત, કોલકાતા કે દિલ્હી નહીં પણ આ છે ભારતનું પહેલું રેલવે સ્ટેશન, શું તમને નામ ખબર છે કે નહીં?

ભારતીય રેલવે આજે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે પરંતુ તેની શરૂઆત એક નાના સ્ટેશનથી થઈ હતી. એવામાં શું તમે જાણો છો કે, ભારતનું પહેલું રેલવે સ્ટેશન કયું હતું?

| Updated on: Dec 19, 2025 | 6:26 PM
Share
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વના સૌથી મોટા અને બિઝી રેલવે નેટવર્કમાંનું એક છે. દૂરના ગામડાઓથી લઈને મહાનગરો સુધી ફેલાયેલા હજારો સ્ટેશનો મારફતે તે કરોડો મુસાફરોને તેમની મંઝિલ સુધી પહોંચાડે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારતનો આ વિશાળ રેલવે ઇતિહાસ ક્યાંથી શરૂ થયો? ભારતમાં પરિવહન ક્રાંતિની શરૂઆત કરનાર પ્રથમ રેલવે સ્ટેશન કયું હતું?

ભારતીય રેલવે નેટવર્ક વિશ્વના સૌથી મોટા અને બિઝી રેલવે નેટવર્કમાંનું એક છે. દૂરના ગામડાઓથી લઈને મહાનગરો સુધી ફેલાયેલા હજારો સ્ટેશનો મારફતે તે કરોડો મુસાફરોને તેમની મંઝિલ સુધી પહોંચાડે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ભારતનો આ વિશાળ રેલવે ઇતિહાસ ક્યાંથી શરૂ થયો? ભારતમાં પરિવહન ક્રાંતિની શરૂઆત કરનાર પ્રથમ રેલવે સ્ટેશન કયું હતું?

1 / 7
ભારતના પ્રથમ રેલવે સ્ટેશનનું નામ 'બોરી બંદર' હતું અને તે વર્ષ 1853 માં બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશન મુંબઈ (તે સમયે બોમ્બે) માં આવેલું હતું. આ સ્ટેશન ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ, 1853 ના રોજ આ બોરી બંદર સ્ટેશનથી થાણે માટે રવાના થઈ હતી. તે સમયે સ્ટેશનનું માળખું સરળ હતું પરંતુ આ રેલવેએ ભારતના ભવિષ્યનો પાયો નાખ્યો હતો.

ભારતના પ્રથમ રેલવે સ્ટેશનનું નામ 'બોરી બંદર' હતું અને તે વર્ષ 1853 માં બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેશન મુંબઈ (તે સમયે બોમ્બે) માં આવેલું હતું. આ સ્ટેશન ઐતિહાસિક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ, 1853 ના રોજ આ બોરી બંદર સ્ટેશનથી થાણે માટે રવાના થઈ હતી. તે સમયે સ્ટેશનનું માળખું સરળ હતું પરંતુ આ રેલવેએ ભારતના ભવિષ્યનો પાયો નાખ્યો હતો.

2 / 7
બીજું કે, જેમ જેમ રેલવેનો વિસ્તાર થતો ગયો તેમ તેમ સ્ટેશનને પુનઃવિકાસ (Re-Development) કરવાની જરૂર પડી. મીડિયા અહેવાલો અનુસાર, આ પ્રતિષ્ઠિત સ્ટેશનની આધુનિક રચના બ્રિટિશ આર્કિટેક્ટ ફ્રેડરિક વિલિયમ સ્ટીવેન્સે ડિઝાઇન કરી હતી. તેમણે તેને "ઇન્ડો-સેરાસેનિક" શૈલીમાં બનાવ્યું હતું, જે ભારતીય અને ગોથિક આર્કિટેક્ચરનું આકર્ષક મિશ્રણ છે.

બીજું કે, જેમ જેમ રેલવેનો વિસ્તાર થતો ગયો તેમ તેમ સ્ટેશનને પુનઃવિકાસ (Re-Development) કરવાની જરૂર પડી. મીડિયા અહેવાલો અનુસાર, આ પ્રતિષ્ઠિત સ્ટેશનની આધુનિક રચના બ્રિટિશ આર્કિટેક્ટ ફ્રેડરિક વિલિયમ સ્ટીવેન્સે ડિઝાઇન કરી હતી. તેમણે તેને "ઇન્ડો-સેરાસેનિક" શૈલીમાં બનાવ્યું હતું, જે ભારતીય અને ગોથિક આર્કિટેક્ચરનું આકર્ષક મિશ્રણ છે.

3 / 7
વર્ષ 1853 થી આ સ્ટેશને ઇતિહાસના ઘણા તબક્કા જોયા છે અને તેના નામમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. વર્ષ 1853માં બોરી બંદર સાથે શરૂઆતમાં આ એક સામાન્ય સ્ટેશન હતું. વર્ષ 1887 માં રાણી વિક્ટોરિયાના ગોલ્ડન જ્યુબિલીના અવસર પર તેનું નામ બદલીને ‘વિક્ટોરિયા ટર્મિનસ (VT)’ રાખવામાં આવ્યું.

વર્ષ 1853 થી આ સ્ટેશને ઇતિહાસના ઘણા તબક્કા જોયા છે અને તેના નામમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. વર્ષ 1853માં બોરી બંદર સાથે શરૂઆતમાં આ એક સામાન્ય સ્ટેશન હતું. વર્ષ 1887 માં રાણી વિક્ટોરિયાના ગોલ્ડન જ્યુબિલીના અવસર પર તેનું નામ બદલીને ‘વિક્ટોરિયા ટર્મિનસ (VT)’ રાખવામાં આવ્યું.

4 / 7
ત્યારબાદ વર્ષ 1996 માં મરાઠા સામ્રાજ્યના યોદ્ધા રાજા શિવાજીના સન્માનમાં તેનું નામ બદલીને 'છત્રપતિ શિવાજી ટર્મિનસ' (CST) રાખવામાં આવ્યું. અંતે વર્ષ 2017માં આ રેલવે સ્ટેશનના નામમાં ‘મહારાજ’ શબ્દ જોડવામાં આવ્યો અને આજે તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) નામથી સમગ્ર વિશ્વમાં ઓળખ ધરાવે છે.

ત્યારબાદ વર્ષ 1996 માં મરાઠા સામ્રાજ્યના યોદ્ધા રાજા શિવાજીના સન્માનમાં તેનું નામ બદલીને 'છત્રપતિ શિવાજી ટર્મિનસ' (CST) રાખવામાં આવ્યું. અંતે વર્ષ 2017માં આ રેલવે સ્ટેશનના નામમાં ‘મહારાજ’ શબ્દ જોડવામાં આવ્યો અને આજે તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) નામથી સમગ્ર વિશ્વમાં ઓળખ ધરાવે છે.

5 / 7
મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું આ સ્ટેશન માત્ર એક રેલવે સ્ટેશન જ નહીં પણ એક ઐતિહાસિક સ્મારક પણ છે. આના ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વને ધ્યાનમાં રાખીને, તેને જુલાઈ 2004 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રના મુંબઈમાં આવેલું આ સ્ટેશન માત્ર એક રેલવે સ્ટેશન જ નહીં પણ એક ઐતિહાસિક સ્મારક પણ છે. આના ઐતિહાસિક અને સ્થાપત્ય મહત્વને ધ્યાનમાં રાખીને, તેને જુલાઈ 2004 માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું.

6 / 7
આજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ભારતીય રેલવેના મધ્ય રેલવે ઝોનનું મુખ્ય મથક છે. તે મુંબઈ (લોકલ ટ્રેનો) ની જીવનરેખા છે અને લાંબા અંતરની ટ્રેનો માટેનું મુખ્ય કેન્દ્ર છે, જે દરરોજ લાખો મુસાફરોને લઈ જાય છે. બોરી બંદરથી શરૂ થયેલું આ સફર આજે વૈશ્વિક ઓળખ બની ચૂક્યું છે.

આજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ભારતીય રેલવેના મધ્ય રેલવે ઝોનનું મુખ્ય મથક છે. તે મુંબઈ (લોકલ ટ્રેનો) ની જીવનરેખા છે અને લાંબા અંતરની ટ્રેનો માટેનું મુખ્ય કેન્દ્ર છે, જે દરરોજ લાખો મુસાફરોને લઈ જાય છે. બોરી બંદરથી શરૂ થયેલું આ સફર આજે વૈશ્વિક ઓળખ બની ચૂક્યું છે.

7 / 7

આ પણ વાંચો : રેલવે ટ્રેક પર દેખાતા T/P અને T/G ના ચિહ્નો શું દર્શાવે છે ? તમે નહીં જાણતા હોવ..

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">