AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi In Japan : શું PM મોદી રશિયા-યુક્રેન યુદ્ધનો લાવશે અંત, G-7 સમિટમાં કરી આ વાત, આપી મોટી સલાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​G7 દેશોને સંબોધન કર્યું. સમિટમાં ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવાની અપીલ કરી હતી.

PM Modi In Japan : શું PM મોદી રશિયા-યુક્રેન યુદ્ધનો લાવશે અંત,  G-7 સમિટમાં કરી આ વાત, આપી મોટી સલાહ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 6:28 PM
Share

જાપાનના હિરોશિમામાં આજે G7 સમિટ સમાપ્ત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં મહેમાન તરીકે પહોંચ્યા હતા. વડા પ્રધાને કહ્યું કે વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ એ અમારો ઉદ્દેશ્ય છે. G7 દેશોએ ખાસ કરીને યુક્રેન કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને યુદ્ધ દ્વારા સર્જાયેલી સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને કહ્યું કે અમે શરૂઆતથી જ કહ્યું છે કે સંવાદ અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો છે.

આ પણ વાચો: PM Modi Papua New Guinea Visit : આખરે કેમ PM મોદીની Papua New Guineaની મુલાકાત જાપાન-ઓસ્ટ્રેલિયા કરતા વધુ મહત્વની છે ?

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ વર્તમાન પરિસ્થિતિને રાજકારણ કે અર્થવ્યવસ્થાનો મુદ્દો માનતા નથી. વડાપ્રધાને તેને માનવતાનો મુદ્દો ગણાવ્યો હતો. વિશ્વભરમાં યુદ્ધોને કારણે સર્જાયેલી કટોકટી વિશે વાત કરતા વડા પ્રધાને કહ્યું કે વિકાસશીલ દેશો પણ ખોરાક, ઇંધણ અને ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. વડા પ્રધાને તમામ દેશોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સાર્વભૌમત્વનું સન્માન કરવાની અપીલ કરી હતી.

પીએમ મોદીએ ફ્યુમિયો કિશિદાનો આભાર માન્યો હતો

G7 સમિટની સમાપ્તિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાનો આભાર માન્યો હતો. એક ટ્વીટમાં પીએમ મોદીએ પીએમ કિશિદા અને જાપાનના લોકોનો તેમની મુલાકાત દરમિયાન ઉષ્માભર્યા સ્વાગત અને આતિથ્ય માટે આભાર માન્યો અને કહ્યું કે આ મુલાકાત ખૂબ સારી રહી. તેમણે એ પણ જણાવ્યું કે તે જલ્દી જ પાપુઆ ન્યુ ગિની જવા રવાના થશે.

પપુઆ ન્યુ ગિનીમાં ટાપુઓના દેશોની સમિટમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 મેના રોજ પાપુઆ ન્યુ ગિનીમાં આયોજિત થનારી ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશનના ત્રીજા શિખર સંમેલનમાં ભાગ લેશે. આ જૂથમાં ભારત સહિત પ્રશાંત ટાપુઓના અન્ય 14 દેશોનો સમાવેશ થાય છે. ભારતે છેલ્લે 2015માં આ જૂથની બેઠક યોજી હતી. ત્યારથી, આઠ વર્ષ પછી, આ જૂથની સમિટનું આયોજન પાપુઆ ન્યુ ગિની દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
g clip-path="url(#clip0_868_265)">