Navratri Foods: નવરાત્રીમાં ખાઓ આ હેલ્ધી ફુડ, દિવસભર રહેશો એનર્જીથી ભરપુર

Navratri Foods: નવરાત્રિ દરમિયાન શરીરને ઉર્જા આપવા માટે પોષક તત્વોથી ભરપૂર ફુડ લેવું જોઈએ. અહીં અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઉપવાસ દરમિયાન પણ શરીરને એનર્જીથી ભરી દેશે. થાક લાગશે જ નહિ,

Navratri Foods: નવરાત્રીમાં ખાઓ આ હેલ્ધી ફુડ, દિવસભર રહેશો એનર્જીથી ભરપુર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2023 | 9:42 AM

નવરાત્રી(Navratri) આવાને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવરાત્રીની રાહ જોઈ બેઠા હોય છે. ત્યારે નવરાત્રી લોકો માટે ખૈલેયાઓ માટે શાનદાર રહે છે. ખૈલેયા મનભરીને ગરબે ઝુમે છે.તેમને જણાવી દઈએ કે, 15 ઓક્ટોમ્બરથી નવરાત્રીનું આગમન થઈ રહ્યું છે. નવરાત્રી દરમિયાન પંડાલ શણગારી દેવી દુર્ગાની પુજા કરવામાં આવે છે. અનેક લોકો 9 દિવસ સુધી વ્રત પણ કરે છે. તે માત્ર ધાર્મિક નહિ પરંતુ સાયન્સમાં પણ ઉપવાસ રાખવાથી અનેક ફાયદાઓ થાય છે.

આ પણ વાંચો : Health: તમે પણ ઓફિસ કે પછી ઘરે જતી વખતે લિફ્ટને બાય-બાય કહો, સીડી ચઢવાનું રાખો

જે લોકો પોતાની બોડી ડિટોક્સ કરવા માંગે છે તેમના માટે આ વ્રત ખુબ સારો વિકલ્પ બની શકે છે. આ સિવાય વેટ લોસ કરનાર લોકો માટે પણ વ્રત રાખવું ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે, વ્રત રાખવાનો અર્થ એ નહિ કે, તમારી હેલ્થને નજરઅંદાજ કરો. ઉપવાસ દરમિયાન પણ તમે હેલ્ધી ડાઈટથી શરીરનું ધ્યાન રાખી શકો છો. તો ચાલો જાણીએ કે, નવરાત્રી દરમિયાન ક્યાં ક્યાં ફુડ ખાવાથી શરીરને એનર્જી મળે છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

સાબુદાણા

સાબુદાણા માત્ર નવરાત્રી નહિ પરંતુ દરેક વ્રતમાં ખાય શકાય છે. જેમાં કાર્બોહાઈડ્રેટ ભરપુર માત્રામાં હોય છે. જેના કારણે એનર્જીનો પાવર હાઉસ કહી શકાય છે. આ સિવાય સાબુદાણા સરળતાથી પચી પણ જાય છે. વ્રત દરમિયાન તમે સાબુદાણાની ખીચડી કે પછી ખીર બનાવીને પણ ખાય શકો છો.

મખાના

મખાના સ્વાસ્થ માટે ખુબ હેલ્ધી માનવામાં આવે છે. જેમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સની માત્રા વધુ જોવા મળે છે. તેમજ કેલરી કાઉન્ટ પણ ઓછા કરે છે. વેટ લોસ કરનાર લોકો માટે મખાના સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.તે ક્રોનિક રોગોનું જોખમ ઘટાડે છે.નવરાત્રી દરમિયાન મખાનાની ખીર સૌથી સ્વાદિષ્ટ હોય છે. તેની સાથે તમે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરી શકો છો. મખાનાની ખીર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેનાથી તમારી ચરબી વધતી નથી.

લસ્સી

કેળા અને અખરોટની લસ્સી ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. તેને બનાવવા માટે દહીં, કેળા, મધ અને અખરોટની જરૂર પડે છે. જો તમે ઇચ્છો તો, તમે તેને સવારે લઈ શકો છો. હેલ્થ માટે પણ બેસ્ટ રહેશે આ લસ્સી.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">