AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIL Q4 Result : રિલાયન્સના નફામાં 19%નો વધારો, 1.5 લાખ કરોડનો વેપાર કર્યો

Reliance Q4 Result : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં થોડો વધારો થયો હતો. શેર 0.14% વધીને રૂ. 2348.90 કરોડ થયો હતો. NSE પર છેલ્લો ભાવ રૂપિયા 4.95 મુજબ 0.21% વધારા સાથે 2,351.00 રૂપિયા નોંધાયો હતો. 

RIL Q4 Result : રિલાયન્સના નફામાં 19%નો વધારો, 1.5 લાખ કરોડનો વેપાર કર્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 6:20 AM
Share

RIL Q4 Result :મુકેશ અંબાણી(Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 19% વધીને રૂ. 19299 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ઓપરેટિંગ આવક પણ એક વર્ષ અગાઉ રૂ. 2.11 લાખ કરોડથી વધીને રૂ. 2.16 લાખ કરોડ થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2022-23માં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 66,702 કરોડ હતો જ્યારે કુલ આવક રૂપિયા નવ લાખ કરોડની આસપાસ હતી.

આ પણ વાંચો : RIL Q4 Results Today : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પહેલા કંપનીનો સ્ટોક શું સંકેત આપી રહ્યો છે? જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

રિલાયન્સ રિટેલે માર્ચ ક્વાર્ટરમાં તેના ચોખ્ખા નફામાં 12.9 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો. હવે કંપનીનો નફો રૂપિયા 2415 કરોડ થઈ ગયો છે. ક્વાર્ટર દરમિયાન કંપનીની આવક 19.42 ટકા વધીને રૂ. 69,288 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 58,019 કરોડ હતી. રિલાયન્સ રિટેલનું EBITDA 32.6 ટકા વધીને રૂ. 4,914 કરોડ થયું છે. કંપનીએ 966 નવા સ્ટોર ખોલ્યા છે.

આ પણ વાંચો : Breaking News : કોહલી – સલમાન, BTS સહીતના અનેક લોકોના ટ્વિટરમાંથી બ્લુ ટિક ગાયબ, આજથી ટ્વિટર પર નહીં જોવા મળે ફ્રી બ્લુ ટિક

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં થોડો વધારો થયો હતો. શેર 0.14% વધીને રૂ. 2348.90 કરોડ થયો હતો. NSE પર છેલ્લો ભાવ રૂપિયા 4.95 મુજબ 0.21% વધારા સાથે 2,351.00 રૂપિયા નોંધાયો હતો.

કન્ઝ્યુમર બિઝનેસમાં સારો ફાયદો થયો

ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સની કુલ આવક રૂ. 2,39,082 કરોડ હતી, જે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 2.8 ટકા વધુ છે. કન્ઝ્યુમર બિઝનેસમાં મજબૂત કામગીરીને કારણે વૃદ્ધિ પ્રેરિત હતી. રિલાયન્સ રિટેલે આ વર્ષે 3,300 સ્ટોર ઉમેર્યા છે, જે પહેલા કરતા વધુ ઝડપી દરે સ્ટોર્સ ખોલી રહ્યા છે. આ રીતે રિલાયન્સ રિટેલનો કુલ વિસ્તાર 6 કરોડ 56 લાખ ચોરસ ફૂટ થઈ ગયો છે. ચોથા ક્વાર્ટર માટે કોન્સોલિડેટેડ EBITDA વાર્ષિક ધોરણે 21.9% વધીને ₹41,389 કરોડ થયો છે. કરવેરા પછીનો કોન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 18.3% વધીને ₹21,327 કરોડ થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">