AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો

યશ, કિર્તી અને સન્માનની પ્રાપ્તિ કરાવે છે સૂર્યદેવ. પણ જો રવિવારે ભૂલથી પણ ન કરતાં આ ભૂલ. કારણકે જો રવિવારે કરવામાં આવે આ ભૂલ તો આપના જીવનમાં આપને કરવો પડી શકે છે સૂર્યદેવની નારાજગીનો સામનો.

Bhakti : રવિવારે બિલકુલ ન કરો આ કામ ! નહીં તો કરવો પડશે સૂર્યદેવના પ્રકોપનો સામનો
યશ, કિર્તી અને સન્માનની પ્રાપ્તિ કરાવે છે સૂર્યદેવ !
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:16 AM
Share

સૂર્યદેવ (SUN) એટલે તો આ આખાંય ચરાચર જગતની આત્મા. સૂર્ય છે તો તેજ છે. સૂર્ય છે તો જ ઉજાશ છે. પછી તે પૃથ્વીની વાત હોય કે આપણાં જીવનની. જ્યોતિષ શાસ્ત્રમાં તો સૂર્યદેવને તમામ ગ્રહોના રાજા કહેવાય છે. આદિ પંચદેવમાં જેમનું છે સ્થાન એવા સૂર્યદેવ એ પ્રત્યક્ષ દેવ કહેવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યદેવ વગર તો આ સંસારની ક્ષણ પણ કલ્પી ન શકાય.

આપણા શાસ્ત્રોમાં દરેક દેવી દેવતાની પૂજા અર્ચના માટે એક-એક વાર સમર્પિત છે. એમાં પણ રવિવાર એટલે તો સૂર્યદેવને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ અવસર. આપણે સૌ સૂર્યદેવને પ્રસન્ન કરવા અનેક ઉપાયો કરતાં હોઈએ છીએ. કહેવાય છે કે સૂર્યદેવ જો પ્રસન્ન થાય તો વ્યક્તિને તેના કાર્યમાં યશની પ્રાપ્તિ થાય છે, સમાજમાં સન્માન જળવાઈ રહે છે અને એટલું જ નહીં વ્યક્તિને સુસ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

જો આપ ઈચ્છો છો કે સૂર્યદેવ આપના પર પ્રસન્ન થાય તો રવિવારે કેટલીક બાબતો બિલકુલ ન કરવી જોઈએ. કારણકે જો આ બાબતોનું નહીં રાખો ધ્યાન તો આપને સૂર્યદેવના કોપનો સામનો કરવો પડશે.

1. રવિવારે જમવામાં મીઠાંનો(નમક) ઉપયોગ બિલકુલ પણ ન કરવો. કહે છે કે તે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. માન્યતા છે કે જો રવિવારે રસોઈમાં મીઠાંનો પ્રયોગ કરવામાં આવે તો વ્યક્તિને ધારેલા કામમાં સફળતા મળતી નથી.

2. રવિવારે દૂધને ઢોળવું નહીં અને દૂધને બાળવું પણ નહીં.

3. રવિવારે સવારે મોડે સુધી ન સુવું જોઈએ. જે વ્યક્તિ મોડે સુધી સુતા રહે છે તેમની કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર પડે છે.

4. રવિવારે કોઈ વ્યક્તિની સામે ગુસ્સો ન કરવો. નહીં તો આપને સૂર્યદેવના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

5. રવિવારે આપના માતા પિતાનું અને કોઈ ગરીબનું અપમાન ન કરવું.

6. કહે છે કે તાંબુ એ સૂર્ય સાથે જોડાયેલ ધાતું છે માટે રવિવારે તાંબાનું વેચાણ ન કરવું.

7. સૌથી છેલ્લી પણ ખૂબ જરૂરી બાબત. દર રવિવારે સૂર્યદેવને જળ અવશ્ય ચઢાવવું પરંતુ નાહ્યાં પહેલાં ક્યારેય આ કાર્ય ન કરવું. યાદ રહે જળ અર્પણ કરતી વખતે આપનું મુખ પૂર્વ સિવાય બીજી કોઈ દિશામાં ન હોવું જોઈએ.

આ પણ વાંચો :બ્રહ્મચારી હનુમાનજીના પણ થયા હતા લગ્ન ! આ મંદિરમાં પત્ની સાથે જ બિરાજમાન થયા પવનપુત્ર

આ પણ વાંચો : શું તમે કરો છો શનિદેવના આ દસ નામનો જાપ ? જાપ માત્રથી શનિદેવ હરશે સઘળા સંતાપ !

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">