AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitra Navratri 2026 : ભારતનું એક એવુ મંદિર જ્યાં રોજ રાત્રે એની જાતે જ વાગે છે ઘંટડીઓ, જાણો શું છે રહસ્ય

મધ્ય પ્રદેશમાં આવેલું મૈહર માતા મંદિર પોતાની આસ્થા અને રહસ્યો માટે જાણીતું છે. માન્યતા મુજબ, રાત્રે મંદિરના દરવાજા બંધ થયા પછી પણ ઘંટડીઓ જાતે જ વાગતી સંભળાય છે, જે આ પવિત્ર સ્થાનના દૈવીય રહસ્યને વધુ ગાઢ બનાવે છે.

Chaitra Navratri 2026 :  ભારતનું એક એવુ મંદિર જ્યાં રોજ રાત્રે એની જાતે જ વાગે છે ઘંટડીઓ, જાણો શું છે રહસ્ય
| Updated on: Mar 19, 2026 | 2:57 PM
Share

ભારતમાં અનેક એવા મંદિરો છે જે પોતાની દિવ્યતા અને રહસ્યો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એમાંનું એક છે મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં ત્રિકૂટ પર્વત પર આવેલું મૈહર માતાનું મંદિર. મા શારદાને સમર્પિત આ મંદિરના દરવાજા રાત્રે બંધ કરી દેવામાં આવે છે, પરંતુ માન્યતા છે કે બંધ દરવાજા પાછળ આજે પણ કોઈ અજાણી શક્તિ સૌથી પહેલા માતાની પૂજા કરે છે.

મૈહર મંદિરનું રહસ્ય

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલું મૈહર માતા મંદિર (મા શારદા ધામ) આસ્થા, ચમત્કાર અને રહસ્યોનું અનોખું સંગમ માનવામાં આવે છે. વિંધ્ય પર્વતમાળાની ત્રિકૂટ પહાડી પર સ્થિત આ મંદિરે પહોંચવા માટે ભક્તોને આશરે 1063 સીડીઓ ચઢવી પડે છે. નવરાત્રિ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે, પરંતુ આ મંદિરની સૌથી ખાસ વાત છે રાત્રે જાતે વાગતી ઘંટડીઓ.આ અજાણ્યું રહસ્ય આજે પણ લોકોના મનમાં પ્રશ્નો ઉભા કરે છે

રાત્રે જાતે જ વાગે છે ઘંટડીઓ

સ્થાનિક માન્યતાઓ અનુસાર, મંદિરના કપાટ બંધ થયા પછી પણ રાત્રે ઘંટડીઓ વાગવાનો અવાજ સંભળાય છે. કહેવાય છે કે આ સમયે મંદિરની અંદર કોઈ માણસ હાજર નથી, છતાં ઘંટડીઓ વાગતી રહે છે. ભક્તોનું માનવું છે કે આ સામાન્ય ઘટના નથી, પરંતુ દૈવી સંકેત છે. માન્યતા મુજબ, રાત્રે મા શારદા સ્વયં મંદિરમાં વિરાજમાન રહે છે અને તેમની પૂજા થાય છે, જેના કારણે ઘંટડીઓ વાગે છે.

આલ્હા-ઉદલ સાથે જોડાયેલી માન્યતા

મૈહર માતા મંદિરનો સંબંધ વીર યોદ્ધા આલ્હા-ઉદલ સાથે પણ જોડાય છે. લોકકથાઓ મુજબ, આલ્હા આજે પણ અમર છે અને દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૌથી પહેલા મંદિરે આવી મા શારદાની પૂજા કરે છે. કહેવાય છે કે સવારે જ્યારે પૂજારી મંદિરના દરવાજા ખોલે છે, ત્યારે ત્યાં તાજા ફૂલ અને પૂજાના નિશાન જોવા મળે છે, જે આ રહસ્યને વધુ ગહન બનાવે છે.

ત્રિકૂટ પર્વત પર આવેલું પવિત્ર ધામ

આ મંદિર ત્રિકૂટ પર્વતની ઊંચાઈ પર આવેલું છે, જ્યાંથી સમગ્ર મૈહર શહેરનું અદભૂત દૃશ્ય જોવા મળે છે. ભક્તો સીડીઓ દ્વારા અથવા રોપવે દ્વારા પણ મંદિરે પહોંચી શકે છે. અહીં વિરાજમાન મા શારદાને વિદ્યાની દેવી મા સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓ ખાસ કરીને અહીં દર્શન માટે આવે છે.

નવરાત્રિમાં ઉમટે છે આસ્થાનો પ્રવાહ

ચૈત્ર અને શારદીય નવરાત્રિ દરમિયાન મૈહર માતા મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરે છે અને માન્યતા છે કે સચ્ચા મનથી મા ને યાદ કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તેથી મૈહર માતા મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ રહસ્યમય ઘટનાઓનું કેન્દ્ર પણ છે. રાત્રે વાગતી ઘંટડીઓ, આલ્હા-ઉદલની વાર્તા અને દૈવી ઉપસ્થિતિની માન્યતાઓ આ મંદિરને વધુ વિશેષ બનાવે છે.

આ પણ વાંચો- Chaitra Navratri 2026: નવરાત્રીના 9 દિવસમાં બની રહ્યા છે વિવિધ શુભ યોગ, જાણો કઇ રાશિને થશે અસર

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">