AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Agniveer: ભારતીય નૌકાદળમાં અગ્નિવીરની ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી

Indian Navy Agniveer: ભારતીય નૌકાદળે અગ્નિવીર (SSR, MR અને SSR મેડિકલ આસિસ્ટન્ટ) ભરતી 2026 માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 માર્ચ 2026 થી શરૂ થઈ ગઈ છે.

Indian Navy Agniveer: ભારતીય નૌકાદળમાં અગ્નિવીરની ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી
Indian Navy Agniveer Recruitment
| Updated on: Mar 16, 2026 | 2:01 PM
Share

Indian Navy Agniveer: ભારતીય નૌકાદળમાં જોડાવાનું અને સમુદ્રની લહેરો વચ્ચે પોતાના દેશનું રક્ષણ કરવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય નૌકાદળે અગ્નિવીર (SSR, MR, અને SSR મેડિકલ આસિસ્ટન્ટ) ભરતી 2026 માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા અપરિણીત પુરુષ અને મહિલા ઉમેદવારોને ભારતીય નૌકાદળમાં જોડાવાની તક પૂરી પાડશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 માર્ચ, 2026 થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય નૌકાદળના સત્તાવાર ભરતી પોર્ટલ, joinindiannavy.gov.in ની મુલાકાત લઈને તેમનું અરજી ફોર્મ ભરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

નૌકાદળમાં ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ સમયમર્યાદા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

  • અરજી શરૂ થવાની તારીખ: 14 માર્ચ, 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 6 એપ્રિલ, 2026
  • કરેક્શન વિન્ડો: 10 એપ્રિલથી 11 એપ્રિલ, 2026
  • પરીક્ષાની તારીખ (INET 2026): મે 2026 (લગભગ)

અરજી ફી

તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹550 + 18% GST છે. ચુકવણી નેટ બેંકિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ઓનલાઈન કરી શકાય છે.

પદની વિગતો અને પાત્રતા

ભારતીય નૌકાદળે વિવિધ કેટેગરીઓ માટે કડક પાત્રતા માપદંડ નક્કી કર્યા છે:

અગ્નિવીર SSR

આ માટે 12મું ધોરણ (10+2) પાસ હોવું જરૂરી છે. મુખ્ય વિષયો ગણિત અને ફિઝિક્સ હોવા જોઈએ, જેમાં કેમેસ્ટ્રી, બાયોલોઝી અથવા કમ્પ્યુટર વિજ્ઞાનમાંથી એક વિષય હોવો જોઈએ.

અગ્નિવીર MR

આ પદ માટે લઘુત્તમ લાયકાત 10મું ધોરણ પાસ (મેટ્રિક્યુલેશન) છે. રસોઇયા (Chef), સ્ટુઅર્ડ અને હાઇજિનિસ્ટ જેવા પદો માટે નિમણૂકો કરવામાં આવે છે.

અગ્નિવીર SSR (મેડિકલ)

આ એક ખાસ કેટેગરી છે જેના માટે તબીબી લાયકાત ધરાવતા 12મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.

વય મર્યાદા અને વૈવાહિક સ્થિતિ

અગ્નિવીર ભરતી માટે સૌથી મહત્વપૂર્ણ માપદંડ વય અને વૈવાહિક સ્થિતિ છે. દરેક પદ માટે વય મર્યાદા અલગ અલગ છે.

વધુમાં આ ભરતી માટે ફક્ત અપરિણીત પુરુષ અને સ્ત્રી ઉમેદવારો જ પાત્ર બનશે. તેઓએ તેમની સેવા દરમિયાન પણ અપરિણીત રહેવાની જરૂરિયાતનું પાલન કરવું આવશ્યક છે.

કરિયરની વધારે ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. કરિયર સામાન્ય રીતે તે પ્રવૃત્તિઓનો સંદર્ભ આપે છે જે રોજગાર મેળવવામાં મદદ કરે છે. નોકરી કે વ્યવસાયો શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર, જર્નાલિસ્ટ, વકીલ, મજૂર, કલાકાર વગેરે છે. કોઈ પણ પ્રવૃતિ જે તમને ઘર ચલાવવામાં મદદ કરે છે તેને કરિયર કહેવામાં આવે છે.

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">