AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જિમ વચ્ચે છોડી દેવાથી શરીર પર શું અસર પડે છે? જાણો નિષ્ણાંતોની સલાહ

જિમ શરૂ કર્યા પછી તેને વચ્ચે છોડવાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે તે સમજવું ખુબ જરૂરી છે.

જિમ વચ્ચે છોડી દેવાથી શરીર પર શું અસર પડે છે? જાણો નિષ્ણાંતોની સલાહ
Image Credit source: social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 1:34 PM
Share

આજના સમયમાં ફિટ અને એક્ટિવ રહેવું ઘણા લોકો માટે પ્રાથમિકતા બની ગયું છે. ખાસ કરીને યુવાનોમાં જિમ જવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. લોકો ઉત્સાહ સાથે જિમ શરૂ કરે છે અને શરૂઆતના દિવસોમાં નિયમિત રીતે વર્કઆઉટ પણ કરે છે. જિમ માત્ર શરીરને મજબૂત બનાવવામાં જ મદદરૂપ નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. નિયમિત કસરતથી શરીરમાં ઉર્જા વધે છે, સ્ટેમિના સુધરે છે અને દિનચર્યા વધુ સક્રિય બને છે.

જિમના નિયમિત વર્કઆઉટના ફાયદા

જ્યારે કોઈ વ્યક્તિ સતત જિમ કરે છે, ત્યારે તેના મસલ્સ મજબૂત બને છે અને શરીરનું overall fitness લેવલ સુધરે છે. ઉપરાંત વજન નિયંત્રણમાં રહે છે અને હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઘટે છે. જિમમાં વિવિધ પ્રકારની કસરતો કરવાથી શરીરના દરેક ભાગ પર અસર થાય છે, જે આરોગ્ય માટે ખૂબ મહત્વનું છે. સાથે જ વર્કઆઉટ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે.

વચ્ચે જિમ છોડવાનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?

ઘણા લોકો શરૂઆતમાં ઉત્સાહથી જિમ જોડાય છે, પરંતુ થોડા સમય પછી સમયની અછત, આળસ અથવા મોટિવેશનની કમીને કારણે તેને છોડીને દે છે. કેટલાક લોકો માટે નિયમિતતા જાળવવી મુશ્કેલ બની જાય છે. આ કારણે જિમની આદત લાંબા સમય સુધી ટકી શકતી નથી.

અચાનક જિમ છોડવાથી શું અસર પડે?

તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત કસરત કરે છે, ત્યારે શરીર તેની સાથે એડજસ્ટ થઈ જાય છે. પરંતુ અચાનક જિમ છોડવાથી આ સંતુલન બગડી જાય છે. મસલ્સની શક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે અને સ્ટેમિના પણ ઓછો થઈ શકે છે. શરીરમાં જે તાજગી અને એનર્જી અનુભવાતી હતી, તે પણ ઓછી થવા લાગે છે.

મેટાબોલિઝમ અને વજન પર અસર

જિમ છોડવાથી મેટાબોલિઝમની ગતિ ધીમી પડી શકે છે. જેના કારણે વજન વધવાની શક્યતા વધી જાય છે. લાંબા સમય સુધી કસરત ન કરવાથી શરીર ફરી પહેલા જેવી સ્થિતિમાં જઈ શકે છે, જે આરોગ્ય માટે યોગ્ય નથી. આ કારણે ભવિષ્યમાં વિવિધ બીમારીઓનું જોખમ વધી શકે છે.

શારીરિક અને માનસિક સમસ્યાઓ

વચ્ચે જિમ છોડવાથી શરીરમાં થાક, સુસ્તી અને ઉર્જાની કમી અનુભવાઈ શકે છે. મસલ્સ ઢીલા પડી શકે છે અને કામ કરવાની ક્ષમતા ઘટી શકે છે. સાથે જ જે લોકો કસરત દ્વારા તણાવ ઘટાડતા હતા, તેમને માનસિક રીતે પણ ફેરફાર અનુભવાય છે. ઊંઘમાં ખલેલ, ચિડચિડાપણું અને ધ્યાનમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે.

જો જિમ છોડવું પડે તો શું કરવું?

ક્યારેક પરિસ્થિતિઓને કારણે જિમ છોડવું પડે, પરંતુ સંપૂર્ણ રીતે શારીરિક પ્રવૃત્તિ બંધ કરવી યોગ્ય નથી. ઘરે હળવી કસરત, યોગ અથવા રોજની વોકને દિનચર્યામાં સામેલ કરવી જોઈએ. આ રીતે શરીર સક્રિય રહી શકે છે અને ફિટનેસ જાળવી શકાય છે.

જિમ શરૂ કરીને તેને વચ્ચે છોડવું શરીર માટે નુકસાનકારક બની શકે છે. તેથી જો જિમ ચાલુ રાખવું શક્ય ન હોય, તો પણ કોઈને કોઈ રીતે એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. નિયમિતતા જાળવી રાખવી અને સંતુલિત આહાર લેવું આરોગ્ય માટે ખૂબ મહત્વનું છે.

Breaking News: Apple યુઝર્સ આપે ધ્યાન ! કંપનીએ અચાનક બંધ કરી દીધા 15 ડિવાઈઝ, તમારો iPhone તો નથીને લિસ્ટમાં?

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">