AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તણાવ વચ્ચે ક્રૂડ અને ગેસ પુરવઠા પર ભારતીય નૌસેનાની દેખરેખ, ઓમાનની ખાડીમાં તેહનાત કરાયા યુદ્ધજહાજ

મધ્ય પૂર્વ તણાવ વચ્ચે, ભારતીય નૌસેનાએ ક્રૂડ અને ગેસ પુરવઠાની સુરક્ષા માટે ઓમાન ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાના યુદ્ધજહાજોની સંખ્યા વધારી છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ પૂરો પાડવાનો છે.

Breaking News : તણાવ વચ્ચે ક્રૂડ અને ગેસ પુરવઠા પર ભારતીય નૌસેનાની દેખરેખ, ઓમાનની ખાડીમાં તેહનાત કરાયા યુદ્ધજહાજ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2026 | 4:09 PM
Share

મધ્યપૂર્વના વધતા જતાં તણાવની વચ્ચે, ભારતે પોતાની સમુદ્રી સુરક્ષા અને ક્રૂડ અને ગેસ પુરવઠાને મજબૂત બનાવવા મોટું પગલું ભર્યું છે. ભારતીય નૌસેનાએ ક્રૂડ અને ગેસ પુરવઠાની સુરક્ષા માટે ઓમાન ખાડી અને હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાના યુદ્ધજહાજોની સંખ્યા વધારી છે. આ નિર્ણય તે વિસ્તારમાં ક્રૂડ અને ગેસ સુરક્ષાને લગતા વધતા જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નૌસેનાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય ધ્વજ વાળા ટેન્કરો અને જહાજોને સુરક્ષિત ભારત સુધી પહોંચાડવાનો છે. સુરક્ષાના આ ઘેરામાં INS શિવાલિક, INS સુનયના અને જગ લાડકી સુરક્ષિત ભારતીય બંદરગાહો પર પહોંચી ગયા છે. ભારતીય નૌસેના ક્રૂડ અને ગેસ પુરવઠા પર કડક પહરા જાળવી રહી છે, અને જહાજોને સુરક્ષિત માર્ગ પૂરો પાડવા માટે સજ્જ છે.

કેમ સુરક્ષા વધારી દેવામાં આવી ?

2019 ના Mission Based Deployment અંતર્ગત, આ વિસ્તારમાં 1 થી 3 યુદ્ધજહાજો તૈનાત રહેતા હતા, પરંતુ હવે તેમની સંખ્યા વધારી દેવામાં આવી છે. સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને બતાવવામાં આવ્યું નથી કે હાલમાં કેટલા યુદ્ધજહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ યુદ્ધજહાજોનું મુખ્ય કાર્ય ભારતીય જહાજોને જોખમ ભરેલા વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર લાવવાનો છે. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમમાં 22 ભારતીય જહાજ હાજર છે, જેમ પર નૌસેનાની કડક નજર રાખવામાં આવી છે.

બે મોટા ઓપરેશન ચાલુ

ભારતીય નૌસેનાના હાલમાં બે મોટા ઓપરેશન ચાલી રહ્યા છે, ઓપરેશન સંકલ્પ- જે ઓમાનની ખાડીમાં ચાલી રહ્યું છે. એન્ટી-પાયરસી ઓપરેશન– આ ઓપરેશન અદેનની ખાડીમાં સમુદ્રી ડાકુઓને રોકવા માટે ચાલુ છે.

Mission Based Deployment શું છે?

2017 થી ભારતીય નૌસેના Mission Based Deployment હેઠળ 6 મુખ્ય સમુદ્રી વિસ્તારોમાં સતત તૈનાત છે. આ અંતર્ગત યુદ્ધજહાજો મિત્ર દેશો સાથે અભ્યાસ કરે છે, સમુદ્રી ડાકુઓને રોકે છે અને આપાતકાલીન પરિસ્થિતિમાં રાહત અને બચાવ અભિયાન ચલાવે છે. વધતા ક્ષેત્રિય તણાવ વચ્ચે આને મોટું વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે, જે ભારત દ્વારા તેની સમુદ્રી સુરક્ષા અને તેલ પુરવઠા સુરક્ષિત રાખવા માટેનો સંકેત માનવામાં આવે છે.

Breaking News : ભિખારી પાકિસ્તાન પાસે રાષ્ટ્રીય તહેવાર ઉજવવા માટે રૂપિયા ને ઈંધણ જ નથી, પ્રજાસત્તાક દિવસની પરેડ કરી નાખી રદ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">