આજે મોકલો અને કાલે પહોંચશે! ભારતીય ટપાલ વિભાગ શરૂ કરી રહ્યું છે ’24 સ્પીડ પોસ્ટ’ સેવા, જો મોડું થયું તો પાછા મળશે પૈસા
શું તમે ક્યારેય વિચાર્યું છે કે સરકારી પોસ્ટ ઓફિસ ખાનગી કુરિયર કરતા પણ ઝડપી બની જશે? આવતીકાલથી પોસ્ટ વિભાગ એક એવી સર્વિસ શરૂ કરવા જઈ રહ્યું છે જેમાં તમારું પાર્સલ માત્ર 24 કલાકમાં ગંતવ્ય સ્થાને પહોંચી જશે. એટલું જ નહીં, જો સમયસર ડિલિવરી ન થઈ તો તમારા પૂરેપૂરા પૈસા પરત મળશે!

ભારતીય ટપાલ વિભાગ હવે આધુનિક અવતારમાં જોવા મળી રહ્યો છે. 17 માર્ચ, 2026 એટલે કે આવતીકાલથી કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં એક એવી સેવાની શરૂઆત કરશે જે કુરિયરની દુનિયા બદલી નાખશે. આ નવી સેવાનું નામ છે ’24 સ્પીડ પોસ્ટ’.
શું છે આ સેવાની ખાસિયત?
- નેક્સ્ટ ડે ડિલિવરી: આ સર્વિસ હેઠળ તમે આજે જે કુરિયર બુક કરાવશો, તે આવતીકાલે તેના નિશ્ચિત સરનામે પહોંચી જશે તેની ગેરંટી આપવામાં આવી છે.
- D+1 અને D+2 ફોર્મ્યુલા: વિભાગે ’24’ અને ’48’ કલાકની બે વિન્ડો બનાવી છે. ખાસ વિમાન (Priority Aircraft) દ્વારા તમારું પાર્સલ સૌથી પહેલા રવાના કરવામાં આવશે.
- મની-બેક ગેરંટી: સૌથી મોટો ફાયદો એ છે કે જો ટપાલ વિભાગ તમારા પાર્સલને સમયસર પહોંચાડવામાં નિષ્ફળ રહેશે, તો સર્વિસ માટે લીધેલા પૈસા તમને પરત (Refund) કરી દેવામાં આવશે.
કયા શહેરોમાં સૌથી પહેલા શરૂ થશે?
પ્રથમ તબક્કામાં આ સેવા ભારતના 6 મુખ્ય મેટ્રો શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે:
(1) દિલ્હી (2) મુંબઈ (3) ચેન્નાઈ (4) કોલકાતા (5) બેંગલુરુ (6) હૈદરાબાદ
This isn’t about counting days.
Waiting for a new chapter in delivery, starting 17 March.
#BigReveal #SomethingBig #IndiaPost #DeliveryServices #DakSewaJanSewa #ComingSoon #Countdown #StayTuned pic.twitter.com/bINwebTihV
— India Post (@IndiaPostOffice) March 16, 2026
વેપારીઓ અને ગ્રાહકો માટે હાઈટેક સુવિધાઓ
માત્ર ઝડપ જ નહીં, પણ સુરક્ષા અને ટેકનોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે:
- સુરક્ષિત ડિલિવરી: પાર્સલ મળે ત્યારે OTP આધારિત સિક્યોરિટી રહેશે.
- લાઈવ ટ્રેકિંગ: SMS એલર્ટ સાથે તમે તમારા કુરિયરને એન્ડ-ટુ-એન્ડ ટ્રેક કરી શકશો.
- બલ્ક બુકિંગ: મોટા બિઝનેસ ગ્રાહકો માટે ‘ફ્રી પિકઅપ’ અને API ઇન્ટિગ્રેશન જેવી સુવિધાઓ મળશે.
નિષ્કર્ષ
ભારતીય ટપાલ વિભાગની આ નવી પહેલથી સામાન્ય લોકો અને ઓનલાઇન બિઝનેસ કરનારાઓને મોટો ફાયદો થશે. હવે ‘સરકારી કામ છે એટલે મોડું થશે’ એ માન્યતા દૂર થવા જઈ રહી છે.
