Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક સંકટ યથાવત, રાષ્ટ્રપતિ રાજપક્ષે કરશે નવી કેબિનેટ રચના, આજે શપથ લેશે મંત્રી

|

Apr 18, 2022 | 12:54 PM

દેશમાં મોટા પ્રમાણમાં સરકાર વિરોધી વિરોધને કારણે, સમગ્ર શ્રીલંકાના મંત્રીમંડળે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. શ્રીલંકામાં એક વિરોધ પક્ષે બિનઅનુભવી મંત્રીઓ સાથે નવી કેબિનેટની નિમણૂક કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયનો વિરોધ કર્યો છે.

Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક સંકટ યથાવત, રાષ્ટ્રપતિ રાજપક્ષે કરશે નવી કેબિનેટ રચના, આજે શપથ લેશે મંત્રી
Sri Lanka Crises: Economical Crises file image

Follow us on

શ્રીલંકામાં (Sri Lanka) હાલમાં લોકો આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે ફસાયેલા છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) શ્રીલંકામાં નવી કેબિનેટની રચના કરવાના છે. આ માટે તેણે ડ્રાફ્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. એવું જાણવા મળ્યું છે કે કેબિનેટનું કદ નાનું થવાનું છે. તેની પાછળનો હેતુ એ છે કે સરકાર સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરી શકે. નવી કેબિનેટની શપથવિધિ આજે થશે. પરંતુ આ શપથ ગ્રહણ એવા અવસર પર થઈ રહ્યું છે જ્યારે દેશમાં સરકાર વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે (Sri Lanka Political Crisis)

શાસક પક્ષના એક સાંસદે સમાચાર એજન્સી ANIને જણાવ્યું, “નવી કેબિનેટની શપથવિધિ આજે યોજાવાની છે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન (મહિન્દા રાજપક્ષે) પદ પર રહેશે. કેટલાક નવા અને યુવા ચહેરાઓને કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવશે. સૂત્રોએ એએનઆઈને એમ પણ જણાવ્યું કે તાજેતરની બેઠકમાં રાષ્ટ્રપતિએ તેમના રાજકીય ગઠબંધનના સભ્યોને સરકાર ચલાવવા માટે મર્યાદિત કેબિનેટ બનાવવા માટે કહ્યું. નોંધપાત્ર વાત એ છે કે, દેશમાં મોટા પ્રમાણમાં સરકાર વિરોધી વિરોધને કારણે, સમગ્ર શ્રીલંકાના મંત્રીમંડળે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં રાજીનામું આપી દીધું હતું. શ્રીલંકામાં એક વિરોધ પક્ષે બિનઅનુભવી મંત્રીઓ સાથે નવી કેબિનેટની નિમણૂક કરવાના રાષ્ટ્રપતિના નિર્ણયનો વિરોધ કર્યો છે.

19 એપ્રિલે નવા મંત્રીઓની સાથે થશે સંસદની બેઠક

રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશમાં વિરોધીઓના દબાણ હેઠળ છે. આ દરમિયાન સંસદ સત્રનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બંને ઘટનાઓ વચ્ચે નવી કેબિનેટની રચના થઈ રહી છે. શ્રીલંકાની સંસદ 19 એપ્રિલે નવા કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક યોજવા જઈ રહી છે, જ્યારે વિપક્ષના વધી રહેલા વિરોધને કારણે દબાણ વધવાની શક્યતા છે. ગત સંસદ સત્ર દરમિયાન, શાસક પક્ષના સાંસદોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તેમનો કાર્યકાળ પૂર્ણ કરતા પહેલા તેમના પદ પરથી રાજીનામું આપવાના નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વિદેશી હૂંડિયામણની અછતને કારણે કટોકટી ઊભી થઈ

શ્રીલંકામાં સંકટનું કારણ એ છે કે દેશ વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહ્યો છે. આના કારણે તેની ખોરાક અને ઈંધણની આયાત કરવાની ક્ષમતા પર અસર પડી છે. આવશ્યક ચીજવસ્તુઓની અછતને કારણે શ્રીલંકાએ તેના પડોશી દેશો પાસે મદદ માંગવી પડી છે. આર્થિક સ્થિતિના કારણે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પાસેથી રાજીનામું આપવાની માંગ કરવામાં આવી છે. બંનેના રાજીનામાને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. અગાઉ, વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે, રાષ્ટ્રને વિશેષ સંબોધનમાં, લોકોને ધીરજ રાખવા અને શેરીઓમાં ઉતરવાનું બંધ કરવા વિનંતી કરી જેથી સરકાર પરિસ્થિતિને ઉકેલી શકે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો: તુર્કીએ ઈરાક પર કરી એરસ્ટ્રાઈક, દારૂગોળાના ડેપોને નિશાન બનાવવામાં આવ્યા

આ પણ વાંચો: US ના લોસ એન્જલસમાં મહિલા સાથે ધોળા દિવસે થઈ લૂંટ, ઘટના CCTVમાં કેદ

Next Article