AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે કુર્દ લડવૈયાઓ જેનાથી ઈરાન ફફડે છે, પહાડના આ યૌદ્ધાઓ સાથે ડીલ કરીને શું ટ્રમ્પ દબાવશે ઈરાનની દુખતી રગ

કુર્દોનો પ્રાચીન ઈતિહાસ તપાસીએ તો પણ બહુ જાણકારી મળતી નથી કારણ કે તેમનો ઈતિહાસની યોગ્ય નોંધ નથી થઈ. પરંતુ ઈતિહાસવિદ્ અને સંશોધકો તેમની ઉત્પતિ મીડ્સ સાથે જોડે છે. જે લોહયુગ એટલે કે આયરન એઝ દરમિયાન લગભગ 1200-500 ઈસ પૂર્વે આ વિસ્તારના નિવાસી હતા. કુર્દ નામ સામાન્ય રીતે સાતમી સદી સાથે જોડીને જોવામાં આવે છે. જ્યારે કોઈ કુર્દ કબીલાએ ઈસ્લામ અપનાવી લીધો હતો.

કોણ છે કુર્દ લડવૈયાઓ જેનાથી ઈરાન ફફડે છે, પહાડના આ યૌદ્ધાઓ સાથે ડીલ કરીને શું ટ્રમ્પ દબાવશે ઈરાનની દુખતી રગ
| Updated on: Mar 19, 2026 | 9:38 PM
Share

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉશ્કેરણી બાદ કુર્દ લડવૈયાઓએ ઈરાનની રાજધાની તહેરાનમાં ઘુસવાની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકાની ખૂફિયા એજન્સી CIA કુર્દ લડવૈયાઓેને ઘાતક હથિયારો પહોંચાડી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 5 માર્ચે કહ્યુ હતુ કે બહુ સારુ થશે જો ઈરાકમાં રહેલી ઈરાનની કુર્દ સેના સીમા પાર કરી ઈરાની સરકાર પર હુમલો કરી દે. તાજા રિપોર્ટ્સ અનુસાર કુર્દ લડવૈયાઓએ ઈરાનની ઈસ્લામિક સરકાર સાથે યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે.

જો કે 5 માર્ચની ઘોષણા બાદ ટ્રમ્પના સૂર બદલાઈ ગયા અને તેમણે પાછળથી એવુ કહ્યુ હતુ કે તે ઈરાનના યુદ્ધને વધુ જટિલ બનાવવા નથી માગતા અને તેમણે કહ્યુ કે હું નથી ઈચ્છતો કે કુર્દ લોકો આમા સામેલ થાય. જો કે ઈરાનના કેટલાક કુર્દ નેતાઓ પણ હાલ આ સંઘર્ષમાં સામેલ થવાથી અચકાઈ રહ્યા છે કારણ કે તેમને પણ અમેરિકા પર ભરોસો નથી કે વોશિંગ્ટન તરફથી તેમને ક્યાં સુધી મદદ મળશે.

શું અમેરિકાના દગાને ભૂલી ઈરાન સાથે યુદ્ધ લડશે કુર્દ?

વર્ષ 1990ના દાયકામાં કુર્દ લડવૈયાઓ અમેરિકાના ઈશારે સદ્દાન હુસૈન વિરુદ્ધ હથિયાર પણ ઉઠાવી ચુક્યા છે અને બાદમાં વોશિંગ્ટન તરફથી તેમને દગો મળ્યો. ઈરાકમાં કુર્દીસ્તાન પ્રાદેશિક સરકારે પણ સશસ્ત્ર ઈરાની કુર્દીઓને ઈરાન સામે હુમલો કરવાની મનાઈ ફરમાવી છે. ઈરાને પહેલાથી જ ઈરાકમાં કુર્દિશ લડવૈયાઓના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. જ્યારે આ ક્ષેત્રની રાજધાની એરબિલની સુરક્ષા માટે અમેરિકી મિસાઈલ ઈન્ટરસેપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન-ઈરાક સીમા પર કુર્દ બહુલ વિસ્તારોમાં સ્થઇત ઈરાની સરકારી ઠેકાણાઓ પર ઘાત લગાવી ભારે બોમ્બીંગ કરી છે.

કોણ છે કુર્દ લડવૈયાઓ?

કુર્દ એક જાતિય સમૂહ છે જે મેસોપોટેમિયાના પ્રાચીન વિસ્તારના મૂળ નિવાસી છે. આ વિસ્તારમાં આજનું તુર્કીય, સીરિયા, ઈરાક અને ઈરાનના કેટલાક વિસ્તારો સામેલ છે. આરબો, તુર્કો અને ફારસીઓ બાદ તે મધ્ય પૂર્વનો ચોથો સૌથી મોટો જાતિય સમૂહ છે. અનુમાન અનુસાર આ વિસ્તારમાં કુર્દ લોકોની વસ્તી 3 થી 4 કરોડ વચ્ચે છે. યુરોપ અને કાકેશસ વિસ્તારમાં પણ કુર્દ લોકોની એક મોટી વસ્તી રહે છે. જેમા એકલા જર્મનીમાં જ 10 લાખ કુર્દો સામેલ છે. મોટાભાગના કુર્દો સુન્ની મુસ્લિમો છે અને કુર્દિશ ભાષા બોલે છે. આ ભાષાની બોલીઓ વિસ્તાર પ્રમાણે બદલાય છે.

કુર્દીશ બોલનારા યજીદી લોકો વધુમાં ઈરાક રહે છે. તે યજીદી ધર્મને માને છે. આ ધર્મમાં ઈસ્લામ, ઈસાઈ ધર્મ અને પ્રાચીન ફારસી ધર્મના તત્વો સામેલ છે. કુર્દ લોકોના નાના-મોટા સમૂહ શિયા ઈસ્લામ, યારસાનિજ્મ, પારસી, ખ્રિસ્તી અને યહૂદી ધર્મમાં માનનારા હોય છે.

ક્યાં રહે છે કુર્દો?

કુર્દોના પ્રાચીન ઈતિહાસની યોગ્ય રીતે નોંધણી નથી થઈ. પરંતુ કેટલાક ઈતિહાસકાર અને સંશોધકો તેમની ઉત્પતિ ‘મીડ્સ’ સાથે જોડે છે. જે લોહયુગ દરમિયાન 1200-500 ઈસા પૂર્વમાં આ વિસ્તારના નિવાસી હતા. કુર્દ નામ સામાન્ય રીતે 7મી સદી સાથે સંકળાયેલુ માનવામાં આવે છે જ્યારે અસંખ્ય કુર્દિશ કબીલાએ ઈસ્લામ સ્વીકાર્યો હતો. ત્યારબાદ સદીઓ સુધી મોટાભાગન કુર્દિશ લોકો ઘેટા-બકરા ચરાવનારા ખાનાબદોશ એટલે પશુપલાકો હતા. આ પ્રદેશ પર શાસન કરનારા રાજવંશો અને અમીરાતોમાં હસનવેહિદ (959-1015), મારવાનીદ (983-1085) અને આયુબિદ (1171-1270)નો સમાવેશ થાય છે. આ રાજવંશોમાંથી છેલ્લા શાસકે એક એવા સામ્રાજ્ય પર રાજ કર્યુ જે સિનાઈથી લઈને આફ્રિકા સુધી અને અરબી દ્વીપકલ્પના પશ્ચિમ ભાગ સુધી ફેલાયેલુ હતુ.

14મી સદી બાદથી કુર્દ-ભાષી વિસ્તારોનો મોટાભાગનો હિસ્સો ઓટોમન સામ્રાજ્યના કબ્જામાં હતો. આજની તેમની સૌથી મોટી આબાદી તુર્કીમાં લગભગ 1.5 કરોડ લોકોની કૂલ વસ્તીનો 15-20 ટકા છે. આમાંથી મોટાભાગના લોકો દક્ષિણ પૂર્વના એ વિસ્તારોમાં રહે છે જ્યાં કુર્દ લોકોની વસ્તી વધુ છે. તુર્કીના બીજા હિસ્સામાં પણ કુર્દ લોકો રહે છે. જેમા ઈસ્તંબુલ પણ સામેલ છે. જ્યાં અનુમાન અનુસાર 30 લાખ કુર્દ લોકો રહે છે. ઈરાક પણ કુર્દ લોકોની વસ્તીનો પણ લગભગ એટલો જ હિસ્સો છે. અહી અંદાજિત 60 લાથ કુર્દ લોકો રહે છે. જે ઈરાન (80 લાખ) અને સીરિયા (5 લાખ) કુર્દ રહે છે જે કૂલ વસ્તીના લગભગ 10 ટકા છે.

કુર્દો પાસે સ્વતંત્ર રાષ્ટ્ર કેમ નથી?

પહેલા વિશ્વયુદ્ધ બાદ જ્યારે ઓટોમન સામ્રાજ્યનું પતન થયુ તો કેટલાક વિજેતા મિત્ર દેશોની સેનાઓ, જેમા ફ્રાંસ યુકે અને ઈટાલી સામેલ હતા. તેમણે સેવ્રેસની સંધિ (1920) પર હસ્તાક્ષર કર્યા. આ સંધિમાં એક કુર્દ રાજ્ય બનાવવાની જોગવાઈ સામેલ હતી. પરંતુ તુર્કીના સ્વતંત્રતા સંગ્રામ (1919-1923) દરમિયાન તુર્કીના રાષ્ટ્રવાદીઓએ આ સમજૂતિને ફગાવી દીધી અને તેને ક્યારેય ઔપચારિક મંજૂરી ન મળી. ત્યારબાદ 1923 માં થયેલી લૉજેન સંધિ અંતર્ગત તુર્કીએ તેના આરબ વિસ્તારો પર તેનો દાવો છોડી દીધો, જેના પર પહેલા ઓટોમન સામ્રાજ્યનું નિયંત્રણ હતુ. આ વિસ્તારોમાં એ વિસ્તારો પણ સામેલ છે જે હવે સીરિયા અને ઈરાકના નામથી ઓળખાય છે.

કુર્દ રાષ્ટ્રવાદ હંમેશાથી આ વિસ્તારમાં એક મજબૂત શક્તિ રહ્યો છે અને કુર્દ હંમેશાથી એક આઝાદ દેશનું સપનુ જુએ છે. 1992 માં આજના ઈરાકના સુલેમાનિયામાં એક વિદ્રોહ બાદ ‘કુર્દિસ્તાન સામ્રાજ્ય’ ની ઘોષણા કરવામાં આવી હતી. જો કે તેને ક્યારેય આંતરરાષ્ટ્રીય માન્યતા ન મળી અને 1925 માં એક બ્રિટીશ નેતૃત્વવાળી અસીરિયન સેનાએ આ વિસ્તાર પર ફરીથી કબજો કરી લીધો. જાન્યુઆરી 1946માં આજના ઉત્તર-પૂર્વી ઈરાનમાં ‘હાબાદના કુર્દ ગણરાજ્ય’ની ઘોષણા કરી. ઈરાન પર સોવિયત કબજા દરમિયાન સ્થાપિત એક પ્રોક્સી સ્ટેટ ગણાતા આ ગણરાજ્યનુ અસ્તિત્વ 11 મહિનાથી ઓછા સમય સુધી રહ્યુ જે બાદ મોસ્કોએ આ વિસ્તારમાંથી તેની સેના હટાવી લીધી.

કુર્દ લડાયકો માટે ‘સ્વતંત્રતા’ હંમેશા એક છળ જેવી રહી છે. ઇતિહાસમાં બે વાર કુર્દ રાજ્યની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ બંને વખતે તેમને મહાસત્તાઓએ તેમને એકલા છોડી દીધા હતા

1922  કુર્દિસ્તાન સામ્રાજ્ય

ઇરાકના સુલેમાનિયામાં તેની ઘોષણા થઈ હતી, પરંતુ તેને કોઈ આંતરરાષ્ટ્રીય માન્યતા ન મળી અને 1925માં બ્રિટિશ નેતૃત્વ હેઠળની ‘એસીરીયન ફોર્સ’ દ્વારા આ વિસ્તાર પર ફરી કબજો કરી લેવામાં આવ્યો.

1946- મહાબાદનું કુર્દ ગણરાજ્ય

ઉત્તર-પૂર્વી ઈરાનમાં સોવિયત સંઘની મદદથી આ પ્રોક્સી સ્ટેટ સ્થપાયું હતું, પરંતુ સોવિયત સેના હટતાની સાથે જ માત્ર 11 મહિનામાં તેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું. આ ઐતિહાસિક દગો જ આજે કુર્દ નેતાઓને અમેરિકાના વાયદાઓ પર ભરોસો કરતા રોકી રહ્યો છે.

કુર્દો ઈરાન પ્રત્યે કેમ દુશ્મનાવટ રાખે છે?

ઈરાની કુર્દો દેશની પશ્ચિમી સરહદ પર કેન્દ્રિત છે, જોકે તેમના નાના જૂથો દેશના અન્ય ભાગોમાં પણ રહે છે, જેમાં તુર્કમેનિસ્તાન સાથે વહેંચાયેલ ઉત્તરપૂર્વીય સરહદનો પણ સમાવેશ થાય છે. ઈરાનના પશ્ચિમ સમર્થિત પહલવી રાજવંશના શાસન દરમિયાન, કુર્દો પર ભયાનક જુલમ ગુજારવામાં આવ્યો હતો. આ રાજવંશ 1979 માં શાહના પતન સુધી સત્તામાં રહ્યો; જોકે, ત્યારબાદ સત્તા પર આવેલી ઇસ્લામિક રિપબ્લિક સરકારે કુર્દો પર થયેલા અત્યાચારોમાં ઘટાડો કર્યો ન હતો. જાન્યુઆરી 2026 માં ઈરાનમાં થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન, ઈરાની સૈન્યએ કુર્દિશ વસ્તીવાળા પ્રદેશોમાં હજારો કુર્દિશ લોકોની હત્યા કરી.

2026નો નરસંહાર અને કુર્દોનો વ્યુહાત્મક યુ-ટર્ન

ઈરાનના પહલવી વંશના શાસનથી લઈને વર્તમાન ઇસ્લામિક શાસન સુધી કુર્દોએ ભારે ઉત્પીડન સહ્યું છે. તાજેતરમાં જાન્યુઆરી 2026માં ઈરાની સેનાએ વિરોધ પ્રદર્શનો દરમિયાન હજારો કુર્દ લોકોની નિર્મમ હત્યા કરી હતી, જેણે આ સંઘર્ષમાં ઘી હોમવાનું કામ કર્યું છે. જોકે, આ વખતે કુર્દ વ્યૂહરચનામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે.
22 ફેબ્રુઆરી 2026ના રોજ પાંચ મુખ્ય પક્ષો – PAK, કોમાલા, KDPI અને PJAK – એ મળીને ‘ઈરાની કુર્દિસ્તાનના રાજકીય દળોનું ગઠબંધન’ (CPFIK) બનાવ્યું છે. આ ગઠબંધને હવે સ્વતંત્ર રાજ્યને બદલે “એક વિકેન્દ્રીકૃત અને લોકશાહી ઈરાનની અંદર કુર્દિશ અધિકારો” ની માગણી કરી છે. આ એક અત્યંત મહત્વનો ‘વ્યૂહાત્મક પીવટ’ (Strategic Pivot) છે, જે દર્શાવે છે કે કુર્દ હવે માત્ર લડાઈમાં જ નહીં, પણ રાજદ્વારી ગણતરીઓમાં પણ પરિપક્વ થયા છે.

Vastu Tips: સવારે ઉઠતાવેંત ક્યારેય ન કરો આ ત્રણ ભૂલો, નહીં તો અટકાવી દેશે તમારી તરક્કી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">