AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં વીત્યું સીતાજીનું બાળપણ ! આ જ છે ત્રેતાયુગની ‘જનકપુરી’

વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું છે જનકપુર.

અહીં વીત્યું સીતાજીનું બાળપણ ! આ જ છે ત્રેતાયુગની ‘જનકપુરી’
જાનકી મંદિર
TV9 Bhakti
| Edited By: | Updated on: May 20, 2021 | 1:16 PM
Share

દેવી સીતા (SITA) એટલે તો સ્ત્રીત્વનું, સહનશીલતાનું, સુશીલતાનું અને સમજદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. દેવી સીતા એટલે તો ત્યાગની દેવી. આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે. શું તમે જાણો છો કે દેવી સીતાનું બાળપણ ક્યાં વીત્યું હતું ? જ્યાં દેવી સીતાનું બાળપણ વીત્યું તે સ્થાન આજે ક્યાં આવ્યું છે ? ચાલો, આજે આપને લઈ જઈએ ત્રેતાયુગની જનકપુરીમાં. એ જનકપુરીમાં કે જ્યાં આજે પણ દૃશ્યમાન છે રાજા જનકનો મહેલ અને આ મહેલના કણ-કણમાં સચવાયા છે દેવી સીતાના સ્પંદન.

આમ તો સમગ્ર નેપાળમાં ‘આધ્યાત્મિક્તા’ની અનુભૂતિ ડગલે ને પગલે મળતી જ રહે છે. પરંતુ, નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ 123 કિલોમીટરના અંતરે આવેલું જનકપુર ભક્તોના હ્રદયમાં અદકેરું જ સ્થાન ધરાવે છે. ધનુષા જિલ્લામાં આવેલું આ એ શહેર છે કે જેને લોકો જનકપુરના બદલે જનકપુરધામ કહેવું વધારે પસંદ કરે છે. અને કેમ ન કહે કારણ કે અહીં જ તો હતી રામાયણ કાળની મનોહારી મંગળકારી અને મનશાપૂર્તિ મિથિલા નગરી.

ત્રેતાયુગમાં મિથિલા નગરીમાં રાજા જનકનું રાજ હતું અને લોકવાયકા એવી છે કે આ જનકપુર જ તે સમયે મિથિલાની રાજધાની હતું. દેવી સીતાનો જન્મ કયા સ્થાન પર થયો તેને લઈને ભલે મતમતાંતર હોય પરંતુ, એ વાત તો દ્રઢપણે મનાઈ રહી છે કે આ જનકપુરના ‘જનકમહેલ’માં જ વિત્યું હતું દેવી સીતાનું બાળપણ.

Sitaji's childhood spent here! This is the 'Janakpuri' of Tretayug

સીતાનું બાળપણ

લોકમાન્યતા અનુસાર પ્રાચીનકાળમાં વિદેહના નામે પ્રસિદ્ધ આ સ્થાન પરથી જ ‘જનક’ રાજાઓ શાસન ચલાવતાં. વાસ્તવમાં વિદેહની ગાદિ પર બેસનાર દરેક રાજા ‘જનક’ તરીકે જ ઓળખાતો. અને તે જ કુળમાં રાજા ‘સીરધ્વજ’નું પ્રાગટ્ય થયું. આ ‘સીરધ્વજ’ એટલાં ગુણી અને જ્ઞાની હતાં કે તે જ ‘જનક’ રૂપે પ્રસ્થાપિત થઈ ગયા. અને તેમને જ ધરતી ખેડતાં એક ‘કન્યારત્ન’ની પ્રાપ્તિ થઈ. તે કન્યા એટલે જ તો દેવી ‘સીતા’. એ સીતા કે જે જનકપુરની આ જ ધરા પર ઉછર્યા હોવાની છે માન્યતા.

ત્રેતાયુગીની આ જનકપુરીએ દેવી સીતાના બાળપણને નિહાળ્યું પણ છે. અને સાથે જ શ્રીરામ પ્રત્યેના સીતાજીના અનુરાગનું તે સર્વપ્રથમ સાક્ષી પણ બન્યું છે. આ એ જ ભૂમિ છે કે જેની વાટિકામાં સિયા-રામજી પ્રથમવાર મળ્યા હતાં. અને આ જ ભૂમિ પર ધનુષ ભંગ કરી શ્રીરામ ‘મૈથિલી’ને વર્યા હતાં. સિયારામજીની એ યાદો અને સ્પંદનો આજે પણ આ ભૂમિ પર સચવાયેલી છે. અને તેને વધારે જ દ્રઢતા પ્રદાન કરી રહ્યો છે અહીંનો આ જનક મહેલ. જે પ્રસિદ્ધ છે જાનકી મંદિરના નામે.

આ પણ વાંચો : બાળવયે સંન્યાસ લેવાં આદિ શંકરાચાર્યજીએ શું કરી હતી લીલા ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">